અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૧૯

શ્રીમદ્ ભગવદ્ ગીતા: નવમો અને દસમો અધ્યાય (આધ્યાત્મિક ચિંતન)

લેખ ૧૮ / ૨૮ · 76 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

જય સચ્ચિદાનંદ. નવમાં અધ્યાયના ૨૨ માં શ્લોકની અંદર ફરી ફરી એક વખત યોગેશ્વર કહે છે કે જે લોકો અન્ય દેવી-દેવતાઓના ચક્કરોમાં પડી ગયા છે, એ લોકો વિશાળ સ્વર્ગ ભોગવે તો છે કલ્પિત અને પછી એમનું પુણ્ય પરવારી જાય એટલે પાછા ફરી મૃત્યુલોકમાં આવીને પડે છે. આમ, તમારી પ્રાર્થનાઓ સમત્વના યજન ત્રણ વિધિથી એક જ યજ્ઞનું આયોજન-આરાધન કરનાર વાસ્તવમાં મારા શરણે આવેલો હોવા છતાં પણ સકામ હોવાથી, એના અંદર જે કામના રહી ગયેલી છે એવા એકમાત્ર કારણના કારણે એ વારંવાર આવાગમન પામ્યા કરતો જ હોય છે, પુનર્જન્મ પામ્યા જ કરતો હોય છે. માટે સાવધાન! યોગેશ્વર કહે છે: "કોઈપણ કામના રહી જવી ના જોઈએ." જે કામના નથી રાખતો તેને શું મળે છે? આગળ કહે છે કે અનન્ય ભાવથી મારામાં સ્થિત ભક્તજનો મારા પરમાત્મા સ્વરૂપનું નિરંતર ચિંતન કરતા રહે છે. છેલ્લો શ્વાસ બી બસ કે ઓમકારથી જ જવો જોઈએ એવી રીતના, અને વચ્ચેનો ટાઈમ પણ બધો ટાઈમ એનું ઓમકાર જ ચાલતો હોય.

તે પરમાત્માનું અનન્ય ભાવે સ્મરણ કર્યા જ કરતો હોય છે. આ સ્મરણ કર્યા કરતો હોય ત્યારે બુમાબુમ નથી કરતો, કોઈને ખબરય ના પડે કે શું થઈ રહ્યું છે. "પર્યુપાસતે" એટલે સહેજ પણ ત્રુટિ નહી રાખે વચ્ચે, આમ તેલધારવત અગાઉ પણ કહ્યું તું એવી રીતે એના ઓમકાર ચાલ્યા કરે છે. તેલધારવત ચાલ્યા જ કરે છે. આ દોરી તૂટવી ના જોવે, આના પર જે આમ ચાલ્યા કરે છે ધ્યાન તમારું, એને ચલાયા જ કરવાનું, ચલાયા જ કરવાનું, ચલાયા જ કરવાનું. ચાલતા ચાલશે, તમે નથી ચાલતા એ ચલાવશે તમને અને તમને ત્યાં આગળ પહોંચાડી દેશે: "તદધામ પરમમ મમ", "મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ". એવી રીતે સહેજ પણ ત્રુટિ ન રાખીને મને ઉપાસો એમ કહે છે. એવા નિત્ય એક ભાવે ભજનારા પુરુષોના યોગક્ષેમને હું ચલાવું છું. યોગક્ષેમ એટલે આપણે જાણી લીધું છે કે આજે યોગ પૂરો કરવાનો છે, તેટલું કાર્ય એ પરમાત્મા કરી આપે.

તમારી નોકરી તમારે કરવાની, વેપાર તમારે કરવાનો, હા, એમાંય તમને સહાય કરશે કે જેથી કરીને તમને અવકાશ વધુમાં વધુ મળ્યા કરે. વિઘ્નો તમારા એ દિશામાં પણ હટ્યા કરે, જો તમે અહી બરાબર ચાલતા હશો તો. પેલું ઓટોમેટિક છે, એ ઓટોમેટિક છે, તમારા બધા એ બધા વિઘ્નો હટતા જ જશે. તમે જોશો કે ધીરે ધીરે ધીરે ધીરે કરતાં તમને અવકાશ એટલો બધો પ્રાપ્ત થવા માંડશે કે તમે હર પલ હર પલ સતનામ કરી શકશો; એવી તમને અનુકૂળતા કરી આપશે, પણ એની અપેક્ષા નહીં હોવી જોઈએ. તમારો લક્ષ્ય એક જ છે કે બસ, આ પરમાત્મા ચલાવે છે અને હું ચાલું છું; પરમાત્મા ચલાવે છે, હું નથી ચાલતો. યોગ હું નથી કરતો. બહુ મોટી વાત છે કારણ કે બધા પલાંઠી વાળીને હુંકાર જે છે ને, અહંકાર છે, એ યોગ કરવા બેસી જાય છે, પરિણામ આવતું નથી. હંમેશા યોગ તો સમર્પણને કહેવામાં આવે છે; આ સમર્પણ કર્યો અને જોડાયો, યોગ શરૂ થઈ ગયો.

એને યજ્ઞ કહેવામાં આવે છે, સમર્પણ પહેલું આવવું જ જોઈશે, થવું જ જોઈશે. આટલો અહંકાર જો રહી ગયો ત્યાં સુધી હજી સમર્પણ પૂરું થયું નથી એમ કહેવાય. આટલી પણ મમતા રહી ગઈ છે? હજુ પણ ખોળીને જુઓ ખૂણે-ખાંચરે ક્યાં પડેલી છે, અને કહી દો એને કે: "બસ ગેટ આઉટ! તું મારો ભાગ હોઈ જ ના શકે. હું પૂર્ણ છું, તું અપૂર્ણ છે. તું અપૂર્ણ મારામાં કેવી રીતે આવી શકે?" એવી ખુમારી જોઈએ. આપણે વાત કરી હતી ને એક દિવસ? બ્રહ્મકુમારીની વાત કરી તો એવી બ્રહ્મખુમારી સહિત માણસ જીવતો હોય, અને છતાંય કેવો લઘુત્વ ભાવ છે પોતાનો કે: "હું તો પ્રભુ કેવળ તમારો!" તો પ્રભુ ભુવિભુ છે જે આપણને આ યોગ કરાવવાના છે. એ આવશે, આપણા તલ પર આવશે, આપણા સ્તર ઉપર આવશે અને પછી આપણને કહેશે કે: "ચાલ તને યોગ કરાવું." અને પછી એ કરાવશે, એ જે ક્લિક થશે ને, એ પહેલી ત્રણ, પાંચ, સાત જે શ્વાસ તમે આજે આવી રીતના આમ હોમ કરતા હશો ને, પછી એ ક્યારે શરૂ થઈ જશે તમને ખ્યાલ પણ નહી આવે!

ત્યાર પછી તો તમારો ખ્યાલ કેવલ પરમાત્મા જ રાખે છે. તમે એમનું જ સામે જોયા કરો, તમે બસ બીજું કંઈ જ ના કરતા, અને બાકીનું બધું એ પૂરા પૂરેપૂરું કરાવી દે છે. માટે ઘણી વખત મને એવા વિચાર પણ આવતા કે: "હે પ્રભુ, આ કેવી પરિસ્થિતિ છે કે અમારે તો ૫૦, ૬૦, ૭૦ ખબર નથી કેટલું અમારું જીવન છે આ વખતે અમે લઈને આયા? હા, અમારી જ ચિત્રામણ છે એ વાત સાચી છે કે અમે મૂર્ખાએ ખામી કરી તી અને અમે આ જન્મમાં આ તો આવી પડ્યા છે. સદભાગી બન્યા છે કે મનુષ્ય દેહમાં છે, સદભાગી બન્યા છે કે અમે ભારતવર્ષની અંદર જન્મ્યા છે, સદભાગી બન્યા છે કે અમને આવું બધું જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, આની જાણકારી મળી, માહિતી મળી છે, લોકો અમને આગળ ધપાવનારા મળી આવ્યા અને એ પણ અમે તો એમ જાણીએ કે તમારી જ કેવળ કૃપા હતી. પણ ભગવાન આવું કેવું કે મારે ૬૦ વર્ષ કે ૫૦ વર્ષ સુધી આ કરવું પડે, ત્યાર પછી પણ મને ખબર ના પડે કે હું શું કરી રહ્યો તો?

આ કેવી વિડંબના છે જીવનની!" તો આ કાળ જે છે તો ૫0 વર્ષ કે છે, કોઈ કહે છે કે ૧૨ વર્ષ તમે તપ કરો ત્યારે જ એમ કે મેચ્યોર થશે, એફ.ડી. પાકે એવી રીતે અને ત્યાર પછી તમારું ઠેકાણું પડશે; કોઈ કહે છે કે ના, ત્રણ વર્ષ કરવું પડે. "પણ પ્રભુ, તમે તો અકાલ છો અને હું તમારી શરણમાં આવ્યો છું, તો હવે કાળ મને શા માટે આટલો સમય હું બેસું પછી જ આ થાય, એવું શા માટે?" ષટચક્ર ભેદન કરવાનું વાત કરે છે બધા, તો કે દર વર્ષે એક એક ચક્ર થાય, દર ત્રણ વર્ષે એક એક ચક્ર થાય, કોઈને કોઈને તો દર ૧૨-૧૨ વર્ષે એક એક ચક્ર થાય. તો એટલું બધું ઝીણું ઝીણું ડીટેલમાં આવું બધું જે કઈ બધા લોકો કહે છે, એમાં મારી મતી અટવાઈ ગઈ છે, ગૂંચવાઈ ગઈ છે. મારે તો ઝટ પહોંચવું છે. હવે જો તમે પ્રત્યક્ષ છો તો પછી આ કોની વારેવાર છો? તમે અકાળ છો, આ બાકીનું બધું તમે પૂરું કરાવી દો એમ કહે છે.

જ્યારે આવી કોઈ પ્રાર્થના અંદરથી ઉઠે છે ત્યારે એના યોગની રક્ષાની સંપૂર્ણ જવાબદારી હું મારા શિરે લઉ છું. આવું હોવા છતાં પણ મૂઢ લોકો અન્ય દેવતાઓને ભજે છે કે જે લોકો છે જ નહીં, જેનું અસ્તિત્વ જ નથી એવા બધા ઉત્પન્ન કરે છે. એ લોકો પોતાની કલ્પનામાં એની મૂર્તિઓ બનાવે છે અને એની પૂજા-ભજનમાં એ લોકો બધા વ્યસ્ત થઈ જાય છે. હે કૌંતેય! જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અપ્રત્યક્ષ રીતે મને જ ભજી રહ્યા છે, પણ એ લોકોને ખબર પડતી નથી. કેમ કે ત્યાં દેવતા નામની કોઈ વસ્તુ તો છે નહીં, પરંતુ તેમનું તે પૂજન કેવું છે? તો કે અવિધિસર, પ્રોસેસ ઇનકમ્પ્લીટ થાય છે એવું હોય છે. એટલા માટે જ એ લોકો મારી પ્રાપ્તિની વિધિથી રહિત રહે છે, મારી પ્રાપ્તિની વિધિથી પણ રહિત રહી જાય છે, એમને વિધિ જ પ્રાપ્ત થતી નથી, સુજ નથી પડતી કે વાસ્તવમાં શું કરવાનું છે.

એવી મૂઢતાની અંદર જ એમનો સમય ચાલ્યો જાય અને કામનાઓ દ્વારા જેમનું જ્ઞાન હરાયેલું છે, તેવા મૂઢ બુદ્ધિવાળાઓ પુરુષો અન્ય દેવ-દેવતાઓની ઉપાસના કરે છે. જેની પૂજા કરે છે તે દેવતા નામની કોઈ સક્ષમ સત્તા છે જ નહીં, સર્વસામાન્ય સત્તા કેવળ મારી પોતાની. પરંતુ પીપળો, પથ્થર, ભૂત, ભુવા અથવા જ્યાં તેઓની શ્રદ્ધા ઝૂકી જાય છે ત્યાં વાસ્તવમાં કોઈ દેવતા નથી, હું જ સર્વત્ર છું. તે સ્થાનો પર પણ હું જ ઊભો રહીને તેઓની દેવશ્રદ્ધાને તે તે સ્થાનો પર સ્થિર કરી આપું છું, હું જ ફળનું વિધાન પણ કરું છું. તેઓને ફળ મળે છે, ચોક્કસ મળે છે, પરંતુ એ ફળ કેવું છે? નાશવંત, નષ્ટ થઈ જાય છે. મૂઢમતી જેમનું જ્ઞાન આવામાં હરાઈ ગયું છે તેવા જ અન્ય દેવોને પૂજે છે. ફરી એક વખત યોગેશ્વર વોર્નિંગ આપે છે, આ ત્રીજી વખત એમણે કીધું ગીતાની અંદર કે: "અન્ય દેવોને પૂજો છો એ લોકો વાસ્તવમાં છે જ નહીં, પરંતુ મારો ભક્ત નાશ ના પામતા મને પામે છે જ, મને જ પામે." મારો ભક્ત જે અનન્ય ભાવથી મારા શરણે આવ્યો છે તે કદી નાશ પામતો નથી.

હવે પ્રશ્ન એ છે કે લોકો જ્યારે અન્યને પૂજે, અન્ય દેવી-દેવતાઓને પૂજે ત્યારે આપને પૂજે છે અને ફળ પણ મળે જ છે, તો પછી દોષ શું છે? અર્જુનને સંશય થયો, પ્રશ્ન પૂછ્યો, એટલે પરમાત્માએ આગળ કહે છે કે સર્વ યજ્ઞનો ભોક્તા એટલે કે યજ્ઞ જેમાં વિલીન થાય છે, યજ્ઞના પરિણામથી જે મળે છે તે તો હું છું અને તેનો સ્વામી પણ હું છું; પરંતુ તેઓ તત્વને યથાર્થ રૂપે જાણતા નથી, આથી ચ્યવન્તિ એટલે કે અધોગતિને પામે, નીચે પડે. માત્ર મારી જાણકારી ના હોવા છતાં એ લોકો અન્ય દેવને પૂજે છે, એના કારણે એ લોકો અધોગતિને પામે. તેઓ અન્ય દેવતાઓને જાણે છે પરંતુ જ્યાં સુધી તત્વથી નથી જાણતા, ત્યાં સુધી કામનાઓથી પણ અધોગતિ જ પામ્યા કરે છે. તો કહે છે કે તેમની ગતિ કેવી હોય છે? હે અર્જુન! દેવતાઓને પૂજનારા દેવલોકને પામે. વાસ્તવમાં જે છે જ નહી દેવતા, કલ્પિત વસ્તુ હોવાથી પોતાની કલ્પના અનુસાર તેઓ જીવન વ્યતીત કર્યા કરે, પોતાનું સ્વર્ગ બનાવ્યું અને એની અંદર મસ્ત થઈ ગયા બસ એવી રીતના.

બીજું, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે, ભૂતકાળમાં ભમ્યા કરે પિતૃલોકમાં, એમણે ક્રિએટ કરી દે છે પિતૃલોક અને પછી મારા દાદાને, મારા કાકાને, મારા આ સગાને, પેલા સગાને, બસ એ બધાની સાથે ભૂતકાળની અંદર એ ભમ્યા જ કરે છે અને શરીર ધારણ કર્યા કરે છે પાછા ત્યાં આગળ. તેની સામે મારો ભક્ત તો મને જ પામે, તે જ મારું સાક્ષાત સ્વરૂપ હોય છે, કારણ કે હું તેની જ અંદર હોવ છું; તેની દુર્ગતિ કદી થતી નથી. તદુપરાંત મારી પૂજાનું વિધાન પણ સરળ છે, બાકી બધું તો બહુ કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે. પાણી આમ મૂકવાને બદલે આમ મૂકો તો બ્રાહ્મણ દેવતા પણ ચીડાઈ જાય તમારી પર કે: "આવું આવું કેવું કરો છો? તમને ખબર નથી?" આચમન, પ્રાણાયામ આમ કરીને આચમન કરાવડાવે 'ઓમ ભૂપતય નમઃ' કરીને અને તમે જો ભૂલેચુકે પી ગયા તો કે: "આ તો નીચે મૂકવાનો હતો ને તું પી ગયો કે!

હવે તું ભૂત થઈશ." પેલું ઘાલી હાલે ને મગજની અંદર! પેલો બિચારો પૂજા કરી હોય, બધું કરી હોય તોય કે હવે તારે શું થયું? તો કે: "ભૂત દોષ થયો એટલે હવે ભૂત શુદ્ધિ કરવી પડશે પાછી તારી." ને વળી એક બીજી વિધિ આવીને પડે પાછી એના માટે! મૂઢ લોકો આવા બાબતોની અંદર ગૂંચવાઈ જ જાય છે, પણ એ લોકોની મતી એમને આવાની અંદર ગૂંચવી જ રાખે, ગૂંચવી જ રાખે. જાણવા છતાં કે આટલું બધું કોમ્પ્લિકેટેડ બધું થઈ રહ્યું છે, તેમ છતાં પણ એ લોકોને મારી પર શ્રદ્ધા થવાના બદલે એ લોકો ત્યાં ગૂંચવાઈ જાય છે. કારણ કે, કારણ કે એ લોકોને કામના છે, એ લોકોને ઈચ્છાઓ છે; આજ મૂળ કારણ છે. વાસ્તવમાં હું કંઈ કરતો નથી, એમની ઈચ્છાઓ જ એમને ગૂંચવ્યા કરે એટલે મને દોષ ના દેતા, હું તો સમર્થ છું, મને કોઈ દોષ લાગુ પડતો નથી કારણ કે ત્રણેય ગુણોથી હું તો ઉપર ઉઠેલો છું હંમેશ માટે, અવિનાશી છું એટલા માટે.

એટલે કહે છે કે મારી પૂજાનું વિધાન તો એકદમ સરળ છે. જે કોઈ ભક્ત પત્ર, પુષ્પ, ફળ કે જળ: "પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ" મને ભક્તિપૂર્વક અર્પણ કરે. આપણે તો પરમાત્માની આજે વિધિ છે તેની અંદર પત્ર, પુષ્પ, ફલં, તોયં કશું રહેતું જ નથી, પણ જો કોઈ પરબ્રહ્મ પરમાત્માની આવી રીતે સમજીને પણ જો પૂજા કરે, સ્થૂળ પૂજા, બીજા અન્ય દેવતાને બદલે, ત્યાંથી જ ભક્તિનો પ્રારંભ થાય. શરૂઆત તો કર કે પરબ્રહ્મની તું પૂજા તો કર, આવી રીતે કર: "ભલે તું મને ચડાવવું એમ કે પત્ર, પુષ્પ, ફલં, તોયં તાર પાસે જે કઈ અવેલેબલ હોય એ તું મને પ્રેમથી અર્પણ કરજો અને હું એનો સ્વીકાર કરું છું." અને પાછો હું એનું ફળ આપું છું, કેવું ફળ આપું છું? અનન્ય ભક્તિ આપું છું તને, મારી અનન્ય ભક્તિમાં તું સ્થિર થઈ જાય એના માટે હું તને બધો કૃપા, આશીર્વાદ આપું છું, પ્રસાદ આપું છું, બધું કરી આપું છું.

માટે મનથી प्रयत्न કરનાર તે ભક્તનો હું સર્વ સ્વીકાર કરું છું. માટે હે અર્જુન! તું જે કર્મ યથાર્થ કર્મ કરે છે, હવે વ્યવહાર ભાગ જે ખાય છે, જે હોમ કરે છે, જે સમર્પણ કરે છે, જે દાન આપે છે અને મન સહિત ઇન્દ્રિયોને મારા અનુરૂપ તપ કરે છે, મન સહિત ઇન્દ્રિયોને તપાવે છે મારા માટે, તે સર્વમ મને અર્પણ કર. તું ભોજન કરે છે? મને અર્પણ કર, અન્ન ઈતિ બ્રહ્મ, તું બ્રહ્મને જ ગ્રહણ કરીશ. પછી તો પાણી પીવે તો મને જ તું અર્પણ કર અને પાણી પીજે. તું શ્વાસ લે છે તો એ પણ તું મને અર્પણ કર, તારા વતી હું શ્વાસ લઉં છું અને હું તને પછી એક બીજો એક શ્વાસ આપું છું. ખબર નથી તારું તો ટેલી જશે, ક્યારે અટકી જશે શ્વાસ લેવાનું, આમને આમ રહી ગયો, થાય છે ને વ્યવહારની અંદર? તો કે એ પણ હું તને પૂરા પાડું યાદ રાખજે. પણ ધ્યાન રાખ કે શ્વાસમાં પણ તું મને જ લઈ રહ્યો છે અને શ્વાસ જ્યારે તું બહાર કાઢે છે ત્યારે તું મને જ અર્પણ કરી રહ્યો છે.

એવા સર્વ મને અર્પણ કર એટલે કે મને સમર્પિત રહીને આ બધું જ કર તું, દરેક જગ્યાએ તું મારી પુષ્ટિ કર્યા કર બસ બીજું કંઈ ના કર. સમર્પણ કરવાથી યોગના ક્ષેત્રની જવાબદારી હું સંભાળી લઉં છું, પછી હું તારી વ્યવસ્થા બધી કરી દઉં છું. એવું વ્યવસ્થિત મળશે કે ના પૂછવાની વાત! પહેલા આઠ કલાકે ઓફિસના બીજા બધા કામોમાંથી ઊંચો નહોતો આવતો, પછી છ કલાકમાં કામ પતી જશે, એ પછી ચાર કલાકમાં કામ પતી જશે, પછી એક ટેલિફોન પર કામ પતી જશે. હવે કે: "સાહેબ, તમ તમારા તમે જે કરો છો ને બહુ સરસ છે, તમે કરો કે!" સો મળી આવશે તમારા શેઠને, પેલો મોટો શેઠ છે ને તે પ્રેરણા કરી દે છે તો પછી કે છે કે: "તમે જે કઈ કરો છો બરાબર છે ચાલુ રાખો, તમારે ખાલી આમ દેખભાળ કરવી બીજું કશું તમારે લોડ નહી લેવાનું." પણ એ તમને એવો ફ્લેશ આપે અણીના ટાઈમે કે એના તમે લાખો-કરોડો બચાવ્યા કરો દર વખતે અને એ તમારી પર પ્રસન્ન જ રહ્યા કરે બધો ટાઈમ.

પછી જે અવકાશ પ્રાપ્ત કરી આપ્યો છે તમને, તો કે એને વેડફી ના નાખીશ, એને તું મને અર્પણ કર. તારો અવકાશ મેં તને કરી આપ્યો ગેપ કરી આલી છે, હવે અવકાશ તું મને અર્પણ કર, એ તારો સમય નથી એ મારો સમય છે, ઇટ્સ મી ટાઈમ! ત્યારે બેસીને તું મારું અનન્ય ભાવે ભજન કરજે અને કેવું પાછું? અવિરત ભજન કરજે. ભજન પ્રક્રિયા બહુ સરળ છે: તું યજ્ઞ કરવા બેઠો છે, મને અર્પણ કરી રહ્યો છો, હું તારા યજ્ઞનો દેવ છું એમ કહે છે. બસ, તું મને આ બધું અર્પણ કર્યા કર, એ ભાવથી તું કર અને આવી રીતે ફરી વખત એમને કીધું કે આવી રીતે સર્વસ્વનો ન્યાસ થતો જશે. તારો સંસાર ધીમે ધીમે તારાથી વિમુક્ત થતો જશે, સંસાર જ હટવા માંડશે તારાથી, તને અવકાશમાં બેહાડી દેવામાં આવશે અને તારે પછી મારું ભક્તિ-ભજન કર્યા કરવાનું; મતલબ સંસારથી તું ઉપર ઊઠી જઈશ, તને ખબર નહીં પડે.

આવી રીતે સન્યાસયોગથી યુક્ત થયેલો તું શુભ-અશુભ ફળ આપનાર કર્મોના બધા બંધનથી મુક્ત થઈને મને જ પામીશ. આ જો આટલું મોટું પ્રોમિસ છે, ગોડ પ્રોમિસ વચન આપેલું છે યોગેશ્વરે કે તું મને જ પામીશ. તેમ છતાં પણ મૂઢ લોકો અન્ય દેવોની પૂજા કરે છે, માટે એમને આ ત્રીજી વખત કીધું. એટલે ઉપરના ત્રણેય શ્લોકની અંદર યોગેશ્વર શ્રીકૃષ્ણને ક્રમબદ્ધ સાધન અને તેના પરિણામનું ક્રમવાર વર્ણન કર્યું: પહેલા પત્ર, પુષ્પ, ફલ, જળનું પૂર્ણ શ્રદ્ધાથી તર્પણ કરવાનું કીધું, બીજું સમર્પિત થઈને કર્મનું આચરણ કરવાનું કીધું અને ત્રીજું પૂર્ણ સમર્પણ સાથે સર્વસ્વનો ત્યાગ. આનાથી કર્મબંધનોથી વિમુક્ત વિશેષ રૂપથી તું મુક્ત થઈ જ જઈશ. હવે મુક્તિથી શું મળે? બહુ મોટી વાત આવી ગઈ, કહ્યું છે કે: "તું મને પામીશ, તું મને પામીશ." એનાથી શું લાભ થશે ભાઈ? તમે કોઈ મોટા માણસનો રાજીપો કરો કે તું મને પામીશ એમ જો તમને એમ કહેતો હોય તો તમને અહોભાવ થાય છે સંસારની અંદર, અહીં પરમાત્મા સ્વયં કહે છે કે: "તું મને પામીશ." શ્રીકૃષ્ણ કહે છે: "આ સૃષ્ટિમાં ન મને કોઈ પ્રિય છે ના કોઈ અપ્રિય, હું સંપૂર્ણ તટસ્થ છું." પાછું પરંતુ તો ફાટ્યું એમણે, અપવાદ છે કે જે મારો અનન્ય ભક્ત છે, અનન્ય શ્રદ્ધાથી જે બસ ભક્તિમાં વહે જ જાય છે, વહે જ જાય છે, તે મારામાં છે અને હું તેનામાં છું.

તે જ મારો એકમાત્ર પ્રિય છે, એકમાત્ર પ્રિય છે. પહેલા કહી દીધું કે મને કોઈ પ્રિય નથી કોઈ અપ્રિય નથી પણ પાછા કહે છે આ તો કે આ એક્સેપ્શન છે, મારો અનન્ય ભક્ત બસ અને એ મારામાં છે પાછો. ભગવાનને કહી દીધું હજી ભલે પહોંચ્યો નથી, એને ખબર નથી પડતી કે એ પહોંચ્યો કે ના પહોંચ્યો, મને ખબર છે કે એ મારામાં છે, આ મારો ભક્ત છે એમ કહે છે. પરમાત્મા સ્વયં જ્યારે આમ કે આપણને કે: "તું મારો ભક્ત છે", ધન્ય થઈ ગયા! આગળ કહે છે: "હું તેનામાં પરિપૂર્ણ થઈને રહું છું, પૂર્ણ રૂપે એની અંદર રહું છું, મારામાં અને એનામાં કોઈ અંતર રહેતું નથી." ત્યારે તો ખૂબ જ પુણ્યશાળી ભજન કરતા હશે ને? ખૂબ પુણ્યશાળી એ તમારું ભજન કરતા હશે ને? અર્જુને એવું કીધું. પરમાત્મા કહે છે ભજન કરવાનો અધિકાર કોને છે સાંભળ: "કે જો કોઈ અત્યંત દુરાચારી હોય તેમ છતાં પણ અનન્ય ભાવથી મારા સિવાય અન્ય કોઈ નહી એવી રીતે કે અન્ય કોઈ વસ્તુ કે દેવ-દેવતાને ન ભજતા" એટલે મૂર્તિ, ક્રિસ્ટલ કંઈ પણ આવી ગયું હો, સાથીઓ-બાટીઓ કઈ નહી એમ, કોઈ ચિન્હ નહી કશું જ નહીં.

લોકો ચિન્હો પૂજ્યા કરે કરતા હોય છે શું સિમ્બોલ કર્યા કરે આમ આમ હવામાં દોર્યા કરે બધી જાતનું, તો કે એવું પણ નહી. અન્ય વસ્તુ કે દેવતાને ન ભજતા કેવળ મને નિરંતર ભજે છે તે સાધુ માનવા યોગ્ય છે. પરમાત્મા કહે છે કે એ તે સાધુ છે, હજુ તે સાધુ થયો નથી તે છતાં તે આગળ સાધુ થશે, નિઃસંદેહ થશે. ભગવાને સિક્કો મારી આપ્યો બસ હવે તું સાધુ થવાનો, કારણ તે યથાર્થ નિશ્ચયથી લાગી ગયો, યથાર્થ નિશ્ચય બસ પરબ્રહ્મ પરમાત્મા અન્ય કોઈ નહી. આથી આગળ કહે છે: "તમે પણ ભજન કરી શકો છો, તમે ભજન કરી શકો છો, તમે મનુષ્ય છો અને મનુષ્ય જ યોગ્ય નિશ્ચય વાળો હોય છે." કૂતરો નિશ્ચય ના કરી શકે, હાથી નિશ્ચય ના કરી શકે, એને એવી બુદ્ધિ હોતી નથી, નિશ્ચય બુદ્ધિ ના હોય. એને સંજ્ઞા હોય, એનો જીવન વ્યાપાર આખો સંજ્ઞા ઉપર ચાલતો હોય અને બિલકુલ કુદરતી હોય.

હજુ એનામાં એવી બુદ્ધિ ડેવલપ નથી થઈ કે એ ડિસીઝન લઈ શકે, એને ચોઈસીસ નથી હોતી. સહજભાવે ભૂખ લાગે ત્યારે એકદમ ખોરાકની શોધમાં નીકળી પડે, મળી જાય એટલે ખાઈ લે, ખાઈ લીધેલ હોય પછી ખાવાને ન અડે. મનુષ્ય એક એવો છે કે કોક આમ જરાક આગ્રહ કરે ને: "આ રસગુલ્લો, આ સમોસું", ભૂખ નથી થઈ જાય સારું ત્યારે, તમે બહુ આગ્રહ કરો છો તો એક લઈ લઉં કરીને વળી પાછું ડિસીઝન ચેન્જ કરે છે. એ ક્યારે એવું નથી કરતો પેલો તૃપ્ત થઈને બેઠેલો સિંહ કે વાઘ હોય, વૃક્ષની નીચે આરામ ફરમાવતો હોય, તો બાજુમાંથી પસાર થાવ તમને કાઈ નહી કરે. કન્ડિશન એપ્લાય: તમારે એને સળી નહી કરવાની, સળી કરો તો એ બીજું કઈ ની કરે, ખાલી એક આમ કરીને થાપોટ મારીને એટલે ક્યાંને ક્યાંય પછી લોહીલુહાણ કરીને ફેંકી દીધું, તો એનું ફળ તરત આવી જશે તરત શું તમે સળી કરીને એવી રીતના. તો જે ભક્ત અનન્ય ભાવથી ભજે છે તે કેવો હોય છે?

યોગ્ય નિશ્ચય એણે કરી ચૂકેલો હોય છે કે પરબ્રહ્મ પરમાત્મા હવે મારે બીજું કાઈ નહીં એમ. આવા ભજનના પ્રતાપે શું થાય છે? તો કે છે કે દુરાચારી હોય છે તે પણ શીઘ્ર ધર્માત્મા થઈ જાય, "શીઘ્રં ભવતિ ધર્માત્મા". દુરાચારી હોય છે તે પણ જો મને અનન્ય ભાવથી ભજે, આગળ એમને કીધું કે: "મારું અલ્પ ભજન પણ તને મહાન ભયમાંથી બચાવી લેશે." કેટલી મોટી વાત કરે છે ભગવાન! પછી પરમ ધર્મ પરમાત્માથી જોડાઈ જાય છે અને શાશ્વત શાંતિને પામે છે. "તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ, નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત કદી નાશ પામતો નથી." એવી કોઈ ક્ષણ હોતી નથી, એવી કોઈ જગ્યા હોતી નથી કે જ્યાં તે નષ્ટ થાય, નાશ પામે કે તેનો પડતી થાય, પતન થાય. કદાચ એક જન્મમાં પાર ના ઉતરે તો બીજા જન્મમાં પણ તે શીઘ્ર સાધન કરશે અને શીઘ્ર પરમ શાંતિને પ્રાપ્ત થઈ જ જાય છે. આમ સદાચારી, દુરાચારી સૌને ભજન કરવાનો અધિકાર ભગવાને આપી દીધો, લાયસન્સ ટુ વરશીપ છે તમારી પાસે, બતાવો મનુષ્ય છો ને?

બસ સફિશિયન્ટ છે એમ કહે છે. કેટલી બુદ્ધિ છે તમારી? નો પ્રોબ્લેમ. આઈક્યુ તમારો ૨૦ હશે તો પણ તમે જો ભજન કરતા હશો, નો પ્રોબ્લેમ, તમને બચાવી લેવામાં આવશે. એલિજીબલિટીમાં એટલી જ વાત કે બસ તું મનુષ્ય છે અને તું મને એકમાત્ર મને અનન્ય ભાવથી ભજ, આટલી જ વાત બસ બીજું કઈ નથી. આગળ કહે છે જો તે જમાનાની સ્થિતિ એવી હતી કે અમુક લોકો એમ કહેતા ત્યારે પણ ભગવાનના જમાનામાં પણ કે ભજન કરવાનો અધિકાર ફક્ત ભક્તોને છે અથવા તો એમ કે કે માત્ર બ્રાહ્મણો છે; બ્રાહ્મણો હોય એ લોકો જ ભક્તિ કરી શકે, બીજા કોઈએ કરવી નહીં એમ કરાય જ નહીં એમ, અને એને માન્ય પણ ના ગણે એ લોકો આવા બધા. ખાસ તો કરીને કે સ્ત્રીઓને તો કે એમને તો યજ્ઞનો અધિકાર જ નથી, આવું બોલતા તે જમાનાની અંદર અને સ્ત્રીઓને બિચારીને દૂર રાખે. એક સત્ય ઘટના બનેલી બતાવું સાંભળશો, કેટલી વિચિત્ર આજના મોડર્ન ટાઈમ્સની બનેલી ઘટના હો જીવનની અંદર!

અમને કોઈકે કીધું કે તમે એમ કે આવો આપણે ત્યાં આગળ એમ કે પેલી એ કરવાની છે અને ભજન કરવાનું છે, આપણે કોઈક વિધિ હશે ભાઈ બધાના માટે થઈને, એટલે આ લોકો ગયા. તો કે છે કે હનુમાન ચાલીસા કરવાના કેટલા હતા? તો કે ૧૦૮ કરવાના. હવે જે સ્ત્રીઓ ત્યાં આગળ બધી એકઠી થયેલી હતી બધા સરસ રીતે અનન્ય ભાવે એમ કે એ લોકો હનુમાન ચાલીસા કરવા બેઠા: "જય જય જય હનુમાન ગોસાઈ..." પછી તો એક, બે, ત્રણ, ચાર... ૪૦ એક થયા, પછી એનાઉન્સમેન્ટ થયું કે હવે સંતો આવી રહ્યા છે અમુક જગ્યાના, અમુક સંપ્રદાયના. એવા તે સંતો આવ્યા છે એટલા માટે હવે એમને શું કીધું કે: "હવે સંતો અને પુરુષો બેસીને ભજન કરશે, તમે બધા બાજુ પર જાવ." એટલે એમને બાજુમાં ખસેડી દીધા! પછી સંતો આવ્યા બધા પુરુષોની સાથે અને એ લોકોનો સમૂહ હતો, તે લોકોએ ટેક ઓવર કરી લીધું અને હનુમાન ચાલીસા ૧૦૮ પૂરા કર્યા.

એટલે આ ચાલતા આપણા ઘરે આવી ગયા પાછા કે: "આવું કેવું? એવું થોડી હોય કે તમે પહેલાના ૪૦ થયેલા છે અમારાથી જે હનુમાન ચાલીસા તેને માન્ય ગણો છો અને અમને જ અમાન્ય કરીને બાજુ પર બેસી દો મૂકી દો છો?" આજના તારીખની અંદર આવું ચાલી રહ્યું કે સ્ત્રીઓ તો કે આમ બેસે, આમ કરે, આમ નહીં કરવાનું, કેટલા બધા નીતિ-નિયમો એમના માટે હજી આજની તારીખની આપ્યા! પરમાત્માએ અહીંયા કીધું છે કે મનુષ્ય માત્રને આ અધિકાર છે કે તું મારી ભક્તિ કરી શકે છે, તું સેવા કરી શકે છે. હવે જો આ જ આગળ વાત કરી છે એમણે, એ કેટલું કેટલું પ્રોફાઉન્ડ અને કેટલું સ્પષ્ટ છે. શું આ લોકો બધા ગીતા નથી વાંચતા? આ પુસ્તકમાં લખેલું છે અહીંયા આગળ છતાં પણ એનો પણ અનાદર કરે છે અને પોતાને ભક્ત કહે છે, પોતાને સંત કહે છે, પોતાને મહાત્મા કહે છે. શું કહે છે ભગવાને કહી દીધું અહી યોગેશ્વરે કે શું સ્ત્રીઓ, વૈશ્યો, વેશ્યાઓ અને શુદ્ર વગેરે તથા જો કોઈ પાપયોનિ વાળા હોય તો પણ તે સર્વે મારો આશ્રય કરીને પરમ ગતિને પામે.

આ વાંચતા નથી એ લોકો શ્રીમદ્ ભગવદ્ ગીતા? તેમ છતાં પણ જો શું થઈ રહ્યું એટલે ભગવાનની આજ્ઞા છે એમણે જે કહેલું છે તેનું પણ ઉલ્લંઘન અને દિન-રાત પાછું ચાલ્યા કરે છે આવી રીતે. તો પછી બ્રાહ્મણો અને રાજર્ષી ગણ જેવા ભક્તોનું તો શું કહેવું? હવે આગળ ભગવાન સમજાવે છે, બ્રાહ્મણ એ મનુષ્ય જીવનની એક અવસ્થા વિશેષ છે, એ સ્થિતિ છે કે જેમાં બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી બધી યોગ્યતા વિદ્યમાન હોય તેને બ્રાહ્મણ કહેવાય. ભલે થયો નથી હજી, બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી તમામ યોગ્યતા, ક્વોલિફિકેશન હોય એનામાં આવી ચૂકેલી હોય ત્યારે એ બ્રાહ્મણ બને છે. કોઈપણ મનુષ્ય મસ્ટ કન્ડિશન ફુલફિલ કરવી જ પડે. હવે બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી બધી યોગ્યતાઓ જો એના પર આપણે આ વાત કરવાનું છે કઈ કઈ છે? તો કે શાંતિ, કોઈપણ મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે પોતાની અંદર.

આર્જવ, આર્જવતા એટલે કોઈકને જોઈને તમે હૃદય દ્રવી જાય તમારું, તમે એની જોડે પોક મૂકીને રડવા ભલે ના બેસો, પણ તમને સંભાવ એનામાં સાથે પેદા થાય, એના સાથે અંદર એક પ્રકારની કરુણા વહે જેમ કે આ નારદજી છે પુરાણની અંદર નારદજીને બતાવ્યા છે, તો લોકોનો દુઃખ દૂર કરવા માટે થઈને એ વિષ્ણુલોકની અંદર જાય અને ત્યાં આગળ જઈને પ્રશ્ન પૂછે કે: "ભગવાન, એવો કોઈ ઉપાય બતાવો કે આ મૃત્યુલોકના માણસો જે પાપ કર્મની અંદર, દુઃખોની અંદર આમ પચ્યતિ બધા મહી આમ રચ્યા-પચ્યા રહે છે કાદવમાં ખૂપ્યા હોય એવી રીતના." સંસાર કાદવ છે, છે કે નહી નક્કી કર, સંસાર કાદવ છે એની અંદર ખૂપેલા છે એમ કહે છે અને કોઈ બહાર આવતા નથી; કોઈક પ્રયત્ન કરે તો બીજું ખેંચીને અંદર લઈ આવે પાછો એને કે: "કાદવમાં બેસી રહી કે બહાર નહી જવાનું એમ." આવી રીતે બધા અંદર પચાપચ પડેલા છે તો આ બધાના દુઃખો દૂર કરી અને આ બધાનું કલ્યાણ થાય એવો કોઈક ઉપાય બતાવો પ્રભુ!

ત્યારે ભગવાને કીધું કે તું આવી રીતે સત્યનું નારાયણ સ્વરૂપે તું યજન કરજે. લોકોએ મૂર્તિ બનાવી દીધી: "શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ" પણ શંખ, ચક્ર, ગદા, પદ્મ શું છે કઈ જાણ્યું નહીં અને બનાવી દીધી મૂર્તિ અને પછી પૂજા કરવા માંડી થયું. એટલે આવી રીતે કોઈપણ આદ્રતા એની અંદર આવી જાય એને આર્જવતા કહે છે. ત્રીજી બાબત અનુભવપૂર્ણ જ્ઞાન હોય એની પાસે, જે કરવા યોગ્ય વિધિ છે ને અવશ્ય અવશ્ય કરવા યોગ્ય અવશ્ય વિધિ વંધુ કૃપાળુ જ્ઞાનીને એના પાસેથી જાણવાનું અને એનાથી શું થશે? તો કે અનુભવ જ્ઞાન ઉત્પન્ન થશે. પછી ધ્યાન, એટેન્શન ક્યાં હોવું જોઈ? કે મારા પર હોવું જોઈ બીજે કશે નહી રાખવાનું. તમે વાહન ચલાવો તો તમારું એટેન્શન કેવું હોય છે? વિધાઉટ ટેન્શન તમારા બરાબર ચલાયા જ કરતા હોય છે સરસ રીતે, એવી રીતનું એટેન્શન મારી પર હોવું જોઈએ બધા રોડ પર હોય છે ને જેમ એવી રીત.

તો માર્ગ પણ હું છું ને મુકામ પણ હું છું એમ પણ કહી દીધું. ઈષ્ટના આદેશ અનુસાર ચાલવાની ક્ષમતા જેનામાં છે, ઈષ્ટનો આદેશ આવતો હોય છે અંદરથી એને સાંભળવાની ક્ષમતા હોવી જોઈએ, એની મેળે આવે છે આ બધું કરવાથી. આ બધું કરશે ત્યારે આવી જ જશે એક પછી એક, તમે શાંતિમાં બેસશો ને એટલે આર્જવતા આવવા જ માંડશે, એ કરશો એટલે અનુભવ રૂપી જ્ઞાન પણ આવવાનું શરૂ થઈ જશે, એ કરશો એટલે ધ્યાન થવા જ માંડશે, એ કરશો એટલે ઈસ્ટનો આદેશ તમને સ્પષ્ટ થઈ જશે કે આજ કરવાનું છે, આમ જ કરવાનું છે, આવી જ રીતે કરવાનું. ઈષ્ટ તો કહે છે કે: "તું મને સમર્પણ કર." એ શું કહે છે? "તારો અહંકાર મને સમર્પણ કર." એટલે એ આદેશ અનુસાર ચાલવાની જેનામાં ક્ષમતા છે. રાજર્ષિ ક્ષત્રિયોમાં રિદ્ધિ-સિદ્ધિનો સંચાર, શૂરતા, સ્વામીભાવ, આધિપત્ય, રણમાં પીછે ન હટવાનો આવો સ્વભાવ હોય ત્યારે ક્ષત્રિય હોય.

યોગ સ્તરે પહોંચેલા યોગીઓ તો પાર પડે જ છે, માટે હે અર્જુન! તું સુખ રહિત ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને મારું જ ભજન કર. અર્જુનને કહી દીધું આ તારું શરીર છે ને એ ક્ષણભંગુર છે, ગમે ત્યારે એનું કઈ પણ થઈ શકે છે એટલે એ કેવું છે? તો કે સુખ રહિત છે, તું એમાં ક્યાં સુખ ખોળે છે અર્જુન? એ સુખ રહિત છે, જો પરમાત્માના શબ્દો એક સ્પષ્ટ છે અહીંયા આગળ. એને કીધું કે આ મનુષ્ય શરીર પામ્યો પછી તું મારું જ ભજન કર, આદેશ છે આ. નાશવંત શરીરના મમત્વ અને પોષણમાં જ સમય નષ્ટ ન કર, એ તને પ્રોવાઈડ કરવામાં આવે છે. લોકો કહે છે ને કોઈ ભૂખ્યો રહેતો નથી, બધાને પ્રોવાઈડ કરનાર કરવાની व्यवस्था કોણે ગોઠવી છે? વ્યવસ્થિત પરમાત્માએ રાખેલી છે કે એક એજન્સી, એટલે એ બધાને પ્રોવાઈડ કરી જ દેશે. માટે આ ક્ષણભંગુર એવા મનુષ્ય શરીરની અંદર જ્યારે તું આવ્યો છે, તું આવ્યો છે તો તું એકમાત્ર એકાધિકારી છે કે તું મારું ભજન કર.

આ મનુષ્યો સિવાયના બીજા બધા કેટલા જીવો છે, આ બધી યોનીઓમાં જો તું હોઈશ તો ત્યાં તને આ લાભ મળવાનો નથી, ઓપોર્ચ્યુનિટી લોસ્ટ! પછી તો તારે રાજોવી પડશે પાછું સાત-આઠ જન્મ અને પછી પાછો ફરી તને જો તક મળે છે મનુષ્યની અંદર આવવાની અને તે વખતે વળી પાછી જો તને કંઈક અવળી બુદ્ધિ ના થઈ સંજોગોને આધીન, તો પાછો તું ફરી માર્ગે આવી શકીશ નહી તો વળી પાછો ફરી ભટકીશ, તો હશે એનાથી પાછો નીચે પડીશ. માટે ध्यान રાખે કે સંજોગો કેવા પણ પ્રાપ્ત થાય, તું મને જ ભજન કર, તું મને છોડી ના દઈશ, હું એકમાત્ર તરણ-તારણહાર છું તારો. માટે મારો અનન્ય ભક્ત થા, અવિરત મારા ચિંતનમાં જ લાગ્યો રહે, શ્રદ્ધા સહિત નિરંતર મારું જ પૂજન કર અને મને જ નમસ્કાર કર. મારા શરણે આવ, મારા એકત્વ ભાવમાં આત્મા સ્થિર કરી અને તું મને જ પ્રાપ્ત થા. આ પરમાત્માએ આપણ પ્રોમિસ આપી દીધું, આની ઉપર આદેશ પણ છે, આ ઉપદેશ પણ છે અને કરવા યોગ્ય અવશ્ય આ એક જ છે એમ પરમાત્માએ કીધું અહિયાં.

નવમો અધ્યાય સંપૂર્ણમ. હવે અહીં સુધી પહોંચ્યા પછી પણ આગળ ભગવાન અને અર્જુનનો સંવાદ ચાલુ છે, દસમાં અધ્યાયની અંદર વિભૂતિનું વર્ણન આવે છે. ત્યારે કહે છે કે: "હે અર્જુન, મારી ઉત્પત્તિને દેવતાઓ, મહર્ષિઓ કોઈ જાણતા નથી." મારી ઉત્પત્તિને દેવતાઓ, મહર્ષિઓ આ બધા કેવા છે? અવધિજ્ઞાન વાળા છે, બધા કેવળજ્ઞાનવાળા છે, ત્રિકાળદર્શી છે, ત્રિકાળજ્ઞાની છે, તો પણ એ લોકો જાણતા નથી એટલે મારો જન્મ જ નથી હું તો છું જ. મારો જન્મ અને કર્મ અલૌકિક છે. હવે આગળ બીજી વાત કરે એમને શું કીધું? મારો જન્મ અને કર્મો અલૌકિક છે, લૌકિક નથી કે તમે જે આ બધું લૌકિક લોકની અંદર જે કાઈ કરો છો તેવા પ્રમાણેનું હોઈ ના શકે. તમે જેવી રીતે જન્મો છો, શાદી કરો છો, બાળકો પેદા કરો છો અને ભરણ-પોષણ કરો છો, ઘરડા થાવ છો, માંદા પડો છો અને મરી જાવ છો; આવું બધું મારે કંઈ હોતું નથી.

મારો જન્મ અને કર્મ અલૌકિક છે જે આ ચર્મચક્ષુઓથી જોઈ શકાતો નથી, આ દિવ્ય ચક્ષુઓ છે ને જેમની પાસે તે લોકો પણ જાણતા નથી કે આ બધા ત્રિકાળજ્ઞાનીઓ બધા હોય છે ને એ લોકોને કોઈને ખબર નથી કે. હવે તું સાંભળ કે ભગવાન તોય પાછી કૃપા કરે છે જો કેવી રીતે કે: "હું બધા દેવો અને મહર્ષિઓનું આદિકારણ હું છું, આ બધા એટલા માટે છે કારણ કે હું છું એટલે હું તો દાદા છું આ બધાયનો એમ આપણે કહીએ ને દાદા બેઠો છે હા." જે મને જન્મ-મૃત્યુથી રહિત આગળ કહે છે, જન્મ અને મૃત્યુથી રહિત, આદિ-અંતથી રહિત, આદિએ નથી ને અંત બી નથી કે મારો તો જન્મય નથી અને મૃત્યુ પણ નથી, બધા લોકોના મહાન ઈશ્વરને સાક્ષાત્કાર કરીને જાણી લે છે, સાક્ષાત્કાર કરવાનું કરીને જાણી લે છે, એ પુરુષ જ મર્ત્ય મનુષ્યોમાં જ્ઞાની છે. ડેફિનેશન બહુ જ ક્લિયર છે એટલે આપણે પરમાત્મા જ જન્મ-મૃત્યુ રહિત છે, એક વાત એમને કરી.

બીજી એમણે શું કીધું કે હું આદિ-અંત રહિત છું અને ત્રીજું તો કે આ જે કઈ બધા લોક અલોક બધું છે તેનો એકમાત્ર મહાન ઈશ્વર હું જ, એને એવી રીતે સાક્ષાત્કાર કરીને તું જાણી લે, સાક્ષાત્કાર કરીને તું જાણી લે મતલબ થતો હોવો જોઈએ અને એની કોઈ નિશ્ચિત વિધિ પણ હોવી જોઈએ. હવે એ ખોળવી જ હોય આપણે અને એ કરવી જ હોય કારણ કે કહે છે કે જાણી લે છે એ પુરુષો મર્ત્ય મનુષ્યોમાં જ્ઞાની છે. આ બધા જે મરવા પડેલા હોય છે, મને વારે વારે મરણને પામે છે એટલે મરણધર્મા એવો એક શબ્દ વાપર્યો એમને આગળ કે જેનો ધર્મ જ મૃત્યુ પામ્યા કરવાનો તેવા એમ, એવા લોકો પણ મને જાણી લે છે અને તેમાં એકમાત્ર જ્ઞાની એ છે આ બધાની અંદર. આથી અજ, અનાદિ અને સર્વલોક મહેશ્વરને સારી રીતે જાણવો તેને જ જ્ઞાન કહેવામાં આવે છે: "હું અનાદિ અનંત છું અને અજન્મા છું." એવું કહે છે, એવું જે જાણે છે એને શું ફળ પ્રાપ્ત થાય?

એવું જાણનારો સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે, પાપોથી મુક્તિ તેનો પુનરજન્મ થતો નથી. આ મુક્તિનું ફળ આવી ગયું પહેલા પાપમાંથી મુક્તિ અને પછી જન્મ-મૃત્યુમાંથી મુક્તિ થઈ ગઈ તમને, બસ મુક્ત કરી દીધા! શ્રીકૃષ્ણ કહે છે કે આવી પ્રાપ્તિ એ મારી દેન છે, હું એને પ્રસાદ રૂપે આપું, આ મારી દેન છે એમ કહે છે હું આપું છું જે યોગ્ય છે. અર્જુન! નિશ્ચય બુદ્ધિ, સાક્ષાત્કારી જ્ઞાન, લક્ષ્યમાં વિવેક સહિતની પ્રવૃત્તિ, ક્ષમા, શાશ્વત સત્ય, ઇન્દ્રિયોનું દમન, મનનું શમન, અંતઃकरणની પ્રસન્નતા. શોગ્યાઓને ત્યાં ભગવાનને દરબારમાં પ્રવેશ નથી, શોકમગ્ન જ રહ્યા કરતો હોય, ભક્તિ કર્યા કરતો હોય પણ હોય મય શોકમગ્ન જ રહ્યા કરતો હોય: "ભગવાન હજી મારો મેળ ના પડ્યો, ભગવાન હજી મારું મેન ના પડે." રોજ રડ્યા કરતો હોય તો કે એને પ્રવેશ નથી કે મારે ત્યાં આગળ, ગેટ આઉટ ના પાડ બહાર નીકળ, કકડાટ વધી ગયો છે.

આવું વાત ચિંતન માર્ગના કષ્ટો, પરમાત્માની જાગૃતિ સ્વરૂપની પ્રાપ્તિમાં સર્વસ્વનો વિલય, ઈષ્ટ પ્રત્યે આધિપત્યાત્મક ભય અને પ્રકૃતિથી નિર્ભયતા. આ ઉપરાંત અહિંસા એટલે કે પોતાના આત્માને અધોગતિમાં ના પહોંચાડનારું આચરણ એને અહિંસા કહેવામાં આવે; કોઈને મારવો કે ના મારી નાખવો એને અહિંસા કહેવામાં આવતી જ નથી, પરમાત્માની ડેફિનેશન બહુ ક્લિયર છે અહિયા. તું તારા આત્માને અધોગતિમાં જ્યારે મોકલાવે છે, એવા કૃત્યો જ્યારે કરે છે ત્યારે તું હિંસા આચરે છે, ભલે તું કોઈને નથી મારતો તો પણ આત્માની તું હિંસા કરી રહ્યો છે, એનો લક્ષ્ય હોવો જોઈએ, તને ખ્યાલ હોવો જોઈએ, એનું તને ભાન હોવું જોઈએ બરાબર ને? માટે કહે છે કે અધોગતિમાં ન પહોંચાડનારું આચરણ હોવું જોઈએ સ્વયં એમને. સમતા, સંભાવ, સંતોષ, મન સહિત ઇન્દ્રિયોને લક્ષ્યને અનુરૂપ તપાવવી.

લક્ષ્ય શું છે? પરબ્રહ્મની પ્રાપ્તિ, એને અનુરૂપ જ ઇન્દ્રિયોને તપાવવાની માટે જે નિયત કર્મ કરતી વખતે તમારે જે સ્થિરતા રાખીને ઈન્દ્રિય સમેટીને પછી જે કરવાનું છે એટલા પૂરતી વાત કરી છે. આવી રીતના તો બિનજરૂરી જો તમે ઇન્દ્રિયોને અતિશય દમન કરો, કષ્ટ કરો તો એ બધી વસ્તુઓ પણ વ્યાજબી. દાન એટલે સર્વસ્વનું સમર્પણ એને દાન કહેવાય. દસ રૂપિયા આપ્યા ગૌસેવાને, પેલું ખોખું જોયું એટલે અંદર નાખી દીધા, એને દાન કહેવાતું નથી; એનું પણ ફળ છે, એ આપણે એની કોઈ નકારતા નથી. નાનું નાનું આવી રીતના કરતાં કરતાં જ માણસ પોતે લોભવૃત્તિમાંથી મુક્ત થતો હોય છે એટલે એનું પણ મહત્વ એવું નથી, પણ અહીં કે છે દાન એટલે શું? તો કે બસ તારે અહંકારનું દાન કરી દેવાનું. તને અહંકાર જ સર્વસ્વ છે ને તારો, એના વડે તું આ બધું હું મારું હું મારું કર્યા કરે છે આખો દાળો, તો કે બસ એ તું દાનમાં આપી દે મને, પરમાત્માએ આ માંગ્યું છે.

જેમ પેલા બલી રાજા પાસે ગયા હતા ને વામન બનીને તેવી રીતના આપણી અંદર બેઠેલા છે અને કે: "તું મને અહીંયા સમર્પણ કરી દે, તારો અહંકાર આવડો મોટો થઈ ગયો છે ભલે હું તને નાનો દેખાવું પડે પણ તું ચિંતા નહી, તું આ મને આપી દે." શું કારણ? કે ત્રણે ત્રણ લોક બધા તારી અંદર જ છે કે સ્વર્ગ, મૃત્યુને પાતાળ બધા ખયાલો તો તું જ રાખે છે ને! અને એ બધું શેનાથી તે ઊભા કર્યા હતા? તો કે અહંકારે કરીને તે ઊભા કર્યા, એટલે કે તું મને આપી દે એટલે હું બિલકુલ આમ કરીને આમ ત્રણ ડગલાની અંદર બધું પૂરું કરી દઈશ અને પછી તો કે બસ હું હવે તારા આત્મા પર આવીને ઊભો રહીશ અડધું ડગલું ચાલીશ એટલે, એટલે પૂરું થઈ ગયું કે સંપૂર્ણ તું મારામાં આવી ગયો, પછી આ સાડા ત્રણ ડગલાની વાત છે સમર્પણ આવી રીતે જોઈ શકે છે. એટલે તારા અહંકારનું તું મને દાન કરી દે. ભગવત પથમાં માન-અપમાનની સહનશીલતા, લૌકિક જગત છે ને તને તને ઘણા ગોદા મારશે કે એ બધાને તારે સહન કરવા પડશે, દેવ પછી ધીમે રહીને કે છે આ બધા ઠોસા હું જ મારું છું તને અહીંથી પણ ને તહીથી પણ એટલે તું પાંસો ચાલે કે બરાબરનો આડો-અવડો બહુ થતો હતો ને એટલે તને સીધો ચલાવવા માટે ને સાધુ બનાવવા માટે તારા જીવનમાં આ બધું હું જ પૂરું પાડું છું કે.

અને પાછી આની યોગ્યતા તે જ પેદા કરી તી એટલા માટે હું તને આપું એટલે વાસ્તવમાં તો હું કશું કરતો જ નથી, આ તારી આવી યોગ્યતા છે કે ઠોસા ખાય, એક અહીથી ખાય ને એક અહીથી ખાય. પ્રેશર આવે એવું આવે એવું આવે કે ના ઓ બાપરે ઓ બાપરે કરે, પછી બુમો પાડી પાડીને થાકી જાય, પછી એકદમ આર્ત ભક્ત બની જાય ને કે: "હે ભગવાન મારી મદદ કરો બસ કે!" હવે સીધો થયો કે હવે ચલાવો થોડો કાગળ આવી આવી રીતે હું તને ને આગળ ચલાવે રાખું છું, એ બધા જ મારા આ જે છે ને એમા આવા ભાવ મારા થકી થાય છે કે તારી અંદર તે બધાય દૈવી ચિંતનના લક્ષણો છે કે તું ચિંતા ના કર આ બધું તને થઈ રહ્યું છે એ બધું શું છે? તને દૈવી ચિંતન કરાવવા માટે થઈ રહ્યું છે કારણ કે તું ભટકી રહ્યો છે ભાઈ. હવે તને માર્ગે ચડા ચડાવાનો છે પાછો ધીમે ધીમે કરીને મારે, માર્ગ ઘણો ઊંચે છે ને તું બહુ નીચે પડી ગયો છે, મારે તને ચડાવો તો પડશે ને કે આમ પુશ કરું તો જ ચડે ને તું પાછો ઉપર કે ના ચડે?

એટલે કે હું ઠોસા મારું છું, રોજે રોજ મારું છું એવી રીતના કરું છું. એટલે આ બધા દૈવી ચિંતનના લક્ષણો છે, એનો અભાવ એ બધી શું છે? તો કે આસુરી સંપત્તિ. આ બધું નહી હોય તારી પાસે, જો આવું બધું ના થતું હોય તો તો પછી તું આસુરી સંપત્તિની અંદર પડ્યો જ છે કે નક્કી માનજે. સપ્તર્ષિ, સાત ઋષિઓ યોગની સાત ક્રમિક ભૂમિકાઓ છે એને સપ્તઋષિ કહેવામાં આવે: પહેલી છે શુભેચ્છા, બીજી છે સુવિચારણા, ત્રીજી તનુમાનસા, ચોથી છે સત્વાપત્તિ, પછી છે અસંશક્તિ, પછી કહે છે કે હવે પદાર્થભાવના અને છેલ્લે તુર્યગા. આ સાત ઋષિઓ છે, ભૂમિકાઓ છે હા, યોગની સાત ક્રમિક ભૂમિકાઓની તને વાત કરી તથા તેને અનુરૂપ અંતઃકરણ: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે મારામાં ભાવવાળું છે તે બધા મારા જ સંકલ્પથી, મારી મારી પ્રાપ્તિના સંકલ્પથી અને મારી પ્રેરણાથી જતની તારી અંદર થઈ રહ્યા.

હવે થોડી વાત કરીએ આ સાત સપ્ત ઋષિઓ વિશે પણ જાણવું જરૂરી છે, તો યોગ કરવાની અંદર ભાવના પેદા થાય છે પરમાત્મા સાથે જોડાવાની કોઈપણ રીતે. યોગ એટલે જરૂરી નથી કે અત્યારના જે બધા પોપ્યુલર યોગ કરે છે એની ભાવના થાય છે, એની વાત છે જ નહી. તો પહેલી ભૂમિકા જે છે તેને કહે છે શુભેચ્છા, બાકી બધી ઈચ્છાઓ કેવી છે? અશુભ છે, પહેલી વખત તને શુભ ઈચ્છા થઈ છે કે: "હું પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરું અથવા પરમાત્માને હું કેવી રીતે પ્રાપ્ત થવું?" એવી જ્યારે અંદર ઉત્પન્ન થશે ભાવના ત્યારે એને શુભેચ્છા કહેવાય છે, અને એ ભૂમિકા તારી અમુક કાળ સુધી ચાલતી હોય છે, અમુક વર્ષ સુધી ચાલતી હોય છે, ઘણા કિસ્સામાં તો અમુક જન્મો સુધી ચાલ્યા કરતી હોય છે પણ માર્ગ મળતો હોતો ભમ્યા કરે. અને ભમાવનારા જ મળ્યા કરે તેને: "આની બાધા રાખી દે ને કે આ દેવની પાહે જઈને એમ કે આવું કરી જાય ને તું એટલે ચાલ્યો પછી." પછી એમાં લાગી ગયો બરાબર હવે ત્યાં ગયો ભગવાને પહેલા જ કહ્યું છે કે ત્યાં જઈશ ને તું જે કઈ કરીશ ને તેનું તને હું ફળ તો ત્યાં જ આપીશ કે પણ એ નષ્ટ થઈ જશે, અમુક સમય પછી એ પૂરું થઈ જાય પાછો ફરી ભૂખ્યો થઈ ગયો પાછો ફરી જશે, તો એ એમાં જ ફર્યા કરશે એમાં જ ફર્યા કરશે.

પણ એક ટાઈમ પછી એક ટાઈમ પછી પુણ્યના પ્રભાવે અથવા તો પરમાત્માની કૃપા થવાથી: "યાર આ બહુ ભટક્યો લાગે ચાલો હવે કેની ઉપર કઈક કરીએ, લેટ અસ વર્ક આઉટ સમથિંગ." એમ કરીને પછી આમ બેસે પરમાત્મા એટલે પછી અંદર પેલાને છે ને તો આમ સવાર પડે ને પછી આમ ઈચ્છા થઈ જાય શું? પેલા કઠિયારાને જેમ ઈચ્છા થઈ તી ને તેવી રીતે કે: "ભગવાન, જો આજે મને કે સારી એમ કે સંપત્તિ કઈક પ્રાપ્ત થશે દૈવયોગે પણ હું તો કઠિયારો છું કે છે, તો કે હું તમારું યજન કરીશ ભજન કરીશ કે." પછી લાકડા લેવા ગયો અને લઈને પાછો આયો, રોજ જ્યાં ભમતો હતો ત્યાં તો એને પૂરતા પૈસા મળતા નહોતા. સંજ્ઞાએ કરીને ઈશ્વર પ્રેરણાથી ધનિક લોકો જ્યાં રહેતા હતા ત્યાં આગળ એ ઊભો રહ્યો અને એમાંથી કોઈકે કીધું કે: "આઈ મૂકી દે ભાઈ લઈ જાતા જેટલા જોઈ એટલા." એવી રીતના કરીને પૈસા એને એની અપેક્ષા કરતાં પણ અનેક ગણા પૈસા મળી ગયા તે દિવસે, એ રાજી થયો અને એસ પર પ્રોમિસ જે સવારમાં કરેલી પ્રાર્થના હતી તેને ફુલફિલ કરવા માટે થઈને બધું દ્રવ્ય ભેગું કરી અને સત્યનારાયણની એને કથા કરી, આ વાત છે ત્યાં આગળ રાઈટ.

અને પછી એમ કરતો જ ગયો એટલે એ સમૃદ્ધ થતો જ ગયો એવું લખેલું છે જો અહિયા, પરમાત્મા એ જ કહે છે કે: "હું તારી શ્રદ્ધાને બળવત્તર કર્યા જ કરીશ પણ તું દર પૂનમે કથા કર્યા કરીશ." પાછું લખેલું છે યથા અવકાશે હું કર્યા જ કરી દે કે સત્યને સમજો જેટલું બી હશે તેના પ્રમાણમાં તને આ બધું ફળ મળ્યા કરશે, તો એને સ્થૂળ પૂજા આવી બધી શરૂ કરી દીધી ત્યાંથી શરૂઆત એને કરાવવામાં આવે, કહેવાનું આ છે. તો આ શુભ ઈચ્છા કોઈકના માટે પણ તમને શુભ ઈચ્છા થવી એ પણ એક શરૂઆત છે, સમત્વ હશે અને પછી આર્જવતા આવશે એટલે તમને એમ થશે કે આનું કઈક સારું થાય તો સારું, આ બહુ દિવસથી બિચારો ભટકે છે, એક સારી નોકરી મળી જાય ને તો આનું બહુ સારું કામ થઈ જાય, આખું ફેમિલી ઊંચું આવી જાય. શોભે તો ભગવાને તરસ સ્ટેમ્પ મારી દેશે: "ઓકે ગ્રાન્ટેડ!" તો તમારી આ જે છે ને તે પૂરી થઈ જશે, પરિણામ સ્વરૂપે એને પણ કંઈક પ્રાપ્તિ થશે પણ તમે વંચિત નહી રહો, પરમાત્મા તમને માર્ગ ઉપર લાવશે.

તમે કોઈકની આડખીલી દૂર કરી છે, હવે તમારા જીવનની આડખીલી દૂર કરવામાં આવશે કોઈક રીતે, જે તમને બહુ તકલીફ આપનારી હોય એમાંથી તમને મુક્તિ. પછી એનું ફળ શું? તો કે અવકાશ હવે તમને પ્રાપ્ત થઈ ગયો, પ્રાઈમ ટાઈમ વેડફી ના નાખીશ. ભગવાન બોલતા નથી પણ જોયા કરે કે: "હું જોવું શું કરે તારી બુદ્ધિ, તારી મતિ કેવી છે, કેવી રીતે ચાલે છે એમ કરીને." પછી એ જોશે અવકાશનો ફરી જો સદુપયોગ તું આગળ ચાલ્યો કારણ કે કીધું છે કે નિશ્ચય કરવાની તને અહીંયા આગળ મનુષ્ય જીવનની અંદર મેં છૂટ આપેલી તો તારો નિશ્ચય શું છે, એ પ્રમાણે થાય છે તારા જીવનની અંદર. હું હેલ્પ કરું છું બધી રીતે, તને બધું પ્રોવાઈડ કર્યા કરું, તારે જે કરવું હોય એ તું કર અને ક્ષમતા છે, મનુષ્ય દેહમાં તું આવેલો છે એટલે એ શુભેચ્છા એવી શુભેચ્છા સતત ચાલુ રહે, ચાલુ રહે, ચાલુ રહે.

এની પર બધું કામ બધું થાય એટલે થોડી થોડી દૈવી સંપત્તિ ભેગી થવાની શરૂ થશે, એટલે પછી શું થશે? અવકાશ પ્રાપ્ત થયો છે તેની અંદર સુવિચારણા શરૂ થશે, એટલે એને જિજ્ઞાસા ઉત્પન્ન થશે: "આ બધા કહે છે કે ભગવાન હોય તો કેવા હશે, ક્યાં રહેતા હશે, શું વેપાર કરતા હશે, એમની કમાણી શું હશે, શું ખાતા-પીતા હશે?" એ બાબતે પછી વિચારણા એની શરૂ થાય કે લાય જરા તપાસ કરીએ એટલે અવકાશ પ્રાપ્ત કરીને તમે આ કરો છો. પેલો ૧૮ કલાક સુધીને તે પેલો તમને કમ્પ્યુટર પર બેહાડી રાખીને બરાબરનું પેલું કામ કરાવતો હોય અને તમને ૩ લાખ રૂપિયા મહિના આપી દેતો હોય, તો તમે ઊંચા જ નહી આવો, તમને વિચારણા બી નહી થાય કે હું કઈ કરું ઈશ્વર પ્રાપ્તિમાં, એમાં ખૂપેલા રાખશે બરાબરનો. મોટામાં મોટી વાત અવકાશ જ નથી કે શું કરવું કે છે: "૧૮ કલાક તો હું કામ કરું છું." એટલે આ કરુણ્ય હતા પણ શુભેચ્છા જો થઈ હશે તો પછી સુવિચારણાનો ફેસિલિટી આપવામાં આવશે.

એટલે પછી શું થશે? તો કે હવે એક કામ કરો કે: "૧૮ કલાકના બદલે કાલથી ૧૪ કલાક કામ કરવા આવજો, પગાર તમારો એનો એ રહેશે આ વર્ષ પૂરતો, આવતા વર્ષે જોઈશું પછી કે ઇન્ક્રીઝ આપીશું." એ શું કહે છે? ઇન્ક્રીમેન્ટ આપીશું, ફેસિલિટી થઈ ગઈ, ચાર કલાક મળી ગયા હવે તમને. ચાર કલાક બેસીને ભગવાનનું ભજન કરશો, અવકાશ આપવામાં આવે છે તમને, એટલે તમે સુવિચારણામાં પડશો પછી અને શોધવા માંડશો એ જ કમ્પ્યુટર: "શું ભગવાન? ભગવાનની વિધિ આમ તેમ આ વાંચું તે વાંચું કઈક કરું, શું ચાલી રહ્યું છે બધું, કયા સંત આવે છે અહીંયા પ્રવચન આપવા?" કઈ બધું ખોળાખોળ ચાલુ થશે ધીરે ધીરે ધીરે ધીરે કરીને. હવે તમારી પાસે ચોઈસ છે નેટફ્લિક્સમાં ચાર કલાક કાઢવાની અને આ કરવાની. એમાં માનવભાઈ જેવા કોક આવે તો કે: "લો આ આ છે ને કે યથાર્થ ગીતા છે કે તમારી પાસે આવેલી એક કોપી તમારા માટે જ ખાસ લાયો છું." ખરીદીને બાજુ પર મૂકી દીધી પતી ગયું, પછી પેલો એને બોલાવશે કે: "હવે તું ૧૮ કલાક વાળા માટે જ લાયક છે કે કઈક ગડબડ થઈ છે, ફલાનો જે નવો માણસ રાખ્યો તો બરાબર નથી કરતો, તું આવી જા કે." થોડાક જ દાડા વ્યવસ્થા એવી એમ થઈ જાય પાછો, તો પેલો ગૂંચવાય હો!

અને નહીં તો પછી એમ કહે છે કે: "ભાઈ જો તને ઇન્ક્રીમેન્ટ આપીશ પણ તું ચાર કલાક વધારે કામ કર." એટલે પતી ગયું પછી હવે એની પાસે ટાઈમ રહેતો નથી. પેલો લોભ-લાલચમાં આવીને પણ પાછો ફરી જશે અને કામ કરવા માટે અંદર ઈચ્છા છે, શુભેચ્છા છે મારે કઈક કરવું સારું આ દિશામાં પણ હવે એની પાસે સમય કે શક્તિ રહેતી નથી, જીવન એમ જ પૂરું થઈ જાય. હા, તો ૫૦ નો થતામાં તો એનો પેલું શું કહેવાય બીપી વધીને ૧૬0-૧૬૫ એ પહોંચતું હોય, ડાયાબિટીસ થઈ ગયો હોય અને આમ એવું થઈ ગયું હોય બધું જાત-જાતનું પીઝા, પાવું પેલું પીપીને કે તડું તો. એટલે પછી ડોક્ટર ગોળી પછી પૈસા તો છે ને એની પાસે, આમ વેરફાવશે બધા ક્યાં આગળ? ડોક્ટરોની ગોળીઓ ખાશે, ડોક્ટરોની વિઝિટ કરવા જશે, તો વેટિંગ રૂમમાં બે કલાક બેસી રહે પાછો. તો અહિયા હવ કામ કર્યા કર એવા જોયા જ એને શાંતિ પ્રાપ્ત થતી નથી, બધુ છે પણ શાંતિ પ્રાપ્ત એને અવકાશ જે છે તે બી આવી જગ્યાએ વપરાઈ ગયો, ખલાસ થઈ ગયો કે બોલો શું કરવું?

આવાય કેટલાય લોકો જોયા અને એમ એમ કરતાં કરતાં મૃત્યુ આવીને ઊભું રહી ગયું કે: "ભાઈ રાતે ભાઈ હુઈ ગયા તા ત્યાં સુધી તો બરાબર હતા કે, છેલ્લો કોલ મને કર્યો તો ૧૧ વાગ્યે અમારે વાતચીત થઈ છે, તો કે ત્રણ સાડા ત્રણ ગયા કે પૂરું થયું." હવે ક્યાં ગયા હોય? અધોગતિમાં, કેમ કે એમણે ધર્મનું જે કર્મ હતું, નિશ્ચિત નિર્ધારિત કર્મ, યજ્ઞ કર્મ એ તો કર્યું જ નથી એટલે એમની ટિકિટ તો પાકી થઈ ગઈ જવાનું જ છે કે! ઓપોર્ચ્યુનિટીમાં આપણે સારો ઉપયોગ ન કરીએ તો નીચે જ લઈ જશે. જો ધર્મ એક જ છે અને ધર્મ કાર્ય બી એક જ છે, નિર્ધારિત કર્મ કર તો જ તારી ઉન્નતિ થશે એમ પણ ભગવાને કહેલું છે અને આ કરવા માત્રથી કેટલું બધું સુંદર થઈ શકે છે, આ બધું જ એમણે સમજાઈ દીધું છે પહેલા જ અર્જુનને અને તમને પણ એના કારણે. બોલો, આ સંવાદ તે ૫૨૦૦ વર્ષ પહેલા થયો તેનું ફળ આજે તમને પણ પ્રાપ્ત થઈ રહ્યું છે તો લાઈવ છે આ કન્ટીન્યુટી ના હોત તો શું થાત બોલો?

અપોર્ચ્યુનિટી આપી છે ને તમને આ સમજવાની, સમય આપ્યો છે ને આ બધું સાંભળવાનો, અત્યારે અવકાશ લઈને બેઠા છે જો કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે આવું પ્રભુ પણ આપણે આહાહા પ્રભુ ધન્ય છું, ધન્ય છું, ધન્ય! એટલે કે છે કે આ બધું મારી પ્રેરણાથી થાય. આગળ કહે છે તનુમાનસા, તનુમાનસા સ્થિતિ જે છે ને એ ત્રીજો ઋષિ છે, સપ્ત ઋષિ માનો ત્રીજી અવસ્થા ભૂમિકા તનુમાનસ. આમાં તમારું તન અને મન બંને જે છે ને તો તૈયાર થવા માંડશે, એવી રીતનું તમારા જીવનનું ઘડતર ધીરે ધીરે ધીરે ધીરે થવા માંડશે. મન એટલે સવારે સાડા ચાર વાગ્યે ઉઠી જવું બસ, આંખ ખુલી ગઈ કે તરત જ પહેલામાં પહેલો ખ્યાલ આવે ઈશ્વર ચિંતા બેસી જાય સરસ રીતે આમ કરવા માટે યજ્ઞ. આમાં નાહવા-ધોવાની તો જરૂર છે જ નહી ને, પવિત્ર જ છો તમે આ કરો એટલે પવિત્ર. બોલો, કેટલી બધી અવકાશ આપી દીધી ઈશ્વર પ્રેરણા કરે, તમે સાડા ચાર વાગ્યે ઉઠી ગયા સદભાગી છો કે રાતે ગોળીય ખાઈને નોતા હુતા નહીં તો સાડા ચારે ઉઠાત નહીં.

તમારા જીવનમાં એવું કશું છે જ નહીં. એવી રીતે પછી તમે જાગ્યા, સાડા છ થયા, વોક પર ગયા, પાણી-બાણી પીને સરસ આમ વોક પર ગયા, ફ્રેશ થઈને અડધો-પોણો કલાક ઈશ્વર સ્મરણ કરતાં કરતાં વોક કર્યું ને પાછા આયા, સ્નાન વિધિ કુરિયાત બધું કરીને પછી આગળનું જે કઈ કર્મ હોય તમારું તે પણ તમે કરો પણ આ સ્મરણ સહિત કરો. અને જો આ બધું તમને વોરન્ટિંગ ના હોય, આ બધાનો ક્લેમ તમારી ઉપર ના આવતો હોય ને તમારી પાસે અવકાશ હોય અમારી જેમ રિટાયર થઈ ગયા હોય આ બધી સંસારથી, નોકરીમાંથી નહીં, સંસારથી રિટાયર થવાનું છે ખરેખર ધેટ ઇઝ રિટાયરમેન્ટ! અને પછી આવી રીતના પછી તો કે આ કરતા હોય તે વખતે શરીરની અંદર કોઈ વ્યાધિઓ ના ઉત્પન્ન થાય, મનની અંદર કોઈ અજંપો પેદા ના થાય. ફોન તો રાખ્યો છે તો ૨૫ વખત સમાચારો તો આવશે જ કે પેલા જ્ઞાન આ જ્ઞાન તે જ્ઞાન ને બેસણામાં જવાનું છે ને આમ છે ને તેમ છે, તમે બધાનું ડિસ્પોઝલ ધીમે રહીને આમ કરી લો સરસ રીતે.

નિશ્ચય બુદ્ધિ છે ને અંદર તમારી અંદર ગોઠવાયેલી તે પ્રેરણા કરશે કે આવી રીતે કર આવી રીતે કર બસ, દર વખતે આવું વ્યક્તિ એવું માને છે કે આ બધા ડિસીઝન હું લઉં છું, પ્રોબ્લેમ તઈ થઈ જાય છે. તને પ્રેરણા થાય છે ભાઈ દરેક ડિસીઝન લેવાની, તને ખબર નથી પડતી હજી. જરા થોડું ક્લોઝલી જરા ધ્યાન રાખીને જોઈશ ને તો ખબર એકદમ કૂદકો મારતા પહેલા રાહ જો, કોઈ ડિસીઝન આવતા પહેલા જો કેવી રીતે આવે છે કે પ્રોસેસને તો તું સમજ. જરા થોડી ધીરજ રાખ, શાંતિ રાખ ભાઈ, તું બેસ પછી તને ખબર પડશે કે આ કેવી રીતે કામ ચાલી રહ્યું છે બધું. આ બધું છે ને ગપ્પું નથી કે છે, વ્યવસ્થિત છે તંત્ર આખે આખું, તને આ બધું અવ્યવસ્થિત લાગે છે કારણ કે તું જ અવ્યવસ્થિત છું અત્યારે. તો એટલે હવે એને વ્યવસ્થિત કરે છે તનુમાનસા ત્રીજી ભૂમિકામાં, તન મન બંને એકદમ સરસ તૈયાર કરે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પછી થોડો થોડો પ્રત્યાહાર શરૂ થયો હોય.

કોઈ આમ કહે તો કે: "અત્યારે હું ભોજન નથી કરતો મારે જરૂર નથી, થેન્ક્યુ." એમ કરી દે ૧૨ વાગે કે એક વાગ્યે એવી રીતે બેસે એને અવકાશ મળશે. પેલો તો નાસ્તો કરવામાં દોઢ કલાક કરે, લંચની અંદર બે કલાક કરે, ડિનર તો કે આ ત્રણ કલાક વગર તો થાય જ નહી; બોલો, ખાવામાં કેટલો ટાઈમ કાઢી નાખે! અને પછી એ બધું લોડિંગ કર્યું હોય તો પછી એટલું પચાવવાનું બોડીને કેટલો શ્રમ પડે અને એમાં કોઈ નાનો મોટો વ્યાધિ જો ઊભો થઈ ગયો હોય પેલું શું કહે છે ઇન્સ્યુલિન સ્પાઇક. આજકાલ એવું બધું બહુ ચલાવ્યું છે કે ઇન્સ્યુલિનનું સ્પાઇક થાય આમ થાય ને તેમ થાય, એ પછી શેનું થાય? શાંતિ રાખે કશું નહી થાય. આવી રીતના તનુમાનસા ભૂમિકાની અંદર વ્યક્તિ આગળ વધે, ત્રીજા ઋષિ એને ભણાવે આ બધું એટલે તું તૈયાર થઈ જાય, એમાં સૂજ પડતી જ જાય કે આમ કરવું આમ કરવું આમ કરવું.

એ ઋષિ હા, એ ઋષિ અંદરથી અંતઃપ્રેરણા થાય તે પરમાત્માએ ગોઠવેલા જ છે બધાય શું. એટલે તનુમાનસા પછી એમાં આગળ વધે એક જન્મમાં કે અગાઉના જન્મમાં કંટાળો આવતો હોય ટૂંકું કરવું હો ભાઈ. ચોથી ભૂમિકા, ચોથી ભૂમિકામાં શું થશે? સત્વાપત્તિ, સત્વની ઉત્પત્તિ થાય છે ત્યાં આગળ. શું થાય છે? સત્વની ઉત્પત્તિ, ત્રીજી ભૂમિકા થઈ ને તનુમાનસા તો ભૂમિ તમારી તૈયાર થઈ ગઈ બિલકુલ ભૂમાં, હવે અંદર બીજ બોવાનું સારું થશે તમારો અને પછી શું થશે? તો કે સત્વની ઉત્પત્તિ થવા માંડશે. શીલ, શીલ અને સત્વ એટલે દૈવી સંપત્તિ જે તમે આ બધું કરી કરીને એકઠી કરી બધી તે હવે તૈયાર થઈ ગઈ સમરસ થઈ ગઈ તમારી અંદર, તન-મનની અંદર બંને એકદમ સરસ થઈ ગયા, સમરસ થઈ ગયું બધું. હવે ત્યાં આગળ સત્વની ઉત્પત્તિ થવાની શરૂ થાય છે. જેટલું સત્વ હોય તે પ્રમાણે એ ભૂમિકા પોતાની ઉપર ઉઠાવતો થઈ શકે છે, એટલે સત્વ આવશે એની અંદર.

આ સતની વાત સત ક્યાં આવશે એમાં લાગેલો રહેલો છે, સત એક જ છે એક ઓમકાર બતાવી દીધું છે કે આવી રીતે કરજે પછી એ ચાલ્યા કરશે. તો સત્વની ઉત્પત્તિ થવા માંડી, સત્વ વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, એટલું બધું સત્વ વધે કે ના પૂછવાની વાત! શું તે પેલી વાત છે ને કે વિશ્વામિત્ર હતા તે જ્યારે જ્યારે જ્યારે પણ પેલા વશિષ્ઠ મુનિ પાસે જાય એટલે તરત એમને કે કે: "આવો રાજર્ષિ." તે પેલાનું ઓછું આવી જાય દર વખતે કે મને રાજર્ષિ જ કહે છે આતો! એનાથી ઉપરની ભૂમિકા એમાં એ પોતે બેઠા છે પણ મને પોતાના લેવલનો ગણતા નથી હજી, આ વાત અંદર રહી ગયેલી. એટલો અહંકાર, શુદ્ધ થઈ ગયેલા બધું ખરું રાજઋષિ થઈ ગયેલા, રાજા હતા ને એમાંથી ઋષિ બન્યા, બધું ત્યાગી દીધું રાજપાટ અને આહાહા આટલું બધું તપ કર્યું જબરજસ્ત! તોય કે છે મને હજી રાજર્ષિ જ કે છે, ખોટું લાગી ગયું તું બહુ જબરજસ્ત.

પછી તો એક બેઠા બેઠા નક્કી કર્યું કે: "આ છે ને તો કે બસ મારા ધર્મ કાર્યમાં આડે આવે છે, ખરેખર એને એવું થયું કે આ ઋષિ છે ને એ ધર્મ કાર્યમાં આડે આવે છે મારા, કે મારે જે પ્રાપ્ત છે ને એની અંદર મને આડખીલી રૂપ લાગે." જો આ સમજ કેવી ઊભી થઈ અંદરથી, રાજર્ષિને થઈ તો કે: "આજે તો રાતે એને પતાવી જ દઉં એટલે કામ પૂરું." પેલો ક્ષત્રિય સ્વભાવ ખરું ને? આડખીલી તો કે બસ ખતમ કરી નાખવું, ઊભું થઈ ગયું બરાબરનું એને તો. એટલે એને નક્કી કરી નાખ્યું કે આજ રાતે જ. આ બાજુ પહેલા વશિષ્ઠ મુનિ બેઠા હતા અરુંધતી સાથે રાત્રે, શીતળ ચાંદણીના પ્રકાશની અંદર બે જણા ઈશ્વર સ્મરણ કરીને પછી આમ આંખો ખોલી બે જણાએ, તો કે: "છે પ્રભુ!" જો હસબન્ડને પ્રભુ કે છે અને આ કાળના બધા હોય તો: "એય સાંભળો છો?" એટલે પેલા કે: "હા બોલો શું છે?" મોટા ભાગે તો 'હું' જ બોલે બીજું કઈ ના બોલે, એટલે ત્યારે બી અહંકાર જ બોલતો હોય કારણ કે એને પાછું અંદર હોય ને કે હું તો ધણી કેવો આનો!

એટલે હું એમ કરે, બોલે બી નહી કે શું છે એમ, ઘણા તો એવાય હોય તડબૂચાઓ પછી કઈક સાંભળાવે બરાબરની. એટલે એ વાત આના કેસની અંદર તો શું કહે છે? "પ્રભુ, કેટલું સમર્પણ ને કેટલા એના સાથે ભલે તમે આ સ્વરૂપે પણ એ યાદ કોને કરે છે?" એને યાદ કરે જુવે છે આની સાથે વ્યવહાર એની સાથે કરે છે વ્યવહાર ભૂમિકાની અંદર એના લક્ષ્યમાં શું આ જે છે તે એ છે એમ એ જાણે છે. એટલે સતી કે: "મારો पति પરબ્રહ્મ સિવાય બીજો કોઈ હોઈ જ ના શકે." એ એની અંડરસ્ટેન્ડિંગ છે દરેક સતીની, ધણી નથી અને પોતે બી ધણિયાણી નથી એનામાં એ ભાવ છે. શું? "હું તો પરમાત્માની સેવામાં સમર્પિત થયેલું જીવનપર્યંત જ્યાં સુધી આ નામરૂપ છે ત્યાં સુધી એ કોન્ટ્રાક્ટ કર્યો છે લગ્ન વખતે." આ સતી એવા અરુંધતી બેઠા હતા કે: "છે પ્રભુ, આટલું બધું આ અદભુત તેજ અને આ આહ્લાદક તેજ અહીં બધું આ વ્યાપી રહ્યું છે, આટલું પવિત્રતા અને પ્રસન્નતા લાગી રહી છે, તો કે આ કોનું તપ છે આટલું બધું?" વશિષ્ઠ મુનિ કહે છે: "દેવી ત્યારે શું કહેતા હતા દેવી?

આજે છે ને એ બ્રહ્મર્ષિ વિશ્વામિત્રનું તપોબળ છે, તમે જે અનુભવ કરી રહ્યા છો એ એનો પ્રતાપ." તઈ પેલો ઝાડીની અંદર લઈને આયો તો તલવાર, તલવાર પડી ગઈ એના હાથમાંથી, ગદગદના આંસુ સાથે: "મારી બહુ ભૂલ થઈ ગઈ છે ભગવાન, હું કે તમને આજે મારવા જ આયો તો કે હું મૂર્ખો એવું સમજ્યો કે મારા જે આ ધર્મ પ્રાપ્તિ છે તેમાં તમે આડખીલી રૂપ બની રહ્યા છો અને ક્ષત્રિય સ્વભાવ ઉછળ્યો કે આવું થઈ ગયું મારાથી, મને ક્ષમા કરો." વશિષ્ઠ ઋષિ વિશિષ્ટ છે, એમણે કીધું: "ઉઠો બ્રહ્મર્ષિ ઉઠો વિશ્વામિત્ર!" ધન્ય થયો પ્રભુ: "તમે મને આજે બ્રહ્મર્ષિ સંબોધન કર્યું, તમે આજે મને લાયક ગણ્યો કે!" તો કે લાયકાત તો તમારી ઘણી હતી પણ આ એક આડખીલી હતી તમારા અંદર સ્વભાવની અંદર, અંદર અહંકાર રૂપી, એને કાઢવાનું નિમિત હું બનતો હતો કે એટલા માટે. જો ઋષિ-મુનિઓની આવી અંડરસ્ટેન્ડિંગ હોય છે અને વિશ્વામિત્રનો અહંકાર ગળી ગયો અને બ્રહ્મર્ષિ થયા.

ત્યારબાદ એમને મંત્રનું સ્ફૂરણ થયું, લોક કલ્યાણ અર્થે એમણે પછી એને વહેતો મૂકી દીધો તે આજે ગાયત્રી મંત્ર તરીકે પ્રચલિત. એવા બ્રહ્મર્ષિ એ ઋષિએ એટલું એટલું અદભુત કાર્ય કર્યું, એ મંત્રને પ્રચલનમાં મૂક્યો ગુપ્ત ના રાખ્યો. આજે પણ જે એ મંત્રનું અનુસંધાન કરે છે, અનુષ્ઠાન કરે છે એ લોકો બ્રહ્મતેજ પ્રાપ્ત કરે આજેની તારીખમાં, આજની તારીખ આને કહેવાય દાન! જો કર્યું હોય તો આવું કંઈક હોવું જોઈએ એમ કે જીવનની અંદર, તો એનો કઈ સાર્થકતા છે લોક કલ્યાણ અર્થે જે કીધું ને પાછળ મૂકીને ગયા એ તો બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા પણ પાછળ આને જીવિત મૂકીને ગયા છે લાઈવ એકદમ બિલકુલ. આજે બી તમે કરો જો છ મહિના જો નિષ્ઠાપૂર્વક કરેલું હોય, તરત સામે આમ પરિણામ આવે તમને એટલું સુંદર, કેટલી અદભુત વસ્તુ છે! એટલે આ મહાન વૈજ્ઞાનિકો હતા એ લોકો ખરેખર દાર્શનિક હતા અને બહુ દૂરનું એ લોકો જોતા હતા અને હંમેશા હૃદયની અંદર શું લોક કલ્યાણ.

તો પરમાત્મા કહે છે કે: "આ બધાયને આ જે શીલ છે ને સત્વ છે ને તે હું જ ફોરાવું છું, આ બધું હું જ છું તને તને ખબર નથી પડતી કે તું મને ત્યાં આવી રીતે જુઓ, તારી દ્રષ્ટિ ખોલ કે છે. આખો દાડો ગાંડાની જેમ પેલી ત્રિકાળ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી ને ત્રિલોક જોવાની એ બધા તોફાનમાં ના પડી જઈશ કે અત્યારથી, તું પહેલા તૈયાર તો થા પછી એ તો બધું આવીને એની મેળે ઊભું રહેવાનું જ છે આગળ ઉપર; કારણ કે જે કઈ મારું છે એ તો બધું તારું થવાનું જ છે ને આગળ ઉપર પણ તને શ્રદ્ધા નથી એ વાત નહીં." એટલે તું આવામાં પડી જાય છે, તને જો એ શ્રદ્ધા હશે કે હું ત્યાં પહોંચીશ એટલે આ બધું અવશ્ય પ્રાપ્ત થશે, હું પરબ્રહ્મ પરમાત્મા સાથે એકરૂપ થઈશ તો પછી શું બાકી રહેવાનું છે? શું બાકી રહેવાનું? કશું જ નહીં. અને આ બધું જ ઠેર-ઠેર લખેલું છે પાછું પરમાત્માએ કે આ બીજાને નિમિત્ત બનાવીને આવું બધું લખાયેલું છે અને કર્ણોકર્ણ આજની આ ૨૦૨૬ સુધીને આ બધું આપણું ચાલતું આવ્યું છે, આપણી જ આગળ-પાછળ છે આ જ્ઞાન અને છતાં પણ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ જ જાય છે, આપણે માર્ગમાંથી થઈ જવાય છે, ક્યાંક અટકી જવાય છે; અટકણો ઊભી થયેલી આપણને જીવનમાં લાગે છે કારણ આપણે તૈયાર નથી.

તનુમાનસા ત્રીજી ભૂમિકાને દ્રઢ કર, આગળ વધ પછી આવશે સત્વાપત્તિ. તો સત્વાપત્તિ જ્યારે આવશે ને એટલે આપત્તિ પૂરી તારી પછી, સંસાર રૂપી આપત્તિ તારી સત્વાપત્તિની ચોથી ભૂમિકામાં તું પહોંચીશ એટલે ચોથા ઋષિ તને એ બધું જ્ઞાન આપી દેશે. પછી તારી બધી જ સંસાર રૂપી આપત્તિ પૂરી, હવે શું થશે આગળ? કે તું અલગ છું અને સંસાર અલગ છે, એવી ભૂમિકા છે જેનું નામ કહે છે અસંશક્તિ. અસંશક્તિ કે જેની અંદર તને એમ લાગશે કે મારે આ સંસારમાં કશું છે જ નહીં કરવા યોગ્ય કે કશું મારે એના સાથે કોઈ સંપર્ક નથી, કોઈ संबंध નથી કશું જ નથી અને કેવો સહજ વિતરાગતા અને આમ બળું છું બળું છું વાળી નહીં, ચંદન જેવી ઠંડક વાળી સ્થિતિ તારી એવી થશે. તને એવો વૈરાગ્ય વ્યાપશે, અમુક તો પેલા વૈરાગી હોય તો કેવા આમ તપેલી જેવા હોય, અડો તો આમ તરત જ આવી જાય, આમ ટાઢા હોય પડ્યા હોય ત્યાં સુધી જ્યાં પણ હોય ત્યાં પણ, જેવા કોકના સંપર્કમાં આયા એટલે તરત જ એકદમ તપેલા જ દેખાય આપણને બરાબરને: "આમ કેમ કરી નાખ્યું બરાબર?" એટલે એમાંથી તને મુક્તિ મળી જશે, અસંશક્તિ સંસાર તને સ્પર્શ નહીં કરે, એ વિતરાગ થાય તને સંસારનો વિચાર સુદ્ધાં નહી આવે વસ્તુની વાત જવા દે કે છે, કોઈ વ્યક્તિની વાત જવા દે, તને સંસાર જ યાદ નહીં આવે કે તારી પર એવી કૃપા થશે તે વખતે.

અને તું એવો વિતરાગ બની જઈ સચ્ચિદાનંદ બસ કે મારે બીજું કઈ નથી: "હું સચ્ચિદાનંદમાં જ છું બસ જઈ જ રહ્યો છું એનાથી બહુ હવે દૂર રહ્યું જ નથી." એટલે ક્યારેક-ક્યારેક તમને થોડુંક આમ લાગે: "ભક્ત છું અને ભગવાન છે" વાળી વાત પણ પછી તો એટલો જોશભેર ઘણી વખત એવું થઈ આવે કે: "ના હું જ ભગવાન છું, તું તારી જ પૂજા કર." એવી સ્થિતિ આવી જશે જેવું રામકૃષ્ણને આવતી તી માં કાલીને પૂજા કરે, શ્વાસ જુવે બધું કરે, પછી એમ ભોગ ધરાવવા બેસે તો: "આ ધરાયો ના ધરાયો? ના ના માં તું અહીંયા જમ!" કેતો પોતે જ જમી લે! અને ભાવના શું છે કે ત્યાં પહોંચે. તમે એવી રીતે રોજ જમી શકો છો, તમે એવી રીતે જ બધું ગ્રહણ કરીને દાન કરી શકો છો, પરબ્રહ્મ પરમાત્માને સીધું જ ડાયરેક્ટ પહોંચાડી શકો છો. આવું તો આજે પણ થાય છે, કરવા ની વાર છે બસ કરી તો જુઓ. તો આ ભૂમિકાથી પછી ઉપર આવશો એટલે શું થશે?

તો કે પદાર્થ ભાવીની નામની સ્થિતિ પ્રાપ્ત થશે, પદાર્થનો અભાવ થવા માંડશે તમને. સંસાર ગયો હવે પરમાણુઓની વાત છે, સૂક્ષ્મતા એટલી બધી વ્યાપી જશે એટલી બધી વ્યાપી જશે કે તમને કોઈ આ પદાર્થો જે છે ને એ નહી દેખાય, પરમાણુઓને એની અંદર તમારો પ્રવેશ થઈ ચૂક્યો હશે. બે પરમાણુઓને તમે આમ અલગ-અલગ જોઈ શકશો: આ કાળનો પરમાણુ અને આ પરમાણુ, આ જેટલા ટાઈમમાં જેટલી ગતિ કરે છે એટલા ટાઈમમાં આ કેટલી ગતિ કરે છે, એનું જે માપ છે તેને ટાઈમ કહેવામાં આવે. તો મોટામાં મોટો ટાઈમકીપર આ રહ્યો મહાકાલ કે તમે તે સ્વરૂપ પામશો, કારણ કે આધિપત્ય તો આવશે જ તમે માર્ગે છો ને તો તમને આ પણ આપવામાં આવશે. એ પરિસ્થિતિ જે છે તે સ્થિતિ તેને કહેવામાં આવે છે પદાર્થ ભાવી, પદાર્થથી પણ ઉપર ઉઠી જશો પરમાણુઓના વિશ્વમાં. તેનાથી આગળ તો કે શક્તિ બસ એનર્જી એનર્જી એનર્જી, કશું જ નથી બીજું ત્યાં સુધીને તમારી પહોંચ આવી જશે ત્યાં.

ત્યાં પહોંચેલા કેટલાક પાછા ફરી ભમે છે અટવાય છે એટલે કહી દઉં: પદાર્થના નામ અને રૂપનું પરિવર્તન કરી શકવાની ક્ષમતા તમારામાં આવી જશે, ટાઈમને આગો-પાછો કરવાની ક્ષમતા તમારામાં આવી જશે. ઘણાએ મહા અટવાયા છે અને પડ્યા છે અને પડી રહ્યા છે હજીએ, ત્યાંથી જોવું છું ત્યારે આવું દેખાય એટલે એમાં પણ અટકવાનું નહીં જ. કારણ કે જો ત્યાંથી બી એ થયા તો પણ તમારે વિલંબ થઈ જશે અને હવે પરમાત્માની પ્રાપ્તિની અંદર છે પણ વિલંબ મુસાફર નથી. જ્યારે એવી સ્થિતિ આવશે ત્યારે તમારો પ્રવેશ થયો હશે તે અંતિમ ભૂમિકાની અંદર જેને કહેવામાં આવે છે તુર્યગા અથવા તુર્યા. તુરિયાની અંદર સ્થિત થવા માટે ધીરે ધીરે ધીરે ધીરે એટલી બધી ગાડી થઈ જાય અને બસ, આ બ્રહ્મમાં તમારો પ્રવેશ થઈ ચૂક્યો છે, ત્યાં સન્મુખ તમને દેખાય છે આ સાલોક્ય પછી સારૂપ્ય સમાધિ લાગી જ જશે.

અને એવી સમ આધિ લાગશેને કે પછી એ ક્યારે ઉતરશે જ નહી, પછી તો મે એમાં તદરૂપ થઈ ગયો મદદરૂપ થઈ ગયો કે: "તું મારે ત્યાં આવી ગયો, પહોંચી ગયો બસ હવે જે કાઈ હું છું તે તું છે." એ અનુભવ ત્યાં આપવામાં આવશે, ત્યાં આપવામાં આવશે માટે અટકી ના જશો. કોઈપણ સ્થિતિ છે એ સ્થિતિ જ છે, તમારે તો સ્થિતિને પાર જવાનું છે કારણ કે સ્થિતિ હંમેશા સંસારી છે, તમારે એનાથી ઉપર ઉઠવાનું છે એનાથી ઉપર ઉઠવાનું માટે યાદ રાખજો. તો આ દસમાં અધ્યાયના પાંચમાં શ્લોકની અંદર ભગવાને આ બધી વાત કરી દીધી યોગેશ્વરે અને કીધું કે: "આ દૈવી સંપત્તિઓ જે તમે ભેગી કરેલી છે જે મારી પ્રેરણાથી, તે ભૂમિકાઓમાં તમારો આ બધી સંચાર કરશે, ધીમે ધીમે ધીમે તમને આગળ વધારશે લઈ જશે." અહીં બેઠો છે એટલે ત્યાં પહોંચીશ એ નક્કી, આ બધું ટનલ જેવું છે: પહેલી ટનલ, બીજી ટનલ, ત્રીજી એમ તું જોયા કર કે એટલે આ સંચાર કરાવે છે અન્ય નહીં.

જે પુરુષ યોગની અને મારી ઉપરયુક્ત વિભૂતિઓને અને શું કીધું? ભૂમિકાઓ જે છે તેને વિભૂતિઓ કીધી પોતાની વિશિષ્ટ બધી પરિસ્થિતિઓ જે આપણે અત્યારે હમણાં જોઈ, તે સ્થિતિઓથી ઉપર ઉઠવાની જે બતાવી આપણને ભૂમિકાઓ બધી સાત-સાત એને વિભૂતિઓ કીધી. साક્ષાત્કાર કરીને સાથે જાણે એમને એમ નહીં, વાંચ્યાથી નહીં, ત્યાં પહોંચવું જોઈએ. અનુભવ થયો તો ટેકો વાગશે, નહીં થયો તો હજી વાર છે બરાબર. એ ભૂમિકામાં બરાબર તપજે કે ઉતાવળ ના કરીશ, કાચું રહી જશે અને કાચું ખઈશ તો પછી અજીર્ણ થશે, નિયમ તો ત્યાંય લાગુ પડે! લોકોને આધ્યાત્મિક અજીર્ણ એટલું બધું થાય ઘણીવાર કે ના પૂછવાની વાત, આધ્યાત્મિક ડાયરિયા થઈ જાય, ઉલટીઓ થવા માંડે બધું થાય, બહુ જાતનો બહુ તાવ આવે એવો બધો કે ના પૂછવાની વાત, મુખ્ય તો બાબતો આ જ છે ને! હા, આધ્યાત્મિક શરદીએ થાય. એટલે કહે છે કે સાક્ષાત્કાર કરીને જાણે છે તે સ્થિર ધ્યાનયોગ દ્વારા મારામાં એકરૂપ બને છે, સ્થિર ધ્યાનયોગ બસ એકાકાર થવાનું છે બીજું કંઈ જ નથી કે કર્તવ્ય મારે બીજું કોઈ બાકી રહ્યું જ નથી અને આમાં જે પડ્યો ને બાકી બધું હટતું જ જશે હટતું જ જશે તમે જોજો જીવનની અંદરથી પછી છેવટે તો કે: "પ્રભુ તમે છો અને હું છું." છેવટે કહેશે કે: "હવે તું જે છે તે હું છું." આ સ્થિતિ આવી જાય કે મારામાં એકરૂપ બને છે.

જેમ પવન વગરની જગ્યામાં દીવાની જ્યોત સ્થિર રહે તેમાં કંપન ના હોય, તે પ્રકારે યોગીનું ચિત્ત જે છે તે જીતાયેલું હોય. આપણે રોજ દીવો કરીએ: "દીપો જ્યોતિ પરબ્રહ્મ દીપો જ્યોતિર જનાર્દનઃ" પણ લેસન છે ત્યાં આગળ ખરેખર તો, પ્રેક્ટિકલ કહે છે અને પાછું પોતે રોજ જુવે છે તો કે ચિત્તને મારે આવું સ્થિર કરવાનું છે દીવાની જ્યોત જેવું, એ ત્યાં એને લેસન લેવાનો છે કે: "આજનો દિવસ આ દીવો કરું છું હવે આવો હું સ્થિર રહીશ અને હું આમાં મહાલીશ નહીં ગમે તેમ થાય તો પણ." એ ત્યાં નિશ્ચય કરવાનો ને એ પ્રમાણ રહેવાનું છે એના માટે દીવો કરવાનો છે રોજ છે ત્યાં, એ ડિસીઝન આપવું જોઈશે, એ નિશ્ચય થવો જોઈશે, એક દાડો એવું થઈને રહેશે. પછી કરશો એટલે થશે ને કરો તો જ થાય ને પણ શરૂઆત તો કરો ભાઈ! એવી રીતે યોગીનું ચિત્ત જીતાય છે. નથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિનું કારણ હું છું?

આ જે કંઈ તું જુવે છે બધાની પાછળ અધીષ્ઠાન રૂપે હું જ છું એમ કહે છે, કારણ જ હું છું મહાન કારણ બીજું કોઈ નહી. મારા વડે સંપૂર્ણ જગત સક્રિય થાય, મારા વડે હું કરું છું એવું નથી, મારા વડે એ પાછી એક એજન્સી રાખે જોડે વચ્ચે તે પેલા નિશ્ચેતન ચેતનને મિશ્ર ચેતન જેવું બનાવી આપે અને પછી આખું આ જગત સક્રિય થવા માંડે છે, મુવમેન્ટ દેખાવા માંડે ત્યાં સુધી મુવમેન્ટ હોતી જ નથી, બધું તૈયાર હોય છે મુવમેન્ટ જ નથી. એટલે પરમાત્મા જે છે તેમના વડે સંપૂર્ણ જગત સક્રિય થાય છે એમ જાણીને શ્રદ્ધા અને ભક્તિથી વિવેકી સતત મારું ભજન કર્યા જ કરે છે. ભજન આ એક જ છે, ભજન ગાવું એ ભજન નથી ભગવાને ના પાડી, ભજન ગાવાનું નથી ભજન કરવાનું: "ભજન કર એમ." યોગી દ્વારા મારા અનુરૂપ જે પ્રવૃત્તિ થાય છે તે હું જ કરું છું. જો શું કેટલી મોટી વાત કરી દીધી ભગવાને કે: "યોગી દ્વારા જે કંઈ થાય છે તે બધું હું જ કરું છું." એમ કહે છે યોગીને એમ એવું હોતું બી નથી કે હવે હું એ એ બી એટલો સમર્પિત સામે થયેલો હોય છે ત્યારે આ સ્થિતિ આવે છે.

આઈ હેવ ટેકન ઓવર, બિલકુલ ચાર્જ લઈ લીધો છે મેં એનો પછી તો, કારણ કે યોગક્ષેમ હું વહન કરું છું એટલા માટે. એટલે કે છે: "એ જ મારો પ્રસાદ છે, ધીસ પ્રસાદમ! આ મારો પ્રસાદ છે કે એમના દ્વારા જે કરવામાં આવે એ બધો મારો પ્રસાદ છે કે આ બધું હું તને ડિલીવર કરું છું પ્રસાદ રૂપે, તું એને ગ્રહણ કર." એમ કહે છે: "પ્રસાદ રૂપે મારી કૃપા છે આ." બીજા કશામાં મન ન પરોવતા નિરંતર મારામાં જ ચિત્ત લગાડનારા, મારામાં જ પ્રાણ લગાડનારા ચિત્ત અને પ્રાણ બંને જોડે ચાલે છે બરાબર ઘોડો ને ઘોડેસવાર બેય હંમેશા. મારી પ્રક્રિયાઓનો બોધ કરે, મારા ગુણગાન ગાઈને સંતોષ પામે: "પ્રભુ બસ, તમે ફક્ત આટલું બોલો એટલે આહાહા થઈ ગયું, તમે અમને પ્રભુ કહી દીધા." પ્રભુત્વ આપી દીધું ને એ તો છે જ એ તમારે આપવાની જરૂર નથી પણ તમે આપ્યું ને તો તમને મળશે ને પ્રભુત્વ!

કર્મનો નિયમ શું કહે છે? તમે આપ્યું અને કોને આપ્યું પાછું? જે સૌથી લાયક છે તેને આપ્યું છે, કોઈ બીજાને નથી આપ્યું. પ્રભુ, પ્રભુ મારા ગુણગાન ગાઈને સંતોષ પામે છે અને નિરંતર મારામાં જ રમમાણ રહે છે. દસમાં અધ્યાયનો દસમો શ્લોક. હવે આગળ કહે છે: "સતત મારામાં ધ્યાનમાં લાગેલા પ્રેમથી મને ભજનારા એ ભક્તોને હું એ બુદ્ધિયોગ કયો બુદ્ધિયોગ આપું છું?" યોગમાં પ્રવેશવાની બુદ્ધિ એને બુદ્ધિયોગ કહેવામાં આવે, નહીં તો તો બીજી કંઈક બુદ્ધિ આવે કે લાયને જરા જોવું શું છે પેલું અત્યારે સ્ટોક માર્કેટ કેટલે પહોંચ્યું! એવી બુદ્ધિ પાછી ઊભી થઈ જાય માણસને આ બધું કરતાં-કરતાં એ વચ્ચે ૧૧:૩0 થઈ ગયા કે: "ચાલો હવે જરાક જોઈ લઉં થોડુંક કામ." અને એ પાછું વિક્ષેપતા આવી જાય કે ના, હું એના યોગની અંદર પ્રવેશ પામવાની એને બુદ્ધિ આપું છું, પછી એમાં એને સ્થિર કરું છું, પછી તેમાં એને ચલાવું છું; આ બધી મારી કૃપા છે, આ મારો પ્રસાદ છે તું સમજ જરા.

તેનાથી તેઓ મને પ્રાપ્ત થાય છે, એનું ફળ શું આવે છે? મને પ્રાપ્ત કરી લે છે આ લોકો. એટલે યોગની જાગૃતિ એ તો ઈશ્વરની દેન છે, મજાક નથી બધાને ના હોય, બધા યોગા જ કર્યા કરે ત્યાં સુધી પહોંચવા. ભગવાન કહે છે આગળ કહે છે: "કરોડોમાં કોક મને જાણે." એ અવ્યક્ત આ કેવી રીતે આપે છે? હવે પ્રશ્ન થાય કે જે અવ્યક્ત છે એ આપણને આ બધું કેવી રીતે આપે છે? તો કે છે એમના પર સંપૂર્ણ અનુગ્રહ કરવા માટે શું કરે છે? "સંપૂર્ણ અનુગ્રહ કરવા માટે હું તેમના આત્માથી અભિન્ન રહીને, રથી બનીને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને દૂર કરું છું." અંદર એક ફ્લેશ થાય બસ એવી રીતના કે છે હું એને દૂર કરું અને એનું અજ્ઞાન ગયું કે જ્ઞાનરૂપી દીપક હું પ્રગટાવી દઉં છું એની અંદર, એને જ્ઞાન થઈ આ હું કરું છું શરૂઆતમાં, આ મારો અનુગ્રહ છે એમ કહે છે.

એને તો તમારે અર્જિત કરવો જ પડશે શરૂઆતમાં. તે સ્વરૂપસ્થ મહાત્મા દ્વારા બોલે છે, આવો કોઈ તમને પ્રાપ્ત ન હોય ત્યાં સુધી પરમાત્મા તમને સ્પષ્ટ જણાશે નહીં અને જ્યારે એવો કોઈ સ્વરૂપસ્થ મહાત્મા તમારી એમ કે ઉપસ્થિત થશે જીવનમાં, ત્યારે તમે જાણશો કે પરમાત્મા સ્વયં બોલી રહ્યા ત્યારે તમને અનુભવ આવશે. ઈષ્ટ ગુરુ, સદગુરુ અથવા પરમાત્માનું રથી થવું આ સૌ એક જ વાત. સાધકનો આત્મા જાગૃત થઈ ગયા પછી એનો નિર્દેશ એને ચાર પ્રકારે મળે છે, ચાર પ્રકારે નિર્દેશન આયુ હવે, ડાયરેક્ટેડ બાય ગોડ! प्रथम તો કે સ્થૂળ સુરાના અનુભવો થશે તમને, સ્થૂળ સુરાના અનુભવો. તમે ચિંતનમાં બેસો છો તો તમારું મન ક્યારે લાગશે, કેટલું લાગશે, ક્યારે મન ભાગવા માંડે અને ક્યારે ભાગી ગયું મન અથવા ભાગી ગયું આનું સૂચન દરેક સેકન્ડે મિનિટે ઈશ્વર શરીર સ્પંદનથી સંકેત કરીને તમને જણાવે.

શરીર સ્પંદનો જે છે ને એ એની ભાષા છે, ઈશ્વર તમારી સાથે વાતચીત કરી રહ્યો છે હવે સમજાય છે? પ્રાણ હીલિંગ શું વસ્તુ છે? આ રીતે પ્રાણ હીલિંગ વગેરે વગેરે આ જે કઈ બધું થયું છે તે શું છે? ઈશ્વર સાથેનો ડાયરેક્ટ તમને આદેશ આવી રહ્યો છે, ડાયરેક્શન આવી રહ્યું છે, આમનું કોમ્યુનિકેશન ઓપન થઈ ગયું છે ત્યારે આ થાય. એટલે કહેવામાં આવે છે કે જ્યારે તું તું આમ હાથ ઉઠાવીને આમ કરીશ ને તો તારા ટેરવા બોલશે એમ કહે છે, આ ફર્સ્ટ કમ્યુનિકેશન છે તમે જે રિસીવ કરો છો ને તે. અત્યાર સુધી ઈશ્વર એલિયનની જેમ હતો તમારા માટે, હવે અહિયા કમ્યુનિકેશન ચાલુ થયું છે. "ઓ..." એમ કરીને બોલશે એ તો, હા! આનું સૂચન દરેક સેકન્ડ મિનિટે તમને ઈશ્વર શરીર સ્પંદનથી સંકેત કરશે: અંગ ફડકવા માંડે, આ બધું આમ આમ થવા માંડે અંદર, કોઈ જગ્યાએ કશું કામ આમ થવા માંડે, આ બધી શરૂઆત થશે તમારી એમ કહેવા માંગે.

કશું ના હોય ને એકદમ હાર્ટ આમ આમ થતું હોય ને જાણે એવો અનુભવ આવે, કશું ના હોય પગ તમારું એકદમ આમ આમ થવા માંડશે કશું નથી તો, ક્યાં ફર્સ્ટ કમ્યુનિકેશન આયું તમે યુ હેવ રીસીવ્ડ. અંગોનું ફરકવું એ સ્થૂળ સુરાના અનુભવ છે, એક ક્ષણમાં બે-ચાર જગ્યાએ એકી સાથે આવશે અને મન વિકૃત થવા સાથે તો મિનિટે મિનિટે આવવા લાગશે. મન વિકૃત થશે ત્યારે તો મિનિટે મિનિટે આવશે આમ આમ કરશે. આ બધું જે થાય છે તેનાથી એ તમને સંદેશો આપે છે કે: "ભાઈ, તારું કઈક ગડબડ છે અને નીકાળવાનું છે, એલર્ટ આવ્યું છે આ તારું." આવા સંકેતો ત્યારે જ આવશે જ્યારે ઈષ્ટના અનુરૂપને અનન્ય ભાવથી તમે પકડશો. સાધારણ જીવોમાં સંસ્કારો અથડાતા અંગોમાં સ્પંદન થતા રહે છે, સાધારણ જીવ એટલે જે લોકો હજી આમાં ક્યાંય આયા જ નથી એ લોકોને આ બધું થયા કરતું હોય છે; પરંતુ ઈષ્ટવાળા સ્પંદનો કંઈક ઓર જ હોય, એ તો ખબર જ પડી જાય કે આ કઈક કુછ અલગ હોય.

એવી રીતે બીજું જે છે તેને સુરા સ્વપ્ન સુરા કહેવામાં આવે છે, સ્વપ્ન સુરા. સાધારણ માણસ વાસનાઓને લગતા સ્વપ્નો જોયા કરતો હોય છે, પરંતુ જેવા તમે ઈષ્ટને પકડી લેશો તો આ સ્વપ્ના પણ તમારા માટે નિર્દેશ બની જશે, ડાયરેક્શન ફ્રોમ ગોડ! યોગી સ્વપ્ન નહીં પણ ઘટનાઓ જુવે છે; યોગી સ્વપ્ન નથી જોતો, ઘટનાઓ જુવે છે પહેલા બનેલી, અત્યારે બની રહે છે તેવી અને પછી બનનારી. આ બધી ઘટનાઓને એવું આમ જુવે છે એક્ઝેટ જુએ, જેમ બની રહ્યું તું, બની રહ્યું છે અથવા તો બનવાનું છે તે બધું એ ઘટના રૂપે જુવે છે, એને એવા પ્રકારનું સ્વપ્ન. આ બંને અનુભવો કેવા છે? તો કે પ્રારંભિક છે, એટલે આવા-આવા બધા તમને ત્રીજી ચોથી ભૂમિકામાં તમે પહોંચશો ને એટલે ત્યારે આવશે, તનુમાનસા પૂરી થતા પછી શરૂઆત થાય આ બધાની. તે પહેલા ના થાય આ બધું, તો આપણે હમણાં જોયું ને સપ્ત ઋષિની વાત કરી ત્યાં પછી આ શરૂ થાય એટલે પ્રારંભિક છે એમ કહે છે, પણ એ તો પણ ત્રીજી ચોથી ભૂમિકામાં આવે છે.

કોઈ તત્વસ્થિત સાનિધ્યમાં મનના એમ એમના પ્રતિ શ્રદ્ધા અને આદર રાખવાથી પણ, માત્ર એમની આછી-પાતળી સેવા માત્રથી પણ આત્મા જાગૃત થઈ જાય. અત્યાર સુધી શું છે? તો કે બસ જોયા કરતો તો બેઠા, હવે આત્માનું તમને સક્રિયપણાનો અનુભવ થશે ક્યારે? સત્વાપત્તિ પૂરી થયા પછી અથવા તેની શરૂઆતમાં કે એના અંતભાગની અંદર, ચોથી પાંચમી અવસ્થાની અંદર તમને આ બધુ થવાનું ચાલુ થઈ જશે એમ કહે છે. દિવસ-રાત સંસારમાં તો સૌ સૂતેલા જ છે કે દિવસ-રાત સૂતેલા કોઈ જાગતા નથી, એટલા કે છે બધા મોહનિંદ્રામાં પડેલા છો તમે. ભલેને તમારા બપોરના ૧૨ વાગ્યા છે તમે શું લખો છો? ૧૨ નૂન. પણ તમે તો મોહનિંદ્રામાં એક વાગ્યે જઈને મોલમાં ઊભા રહો છો તરત જ પેલું આમ કરીને એક શાવર લઈને, તરત સરસ મજાના કપડા પહેરીને ભટકવાનું ચાલુ હે ભટક બજારની અંદર કે: "આ લઉં કે પેલું પેલું લઉં કે આ લઉં?" પછી કશું ના લે તોય છેવટે એની સ્મૃતિઓ લઈને આયા કરે કે, પછી ઘેર આવીને પાછો વિચાર કરે: "પેલું લીધું હોત તો સારું હતું, આ બહુ સારી ડીલ હતી ચૂકી ગયા કે કાલે જઈશ કશો વાત ન." પાછો બીજા દાડાનું પાછું નક્કી કરી નાખે કે જવાનું જ છે પાછું ફરીવાર અને પછી પાછું એમ કે કે: "મારી પાસે ટાઈમ નથી." કર્મો ખૂટતા નથી.

અહીથી, અહીથી, તહીથી બધેથી આવું બધું ભેગું કર તમે ભલે કોઈ વસ્તુ નથી લાવતા પણ તમે સ્મૃતિઓ લઈને લોડિંગ કર્યા કરો, બોજો જ વધારો છો ભાઈ, કેટલા નીચે જશો? "અમે તો ત્યાં જઈએ ને એટલે બહુ સારું લાગે બોલું, બે કલાક જવાનું ત્રણ કલાક જવાનું, એર કન્ડિશન હોય, છોકરીઓ બધું પેલું આમ કરતી હોય કે આ લઈ લો અને પેલું લઈ લો, બોલો કે આવું ક્યાં મળે?" રાજી થઈ થઈને જાય પાછા અને રૂપિયા નાખી આવે ત્યાં આગળ; બહુ મહેનત કરીને કમાયેલા હોય એમને એમને પોતે કે એમના વરે જેને બી હોય, ઘરના કુટુંબની સંપત્તિ જે કઈ છે તે બધું ફેંકી આવે ત્યાં, ફેંકી આવે રીતસર! પેલું આખું કબાટ ભરેલું હોય બધું, ૧૦૦ સાડીઓ હોય છે. અમે ગયા હતા એક બેનને ત્યાં આગળ, એની કામવાળીની પાસે ૧૦૦ સાડીઓ છે અને એ બેન પેલી બનારસી ટાઈપની સાડી પહેરીને તો પોતા કરતી તી, કચરા વાળતી તી એના ઘરની અંદર, અમે જોયેલું આ તમને કહું!

અને પાછા જે બેનને ઘેર થતું હતું ને આ, એ કે છે કે: "એની પાસે તો ૧૦૦ સાડી છે." પોતે નથી કહેતા કે એમની પાસે કેટલી છે, એટલું ખાનગી રાખે પણ આ જાહેર આનું કરી દીધું કે આમની પાસે નિત નવી સાડી કે કોઈ દાડો રિપીટ થાય નહી કે, બોલો આ બધું કેવી રીતે થાય પછી તમે બતાવો! એટલે કે છે કે કોઈપણ તત્વસ્થિત વ્યક્તિ જે હોય, તમને જો મળી જાય તો તેના સાનિધ્યની અંદર તમે આવી જશો અને એમના મનની અંદર શ્રદ્ધા ને આદર રાખવાથી માત્રથી પણ તમારો આત્મા જાગૃત થવા માંડે છે, કેટલી બધી મોટી વાત! રૂબરૂ મુલાકાત નથી થઈ તો કાઈ ની, તમે ફોટો, તસ્વીર ગમે તે રીતના બસ તમારો શ્રદ્ધાભાવ અર્પણ કરો. એકલવ્યએ આજ તો કર્યું તું, એને ફક્ત પેલી શું કહેવાય ધનુષ્ય વિદ્યા શીખવી તી એટલા પૂરતો અટકી ગયો, એને પહેલા હિન્દુ બ્રાહ્મણ જેવું થયું. એણે જો મૂર્તિ તો મૂકી તી પણ પરબ્રહ્મની છે એમ કર્યું હોત તો પાર લાગી ગયો હોત, પણ દ્રોણની મૂકી.

દ્વંદ્વમાં જ રહે: આમ જવ કે આમ જવ, આમ જવ કે આમ જવ, મારું કે ના મારું? લક્ષ્ય ઉપર જાય તોય એવું તીર હાથમાં છે પણ દ્વંદ્વ ચાલુ છે: મારું કે ના મારું? ના, નક્કી જ ના કરી શકીએ. એટલે કે છે કે આ બે અનુભવો જે છે ને તે સ્થૂળ અનુભવો છે, પરંતુ આ બેથી પર સૂક્ષ્મ એવા બાકીના બે અનુભવ જે છે તે ક્રિયાત્મક જે તે માર્ગે ચાલતા આવશે; કયા માર્ગે ચાલતા? માર્ગ અને મુકામ એક જ છે પરબ્રહ્મ પરમાત્મા બસ. ત્રીજો અનુભવ સુષુપ્તિ સુરા સંબંધી છે, કેવો છે? સુષુપ્તિ સુરા સંબંધી. આપણે વિશ્વરૂપ દર્શન કરી રહ્યા છે અત્યારે, સંસારમાં સૌ સૂતેલા જ છે મોહનિદ્રામાં અચેત, રાત-દિવસ તેઓ જે કાંઈ કરે છે ચોપડી લખતા હોય કાઈ બી કરતા હોય બધું મોહનિદ્રા છે કશું ન બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ, જાગૃતિ બહુ જ છે કે કશો અર્થ નથી. રાત-દિવસ તેઓ જે કઈ કરે છે તે સ્વપ્ન જ છે, શું કહી દીધું સ્વપ્ન જ છે!

એમની માન્યતા છે કે એઓ લોકો જાગીને કરે છે ખરેખર એ લોકો સ્વપ્નમાં જાગેલા છે અને આ બધું કરાય, આ જે કઈ પદાર્થો છે તે પણ બધા સ્વપ્નના પદાર્થો છે એમને ખબર પડતી. ઉપનિષદ છે ગીતા યાદ રાખો, બહુ સૂક્ષ્મ વાતો છે એની અંદર, જે બીજા ઉપનિષદોમાં મળે છે તે પણ અહીંયા તો છે જ તે ઉપરાંત અનેક ગણું વિશેષ છે અહિયા આગળ. સુષુપ્તિ એટલે જ્યારે ચિત્ત પરમાત્મામાં એવું લાગી જાય, સુરત ખયાલ સ્થિર થઈ જાય એકદમ, શરીર જાગતું રહે પણ મન સુષુપ્ત થઈ જાય; શરીર જાગતું રહે મન સુષુપ્ત થઈ જાય. આવી અવસ્થામાં તે ઈષ્ટ ફરી પોતાનો સંકેત આપશે, આવી અવસ્થામાં સંકેત આપે. યોગની અવસ્થા મુજબ પૂરક દ્રશ્ય રૂપક દેખાશે એને આમ એકદમ, અહીંયા જ એને દેખાવા માંડે અહીંયા સ્થિર થઈ ગયો હોય બિલકુલ. બધા લોકો જુવે કે આ જાગે છે પણ એનું મન એકદમ સ્તબ્ધ અને સ્થિર થઈ ગયું હોય શાંત બસ, એને એકદમ અહિયાં દેખાય કોઈક સાંજે બનનારી ઘટના હોય, અત્યારે ક્યાંક બની રહી હોય, કોઈક વ્યક્તિના સંબંધિત કોઈ ઘટના હોય જે હમણાં જ મળવા આવવાનું હોય, આવા પ્રકારનું કંઈ પણ એનીથિંગ એનીથિંગ.

જ્યારે આવું થવા માંડે ત્યારે એ ત્રીજી ભૂમિકા છે, એ ત્રીજી સુરા છે એને સ્વપ્ન સુરા પછીની સુષુપ્તિ સુરા કહેવામાં આવે, એટલે એવી સુરા દેખાવાની ચાલુ થાય. આવી અવસ્થામાં તે ઈષ્ટ ફરી પોતાનો સંકેત એને આપે છે, યોગની અવસ્થા મુજબ એને પૂરક રૂપક દ્રશ્યો બધા દેખાશે અને એને દિશા સૂચન કરશે એ બાબતે કઈ કરવા યોગ્ય હોય તો જાણવા યોગ્ય હોય તો. પછી એવું કઈ જરૂર નથી કે આ 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' અહી આમ આખું આમ દેખાવા માંડે એવું જરૂરી નથી, થઈ શકે કે છે એવું પણ જો એને જાણવું જરૂરી હોય તો પણ નથી દેખાતું આવું બધું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એનો મતલબ શું છે કે જરૂરી નથી, આવશ્યક નથી આ બરાબર છે, આમાં ક્યાં ટાઈમ બગાડે છે હજી તો આ વાત પછી કરીશ તમને ચોથો અનુભવ આમાં અટવાશો નહીં એમ કહે છે. સમસુરા ચોથી જે છે અનુભવતી કેવો છે સમસુરાનો, જેમાં તમે ધ્યાન લગાવ્યું હતું એ પરમાત્માથી સમત્વ તમને પ્રાપ્ત થઈ ગયું બસ આમ થઈ ગયા હો: "હું બ્રહ્મ છું ભૂલવાનું નહી." અનુભવ આવવાનું શરૂ થઈ ગયો થોડીક વાર માટે જરાક વાર માટે, પાછો જતો રહે પાછો આવશે, પાછો જશે પાછો આવશે એમ ચાલ્યા જ કરશે થોડી થોડી વારે જેમ પેલા ફ્લેશ થતા હોય એવી રીતે આવશે કોક, પછી એનું ડ્યુરેશન વધતું ચાલશે વધતું ચાલશે વધતું ચાલશે.

આ ચોથો અનુભવ પછી સ્થિરતા આપી દેશે, પૂરું થઈ ગયું તે પછી જેમાં તમે ધ્યાન લગાવ્યું હતું તે પરમાત્માથી તમને શું થઈ ગયું? સમત્વ પ્રાપ્ત થઈ ગયું, સમત્વ પ્રાપ્ત થઈ થઈ ગયું એટલે હવે શું થશે? તો કે ઉઠતા, બેસતા, હરતા, ફરતા સર્વત્ર એની જ અનુભૂતિ ક્યાંય પણ જાવ કંઈ પણ કરો પરબ્રહ્મ બસ, બીજું કઈ નહી કશું છે જ નહી બીજું એટલા માટે એ અનુભવ સ્થિર થઈ જશે અને એવી રીતે એની અનુભૂતિ એમની હાજરી જણાવવા માંડે એને પ્રત્યક્ષ. દાદા ભગવાનની સાક્ષીએ બધું જ આમ પ્રત્યક્ષ થવા માંડશે એકદમ. આવો યોગી, આવો યોગી ત્રિકાળજ્ઞાની હોય અને બધું જેમ છે તેમ સ્વયં સ્પષ્ટ જ દેખાતું હોય. આ અનુભવ ત્રણેય કાળથી પર અવ્યક્ત સ્થિતિવાળા મહાપુરુષ આત્માથી જાગૃત થઈ અને અજ્ઞાનથી ઉત્પન્ન અંધકારને જ્ઞાનદીપક વડે નાશ કરી નાખે. પોતાનો તો થઈ જ જાય છે બીજાનો બી કરી નાખે, પેલો ત્યાં બાજુમાં જ બેહી રહ્યો છે બસ એને અસર થવા માંડે.

તો પેલા હતાને વિવેકાનંદ અતિ બુદ્ધિશાળી, તે આયા તે ભાસ એકદમ પેલા રામકૃષ્ણને: "તું આવી ગયો કે! આમ કેટલા ટાઈમથી રાહ જોતા હતા." એ તો એમને તો ખબર હતી કે આવાનો છે, આવાનો છે, આ આવવાનો છે એવી ખબર હતી એમને, અને જેવો આવ્યો એટલે બસ તરત જ એમ આવી ગયા કરીને એકદમ આમ કર્યું. હવે આમનો પ્રથમ પરિચય વિવેકાનંદને આમનો તે આ જન્મમાં બરાબર, કારણ કે એમને પૂર્વનું જ્ઞાન તે વખતે હતું જ નહીં એટલે એકદમ જેવો એમને સ્પર્શ કર્યો રામકૃષ્ણએ એટલે તરત જ એને આમ જાણે કે આમ કઈક બહુ જ પ્રકાશની પેલી એની અંદર એક જમ જાણે પોતે આવી ગયા હોય એવી એક સ્થિતિ આવવા માંડી એમ કી તો લિટરલી એ ગભરાઈ ગયા કે: "મહાશય આ તમે શું કરી રહ્યા છો કે?" ત્યારે પેલાને થોડું જાગૃતિ આવી: "અરર કે છે આને તકલીફ થઈ રહી છે કે કાઈ વાંધો ન એ તો પછી તારું થઈ જશે." કરીને એને એ અનુભવ ત્યાં ટપલી મારીને બંધ કરી દીધો; પહેલી ટપલી મારીને જાગૃત થયો, બીજી મારીને બંધ થઈ ગયો, બોલો!

આમ કરીને આમ બધું આંગળીના ટેરવે હોય, આવી રીતે ગોવર્ધન ઉચકી કાઢે આખે આખો આવી રીતે ઉચકે, એ મહાપુરુષ હોય મહાનતાની કે આ વાત કરતો. જ્ઞાનદીપક વડે અજ્ઞાનનો એ નાશ કરી નાખે એટલે જેને સંસારમાં પડી રહ્યું છે એણે તો આવાની પાસે જવું જ ના જોઈએ આ વખતે. હવે અર્જુન ઉવાચ. આ બધું કીધું એટલે પછી અર્જુને પ્રશ્ન ફરી પાછો પૂછવાની ઈચ્છા થઈ ગઈ કે: "પ્રભુ આ તો બધું બહુ અદભુત છે..."

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.