યથાર્થ ગીતા સાર — ૯
પાંચમો અધ્યાય. અગાઉ જ્ઞાન માર્ગ અને કર્મયોગ બેની પસંદગી કરવાની ભગવાને આપી. એટલે જ્ઞાન માર્ગ ઉપર થઈ છેવટે. પહેલા એમને કર્મયોગ સારો લાગ્યો. પછી થયું કે આ કર્મયોગ તો બહુ અઘરો છે, એટલે પછી કે હવે તો પછી જ્ઞાન માર્ગ સારો છે, એટલે આપણે એની ઉપર કામ કરીશું. ત્યારે પણ જ્યારે શ્રીકૃષ્ણે જણાવ્યું કે, "બંને માર્ગમાં કર્મ તો કરવું જ પડશે," અને તેને શંકા મુક્ત થઈ. અને પછી કીધું કે, "તું શંકામુક્ત થઈને તત્વદર્શી મહાપુરુષનો આશ્રય લે"—એવી પ્રેરણા આપી ભગવાને અર્જુનને, જે આપણા બધાના માટે ખરેખર તો. તો અર્જુને ફરી નિવેદન કર્યું કે, "હે શ્રીકૃષ્ણ! આપ ક્યારેક સંન્યાસના માધ્યમ દ્વારા કર્મ કરવા અને ક્યારેક નિષ્કામ દ્રષ્ટિથી કરવાના કર્મની પ્રશંસા કરો છો. તો હવે આ બંનેમાંથી જે પરમ કલ્યાણકારી હોય તે મને જણાવો." સંન્યાસના માધ્યમથી કર્મ કરવા માટે, ક્યારેક વળી કહે છે કે નિષ્કામ કર્મ કરો; તો કે હવે આ બે પાછો ફરી ગૂંચવાડો થયો છે.
ભગવાન, હવે મને સમજાવો કે મારે ખરેખર કેવી રીતે કરવું? સંન્યાસી બનીને કર્મ કરવાનું કે કર્મયોગી બનીને કર્મ કરવાનું? તો આમાંથી પાછો સાચો માર્ગ શું છે? મારા માટે એ તમે મને કહો." ત્યારે શ્રી ભગવાન ઉવાચ: "અર્જુન! આ બંનેમાંથી સંન્યાસ અથવા જ્ઞાન દ્રષ્ટિથી કરાતા કર્મની અપેક્ષાએ નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે." ભગવાને આપી દીધું રૂલિંગ (ruling) અહીંયા આગળે, અર્જુન! જ્ઞાન માર્ગે જે કરાતા કર્મની અપેક્ષા છે, તેના કરતાં પણ નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે. નિષ્કામ કર્મયોગ કયો કીધો? આ(યજ્ઞનીવિધિ) કીધો. સમજાયું? હા. એને જ કર્મ કહેવાય છે, એવું અગાઉ પણ આપણને ભગવાને સમજાવ્યું તું. હવે આગળ કહે છે કે, "અર્જુન! જે કોઈનો દ્વેષ કરતો નથી..."—આ વાંચી જશો મેળ નહીં પડે, વાસ્તવમાં જીવનમાં આ વસ્તુ આપણે આત્મસાત કરતા જવી બહુ સખત જરૂરી છે.
કારણ કે, પ્રતિપળ દ્વેષ થાય છે.
અને ભગવાન ફરી સાવધ કરે છે કે, "અર્જુન! જે કોઈનો દ્વેષ કરતો જ નથી, કશાની આકાક્ષા રાખતો જ નથી, તેને હંમેશા હંમેશા સંન્યાસી સમજવો." હંમેશા સંન્યાસી! એમ સંન્યાસ લીધેલો છે તેને સંન્યાસી—એવું નથી કીધું. એમણે જે આ બે ફૂલફિલ (fulfill) કરતો હોય તેને સંન્યાસી સમજો. જુઓ, ડેફિનેશન (definition) બહુ સ્પષ્ટ છે ને? માટે, શ્રીકૃષ્ણએ જેટલી સ્પષ્ટતા આ બાબતમાં કરેલી છે ને, ધર્મની અને કર્મની બાબતોની અંદર, સંન્યાસની અંદર, જ્ઞાનની બાબતમાં—ભાગ્ય જ કોઈ બીજા કોઈએ કરી અત્યાર સુધી. એટલા માટે આપણે શ્રેષ્ઠ યોગેશ્વર વગેરે વગેરે કહીને આપણે ઉચિત સન્માનથી એમને આજે પણ આટલા ૫૦૦૦ વર્ષ પછી પણ એમને યાદ કરીએ એ છીએ. ઉચિત છે કે પછી ભલે તેણે ગમે તે માર્ગ લીધો હોય, સંન્યાસી છે કોણ? જેણે રાગ-દ્વેષનો ત્યાગ કર્યો છે અને જે આકાંક્ષા-ઈચ્છા રાખતો નથી; તો એને હંમેશા સંન્યાસી સમજવો.
પછી ભલે તેણે ગમે તે માર્ગ લીધો હોય. રાગ-દ્વેષ વગેરે પણ દ્વંદ્વથી રહિત તે પુરુષ સુખપૂર્વક ભવના બંધનમાંથી મુક્તિ મેળવે છે. તો જે કર્મનું બંધન છે તેનાથી ભવ બંધન થાય છે, એ સ્પષ્ટતા થવી જોઈએ આપણને. એક-એક-એક કર્મ જોડાતું જાય, જોડાતું જાય, જોડાતું જાય; એ બધું સંચિત થતું જાય છે અને એના કારણે ભવનું બંધન ઊભું થાય છે. સો અગેન (So again), પાછા ફરી જન્મ લેવાનું કમ્પલ્સન (compulsion) ઊભું થાય છે અને પછી પાછું મૃત્યુ પામવાનું કમ્પલ્સન થાય છે, પાછું ફરી જન્મ લેવાનું કમ્પલ્સન ઊભું થાય છે. એમાં ભયસ્થાન છે કે આ મૃત્યુ પછી ખબર નથી કે કઈ બાજુ જવાનું. ક્યાં ગયો? શું થયું? કોઈને કંઈ મળતું નથી, અતાપતા... પાછો ફરી પ્રગટ થાય છે. એવું ભગવાન કહે છે. અહીં તો એ ક્યાં જાય છે? તિર્યંચ ગતિમાં જાય છે, પશુ-પંખીની યોનિઓની અંદર.
ભાર ઉતારવો જ પડશે ને? પૃથ્વી ઉપર ભેગું કર્યું તો પછી... એટલે પાછું ઉતારવા જવું પડે. તો રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વથી રહિત તે પુરુષ સુખપૂર્વક ભવના બંધનમાંથી મુક્તિ મેળવે. આ બંનેમાંથી એક-એકમાં પણ સારી રીતે સ્થિત પુરુષ—બંને કેવા છે? તો કે જો બંને સારા જ છે. સ્થિત પુરુષ, સંન્યાસવાળો, કર્મયોગ વાળો, ફળ સ્વરૂપ પરમાત્માને એ પ્રાપ્ત કરે છે. પરમાત્મા બંનેનું લક્ષ્ય છે અને એ જ પ્રાપ્ત કરે છે, પરમાત્માને જ બંને જણા કરે છે. બંનેનું ફળ એક જ છે એટલે તે સમાન જ છે. તે બંનેને ફળની દ્રષ્ટિએ એક તરીકે જુએ છે, તે જ યથાર્થ જ્ઞાન વાળો છે. જ્ઞાન બી કેવું હોવું જોઈએ? તો કે યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. કોઈને એમ થાય કે ભાઈ કર્મ સંન્યાસ યોગથી જ એમ કે પરમાત્માને
પામી શકાય છે, તો એનું જ્ઞાન હજુ અધૂરું છે. કોઈ એમ કહે કે હું ફક્ત સંન્યાસ અને જ્ઞાન માર્ગથી જ પરમાત્માને પામી શકું છું, તો પણ એનું જ્ઞાન હજુ અધૂરું છે. તો આ બંને જ્ઞાનમાંથી કોઈ કોઈપણ એક માર્ગ લેશે તો પણ એ મુક્ત થશે. પણ કન્ડિશન એપ્લાય (condition applied) કઈ? તો કે જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કશાની આકાંક્ષા રાખતો નથી. કોઈ ઈચ્છા જ નહીં અને કોઈ રાગ-દ્વેષ નહીં. બસ, પૂરું થઈ ગયું! તો પછી નિષ્કામ કર્મયોગ વિશિષ્ટ કેમ છે? ભગવાનને અર્જુને પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાન કહે છે કે, "અર્જુન! નિષ્કામ કર્મયોગનું આચરણ કર્યા વિના સંન્યાસ—એટલે કે સર્વસ્વનો ન્યાસ—પ્રાપ્ત કરવો દુઃખજનક છે." નિષ્કામ કર્મયોગનું આચરણ કર્યા વિના ફક્ત સંન્યાસ લઈને માણસ ફર્યા કરતો હોય કે હું સંન્યાસી થઈ ગયો છું અને સર્વસ્વનો ન્યાસ એટલે મેં બધાનો ત્યાગ કરી દીધો છે, તો એ કર્યા કરશે તો એ ફક્ત સંન્યાસીના વેશની અંદર ભટક્યા જ કરશે.
એમ કહે છે; પણ એને સંસાર દુઃખ તો પાછું ઊભુંનું ઊભું જ છે. હવે બીજું વ્યવહાર કાર્ય કોઈ બીજું કરતો નથી. લોકો પાસે એને ભિક્ષા માંગીને જ એમ કે અન્ન તો ગ્રહણ કરવું પડશે, પણ કશું હશે નહીં એના પાસે. મતલબ એને ચાલવું પડશે, પુષ્કળ પરિશ્રમ કરવો પડશે, ઘણી બધી તકલીફો સહન કરવી પડશે એને—એટલે કે નિષ્કામ કર્મયોગનું આચરણ થવું અતિ આવશ્યક છે. તો એ જેમની મન સહિત ઇન્દ્રિયો મૌન છે, મન સહિત ઇન્દ્રિયો મૌન થઈ ચૂકેલી છે. એટલે મનનું મૌન એ જ મૌન કહેવાય.
બાકી બીજા બધા ગમે તેમ કર્યા કરે એ કોઈ મૌન હોતું નથી. આ તો મોઢેથી બોલે નહીં, પછી પાછા બાકી હશે કંઈક લખવા બેસી જશે, પછી આમ બતાવશે; તો એ બધું મૌન નથી. એમ ભગવાન સ્પષ્ટ ના પાડી દીધી છે. છતાંય તમને આવા નમૂના દેખાય છે, તો વંદન કરીને ત્યાંથી તે નિષ્કામ કર્મયોગનું આચરણ કરીને પરબ્રહ્મ પરમાત્માને ત્વરિત પ્રાપ્ત કરી લે છે. ત્વરિત પ્રાપ્ત કરી લે છે. માનવભાઈ, શું કીધું? આમ નિષ્કામ કર્મયોગનું આચરણ કરીને તે પરમાત્માને ત્વરિત પ્રાપ્ત કરી લે છે. બસ, આ તમે બેઠા યજ્ઞ કરવા માટે અને આવી રીતના તમે શરૂ કર્યું—આ નિષ્કામ કર્મ છે. યજ્ઞની પ્રક્રિયા છે. તમે યજ્ઞ કરી રહ્યા છો એ ભાવ સહિત તમે શરૂ કર્યું છે. આ કરતાં-કરતાં ઓમકારનું શ્રવણ થયું, પછી હવે તમે 'પશ્યંતિ' થઈ ગયું અને પછી તમે 'પરા'માં ગયા. બસ, પતી ગયું ત્યાં! એટલે દરેક બેઠકે તમે પરમાત્માને આમ ટચ કરી દેશો, એટલું બધું ક્લિયર-કટ છે.
અને એક જ વખતમાં પણ તમે એ પ્રાપ્ત થઈ શકે એવું છે. પરિપક્વ અવસ્થા થવી જોઈએ. બસ, ભગવાને શું શબ્દ વાપર્યો? "યોગની પરિપક્વ અવસ્થામાં"—તો યોગને પકવવો પડશે. તો રોજ-રોજ કરશો ત્યારે પાકશે ને? પછી એવી રીતના એટલે કીધું કે સાતત્ય હોવું જોઈએ એની અંદર. આમ સ્પષ્ટ છે કે નિષ્કામ કર્મયોગનું જ આચરણ કરવું જ પડશે, કેમ કે બંને ક્રિયાઓ એક જ છે. હવે જે ક્રિયા છે તે શું છે? તો કે યજ્ઞની ક્રિયા છે અને તેનો શુદ્ધ અર્થ શું થાય? આરાધના. એને જ આરાધના કહેવાય. નિષ્કામ કર્મ કરતો હોય એને આરાધના; બાકી પેલું આમ-આમ કર્યા કરતા હોય, ચાંદલા કરતા હોય, માળા કરતા હોય, ફૂલ કરતા હોય—ભગવાનની દ્રષ્ટિએ એ ઓકે છે પણ આરાધના આને ના કહી શકાય. આ બંનેમાં દેખાતું અંતર કેવળ કર્તાના દ્રષ્ટિકોણનું છે. કરનાર છે એનો દ્રષ્ટિકોણ કેવો છે એટલું જ અંતર છે, બાકી બંને એક જ છે.
એમ છેવટે ભગવાને કહી દીધું—એક પોતાની શક્તિ સમજીને આ કાર્યમાં પ્રવૃત્ત થાય છે અને બીજો નિષ્કામ કર્મયોગી દ્રષ્ટિ પર, ઈષ્ટ પર આધાર રાખીને આમાં પ્રવૃત્ત થાય.
જે જ્ઞાન માર્ગ વાળો સંન્યાસી છે તે શું છે? સામર્થ્યવાન બને છે. પહેલા પોતે ખૂબ બળ કેળવે છે. ઇન્દ્રિયોનું આનું તેનું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને પછી એના પર પ્રવૃત્ત થાય. તો એને ઈશ્વર મળશે એવી અપેક્ષા પણ નથી એને, એને તો જ્ઞાન જ જોવે છે. ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે કરવી છે? જ્ઞાન રૂપે કરવી છે. ને કર્મયોગી કર્મ સંન્યાસી છે એ તો શું કહે છે? "મને તો જ્ઞાન પ્રાપ્ત થાય એટલે પરમાત્મા પ્રાપ્ત થયા જ છે ને? કે પરમાત્મા પ્રાપ્ત થયા છે એટલે મને જ્ઞાન થયેલું જ છે"—કે એની સમજણ આવી છે. એટલે કર્મયોગી ઈષ્ટ પર આધાર રાખીને આમાં પ્રવૃત્ત થાય છે, કોણ? નિષ્કામ કર્મ. પછી શ્રીકૃષ્ણએ એ પણ જણાવ્યું કે, "કામ અને ક્રોધ બંને દુર્જય શત્રુ છે." કેવા? દુર્જય, પણ અજેય નથી. શબ્દ જુઓ કેવો એટલો અદભુત! બહુ સ્પષ્ટ કહી દીધું કે એ લોકો અજેય નથી, એ લોકો દુર્જય છે.
એટલે દુઃખ પડશે એને જય કરવામાં, પ્રાપ્ત થવા. પણ તમે એને કરી શકો છો. "અર્જુન, તું એને માર. કે કામ અને ક્રોધ—આ બેને તું માર." અર્જુનને લાગ્યું કે આ તો અઘરું કામ છે. ક્રોધને કેવી રીતે મારવો? કે' છે... પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે—શરીરથી ઇન્દ્રિયો પર છે. આ શરીર છે, એનાથી ઇન્દ્રિયો પર છે. તને એમ લાગે કામ ને ક્રોધ અહિયાં આક્રમણ કરે છે ને આક્ષેપ (આ સ્તરે)... તો હવે તું જો કે ઇન્દ્રિયો એનાથી અલગ છે. અને ઇન્દ્રિયોથી ઉપર મન છે, અને મનથી ઉપર તો કે બુદ્ધિ છે. બુદ્ધિ ચાલશે તે પ્રમાણે તારું મન ચાલ્યા કરે છે. અને બુદ્ધિથી પર એવું તારું પોતાનું સ્વરૂપ છે. ભગવાન એને સમજણ પાડે છે, "તું એ છે”. કોણ? બુદ્ધિથી પર છે તું. આ બધું તો તું છે જ નહીં." કહી દીધું ને—આ બધું તો તું છું જ નહીં, પણ જે બુદ્ધિથી પર છે એ તું છે અને એ તારું સ્વરૂપ છે.
એટલે તું બુદ્ધિ રહિત થઈ જા. બુદ્ધિથી ઉપર ઉઠી જા. ભલે હોય તારી પાસે બુદ્ધિ, આપણે એવું એ નથી કહેતા કે તારી બુદ્ધિનો નાશ કરી નાખ; પણ કે તું ઉપર ઉઠી જા. પહેલા પણ શું કહ્યું ભગવાને? "ત્રણ ગુણોથી ઉપર ઉઠી જા." હવે અહીંયા કહે છે તું બુદ્ધિથી પણ ઉપર જઈશ ત્યાં તારું સ્વરૂપ છે. તમારે ત્યાંથી જ પ્રેરિત થવાનું છે. બુદ્ધિથી ઉપરના સ્તરેથી તમે જો પ્રેરિત થશો—પ્રજ્ઞા. આ રીતે પોતાની હસ્તી સમજી કે "હું કોણ છું?" એમ તો ખબર હોવી જોઈએ ને? સમજીને પોતાની અનંત શક્તિઓને નજરમાં રાખવાની—હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિવાળો એવો શુદ્ધ આત્મા છું. એને લક્ષમાં રાખવાનું દાદાએ કીધું ને? લક્ષ્ય રાખીને હવે આગળ શું કરવાનું? સ્વાવલંબી બનીને સ્વ પર અવલંબન રાખવાનું, બીજા કોઈ ઉપર નહીં. ને મન ઉપર રાખવાનું નહીં, બુદ્ધિ પર રાખવાનું નહીં, દેહ ઉપર રાખવાનું નહીં, ટાઈમ ઉપર રાખવાનું નહીં.
બધા કાળ-મહાકાળ કર્યા કરતા હોય ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ—બધા કાળમાં ગૂંચવાઈ ગયા. પાછા બાકી રહ્યું તું... અરે ભાઈ, કે એવું કઈ ની, અત્યારે તું શું કરે છે બસ એ જ.
એમાં પોતાની હસ્તીને સમજીને, પોતાની અનંત શક્તિઓને નજરમાં રાખીને, સ્વાવલંબી બનીને કર્મમાં પ્રવૃત્ત થવું તે જ જ્ઞાનયોગ છે. બસ, એને જ્ઞાનયોગ કહેવામાં આવ્યો છે. પેલો એને કર્મયોગ સમજે છે, ભઈ બંને એક જ છે. કહે છે—તારે કરવાનું એક જ છે, બીજું કંઈ નથી કરવાનું. શ્વાસ લે સભાનતાપૂર્વક, બસ એટલું જ કીધું. તો ચિત્તને ધ્યાનસ્થ બનાવીને, કર્મો મારામાં સમર્પિત કરીને, આશા, મમતા અને સંતાપ રહિત થઈને તું યુદ્ધ કર. કોની સામે? આ બધા જે છે તારી દુષ્ટ વૃત્તિઓ જે છે તેની સામે તું. વૃત્તિઓ સામે લડવાનું છે, કોઈ માણસો સામે નથી લડવાનું. માણસો ભૂલ એ કરે છે કે માણસ જોડે લડી બેસે છે, એની વૃત્તિ સાથે નથી લડતા; ટાર્ગેટ મળી જાય છે ને સોફ્ટ ટાર્ગેટ છે એટલા માટે. તો એ તો નબળાઈ થઈ ને? નબળો માટી. શું કહે છે? "નારી પર સૂરો" એવું કંઈક કહે છે.
સ્ત્રી મળે તો કે' ધીબી કાઢો. કેમ? તો કે આ 'ધણી' કહેવાય, એટલે તો ધણીપણું કરે છે. એવું કે કોઈ બીજો એને જોઈ જાય ને તો કે' એ તો રોજ ધણીપણું કરે, એ રોજ મારે છે એની સ્ત્રીને. પણ પેલી નારી છે, નારી છે તો અબળા છે. અબળાની ઉપર જે આવી રીતના હાથ ઉગામે તે બધા કેવા કહેવાય? એ કંઈ શૂરવીર ના કહેવાય, એ તો નબળો માટી છે એટલે. એટલે તારી માટીમાં નબળાઈ છે, તો માટીમાં પહેલા બળ પેદા કર, દૈવી સંપત્તિ પેદા કર અને પછી તું આગળ વધ—એમ કીધું. એટલે પહેલા તો દૈવી સંપત્તિ અને ત્યાર પછી આગળ વધવાનું અને પછી બેસીને આ કરવાનું. એવી રીતે ચિત્તને ધ્યાનસ્થ બનાવવાનું અને પછી બધા જ કર્મો મારામાં—આ જે છે ને આ એક, બે—આ બધા કર્મો મારામાં સમર્પિત કરી દે. આશા, મમતા રહિત થઈ જા. જો મમતા ગઈ એટલે મારું જે કંઈ હોય તે બધી મમતા કહેવાય. જેને જેને તમે 'મારું' કહો એ બધું મમતા.
અને ઈચ્છા થાય છે તો એ બધી આશા થઈ ગઈ. "મને આમ કરવાની ઈચ્છા થાય છે, મારે આમ કરવાની ઈચ્છા થાય છે, મારે આ પ્રાપ્ત કરવું છે"—એ બધી ઈચ્છા થઈ, તો એ બેની બાદબાકી કરી નાખ. એટલે કે મને તું સોંપી દે આ બધું; તું તારું આશા અને મમતા બે જવા દે. અને સંતાપ રહિત થવાનું. પાછું આ બે જશે ને એટલે પાછું ત્રીજું ઊભું થશે—સંતાપ. અંદર એવો તાપ લાગશે, એવો તાપ લાગશે કે હવે શું કરવું? આ બે તો ગયા, હવે મારે કરવાનું શું? કોઈ એમ કહે કે, "ભાઈ જો, તારે આશા નહીં રાખવાની, ઈચ્છા નહીં કરવાની અને તારે મમતા પણ નહીં રાખવાની"—આ બે કામ તારે કરવાના. આ ત્રીજું તને ના કહે તો પછી અંદર આ બેના જવા માત્રથી શું થશે? સંતાપ ઊભો થશે. હવે કરવાનું શું મારે? કે આશા નહીં રાખવાની? "૧૧ વાગ્યે ભોજન મળશે કે નહીં મળશે?"—સંતાપ. "ના, આશા નહીં રાખવાની, મને તો આવું કહેલું છે." અને જે કંઈ પણ છે તે બધું કશું મારું નથી.
"હવે તો મારું નથી, તો પછી મારું શું છે?" એમ કરીને ગૂંચવાશે ઓર, તો સંતાપ એનો વધતો જ જાય દિવસે-દિવસે અંદર. પછી એક વખત કહે છે, "ભગવાન, તમે તો મારા છો કે નહીં? પહેલા મને એ તો કહો." એટલે ચિત્તને ધ્યાનસ્થ બનાવો, આશા અને મમતા છોડી દો, સંતાપ રહિત બનો અને પછી યુદ્ધ કરો. પાછું સમર્પણની ભાવના સાથે, ઈષ્ટતત્વ પર શ્રદ્ધા રાખીને. યુદ્ધ કેવી રીતે કરવાનું છે? એ પણ કહી દીધું—સમર્પણ ભાવનાથી કરવાનું, બધું
મેં તો આ બધું આપી દીધું. બોલો, પછી આ યુદ્ધ જ ક્યાં રહ્યું તમારે? તો કહે છે કે ઈષ્ટ તત્વ પર શ્રદ્ધા રાખીને કર્મમાં પ્રવૃત્ત થવું તે નિષ્કામ કર્મયોગ છે. આજ કર્મ બંનેની ક્રિયા એક જ છે અને પરિણામ પણ એક જ છે—બ્રહ્મમાં પ્રવેશ, પરમાત્માની પ્રાપ્તિ. શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે એવો કોઈ યોગ નથી, કેવો? કે જેમાં હાથમાં હાથ રાખીને બેઠા-બેઠા કહે કે, "હું પરમાત્મા છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું; મારા માટે ના તો કર્મ છે, ના તો બંધન છે." આવું બોલ-બોલ કર્યા કરું અને હું સારું-ખરાબ કાંઈ પણ કરતો દેખાવ છું, પરંતુ ઇન્દ્રિયો તો પોતાનામાં અર્થોમાં પ્રવૃત્ત રહે છે—એટલે કે વાસ્તવમાં તો હું કંઈ કરતો નથી, આંખો જુએ છે પણ હું જોતો નથી. એવું-એવું બોલ્યા કરતો હોય, એવી રીતે બેસી રહ્યો હોય એ માણસ એમ કે વાસ્તવમાં યોગ કરે છે—એવું કહી શકાતું નથી.
આવું પાખંડ શ્રીકૃષ્ણના શબ્દોમાં કદાપિ નથી; એ આની ના પાડે છે. સાક્ષાત્ યોગેશ્વર પણ પોતાના અનન્ય સખા અર્જુનને પણ કર્મ કર્યા વિના તો એ સ્થિતિ ન જ આપી શક્યા. એને પહેલા કર્મ, આ તે બધું જ્ઞાન આપ્યું. બરાબર? આ તો પછી ગીતાની આવશ્યકતા જ નહોતી ને? આ બધું કહેવાની પણ જરૂર ક્યાં હતી? ખાલી આમ કરીને આમ કરી દીધું, પતી ગયું કે, "અર્જુન જાતો રે કે તું હવે પરબ્રહ્મ છું," તો વાત તો પૂરી થઈ ગઈ હોત. તો બધી ગીતાને આટલું બધું કહેવાની, બોલવાની બધી જરૂરત ના પડત. તો કર્મ તો કરવું જ પડે. શ્વાસ તો લેવો પડે ભઈ સભાનતા પૂર્વક. તું શ્વાસ નથી લેતો, તું બ્રહ્મ લે છે. તું સંસાર છોડી રહ્યો છે. બસ, તું જોયા કર, પછી એક વખત આ ભાવ કર, નક્કી કર અને પછી કર્યા જ કર. એટલે કર્મ કરીને જ સંન્યાસીની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સંન્યાસ—સંસારનો ન્યાસ થઈ જાય ધીમે ધીમે ધીમે ધીમે કરતાં.
તમે બધું ભૂલી જશો આમ પાંચ, 15, 25 વાર તો હદ થઈ ગઈ; જો બરાબર કર્યા હશે તો ખરેખર એવું થશે. અને ત્યારે યાદ કરજો કે ભગવાને સાચી વાત કરી છે ગીતામાં. બિલકુલ! તમારી વાત બરાબર છે કે ભગવાનને એમ કહી દેવું તે વખતે એટલીસ્ટ એકનોલેજ (acknowledge) કરજો ભાઈ માટે. કહે છે—કર્મ તો કરવું જ પડે. યોગયુક્ત પુરુષને સત્વરે પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે. હવે પાછી નવી વાત કરી કે યોગયુક્ત થા. એટલે યોગયુક્ત થઈશ એટલે તું પરમાત્માને સત્વરે પ્રાપ્ત... કરવું છે ને? સત્વરે પ્રાપ્ત થવું છે ને તારે? તો યોગયુક્ત થવું પડશે. હવે તારે... સમજી ગયો? હવે યોગયુક્તના લક્ષણો સમજી લઈએ કે કોને યોગયુક્ત ભગવાન કહે છે. ભગવાન કોને યોગયુક્ત કહે? આપણે શું માનીએ છીએ એનો કોઈ મતલબ નથી અહીંયા. એ બધું અજ્ઞાન, પાખંડ બધું બંધ કરી દેવાનું—મેં અહીં વાંચ્યું ને તે જાણ્યું, એવું બધું નહીં.
1. **વિજિતાત્મા:** જેનું શરીર વિશિષ્ટ રૂપથી જીતવામાં આવ્યું છે. જેનું શરીર વિશિષ્ટ રૂપથી જીતવામાં આવ્યું છે—જિતેન્દ્રિય. 2. **જિતેન્દ્રિય:** જેની ઇન્દ્રિયો જીતવામાં આવેલી છે. 3. **વિશુદ્ધાત્મા:** વિશુદ્ધ આત્મા. "હું શુદ્ધ આત્મા" આવે, હવે "વિશુદ્ધ આત્મા"—કે જેનું એનું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વિશેષ રૂપથી શુદ્ધ છે, એને વિશુદ્ધ આત્મા કહેવાય. જેનું અંતઃકરણ વિશેષ રૂપથી શુદ્ધ છે એવો પુરુષ. હવે આગળ—**સર્વભૂતાત્મ ભૂતાત્મા**. "મારામાં તુજને ને તુજમાં માં સર્વને નિરંતર નિહાળું." શું કીધું છે? સર્વભૂતાત્મ ભૂતાત્મા—સર્વભૂત પ્રાણીઓના મૂળ સ્ત્રોત એવા પરમાત્મા સાથે એકાત્મ રૂપથી જોડાયેલો છે. તે કર્મ કરે છે પરંતુ તેનાથી લેપાતો નથી. કેમ કરે છે? તે કર્મ કરે છે, પણ કેમ કરે છે? તો કે પાછળ આવનારા માટે એ કર્મ કરે છે, તેથી એ લેપાતો નથી.
અને વાસ્તવમાં તો એ કર્મ કરતો પણ નથી; તે પરમ તત્વમાં સ્થિત થયેલો છે. આટલું પ્રિસ્ક્રિપ્શન (prescription) આપેલું છે, તો યોગયુક્તના લક્ષણોમાં... એટલે પાછળ રહેલું બધું જેને ક્ષુલ્લક લાગે, બધું ઝીરો એમ આપણે વાત કરતા હતા ને એમ. પરમાત્મા એક, બાકી બધું શુન્ય. હવે આસક્તિ પણ નથી, આથી કર્મ તેની આસપાસ વીંટળાયા જ નથી. આસક્તિ ગઈ એટલે કર્મની છેદ ઉડવા માંડે તરત જ. કશામાં રસ જ નથી ભઈને. તમે જોજો, જે બંધાયેલો હશે ને એને લોકોએ પાછા વધારે ને વધારે બાંધવાનો પ્રયત્ન કરે. જે છૂટવા માંડ્યો હોય તેને લોકોએ છોડી દે છે કે, "ભઈ હવે રહેવા દો એને, એના રસ્તે જવા દો, એને એના રસ્તે એને જે કરવું હોય એ કરવા દો."
કેમ? તો કે હવે એ આપણામાંનો રહ્યો જ નથી. શું કહે છે? એ આપણામાંનો રહ્યો જ નથી. હવે એને એનું કલ્યાણ કરવા દો, એના માર્ગે એને જવા દો. છેલ્લે છેલ્લે ભઈ પડ્યા હોય ને, તોય એમ બધું છોડી દે ને એવું બધું કરી નાખે એવા ભાવની અંદર હોય, આવી ગયા હોય તોય લોકોને ખ્યાલ આવી જાય કે, "ભાઈ, હવે બહુ ડિસ્ટર્બ ના કરતા." શું? ડોક્ટરોએ કહી દીધું હોય કે હવે અમેય છોડી દઈએ છીએ. હવે જેને, યાદ રાખો, જેને ડોક્ટરો છોડી દે છે તેને લોકોય છોડી દે છે. પછી ઘરના માણસો યથાશક્તિ જે કાંઈ એમને જે કાંઈ કરવાનું હોય તેવી સૂચના આપી હોય કે ભઈ, "આમનું જરાક થોડું દેખભાલ કરજો," બાકી કંઈ પણ... પછી કોઈ જાય નહીં એની પાસે, જઈને કોઈ કહે નહીં કે, "બાપા, હવે આ ગગ્ગીનું આપણે પૈણાવવાનું કહેતા હતા તેનું શું કરીશું?" કે "પેલું ખેતર વેચવું છે તેનું શું કરીશું?" એ બધી કોઈ વાતો ત્યાં આગળ વ્યવહારની, ત્યાં એના પાસે જઈને કોઈ કરવાની રહેતી નથી.
બંધ કરી દે બધા લોકો. બહાર બીજા રૂમમાં બધી વાતો કરી દે છે. એ રૂમમાં જેવા પેઠા એટલે બધા એના દર્શન કરે, ને પેલો જો શુદ્ધિમાં હોય તો આ બધાના દર્શન કરે કે, "હવે તમે છોડો, હું તમને છોડીને જઈ જ રહ્યો છું, જવા દો મને." તો પેલા એ સમજી જાય કે હવે આપણે જવા દો. એટલે આવી સ્થિતિમાં જ્યારે આવે એને પછી કર્મ વીંટાતા નથી, કોઈ આવીને પછી એને બાંધી શકતું નથી. આ યોગનિષ્ઠની પરાકાષ્ઠાનું ચિત્રણ છે. એટલે તમારે એવા બની જવાનું છે કે બસ, હવે ઉપડ્યો કે પરમાત્મા પાસે હું! હવે હું આ સંસાર મારે બિલકુલ કામનો માણસ રહ્યો નથી, અને મારે આ સંસારમાંથી કશાની જરૂર નથી. આમાં કરવાનું કોઈપણ કર્તવ્ય પણ હવે મારે બાકી રહ્યું નથી. હવે હું મારામાં સ્થિત છું—કરીને જ્યારે આમ બેઠો હોય, જાણે કે હું આમ (રાહ જોતો), બસ હવે પરમાત્મા ગમે તે ક્ષણે બસ મારો પ્રવેશ થવાનો છે એની વાત કરે છે.
તો આ કહે છે કે આ યોગનિષ્ઠની પરાકાષ્ઠા. ત્યાં સુધી પહોંચવાનું, પરમ તત્વ પરમાત્માને સાક્ષાત્કાર સહિત જાણનાર યોગયુક્ત પુરુષની મનસ્થિતિ. અનુભૂતિ છે. એ જુએ છે કે હું વાસ્તવમાં કંઈ કરતો નહોતો, હું કરતો જ નથી, કશું જ નથી કરતો. આ એની કલ્પના નથી. એને ખબર છે કે હું શ્વાસ પણ હું નથી લેતો, તો એને ખબર પડે છે. શ્વાસ એના નાકની અંદર ફૂંકવામાં આવે, પછી તો એને તે ભાન થઈ જાય છે તે વખતે. અત્યાર સુધી એને એમ હતું કે આ તો બધું મારા કાબુમાં છે, કંટ્રોલમાં છે અને હું કરું છું ને હું શ્વાસ લઉં છું ને... આ પછી એનાથી આ બધું ચાલે છે ને હૃદયનું પમ્પિંગ થાય છે ને બધું એના મારફતે. હવે એને ખબર પડી જશે, આ પ્રાણ જે છે શ્વાસની અંદર તે એની અંદર ફૂંકવામાં આવે—જસ્ટ ટુ કીપ હિમ અલાઈવ (just to keep him alive)—એના શરીરને. એટલે આ એની કલ્પના રહેતી નથી પરંતુ એની પોતાની અનુભૂતિ બની જાય છે.
પછી તો કોની? યોગયુક્ત પુરુષની. 'યુક્તો મન્યત' એટલે હવે પરમ તત્વની પ્રાપ્તિ બાદ તે સર્વ કંઈ સાંભળતો, સ્પર્શ કરતો, સુંઘતો, ભોજન કરતો, ગમન કરતો, સુઈ જતો, શ્વાસ લેતો, ત્યાગ કરતો હોવા છતાં પણ ઈન્દ્રિયો પોતાના કર્મો કરે છે, પોતપોતાના ધર્મમાં છે—એવી અનુભૂતિમાં નિરંતર છે. પરમાત્માથી અધિક કંઈ જ નથી એનો એને અનુભવ આવી જાય છે પછી. જે પુરુષ તમામ કાર્યો કર્મો કરવામાં પરમાત્મામાં બધું આ બધું જ વિલીન કરે છે. સાક્ષાત્કાર થતાની સાથે જ કર્મો વિલીન થાય તે પહેલા નહીં; સાક્ષાત્કાર થાય પછી જ આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે એટલે કે થાય છે એવું જાણ્યા જ કરે છે. તે પણ કર્મ કરે છે પણ લેપાતો નથી, જીવન મુક્ત છે. અને પાછળ આવનારાના માર્ગદર્શન માટે તે યોગી પુરુષ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર દ્વારા આસક્તિ છોડીને આત્મશુદ્ધિ માટે જ કર્મ કર્યા કરે છે.
'અવેરનેસ અબાઉટ આત્મા ઓન્લી પ્રવેલસ' (Awareness about Atma only prevails), બીજું કાંઈ નહી બાકી.કોણ આવ્યું, કોણ ગયું, શું થયું, શું નહીં—કશામાં એ પળોજણમાં હોતો નથી કે, "આવો આવો, પેલા નગર સેઠ આયા છે તો કે અહીં નજીક બેસાડો ને," અને પેલા ભાઈ કે, "ઉઠો તમે જરા પાછળ જઈને બેસોને થોડીક વાર માટે." આવું બધું થતું દેખાય તે હમજી જવાનું કે આપણે નમસ્કાર કરીને નીકળો આગળ. કે શું? તો એવું કીધું—બ્રહ્મમાં વિલીન થઈ જાય કર્મો પછી શું આત્મા અશુદ્ધ રહે ?કર્મો જ્યારે બ્રહ્મમાં વિલીન થઈ જાય, પછી આત્મા અશુદ્ધ રહે ખરો તમારો? ના રહી શકે, ના. તે તો 'સર્વભૂતાત્મ ભૂતાત્મા' થઈ ચૂક્યા છે. કેવા થયા છે? બધા ભૂતોનો પણ એ આત્મા થઈ ચૂકેલા છે.
એવી સ્થિતિએ પહોંચી ગયા છે, પાંચ ભૂતો તો અંદર છે અને આ બાકી બધા સર્વભૂતો; અને પાંચ-પાંચ ભૂતો વાળા જેટલા હોય—આ બધા પવન, પાણી, અગ્નિ સહિતનું બધું જે કાંઈ છે તે બધું પણ. તો એને શું કર્યું? 'સર્વભૂતાત્મ ભૂતાત્મા' થઈ ચૂક્યા છે. આ બધાનો એ પોતે આત્મા છે. પરમાત્મા બન્યા એટલે શું મતલબ? તો કે બધા પ્રાણીઓમાં પોતાના આત્માનો પ્રસાર જ જુવે છે. પોતાનો પ્રસાર છે આ બધા આત્મા, બધા જ પ્રાણીઓ; કોઈ પણ બાકી નથી એટલે અભિન્નપણે જુએ છે કે, "કે આ મારાથી અલગ નથી." એની અનુભૂતિ સહિત જીવતો થઈ ગયો હશે. એવો બહારથી કાર્ય કરતો દેખાય પરંતુ અંદરથી એનામાં અસીમ શાંતિ હોય, ઠંડક હોય—બિલકુલ! બસ એટલું બધું ઠંડક લાગે કે ના પૂછવાની વાત! આ “ચિદાકાશ” બહુ જોરદાર હોય. સ્વરૂપથી તે કંઈ કરતો નથી, સ્વરૂપથી તે કંઈ કરતો નથી, તે સ્થિર છે. હવે રસ્સી બળી ચૂકી છે, દોરડું સળગી ગયું, રાખોડી ખાલી આમ આકાર બાકી રહી ગયો છે.
બીજું કંઈ નથી. હવે એનાથી કશું બાંધી શકાય? એવી રીતે કર્મથી મુક્ત થઈ ચૂક્યો છે. હા, પ્રાપ્તિ ના થવાય ત્યાં સુધી કામના ઊભી થઈ શકે છે. વચલાકાળની અંદર ઈચ્છા થઈ આવે એ બને. આથી સાધકો પ્રાપ્તિ સુધી સાવધાન! જ્યાં સુધી પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી કોઈપણ ઈચ્છા ગમે ત્યારે ઊભી થઈ જશે, કંઈ પણ બની શકે કે છે, માટે બહુ જ સાવધાન રહેવું. મહારાજજી કહેતા હતા કે, "હા, આપણે સહેજ પણ અલગ રહીએ અને ભગવાન અલગ છે, તો પછી માયા તો કામયાબ થઈ જ જશે." એને મોકો મળી જ જાય એટલે તરત જ તે રંગ પ્રસારવાના ચાલુ કરી દેશે. ભલે કાલે જ પ્રાપ્તિ થવાની હોય, આજે તો તે અજ્ઞાની જ છે, માટે પ્રાપ્તિ સુધી સાવધાન. હવે સ્વરૂપસ્થ પુરુષ શબ્દ વગેરેની પ્રાપ્તિ કરાવનાર નવ દ્વારવાળા શરીરથી થતા તમામ કર્મોનો મનથી ત્યાગ કરી સ્વરૂપાનંદમાં સ્થિર રહે છે. તે હકીકતમાં કાંઈ પણ કરતો નથી, કરાવતો પણ નથી.
આજ વાત શ્રીકૃષ્ણ બીજા શબ્દોમાં કે છે કે, "પ્રભુ ન કરે છે ના કરાવે છે." સદગુરુ, ભગવાન, ઈષ્ટ, સ્વરૂપસ્થ મહાપુરુષ—આ બધા જ શબ્દો એકબીજાના પર્યાય છે. મહાપુરુષ માટે શરીર એ શું છે? એક મકાન જ છે, બિલ્ડીંગ; મુકામ કર્યો છે કે હમણાં ટેમ્પરરી અહિયા. એટલા માટે દાદા 'ટેમ્પરરી ટેમ્પરરી' બોલતા હતા. એ ટેમ્પરરી, આ બધો મુકામ કરેલો છે તો એક મકાન બરાબર છે એના માટે. બોડી એટલે બીજું કાંઈ છે નહીં. તે તેની અંદર છે. અત્યારે તે પરમાત્મા પ્રાણી માત્રના કર્તાપણાનો, કર્મોનો અને કર્મફળોનો સંયોગ ગોઠવતા નથી. શું કહે છે? તે પરમાત્મા એ પાછો કોક બીજું છે એમ કહે છે; તે પરમાત્મા આ બધું કરવા બેસે જ નહીં કે પ્રાણી માત્રનો કર્તાપણાનો, કર્મોનો અને કર્મફળોનો—ત્રણનો સંયોગ ગોઠવતા નથી. તમે કર્મ કર્યું, તમે એના કર્તા થયા એટલે હવે તમને આ ફળ પ્રાપ્ત થવું જોઈએ, તમે હમણાં પ્રાર્થના કરી એટલે તમને હમણાંને હમણાં પ્રાપ્ત થવું જોઈએ—એ બધી ગોઠવણીમાં પરમાત્મા પડતા નથી પરંતુ સ્વભાવમાં સ્થિત પ્રકૃતિના દબાણ અનુસાર જ તમામ કાર્યો કરે છે.
'વ્યવસ્થિત' આવી ગયું. આપણું વ્યવસ્થિત નામની શક્તિ જે છે એ આ બધી ગોઠવણી કરે છે. તો ક્યાં છે વ્યવસ્થિત? પાછું શું ખોળસો ક્યાં કાઢે? તો કે સ્વભાવમાં સ્થિત છે, તમારા જ સ્વભાવની અંદર રહેલું છે તે. એ તમારા સ્વભાવની અંદર રહેલી જે પ્રકૃતિ છે તેના... એમ એના દબાણમાં સંજોગોનો દબાવ ઊભો થાય એટલે એ ગુણો ઊંચા થાય છે એના અનુસાર આ બધા કર્મફળોની ગોઠવણી થાય. મિકેનિકલ ? હા, કહી દીધું ને. આ મિકેનિકલ જ છે. બસ બહુ સ્પષ્ટ, એક્ઝેટ! આ યથાર્થ ગીતા પેરેલલ છે, તો એ જ વાત કહેવા માંગે છે કે જે અક્રમની અંદર આપણને વ્યવસ્થિત રૂપે સમજાવવામાં આવે. અને એટલે કીધું ને કે ભાઈ જો, જ્ઞાન તો એક જ
છે; ખાલી સમજણ અને શબ્દોની પેલી આમ તેમ થતી હોય છે એનાથી બધું અલગ આપણને ભાસે છે પણ એ તો અજ્ઞાન છે—એટલે પ્રકૃતિના દબાણ અનુસાર તમામ કાર્યો થાય છે.
સાત્વિક, રાજસી અથવા તામસી જેવી જેની પ્રકૃતિ હોય તે સ્તરથી તે પ્રવૃત્તિ કરે છે. સત્વશીલ હશે તો સાત્વિક પ્રવૃત્તિનો માણસ સાત્વિક પ્રવૃત્તિ કરશે, રજસ હશે તો રાજસી પ્રવૃત્તિ કરશે અને તામસ હશે તો તે તામસિક પ્રવૃત્તિ કરશે. એટલે એક જ જગ્યાએ ગયા હોય ત્રણ જણા, દાખલા તરીકે એક સાથે ત્રણ વ્યક્તિઓ કે જે ગુણોનું પ્રતિનિધિત્વ કરે; તો પ્રકૃતિને કોઈપણ એક જગ્યાએ ગયા હોય તો સાત્વિક પ્રકૃતિનું હશે ને તે ત્યાં આગળે તરત જ પરમાત્માની અંદર આમ બેસી જશે ધ્યાન કરવા માટે. બરાબર? રાજસી પ્રવૃત્તિનો હશે ને તે શોધવા માંડશે ત્યાં આ છે તો બહુ સરસ, હું હવે આનો ઉપભોગ કેવી રીતે કરું? એટલે ઇન્દ્રિયોથી એનાથી તેનાથી બધું—આહા પ્રકૃતિ બહુ સરસ, બહુ સરસ—એટલે એવું કરશે. હવે તામસીક હશે તો એ સીધો ભુસકો મારશે તરત એ પરિસ્થિતિની અંદર અને ખોળશે: અહિયા કોક મળત, લાઈન સળી કરવું કે કઈક કરવું કે અહીંયા આગળ કરવાનું તો કઈક હોવું જોઈ ને?
કે' છે એટલે એ તક જ ખોળતો હોય. પછી એક ઉંદડું બી આવે ને તો એને આમ પેલો ત્યાં આગળ જઈને આમ કઈક કરી આપશે—આ બધી તામસી પ્રકૃતિ. સરસ મજાનું સસલું દોડતું દોડતું આવે ને એની પાસે તો તરત જ આમ ઝડપ મારશે—આ તામસી પણું છે ને બધું. કોઈપણ એ હોય, તરત જ એને જાણે એમ આધિપત્ય જોઈએ છે એની ઉપર, એવા પ્રકારે કરીને બળાત્કારે કરીને પણ એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા કરતો. સાત્વિક પ્રકૃતિનો હોય તો બિચારો સમુદ્રમાં ગયો હોય કે દરિયામાં ગયો હોય કે કોઈ જગ્યાએ, તો ત્યાં આગળે ભગવાનનું નામ લેતો લેતો સ્નાન કરીને બહાર આવશે અને પછી ધ્યાનમાં બેસી જશે. પેલો રાજસી વાળો હશે તો અડધો કલાક સ્વીમિંગ કરવું; કેટલા કે' બહુ મજા આવે છે અહિયા, સરસ આજે કસરત થઈ ગઈ કે બોડીને બહુ હારું લાગે છે કે... એટલે એ બાબતનો આનંદ થશે કે હા, મને સ્વીમિંગ કરવા મળ્યું.
અને તામસી વાળો હશે ને તે તો તઈ આમ કરીને આમ માછલી પકડવા બેસી જશે—કેમ? તો કે અહી તો બધી બહુ માછલીઓ જાય, બે ચાર પકડશે ને પછી બેસી જશે પાછો ભોજન કરવા એને એ કરીને. તો આ ત્રણ પ્રકૃતિ હવે સંજોગોનું જ દબાણ છે, ત્યાં જગ્યા તો એક જ છે, ત્રણે પ્રવૃત્તિ અલગ અલગ કરે; તો આવું ચાલ્યા કરે. પ્રકૃતિ તો બહુ લાંબી પહોળી છે, કે કેવી છે? બહુ લાંબી પોળી, એનો પાર જ ના આવે એટલી બધી લાંબી પોળી! છતાય તમારો સ્વભાવ જેટલો વિકૃત હોય અથવા વિકસિત હોય તેટલો તે પર તેનો પ્રભાવ પણ પડશે પ્રકૃતિનો. તમારો સ્વભાવ કેવો છે એના ઉપર છે. જેટલો વિકૃત થયેલો હશે તો એ પ્રમાણેની પ્રકૃતિ તમારી એક્સપ્રેસ થશે.
અને જો વિકસિત થયેલા હશો, વિકસિત એટલે ભક્ત, જ્ઞાની કઈક બનેલા હશો તો એ પણ સરસ દેખાશે. સૂર્યને જોશે તો પણ આમ "ઓહો! જ્યોતિષમાનદેવ અદભુત!" બહુ સરસ સવાર! આમ ઉઠીને બહાર નીકળે ઘરની બહાર, તરત એનામાં અહોભાવ થઈ જાય. વૃક્ષ જોશે તો પણ આ આનંદમાં આવી જશે: "વાહ! વાહ! કેટલું અદભુત છે! પ્રભુ, તમે આ સ્વરૂપે પણ છો." એવી રીતના તો એ સાત્વિક પ્રવૃત્તિ બધી કર્યા કરશે. અને એ સહજપણે હશે, એના સ્વભાવમાં વણાયેલી હશે એટલે એને ગમે ત્યારે ઉઠાડીને કરાવશો તો એનું એ જ કર્યા કરતો હશે, એ બીજું ન કરી શકે. અને પેલો રાજશી પ્રવૃત્તિવાળો હોય તો કે, "આ ઝાડ બહુ હારું, થોડા ફાફડા-ચટણી અહીંયા જ લઈ આઈએ, આપણે જમાવટ કરીએ કે આપણે બેસીએ." એટલે એને પાસે એનો ભોગ જ કરવો; કે વૃક્ષની છાયાનો પણ ઉપયોગ તો એ કરી જ લેશે, આમ એનેય છોડશે નહીં અહિયા, "બરાબર સારું છે કે." એટલા માટે એનો ઉપયોગ કરે.
તો લોકો કહેતા હોય છે કે, "કરવા-કરાવનારા તો ભગવાન છે, અમે તો યંત્ર છીએ, અમારી પાસે તે જ સારું કરાવે કે ખરાબ કરાવે." ત્યારે શ્રીકૃષ્ણે સ્પષ્ટ કહી દીધું કે પ્રભુ જાતે કશું કરતા નથી, કરાવતા નથી અને ના તો એ કોઈનો મેળ બેસાડે છે. લોકો પોતાની સ્વભાવગત પ્રકૃતિ અનુસાર જ જાતે કાર્ય કરે છે. મનમાં થી પરણવાનું ઉપડે છે એટલે ખોળવા માંડે છે, અને પછી મેળ બેસાડી દે છે પોતે જ અને કે' છે, "ભગવાને મેળ બેસાડયો." ભગવાન હસ્યા કરે, "યાર, આય તું મારા માથે મારે છે!" તે પોતાની આદતોથી મજબૂર થઈને આ કામ કરે છે. જો, આદતોથી મજબૂર થઈ એટલે એને ટેવ પડી ગઈ છે એ વસ્તુઓની. અને એ ટેવ કેટલી જૂની છે, કોઈ કહી શકે એવું? કેટલા જન્મોથી એની એ ટેવ એની એ જ ચાલ્યા આવે છે. એટલે દર વખતે પરણ્યા જ કરે, દર વખતે પરણ્યા કરે; પછી વચ્ચે એક દિવસે એને કોક સંન્યાસનો ઉપદેશ આપવા આવી ગયો હોય તો પણ પેલો ખોળ્યા જ કરતો હોય કે મળી જાય એટલે બસ પરણી જ લઉં.
એમ કરીને પેલા એમાં એક બતાવે છે ને પોપટલાલ, હા એટલે એવું એ ખોળ્યા જ કરે. જ્યાં જુએ ત્યાં તક જોવે છે કે, "ભાઈ, મારા માટે પરણવાની તક છે કે કેમ?" બસ, એની જ તપાસમાં હોય પોતે જાતે મેળ બેસાડે છે. ભગવાન કે', "હું આવું બધું કઈ કરતો નથી." એટલે પોતાની આદતોથી મજબૂર થઈને કર્મ કરે છે. પ્રભુને અહીં 'વિભુ' કેમ કહ્યા? કેમ કે તે સંપૂર્ણ વૈભવયુક્ત છે. પ્રભુ કેવા છે? વૈભવયુક્ત છે. પ્રભુતા અર્થાત વૈભવથી યુક્ત પરમાત્મા ના કોઈના પાપકર્મને કે ના તો કોઈના પુણ્યકર્મને ગ્રહણ કરે છે. 'સમર્પયામી સમર્પયામી' કર્યા કરે બધા, પણ કોઈના પાપ કે પુણ્ય પરમાત્મા તો સ્પર્શ બી કરતા નથી. પરમાત્મા પોતે મંગલ સ્વરૂપ છે અને પરમ પવિત્ર જ્ઞાન છે, માટે તેનો સ્પર્શ થતાં જ પાપ અને પુણ્ય બંને વિલીન થઈ જાય છે, પોતાની જાતે નષ્ટ થઈ જાય, ખતમ થઈ જાય.
એમાં પરમાત્માને કશું કરવું પડતું નથી, ભગવાનને જરાય કષ્ટ પડતું નથી. તમારા લાખો મણ પાપ હશે, અનંત જન્મોના પાપ હશે, તમે જેવા જ્ઞાનની સમીપ ગયા—બસ બધું ખતમ! આ પરમાત્માનો પાવર છે. પવિત્રતાની શક્તિ આ હોય, પવિત્રતાની શક્તિ આવી હોય. કોક જમાનાની અંદર એવું કહેતા કે સતીનો પ્રભાવ એવો જબરજસ્ત હોય કે ગમે તેટલો દુરાચારી માણસ હોય પણ જો એ સતીના એમાં આવે ને તો એનો વિચાર સુધ્ધાં બદલાઈ જાય, એનો વિચાર સુધ્ધાં બદલાઈ જાય, એનું વર્તન સુધ્ધાં બદલી નાખે—એટલી પ્રચંડ ક્ષમતા અને શક્તિ હોય છે. રામાયણમાં એના વિશે વર્ણન કરેલું છે.
એને એવી રીતે કહ્યું છે કે જેટલી વખત રાવણ અશોક વૃક્ષ પાસે આવે અને જેવા સીતાજીના સાનિધ્યમાં જવાનો પ્રયત્ન કરે ને તો પોતાને શું કરવું છે, શું બોલવું છે—બધું ભૂલી જતો હતો. અને અગરમ-બગડામ ગમે તેમ બોલીને પાછો આવતો રહેતો તો. એને પોતાને ખબર નહોતી પડતી કે આવું ક્યાં, કેમ થાય? અને આવું અનેક વખત થવા માંડ્યું, પણ તો પણ બહાર જાય એટલે દુરાચાર અને પાછો ત્યાં આવે તો આવશે તો... આવી વાત છે. તો એટલો બધો સતનો પ્રભાવ હોય છે. સત એટલે જ સત્ય, જે ત્રિકાળ સત હોય એને જ સત્ય કહેવાય. હવે 'હું શુદ્ધ આત્મા છું' એ ત્રિકાળ સત્ય છે, એમાં કોઈ ફેરફાર થાય એવું નથી. આપણને દાદાએ એટલી સમજણ આપી કે 'શુદ્ધ આત્મા'—એવું શુદ્ધઆત્મા શા માટે બોલવાનું જ્ઞાનની અંદર? તો કે તારી બુદ્ધિની અંદર એવા અંતરાયો, પેલા પર્યાયો અને એવા બધા વિચારો ને પડળો પડેલા છે કે, "તેં તો આવું પાપ કર્યું, તું આવો પાપી છું, આવો પાપી છું, આવો..."—એને તોડવાના છે.
એટલે જ્યારે જ્યારે તું 'શુદ્ધાત્મા છું' બોલે છે, ત્યારે ત્યારે આ બધા જે કર્મ અને પાપના બંધનો છે, એવો જે તારો ખ્યાલ છે તે ઢીલો પડતો જાય, ઢીલો પડતો જાય, એક દિવસ તૂટી જશે. એટલા માટે બોલવાનું છે કે તું શુદ્ધ આત્મા છે... ફક્ત બોલવાનું નથી, અનુભવવાનું, જાણવાનું છે. અનુભૂતિની વાત છે, એટલે કીધું ને કે તું શુદ્ધાત્મા પણું તારું કોઈ કાળે એ ગયું જ નથી. ભૂતકાળમાં ગયું નથી, અત્યારે જતું નથી અને ભવિષ્યમાં કોઈ કાળે એવું બનવાનું નથી કે તારું... તું ગમે તેટલા કુકર્મો કરી બેસીશ ભવિષ્યની અંદર તો પણ, ત્યારે પણ તું શુદ્ધઆત્મા તો હોઈશ જ. અને એ જે કંઈ ઊભું થાય છે તે બધું શું છે? તો કે ત્રણ ગુણોનો પ્રભાવ છે. તે તારા સ્વભાવને અનુરૂપ બનીને પ્રકૃતિ તારી પાસે એ કરાવશે, તે વખતે એવો સંજોગ બાજો તો એવું થશે. હા, તો રામની લીલા કહેવાય છે.
આપણે કહેતા હતા ને કે રામે જે કંઈ કર્યું તે બધું સ્વભાવગત રીતે—શુદ્ધ સત્વશીલતા, જ્ઞાન—બસ બીજું કાંઈ જ નહીં. એટલે વાત કરી કે બસ એ 'રામ લીલા' કહેવાય. એમણે જે કંઈ જીવનકાળ દરમિયાન કર્યું તે બધું જ લીલા માત્ર હતું. કેમ કે જ્ઞાન તો કંઈ કરતું જ નથી એવું એ જાણતા જ હતા કે, "હું તો કશાનો કર્તા નથી, હું તો પુરુષોત્તમ છું, પુરુષોમાં પણ ઉત્તમ બની ચૂકેલો છું." એટલું બધું ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલા, તો હવે કોઈ ચિંતા નથી એમને તો. કોઈ પાપ નહીં, કોઈ પુણ્ય નહીં, કશું જ નહીં એમ.
બરાબર? પેલા કેવટને એમને પૈસાય ના આપ્યા અને નાવ પાર તો કરી દીધી, તો એમને કંઈ પાપ ના લાગ્યું કે તે કેમ આવી રીતના કરાય? એ બધી વાત છે ને. કોઈના પાસેથી કંઈ ગ્રહણ કર્યું, વૃક્ષ પાસેથી ફળો લીધા હને, એ બધું કર્યું તો કંઈ એમને પાપ લાગ્યું નથી. આટલા બધા રાક્ષસોનો સંહાર કરી નાખ્યો તો પણ એમને કોઈ પાપ લાગ્યું જ નથી. એટલે કીધું કે પ્રભુને 'વિભુ' એટલા માટે કીધા છે કે સંપૂર્ણ વૈભવ યુક્ત છે પોતાનો વૈભવ, અલગ વૈભવ. પ્રભુતા એટલે શું? એને જો સમજવું હોય તો અહીંયા આગળે કીધેલું છે કે મારા છ અંગો છે. પ્રભુત્વ કોને કહેવાય? તો કે: 1. એક છે **સર્વજ્ઞતા**. સર્વજ્ઞતા એટલે દરેક કાળમાં દરેક વસ્તુ જાણતા જ હોય એવી સર્વજ્ઞતા એમની, બધું જ જાણતા હોય. 2. બીજું શું? તો કે **તૃપ્તિ**. એમને ક્યારેય અતૃપ્તિ થાય નહીં. એટલે ભૂખ ના લાગે એવું નહીં, દેહની અંદર હોય તોય લાગે, પણ એમને હંમેશા તૃપ્તિ રહ્યા કરે, સંતોષ હોય એક 3.
ત્રીજું **અનાદિ બોધ**. અનંત કાળથી પણ એમને બોધ હોય, પોતાનું સ્વયં જ્ઞાન હોય કે "હું પરમાત્મા છું, હું પરબ્રહ્મ છું, હું પરમેશ્વર છું" આ પરમાત્માની વાત કરીએ છીએ, એના છ વસ્તુઓ હોવા—ષડ્ ઐશ્વર્યની જે આપણે વાત કરતા હતા તે છે.
પછી પૂર્ણ સ્વતંત્ર એટલે એમને કોઈ કમ્પલઝન ના હોય, સંપૂર્ણતા સ્વતંત્રતા. અને પછી એની સાથે સાથે નિત્ય અલુપ્ત રહેવાની શક્તિ—અલુપ્ત રે, ક્યારેય લેપાયમાન થાય નહીં. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિ બોધ—એટલે કે સ્વયંનું જ્ઞાન, પૂર્ણ સ્વતંત્રતા અને નિત્ય અલુપ્ત રહેવાની શક્તિ અને અનંત શક્તિ. છેલ્લે બાકી રહ્યું તો એ પણ પૂરું થઈ ગયું! હવે થઈ ગઈ અનંત શક્તિ. એટલે આ છ ના સમૂહ રૂપ જે મારા સ્વરૂપને જાણે છે, તે પુરુષ મારામાં પ્રવેશ કરે છે—પરમાત્મામાં પ્રવેશ કરે છે. તો પરમાત્માને જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? એ અહીંયા આપણને કહેલું છે કે: 1. પહેલાં કીધું, પહેલું તો **સર્વજ્ઞતા** હોય, બધું જ્ઞાન. 2. બીજું તો કે **તૃપ્તિ** હોય. 3. ત્રીજું **અનાદિ બોધ**, એટલે કે સ્વયં જ્ઞાન હોય પોતાને કે હું બ્રહ્મ છું. 4. પછી **પૂર્ણ સ્વતંત્રતા**, એટલે એમને ખબર છે કે મને પાપ-પુણ્ય કશું બાંધી શકતું નથી, કશું થઈ શકતું નથી એટલે કોઈ બંધન છે જ નહીં 5.
અને પાંચમું તો કે **નિત્ય અલુપ્ત રહેવાની શક્તિ**, મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવથી હું સર્વથા નિર્લેપ; તમને ખબર જ ન હોય. 6. અને છેલ્લે, **હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું**, એ પણ આવી ગઈ. આ છએ છ જે છે, તેના સાથેનું મારું સ્વરૂપ છે એવું જે જાણી લે છે, તે બ્રહ્મની અંદર પ્રવેશ પામે છે. એમ કે વર્તે એને, એને વર્તે. અને એને તો એવું વર્તે કે એને જોઈને લોકોને વર્તવા માંડે, એટલા માટે એને 'વિભુ' કીધો છે. એ બધો એનો વૈભવ વિસ્તાર છે કે જ્યાં જ્યાં જાય ત્યાં એ બધું વિસ્તાર પામતું જ જાય. જ્ઞાન બી વધે, સંતોષ બી વધે—આ બધા જે છએ છ કીધા ને અંગો, એ છએ છ વૃદ્ધિ પામતા જાય. વૃદ્ધતામ્ વૃદ્ધતયામ્ વૃદ્ધતામ્... એવું બધું એવું એમનું સદ-ઐશ્વર્ય હોય. માટે એમને 'વિભુ', 'વિશ્વનાથમ્' એવું કહેવામાં આવે. જગન્નાથનાથ! આમ જાણવાનું પરમાત્મા કયો કે આવા હોય.
પરમાત્મા તો આવા હોય શું ? કહેવાય બજેટમાં એમ કે આ વખતે શું છૂટ આપી છે? ઇન્કમ ટેક્સમાં ? પછી પેલો હપ્તો છૂટ્યો કે ના છૂટ્યો આ વખતે ડીએ (DA) નો ? આવું બધું ના વિચાર્યા કરતા હોય. એ બધા પરમાત્મા સમજાયું? ક્ષુલ્લક બાબતો; સેલમાં શું આપણને આ વખતે મળે છે સસ્તું—એવો બધો વિચાર ના આવતો હોય. એ બધા પરમાત્મા, એટલે અજ્ઞાનીઓ પોતે પણ શું કરે છે? ઘણીવાર એમ બોલ્યા કરતા હોય કે, "પરમાત્મા ના તો કોઈના પાપ કર્મને કે પુણ્ય કર્મને ગ્રહણ કરે છે." પરંતુ એ લોકો અજ્ઞાનીઓ છે. એ બોલે છે પણ એમનું જ્ઞાન તો ઢંકાયેલું છે, એટલે ઢંકાયેલું જ્ઞાન પાછું શેનાથી? તે અજ્ઞાનથી જ ઢંકાયેલું છે. હજુ તેમને આત્મ સાક્ષાત્કાર સહિત જ્ઞાન પ્રાપ્ત થયું નથી; જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું એમને ભ્રમ થાય છે. બહુ થાય, બહુ લોકોને થઈ જાય. શું? પણ આત્મ સાક્ષાત્કાર થયો હોતો નથી.
તે હજુ તો કેવા છે? જંતુ છે. આ જે અનંતતાનો જે વ્યાપ છે ને, એની અંદર કેવા છે? ક્ષુદ્ર જંતુ સમાન છે. કશું નથી કે છે. મોહવશ તે કંઈ પણ કહી દે. જ્ઞાનથી શું થાય? એવું બોલે ઘણીવાર છે. મોહવશ, પોતે એવી રીતના બોલે કે આને સ્પષ્ટ કરે છે કે જેના અંતઃકરણનું તે અજ્ઞાન—જેણે જ્ઞાનને ઢાંકી રાખ્યું હતું—આત્મ સાક્ષાત્કાર દ્વારા એ નષ્ટ થાય છે. જેના અંતઃકરણનું અજ્ઞાન હતું, તેને આત્મ સાક્ષાત્કાર દ્વારા નષ્ટ કરવામાં આવે છે અને જ્ઞાન થતા જ સૂર્યની જેમ પરમ તત્વ પરમાત્માને પ્રકાશિત કરી દે છે. જેવું જ્ઞાન થઈ ગયું; જો તમે આમ કરીને આમ કરશો ને, આમ કરતાં કરતાં કરતાં બસ ત્યાં આગળ જેવા તમે પરામાં પહોંચ્યા ને, તે જગ્યાએ એટલે તમને એટલું બધું એકદમ અજવાળું, લાઈટ, પ્રકાશ, જ્ઞાન, શક્તિ—બધું એ ત્યાં જ છે. અને પાછું બહુ મહત્વની વાત એ છે કે તમને એવો અનુભવ થશે કે "એ જ હું છું." અત્યાર સુધી આપણો અનુભવ શું છે?
"આ હું છું અને હું અહીં અહીં છું." પછી અનુભવ થશે કે "એ હું છું." એને આત્મ સાક્ષાત્કાર કીધો. અને પેલા છ એ છ ષડ્ ઐશ્વર્ય એક સામટા આવી જાય. એ જ ક્ષણે તમારી અંદર, જે ક્ષણે અજ્ઞાન ગયું અને પૂર્ણ પ્રકાશ થયો, એની સાથે છ એ છ સર્વજ્ઞતા આવી ગઈ, તૃપ્તિ આવી ગઈ, અનાદિનો બોધ આવી ગયો, સ્વયં જ્ઞાન થઈ ગયું અને બિલકુલ અલુપ્ત રહેવાની શક્તિ આવી ગઈ! પરમ શક્તિમાન તમે બની ગયા છો. બસ, એ અનુભવ તમને ખ્યાલ આવે. અને કોઈ બંધન નથી, કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી. અને પાછો એવો જ્યાં જાય ત્યાં બધું એનું એ થયા કરે, પાછું અદભુત! એટલે જ્ઞાનથી અજ્ઞાનનું આવરણ હટી જાય છે. અજ્ઞાનનું આવરણ હોય, અજ્ઞાન જ ખતમ થઈ જાય છે; આવરણ રહેતું જ નથી. વાસ્તવમાં. જેમ આ અગ્નિ હોય એને તમે આમ કંઈક લઈને આમ કપડું ઢાંકો હેને અગ્નિને, તો શું થાય? અગ્નિ તો એને ભાટ દઈને બાળી નાખશે.
બસ એવી રીતે આવરણ જે અજ્ઞાનનું છે તે બળીને ભસ્મીભૂત થઈ જાય, આવરણ જ નથી રહેતું. જ્ઞાન થવાથી બધી જગ્યાએથી એકસામટું આખા અંતઃકરણ, જેને કહેવાય હૃદય પ્રદેશ, બધી જ જગ્યાએથી બધું બળી જાય, ખતમ; ભસ્મ પૂરું થઈ ગયું! એટલે સૂર્ય સમાન પરમાત્માને પોતાનામાં પ્રવાહિત કરી લે છે. સૂર્ય સમાન પરમાત્મા—આ પરાસ્થિતિની આગળની વાત છે. આગળની વાત છે એનું પરિણામ છે. તમે પરામાં પરિપક્વ થઈ ગયા બસ પછી જ્ઞાન પ્રવાહિત થઈ જશે. સૂર્ય જેવો પ્રકાશ તમારી અંદર આમ. એ સ્વરૂપે પરમાત્મા તમારી અંદર પ્રવાહિત થઈ જશે ને, આ છ એ છ વસ્તુ એકસામટી તમારી અંદર તમે જાણી લેશો કે આ બધી આવી ગઈ. યસ! પછી તે પુરુષ માટે ક્યાંય અંધકાર રહેતો નથી, ક્યાંય અજ્ઞાન પણ રહેતું નથી.ગમે તેટલા એટલે અંધારામાં એને તો બધું દેખાય, એને બધું ખબર છે. એ જ્ઞાનનું સ્વરૂપ શું છે?
એ જ્ઞાનનું સ્વરૂપ શું છે? તે પરમ તત્વ પરમાત્માને અનુરૂપ બુદ્ધિ હોય, તે તત્વને અનુરૂપ પ્રવાહિત એવું મન હોય. પ્રવાહિત મન હોય, કુંઠિત થયેલું મન ના ચાલે. પરમાત્માની અંદર પ્રવેશ પામવાનો છે. સંકુચિત વૃત્તિવાળો ના ચાલે. પરમાત્મા છે તો કેવો હોય? પ્રવાહિત મન હોય, ધારાવાહી; આમ નદી વહેતી હોય એવું એનું મન થઈ ગયું હોય. વહ્યા જ કરતું હોય. નદીમાં પાણી નિત્ય નવું હોય ને? બસ એવી રીતના એનું મન આમ નિત્ય આમ વહ્યા જ કરતું હોય. પરમ તત્વ પરમાત્મામાં એકત્વ ભાવથી રૂપી એવી એની રહેણીકરણી હોય. કોઈ બોલે નહીં પણ આમ અંદર તો આમ અનુભવ કર્યા કરતો હોય કે, "પરબ્રહ્મ પરમાત્મા, આઈ એમ ધ સુપ્રીમ બીઈંગ (I am the Supreme Being)." એના સાથે હોય. પછી દાદા બોલતા હતા કે, "એનો કોઈ ઉપરી ના હોય, અંડરહેન્ડ ના હોય." પરમાત્માને સેવકોની જરૂર નથી, એટલે એ પરમાત્મા છે પણ સેવકો સેવા એટલા માટે કરીએ છીએ કે એમને પરમાત્મા બનવાનું છે, એમને પરમ તત્વને પ્રાપ્ત કરવાનું છે.
એ સેવાથી જ આગળ જવાનું છે, શરૂઆત જ ત્યાંથી કરવાની છે માટે સેવા કરવાની. બાકી પરમાત્મા કહે છે, "મારે તો કશાની જરૂર નથી. મારું પ્રભુત્વ મારી પાસે જ છે. હવે હું તને સેવક રાખું પણ તું મને બૂટ પહેરાવે, આમ કરે તેમ કરે, તો મારે તો પાછું તારા બંધનમાં આવવું પડે ને ભાઈ? તું પહેરાવે ત્યારે હું પહેરી શકું? અને મારે તો પહેરેલું જ છે બધું, મારે કંઈ ચિંતા નથી." એટલે એમને કશાની જરૂર નથી, કોઈની જરૂર નથી. પરમાત્માને તમારી પ્રાર્થનાઓની પણ જરૂર નથી કે પૂજાની પણ જરૂર નથી. તમારી ગરજે તમે કરવાના છો, માટે કરો. એમનું તો પ્રભુત્વ અકબંધ છે; અનાદિકાળથી કોઈ ફરક પડ્યો જ નથી એમની અંદર તો. એટલે એકાત્મ ભાવ રૂપી એમની રહેણી હોય, એમનું રહેન-સહેન ભી એવું જ હોય, એમાં જ લીન હોય પરમ તત્વની અંદર. એનું નામ જ્ઞાન છે. જ્ઞાન એ કોઈ બકવાસ કે મિથ્યા ચર્ચા નથી ભાઈ.
આવા જ્ઞાનથી પાપ મુક્ત બનેલો પુરુષ પરમગતિને પ્રાપ્ત કરે છે. પરમગતિ; પરમગતિની અંદર ગતિ જ નથી એવી પરમગતિ—સ્થિર થઈ ગયો છે. પરમગતિની અંદર એ તો. પછી એને ક્યાંય આવવા-જવાનું કશું હોતું નથી ભાઈ. એને કોઈ જવાનું કમ્પલશન નથી કે આવવાનુંય કમ્પલશન નથી. પણ પોતાની ઈચ્છાથી પ્રગટ થવું હોય તો થઈ જાય સાકાર સ્વરૂપે, ગમે ત્યાં ગમે તે જગ્યાએ કૃપા કરે છે. "પ્રભુ દર્શન આપો, દર્શન આપો," તમને પ્રાર્થનાના ફળ રૂપી એવા પ્રગટ થાય છે એવું નથી; એને કૃપા કરવાની તમારી પર એ ઈચ્છા થાય માટે તમારી પાસે આવે છે, એ ટાઈમે આવે. બોલાવતા હતા તો તમે કેટલા કાળથી? અત્યારે જ કેમ? પ્રશ્ન થાય ને આપણને? જ્ઞાન એ કોઈ બકવાસ કે મિથ્યા ચર્ચા નથી, એટલે બધા જ્ઞાનની વાતો કર્યા કરે એવું બધું નથી કે છે. આ બધામાં ના પડ્યા રહેતા. આ તો પરમગતિની વાત છે; પરમગતિ—એટલે કે—જ્ઞાનમાં સ્થિરતા.
પછી જ્યાં પછી ફરી જન્મ લેવાનો રહેતો નથી. પરમગતિને પ્રાપ્ત કરનાર, સંપૂર્ણ જાણકારી ધરાવનાર પુરુષ જ પંડિત કહેવાય. પઢેસો પંડિત હોય નહીં, પઢેસો પંડિત ન હોય. "પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન કોય," કીધું છે ને? એટલે પંડિત તો વાસ્તવમાં કોને કીધો? કે જેને પરમાત્મા ઉપર, આ જેને કહેવાય કે સંપૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તેને પંડિત કહેવાય. જ્ઞાન દ્વારા જેમના પાપ સમી ગયા છે, જેણે અપુનરાવર્તી પરમગતિ પ્રાપ્ત કરેલી છે. પુનરાવર્તન છે "પુનરપિ જનનં પુનરપિ મરણં." આ અપુનરાવર્તી થઈ ગઈ એમની ગતિ હવે. પરમગતિ! એવા જ્ઞાનીજન, વિનયી જ્ઞાનીજન કેવા હોય? વિનયી હોય. અંદરથી એ બધે જઈ જઈને આમ બધાને પગે ના લાગે. ગાયને, ચાંડાલને, શત્રુને ને બધાને એવી રીતના આમ આમ કરીને પગે ના લાગતા દેખાય તમને, પણ બ્રાહ્મણ, ચાંડાલ, ગાય, કુતરા અને હાથીમાં એમની દ્રષ્ટિ સમાન છે.
કે "આ બધાની અંદર આ એક જ તત્વ છે જે હું છું," એવો એ લોકોને અનુભવ હોય છે. અનુભવની વાત છે. એટલે એમની દ્રષ્ટિ એટલી બધી સમાન થઈ ચૂકી હોય છે કે એમની દ્રષ્ટિ વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં કોઈ ખાસ વિશેષતા જોતી નથી કે આ બ્રાહ્મણ છે એટલે વિદ્યા વિનય છે, કે પછી આ ચાંડાલ છે એટલે ગમે તેટલો એમ કે એ છે પણ શુદ્ર છે અને હીન છે. એટલે એનું કોઈ મહત્વ નથી—એવું પણ નથી. એમ હીનતા પણ જોતા નથી. ગાય ના તો ધર્મ છે; ગાય ના તો ધર્મ છે—જો આ શ્રીકૃષ્ણ ભગવાનની વાત છે—એમની સમજણ શું? ગાય ના તો ધર્મ છે, ના કૂતરો અધર્મ છે. હાથી કોઈ વિશાળતાનું પ્રતીક નથી એમના માટે. આવા જ્ઞાની સમદર્શી અને સમવર્તી હોય છે. સમયવર્તી પણ હોય છે; સમય જોઈને ઉચિત સમયે વાત કરે, ગમે ત્યારે ગમે તે વાત કરવા બેસી જાય એવું પણ નહીં. એમની દ્રષ્ટિ ચામડી પર નહીં, આત્મા પર રહે છે.
તફાવત એટલો જ કે વિદ્યા વિનય સંપન્ન સ્વરૂપની નજીક છે અને બાકીના થોડા પાછળ. શરીર તો વસ્ત્ર જ છે ને? એટલે એની દ્રષ્ટિ વસ્ત્રને મહત્વ આપતી જ નથી. પણ એના હૃદયમાં સ્થિત આત્મા પર જ એમની સતત દ્રષ્ટિ રહ્યા કરતી હોય. બધાનું કેવું ડેવલપ થઈ રહ્યું છે, કેમ ગોઠવાઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે એ બધું એ જાણતા હોય પણ બોલે નહીં, કોઈને કહે નહીં કશું નહીં. તો પાછો પેલો ચઢી જાય બહુ કાંઈ! એટલે જ તેઓ કોઈ પણ ભેદભાવ રાખતા નથી. શ્રીકૃષ્ણે પૂરતી ગૌ સેવા કરી હતી, એમને ગાયો માટે ગૌરવપૂર્ણ શબ્દો કહેવા જોઈતા હતા પરંતુ એમણે તો આવું કશું કહ્યું નહીં. ગાયો માટે કશું બોલ્યા નથી, ભગવાન. શ્રીકૃષ્ણે ગાયોને ધર્મમાં કોઈ સ્થાન આપ્યું જ નહોતું. એમણે તો એટલું જ જાણ્યું કે બીજા જીવાત્માઓની જેમ ગાયમાં પણ આત્મા છે. એટલે ગાયનું જે તે સમયે આર્થિક મહત્વ જે કાંઈ હતું તે ખરું, પરંતુ એનું ધાર્મિક મહત્વ એ અવિવેકીઓની દેન છે.
"ગાયોમાં દેવો નિવાસ કરે છે," અને બધું ક ૩૩ કોટી દેવી દેવતાઓ બધા ગાયોની અંદર જ બેઠા હોય છે, અને બધા એવી રીતના—તો બધા દેવતાઓ ઘાસ ખાય છે? એટલે બતાવ્યું એમણે કે આ બધું જે ધાર્મિક મહત્વ છે એ અવિવેકીઓની દેન છે, ભેટ સોગાત કરેલી, અજ્ઞાનીઓએ આપેલું છે આ તમને બધું. અને એ લઈ લઈને તમે અનાદિકાળથી પાછા ફર્યા કરો છો ને એમાં કોઈ ફેરફાર કરવો નથી. શ્રીકૃષ્ણે પાછળ બતાવ્યું છે કે અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાઓવાળી હોય છે. અવિવેકી હોય એની બુદ્ધિ કેવી હોય? અનંત શાખાઓવાળી. એટલે એકમાંથી બીજું, બીજામાંથી બીજા બે ચાર; દરેકની અંદરથી પાછા બીજા બે ચાર એવા ફણગા ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે. જે તે જગ્યાએ એમની બુદ્ધિ આવી રીતના આગળ આગળ આગળ વધતી જ ચાલે. વિકલ્પો વધતા જ જાય બધા. એટલે આખી એમનું જે સમગ્ર સૃષ્ટિ જે છે ને તે બિલકુલ વૈકલ્પિક બની ચૂકેલી હોય છે.
એટલે આ અનંત શાખાઓવાળી બુદ્ધિના કારણે એ લોકો શું કરે છે? તો કે એ લોકો જાતે અનંત ક્રિયાઓનો પણ વિસ્તાર કરી દે છે. અત્યારે જુઓ એક એક માણસના કર્મો કેટલા છે? સવારથી સાંજ સુધી નવરો નથી પડતો માણસ, એટલા કર્મો કરે. ઊંઘમાં પણ ચાલુ, ઊંઘમાંય ચાલુ! હં? અને અત્યારે આ હાલત છે. હવે આગળ શું, વૉટ નેક્સ્ટ (What next)? એ તો વિચારી જ નથી શકતા પણ અનંત શાખાવાળા તો હજી એ શોધ્યા જ કરતા હશે, એનોય વિકલ્પ હશે કંઈક. શું કહે છે? "આ ૫૦૦ કિલોમીટરની ઝડપે વિમાન ઉડે છે ને તો કે ૧૦૦૦ વાળું શોધો હવે, પછી કહેશે કે હવે ૨૦૦૦ વાળું શોધો." કેમ? તો કે આપણે તો બસ ૧૦ મિનિટમાં પહોંચવું જોઈએ. અહીંયાથી સુરતથી ન્યુયોર્કની ફ્લાઈટ કાઢવાની નવી ૨૦૦૦ કિલોમીટરની સ્પીડવાળી. એરપોર્ટ કે આવું નહીં—વર્ટીકલ (Vertical). તે વખતે તો કરીશું કે આવું બધું વિમાન આમ દોડ દોડ કર્યા કરે, એટલો બધો ટાઈમ ક્યાં છે?
કે અમારે તો બીજી બિલ્ડીંગો બાંધવાની છે, એટલે આમ સીધું ઊભું થાય ને એવું જ વિમાન બનાવવાનું છે હવે તો. એટલે એમની અનંત શાખા, એટલે એને લગતું થિંકિંગ (Thinking), એને લગતું એન્જિનિયરિંગ, એને લગતી જ બધી વ્યવસ્થા એવા જ એરપોર્ટ બનાવશે ને? પછી પાછા બે હજાર માણસો અંદર સમાય એવા મોટા વિમાનો. અત્યારે તો મોટામાં મોટું વિમાન ૫૦૦ માણસ લઈ જાય છે. કે ના, વધારે માણસોને વધારે સ્પીડમાં મોકલવાના. પછી બૂમ થાય તો ૨૦૦૦ ગયા કે બીજે દહાડે આવે છાપામાં! એટલે એવાય વધતા જવાય. પણ આ બધી વ્યવસ્થાનો વિચાર અત્યારથી કરવા માંડેલા હશે અનંત શાખાઓવાળા તો. એમની બુદ્ધિ અત્યારે વિચાર્યા કરતી હશે કે એવું કેવું બનાવવું, એનું એન્જિન કેવું બનાવવું, એમાં ફ્યુલ (Fuel) કેવું નાખવું, એમાં ફલાણું—કેવી રીતે ચાલ્યા જ કરતું હશે અત્યારે જ, રાઈટ હિયર રાઈટ નાઉ (Right here, right now).
એટલે અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. પછી ઊંઘમાંય ચાલ્યા કરતી હોય એમની એ બધી ક્રિયાઓ. એ બનાવટી પણ અલંકૃત વાણીમાં બધું વ્યક્ત કરે છે. બનાવટી પણ અલંકૃત વાણી! શ્રીમદ ભાગવત ગીતા કોઈકને આપો તો આમ કરીને આમ બાજુ પર મૂકી દે, પણ તમે પેલું હમણાં કહો ને કે "હાઉ ટુ (How to)" વાળી હોય છે ને બધી, "હાઉ ટુ ગ્રો રીચ (How to Grow Rich)" અને એવા બધા નામો. હા, "હાઉ ટુ થિંક એન્ડ ગ્રો રીચ (How to Think and Grow Rich)", બરાબર? એ પુસ્તક તો બેસ્ટ સેલર અને એ વેચાયા જ કરતું હોય. અને આ કોઈ હાથમાંય ના પકડે અને તમે આપોને તોય લોકો બાજુ પર મૂકી દે. કેટલી કરુણતાની વાત છે? એ જોવાની વાત. બધાને મોહ વ્યાપી ચૂક્યો છે. આમ કરીને આમ જેમ તમે અગ્નિની નજીક જેમ જાઓ ને જેમ ઝાળ લાગી જાય ને, એવી રીતે બસ બધાને આ વ્યાપી ગયો છે; મોહ વ્યાપી ગયો.
એટલે બધે ઊંડે ઊંડે અંદર સુધીને વ્યાપી ગયો. તો એ બધા કર્મો અને ક્રિયાઓ બધી કરાયા જ કરે છે. એટલો બધો જેને કહેવાય રજોગુણ વ્યાપી ગયો, પ્રાધાન્ય એનું એટલું બધું છે. અત્યારના આ કાળની અંદર કળિયુગમાં રજોગુણ પ્રધાન હોય અને તમોગુણ મિશ્રિત હોય, એમાં સત્વનો છાંટો માંડ મળે તો મળે ક્યાંક. એટલે માંડ મળે તો એવું, એટલે બનાવટી પણ અલંકૃત વાણીમાં એ બધું વ્યક્ત કરે. લોકો બધા સાંભળવા બેસે પ્રવચનો, અને પૈસા આપી આપીને સાંભળવા જાય. હા, સાંભળવા જાય બધા ત્યાં! ત્યાં આગળ બેઠા હોય તમારે જોવા હોય તો, અને પાછા બધા એકબીજાને કહી દે, "મેં કર્યો, તે કર્યો?" કે "ના, હું રહી ગયો આ વખત." "હવે તારું લખાઈ દઉં?" કે "હા, લખાઈ દે." એટલે એની વાણીની છાપ જો! હજી આ ભયંકર મોટી વાત; એવા માણસની વાણીની છાપ જેના મન ઉપર પડે તે વ્યક્તિની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે.
એટલે એવી વ્યક્તિની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. શું કહે છે? બનાવટી વાણી છે. અલંકૃત છે અને એ પાછો એવી રીતે વ્યક્ત કરે વાણીથી કે પેલાનું મન છે ને એની બુદ્ધિ બેર મારી જાય, બિલકુલ ખતમ જ થઈ જાય! પેલો વિચારી જ ના શકે કે આ શું બોલી રહ્યો છે, કે સાચું છે કે ખોટું છે, મારા હિતનું છે કે અહિતનું છે. કંઈ નહીં બસ, "આઈ એમ ઈમ્પ્રેસડ, વેરી મચ ઈમ્પ્રેસડ (I am impressed, very much impressed)." એવી રીતના વાત કરો. જ્યારે નિષ્કામ કર્મયોગમાં નિર્ધારિત ક્રિયા એક જ છે—યજ્ઞની પ્રક્રિયા, આરાધના. ગાય, કૂતરો, હાથી, પીપળો, નદી વગેરેનું મહત્વ—આ બધી અનંત શાખાઓવાળા જે છે ધરાવનારા, એ એમની ભેટ છે. આ બધી વસ્તુઓનું કોઈ મહત્વ હોત તો શ્રીકૃષ્ણ ભગવાને જરૂર એની વાત કરી હોત ક્યાંક ને ક્યાંક. આ પ્રારંભિક કાળમાં મંદિર, મસ્જિદ વગેરે પૂજાના સ્થળો અવશ્ય હોય છે અને આવશ્યક હોય છે.
બાલમંદિર બધે જોઈએ, જ્યાં પ્રેરણાદાયક સામૂહિક ઉપદેશ અપાય છે. સામૂહિક ઉપદેશ પ્રેરણાદાયક, તો બધા એ બાજુ પ્રેરિત થાય અને એની ઉપયોગીતા પણ છે. અપુનરાવૃત્તિ ધરાવતા મહાપુરુષની દ્રષ્ટિ હૃદયસ્થિત આત્મસ્વરૂપ પર જ પડે છે, જે આ બધામાં હોતા નથી. આવા મહાપુરુષને પરમગતિમાં શું અને એ કેવી રીતે મળે છે? તે પુરુષો જીવનકાળ દરમિયાન જ સંપૂર્ણ સંસારને જીતી લે છે. સંપૂર્ણ સંસારને જીતી લે છે. સંસારને જીતી લેવાનો મતલબ એવો નથી કે આ નવ ખંડો જીતી લીધા બધા. શું અહીંથી બહાર નીકળ્યા અને આમ આ જીતી લીધું ને પેલું સુદાનને જીતી લીધું ને ટર્કીને જીતી લીધું—એવી રીતના ફર્યા કરે એવું નહીં. આખી પૃથ્વીનું આધિપત્ય કેળવી લીધું છે એવું નહીં. પણ એ માણસો પોતે સંપૂર્ણ સંસાર કે જે એમના મનમાં વસેલો છે, તેની પર આધિપત્ય મેળવે છે. જે મન છે એ જ સંસારનું સ્વરૂપ છે.
તમારા મનને તપાસ કરો તો એવો જ તમારો એક્ઝેટ સંસાર તમને જોવા મળશે, કારણ કે તમારા મનની તમે બાહ્ય રેપ્લિકા (Replica) ઊભી કરી છે બહાર. એટલે કીધું કે આ તારો જ પડઘો છે. તારા મનમાં ફેરફાર કરીશ ને, એટલે તારે પાછો એ જ સંસાર પાછો જુદો દેખાવા માંડશે. જ્ઞાની એને જેવી સમજણ આપે છે, તરત એનો સંસાર અલગ રીતે દેખાવાનો ચાલુ થઈ જાય છે એવું કેમ બને છે? આ જ કારણથી બને. કેમ? તો કે જ્ઞાનીએ એને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપ્યું એટલે એને મનમાં બોધ ઉપજ્યો, અને મનમાં બોધ ઉપજ્યો એટલે હવે સંસારનું સ્વરૂપ એને જે પહેલા ભાસતું હતું, એના બદલે અલગ ભાસે છે. પહેલા તો દેખાતું હતું, હવે ભાસે છે. અને ખબર પડે કે સંસાર તો છે જ નહીં ભાઈ, કે જેના માટે હું આટલી હાય-વોય ઉપાધિ કરું છું, એ જ નથી. મૂળય નથી કે મુદ્દલય નથી! તો જ્ઞાની પાસે જાઓ તો એ તો ના પાડી દે—કશું નથી.
કે કોઈ વિમાનો ઉડતા નથી, કોઈ નદીઓ વહેતી નથી, કોઈ પહાડો નથી, કશું નથી. જ્ઞાની એ બધું જોઈ, જાણીને બેઠેલા આવા સંપન્ન મહાત્મા છે અને એ બોલે છે કે કશું નથી ભાઈ, આ બધું તારા મનમાં છે એટલે તને દેખાય છે. અંધારામાં ના જવાય સાપ આવે તો ? પછી પેલો આમ જાય ને આગળ ચાર ડગલા, કંઈક દોરડું પડ્યું હોય તો એને સાપ જ દેખાય. તો હવે સાપ તો એના મનમાં પડ્યો છે, બહાર દોરડા રૂપે એનું મેનિફેસ્ટેશન (Manifestation) થયું છે. અને તો એ સાપ છે સાપ છે કરીને ભડકે મરી જાય કે "મને કરડ્યો!" અમારે તો એવું થયેલું, એક ભાઈ એવા, તેમને અંધારામાં જરાક આમ બહાર નીકળ્યા—એ કાળ તો આપણે થોડોક જરા અત્યારે હતા એનાથી પહેલાનો—એટલે એમને એમ લાગ્યું કે "બસ મને સાપ કરડ્યો!" એટલે એમણે તો એટલા પેલા એ કરવા માંડ્યા કે ના પૂછવાની વાત! પછી અમે તો ઘરે પહોંચ્યા ત્યાં જોયું કે આ ભાઈને આવું થઈ રહ્યું છે.
તો લઈને ગયા ડોક્ટર પાસે. તે ડોક્ટરે જોયું, તપાસ્યું કે આમ કંઈ લાગતું નથી. હોશિયાર ડોક્ટર અને કીધું કે, "ભાઈ કંઈ સાપ-બાપ તો કંઈ કરડયો લાગતો નથી." તો પેલાને સંતોષ જ ના થયો કે, "ના, આ ડોક્ટરને કંઈ ખબર નથી પડતી. આપણે બીજા ડોક્ટર પાસે જઈએ." હવે બીજા ડોક્ટર પાસે ગયા. હવે એણે નક્કી કર્યું કે, "ચાલો આપણે છે ને આમને સાપ કરડયો છે ને? સાપનું ઇન્જેક્શન આપીએ." તેણે સાપનું ઇન્જેક્શન આપવાનું ચાલુ કર્યું. ભાઈ સૂતેલા, અમે આમ બેઠેલા અને ડોક્ટર ગયા ત્યાં જોયું તે પેલાને આમ ઇન્જેક્શન આપ્યું. હવે એને કહે છે કે, "જો આ ઇન્જેક્શન છે ને એકસામટું મારાથી તને નહીં અપાય, એટલે ધીરે ધીરે ધીરે તને આપીશું. એટલે આ આખી ઇન્જેક્શન આપવાની પ્રક્રિયામાં તને ૧૦-૧૫ મિનિટ ૨૦ મિનિટ અડધો કલાક થશે, તારે નિરાંતે સૂઈ રહેવાનું." આ ભાઈને તો એટલો ભય વ્યાપી ગયેલો કે પેલા ધીમે ધીમે ઇન્જેક્શન આપે, થોડીવાર આવીને પાછો પેલો પંપ પુશ (Push) કરી જાય, થોડીવાર રહીને પાછો આપી જાય, એક બે પેલા જોઈ આવે બીજા પેશન્ટને.
પછી આવું ૧૫-૨૦ મિનિટ ચાલ્યું. પછી પેલા ભાઈએ તો બૂમ પાડવા માંડી કે, "મારાથી રહેવાતું નથી! મને કંઈક થાય છે ને આમ તેમ બધું." તે પછી એટલી બધી ધમાલ મચાવી હતી. એ ડોક્ટર ભડકી ગયો પછી એણે તેમાંથી ઇન્જેક્શન કાઢી લીધું અધૂરું—આટલું બાકી રહેલું ઇન્જેક્શન—અને પેલો તો એવો તોફાને ચડ્યો કે ના પૂછવાની વાત! તે દાડે તો પાછો એને લઈને અમે તો ગયા પાછા એક બીજા ડોક્ટર પાસે. તેણે વળી જોયું, તપાસ કરી, એક્સ-રે કાઢ્યો બધું કર્યું અને કહે "સૂવાડી દો એને." તેનો ફોટો બોટો લીધો અને પેલો ફોનથી મોકલાવ્યો પાછો. ડોક્ટર રૂબરૂમાં તો આવ્યો નહીં, ૧૨ સાડા બાર રાતના થઈ ગયેલા. તેના આસિસ્ટન્ટને કહે છે, "તું આને એક કામ કર કે બાટલો ચડાવ, એમાં છે ને કે આ બે ફલાણા ઇન્જેક્શન નાખી દે." પેલાને આખી રાત રાખ્યો અને સવારે પાછો કહે, "હા, હવે બહુ સારું લાગે છે!" બસ આ મારી સામે બનેલી વાત તમને કહું.
તો ભય જે અરે વ્યાપે ને ત્યારે... પછી ભયનો ઈલાજ બી આવું બધું કરી કરીને કરવો પડે એને. વાસ્તવમાં કોઈ દવા આપવામાં નથી આવી, કશુંય નહીં. આ બધુંય આમ "મેક બિલીવ (Make believe)" બધું! કે "જો તને ઇન્જેક્શન આપ્યું, તને ગોળી આપી, તને દવા આપી, આ બધું કર્યું." એટલે એવી વાત છે. તો એની સામે સંસાર જીતવા સાથે શું છે? તો કે સંસાર મટી જાય તો પછી પુરુષ જ ક્યાં રહ્યો? જેના મનમાંથી આ બધું જ નીકળી ગયું સંસાર ક્યાં છે? તો કે તારા મનમાં છે. હવે મનમાંથી જ સંસાર નીકળી ગયો તો પછી હવે પુરુષની ક્યાં બાબત રહી તો કોક પુરુષ હોય એને સંસારમાં રમણ કરવાનું હોય. પરમ તત્વને શું છે? પરમાત્માને શું છે? એને કશું નથી સંસાર સાથે, એટલે સંસાર મટી જાય છે. તો પછી પુરુષ ક્યાં રહ્યો? શ્રીકૃષ્ણ કહે છે કે, "નિર્દોષં હિ સમં બ્રહ્મ." તે બ્રહ્મ નિર્દોષ છે.
બ્રહ્મ કેવો છે? કોઈપણ પ્રકારનો દોષ બ્રહ્મની અંદર હોતો જ નથી અને એ 'સમ' છે. નિર્દોષં સમં બ્રહ્મ. અહીં તેનું મન પણ નિર્દોષ અને સમસ્થિતિવાળું થઈ ગયું એટલે શું થયું? તો કે "તસ્માત્ બ્રહ્મણિ તે સ્થિતાઃ." એટલા માટે તે બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. એનું મન પણ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયું એટલે સ્થિત થઈ જાય. આને કહેવાય છે અપુનરાવર્તી પરમગતિ. મનમાં હવે કશું રહ્યું જ નથી, સંસાર જતો રહ્યો અને બ્રહ્મ સમ-નિર્દોષ થઈ ગયો બિલકુલ! એટલા માટે એને અપુનરાવર્તી એવી પરમગતિ કીધેલી. તો કે "આવી ક્યારે મળે?" પાછો ફરી સવાલ કરે. અર્જુન હંમેશા સવાલો બહુ પૂછે—આ માનવ ભાઈની જેમ જ! આપણા પાછા થોડી વાર થાય, કંઈક પાછો ઊભો થાય એવી રીતના. તો "ક્યાં મળે?" ત્યારે કહે કે, "જ્યારે સંસાર રૂપી શત્રુ પર વિજય થાય ત્યારે આ પરમ ગતિ પ્રાપ્ત થાય છે." સંસાર છે એ શત્રુ છે.
જો પરમાત્મા શું સમજાવે છે? આ સંસાર શું છે? શત્રુ છે. સંસારને જ્યાં સુધી તમે મિત્ર સમાન માનશો ત્યાં સુધી સંસાર તો તમને છોડશે નહીં, અને તમે સંસારમાંથી છૂટવાના નથી... ચાલ્યા જ કરવાનું છે. સંસાર શત્રુ સમાન લાગવો જોઈએ. તમે આમ એવી કલ્પના કરો છેવટે, દાખલા તરીકે કે કોઈ મોટો મહાદાનવ—આજકાલ પેલા એમાં બતાવે છે ને કેવું પેલો ગ્રીન માણસ મોટો 'હલ્ક' (Hulk), એવો કંઈક આમ બનીને આવ્યો હોય ને તમને આમ કરીને આમ પકડવાની કોશિશ કરતો હોય ને તમે એનાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યા કરતા હોય. હવે એટલો અતિ વિશાળકાય, અને તમે દોડ દોડ કરો; ધીમે ધીમે પગે તમે આમ નાના નાના દોડતા હોય અને પેલો આમ જોયા કરતો હોય તો આમ આમ કરીને આમ પકડી લે તરત જ! એવી રીતનો તો એવો આ દાનવ છે સંસાર તો, એ શત્રુ છે. તમને ખતમ જ કરી નાખશે દર વખતે અને તમને એમાંથી બહાર નીકળવા જ નહીં દે.
એની પકડ એવી મજબૂત છે કે છોડશે નહીં તમને. એટલે સંસાર રૂપી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય ત્યારે જ આ પરમ ગતિ પ્રાપ્ત થાય... હવે સંસાર રૂપી શત્રુ પર જો વિજય પ્રાપ્ત કરવાનો હોય, તો એનામાં કેટલી બધી દૈવીય સંપત્તિ જોઈએ અને કેટલું આત્મિક બળ જોઈએ? ત્યારે એ પ્રાપ્ત કરી શકે. સમજાયું? એટલા માટે આ કરવાનું છે. સંતોષ રાખવાથી તમે આની પર વિજય પ્રાપ્ત કરી શકો છો? સંસાર ઉપર શાંતિ રાખવાથી તમે સંસાર ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકો છો. દરેક વખતે તમે જુઓ, આ બધી ષડ્-સંપત્તિ પ્રાપ્ત કરો છો ત્યારે તમે દાનવનો સંહાર કરી શકો છો, કે આ સંસાર રૂપી શત્રુનો તમે નાશ કરી શકો છો. એટલે ત્યારે સંસાર જીતાય છે કે જ્યારે મન પર નિયંત્રણ સ્થપાય. મન કેવું હોવું જોઈએ? નિયંત્રિત હોવું જોઈએ. કુંઠિત મન નહીં, બંધ કરેલું નહીં, નિરોધ થયેલું મન નહીં—નિયંત્રિત મન છે.
રહેતું પ્રવાહિત મન હોવું જોઈએ. ભગવાને શું કહ્યું અગાઉ? પ્રવાહિત મન હોવું જોઈએ. કારણ કે એવું જ્યારે મન પર નિયંત્રણ સ્થપાય ત્યારે સમત્વમાં પ્રવેશ થાય તમારો. અને જે સમત્વમાં પ્રવેશ થાય એટલે શું? તો કે તમે પરમ તત્વની અંદર જ બસ પહોંચી ગયા છો. કેમ કે તમારા મનનો જે પ્રસાર છે, જેટલી મનની વ્યાપકતા વધતી જાય છે તમારા મનની, એટલો તમારો સંસાર છે. તમને અત્યારે જોહાનિસબર્ગમાં શું થઈ રહ્યું છે એનો તમને વિચાર ના હોય, પણ તમને તમારી દુકાન પૂરતું મર્યાદિત હોય અહીં બેઠે બેઠે ધ્યાન ત્યાં સુધીને જઈ આવે ને પાછું આવે. "આવ્યો હશે ને? અહીં આવ્યો હશે? પેલો લેવા આવ્યો હતો કે નહીં?" કાંસડી... એ બધું ચાલ્યા જ કરતું હોય અંદર બધું. અહીં બેઠો હોય, આત્માની વાત સાંભળતો હોય પણ મન તો ત્યાં પહોંચી જાય ફટ દઈને! એને તો વાર જ નહીં... એને પાછું રેગ્યુલેટ (Regulate) કરવાનું.
"ત્યાંથી પાછો આવ કે તું અહીં બેસ અત્યારે આત્માની વાત સાંભળ, તારે હમણાં ૧૦ મિનિટ કોઈ બીજો વિચાર કરવાનો નથી." અને ૧૦ મિનિટ સુધીને બીજા ના આવે એટલું તમે સાતત્ય કેળવો, ત્યાર પછી તમે પરમ ગતિનો વિચાર કરી શકો, પરમાત્માની પ્રાપ્તિનો વિચાર કરી શકો... ત્યાં સુધી તો આપણે લાયક જ હોતા નથી. કેવી રીતે પ્રાપ્ત થઈ જાય? એટલે કહે છે કે સમત્વમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે સંસાર પર જીત મળે છે. સમત્વ—હમણાં કીધું ને? ગાય, હાથી, ઘોડા અને મનુષ્ય અને દેવ બધા સરખા દેખાય. "દેવ એટલે બહુ ઊંચો મોટો મહાન, મનુષ્ય એટલે આ આટલો, અને પેલા બધા બિચારા બાપડા જંતુઓ"—એવું બધું નહીં. સમત્વ! જીવ માત્રમાં બ્રહ્મ છે જ. અને એવું મનથી માનતો હોય એટલું જ નહીં, એને અનુભવ થવો જોઈએ, એવું જાણવું જોઈએ, એવું જ્ઞાન એને ઉત્પન્ન થવું જોઈએ, ત્યાર પછી એનું ઠેકાણું પડે છે.
ત્યારે આ સંસાર ઉપર જીત મળે છે. ત્યારે કહે છે કે આવો જે થયો સંસાર પર જીત મેળવનારો, એને શું કહીશું? તો કે 'બ્રહ્મવિદ્' કહેવાય. શું કહેવાય? બ્રહ્મવિદ્ કહેવાય. બ્રહ્મને જાણનારો છે એ બ્રહ્મવિદ્ છે. અને બ્રહ્મને જાણ્યા પછી જે કંઈ બોલે છે તે બ્રહ્મ... બ્રહ્મવિદ્ જે જે બોલે છે તે પછી વેદ બને છે. એના બ્રહ્મ વાક્યો હોય છે, કારણ કે બ્રહ્મ સ્વયં બોલે છે એની મારફત; એ તો યંત્ર છે. જય સચ્ચિદાનંદ!
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.