ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૫
વિડિયો ૮૫
એટલે અહીંયા ગાળે કીધું કે, "રમ અર્થાત પ્રાણમાં સમસ્ત ભૂતો, પ્રાણી સમુદાય રમણ કરે છે." સમસ્ત ભૂતો કીધા એટલે પાંચે પાંચ તત્વો આવી ગયા, પંચભૂતો. પણ માત્ર રમ સાધના કરવા માત્રથી તમે પાંચે પાંચ તત્વોની પણ સાધના કરી શકો છો.
આ વાત છે. હવે રમ સાધનાની અંદર એક બીજી વસ્તુ કે આપણે શરૂઆતમાં એમ કીધું કે મોટેથી બોલો, ત્રણ વખત બોલો, પાંચ વખત બોલો, ૧૧ વખત બોલો. વચનો ઇન્ટરવલ છે તેની અંદર તમે અહીંયા બ્રહ્મ છે, કારણ કે બ્રહ્મ તો સર્વત્ર છે, પણ એ બ્રહ્મ અહીં છે એવી રીતે તેને સાથે અનુસંધાન તમારું કરતા જવાનું. ચિત્તની ત્યાં આગળે રાખવાનું, ઠેરાવ આપવાનું. ચિત્તને બસ ઠરી જશે અને અહીંયા આગળે એવ એનાથી તમારે જોવાનું કે આ સૂર્ય સમાન છે, નારંગી રંગનો જેમ કે સૂર્ય હોય એવી રીતના આમ પ્રકાશિત થઈ રહ્યો છે જબરજસ્ત રીતે અને આમ બસ એના કિરણો એ આખાય દેહની અંદર, આ દેહ છે એ પણ એક બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડમાંથી નીકળીને અનંતા અનંત સુધીને જઈ રહ્યા છે એમ તમારે જોખ કરવાનું. તો એ વધારે આગળ પડશે જો એવા પ્રકારનું સાથે સાથે કરતા હશો.
છેવટે આવી રીતના મોટેથી બોલવાનું, સ્પંદનો મેળવવાના, એ બધું જે કરતાં કરતાં કરતાં પછી છેવટે મૌનની અંદર સરી જવાનું અને મૌનમાં ત્યાં આગળે બ્રહ્મને જ રમ સ્વરૂપે જોયા કરવાનું કે રમને બ્રહ્મ સ્વરૂપે જાણ્યા કરવાનું. એક વાત. બીજું, આ કરતી વખતે શરૂઆતમાં લુઝ મોશન થઈ શકે. કોઈકને કદાચ થોડી ઉલટી, ઉપકા વગેરે પણ થઈ શકે છે. કોઈકને શરૂઆતમાં બ્રધલેસનેસનો પણ કંઈક અનુભવ આવી શકે છે. તો એમણે એક સામટી એમ કે અડધો કલાક પહેલેથી જ એવી રીતના ન કરવું. ધીમે ધીમે આપણને કસરત કરીએ તો જેમ રોજ થોડુંક કરતાં વધી, એવી રીતે એને વધારતા જવાની માત્રા, સમય જે આપીએ છીએ તેને.
આ કરતી વખતે શક્ય છે કે કોઈકને બીપીનો કંઈ પણ ઇશ્યુ હોય, સુગરનો હોય, તો એમાં પણ ફ્લક્ચ્યુએશન આવી શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી અન્ડર મેડિકલ સુપરવિઝન, એટલે આ બાબતોનો લક્ષ્ય રાખીને કામ કરવું. અત્યારના સંજોગોની અંદર એ હિતાવહ છે. બરાબર. આ બધું યોગના પુસ્તકમાં નથી લખ્યું, પણ અહીંયા આગળે અત્યારે કહી દઈએ છીએ કારણ કે સાંપ્રત સમાજની અંદર આ બધી સમસ્યાઓ છે. તો આપણે એને સમાધાન પ્રાપ્ત કરવાનું છે. એટલે કંઈ પણ જડતાપૂર્વક આગ્રહ રાખીને એવી રીતના ન થવું એનો ખ્યાલ રાખવાનો.
હવે આગળ ૧૩મા બ્રાહ્મણમાં કહે છે, "અત્યારે જો હવે પ્રાણની સાધના સુધી પહોંચ્યા." હવે આગળ કહે છે, "પ્રાણ જ ઉક્ત અર્થાત સ્ત્રોત્ર છે. એટલે ઉક્તની જ પ્રાણના રૂપમાં ઉપાસના કરો કારણ કે પ્રાણ જ આ બધાને પ્રાણીઓને ઉપર ઉઠાવે. જે સ્થિતિમાં હોય ત્યાંથી એને ઉર્ધ્વીકરણ, ઉર્ધ્વ ગતિ તરફ લઈ જવા માટેનું જે કામ કરે છે તે કોણ કરે છે? ઉક્ત એટલે કે પ્રાણ જ આ કામ કરે છે. આ ઉક્ત દ્વારા જ ઉક્ત વેતા પુત્રનું પ્રાગટ્ય થાય છે. આ રીતે જાણનારો જ્ઞાની જ ઉક્ત એટલે કે પ્રાણના સાયુજ્ય અને સાલોક્યને પામે છે."
પ્રાણનો પણ લોક છે. તમે સંપૂર્ણ પ્રાણવાન બની ગયા એટલે તમે પ્રાણના લોકની અંદર પહોંચ્યા છો એમ સમજી લો. લોક એટલે કોઈ જગ્યા, ફિઝિકલ પ્લેસ એવું નથી, પણ તમે એનું તાદાત્મ્ય કેળવી રહ્યા છો, એના સાથે સાયુજ્ય પામી રહ્યા છો અને સમસ્થિતિ ઉપર આવી રહ્યા છો એટલે તમે સ્વયં પ્રાણ બની રહ્યા છો. પછી તો આવી રીતે પાંચ ભૂતોની ઉપર ઉઠી ઉઠી ઉઠીને છેવટે પ્રાણ સ્વરૂપ બનીને પછી આત્મસ્વરૂપ થવાનું છે.
"પ્રાણની ઉપાસના યજુ એટલે કે યોગના રૂપમાં સંપન્ન કરો. પ્રાણની ઉપાસનામાં પ્રાણને બ્રહ્મ માનીને તમે બ્રહ્મ સ્વરૂપ છે એમ માનીને તેની ઉપાસના કરો." પ્રાણ છે એ જ બ્રહ્મ છે એવું પણ કહેલું છે અગાઉ. એટલા માટે તો સાયુજ્ય અને સાલોક્ય પ્રાપ્ત થાય છે. "હવે પ્રાણ જ યજુ છે એટલે કે યોગ છે. એટલે યોગ સાથે યોગ કરવાનો. આ કારણે પ્રાણમાં આ સમસ્ત ભૂતો પ્રાણીઓનો યોગ થાય છે."
એવું કહેવામાં આવે છે કે જે લોકો આવી રીતે રમ દ્વારા નાભિની સાધના કરે છે અને એના દ્વારા પ્રાણને સાધે છે, તે લોકોને આખા શરીરની રચનાનું જ્ઞાન થઈ જાય છે. આગળ ઉપર આખા સર કાય વ્યુહ એને કહેવાય છે. એટલે આ કાયા કેવા વ્યુહથી રચાયેલી છે એની રચનાનું સંપૂર્ણ જ્ઞાન એને પ્રાપ્ત થઈ શકે છે. આ ઋષિ મુનિઓ જ્યારે એમ કહે છે કે હૃદયમાંથી નીકળતી ૭૨,૦૦૦ જે હિતા નામની નાડીઓ એ ઉપરની તરફ જાય છે અને નીચેની તરફ જાય છે. કોઈપણ પ્રકારના માઈક્રોસ્કોપ વગર એમને આ બધું જ્ઞાન સંપાદન કર્યું હતું. આ બધી નાડીઓ વિશે એક અલંભુષા નામની નાડી છે. તો બધી અલગ અલગ અને એમના બધાના નામ પણ આપ્યા એ લોકોએ આવી રીતના જાણવા માટે, ઓળખવા માટે અને એટલું બધું એમને તલસ્પર્શી જ્ઞાન હતું. એનો અમુક ભાગ જ સુશ્રુતે બહાર પાડ્યો હતો, અમુક ભાગ જ ચરકે બહાર પાડ્યો હતો.
ઘણું બધું જે એવું છે કે જે યોગીઓ જુએ છે, જાણે છે, સમજે છે પણ એ ક્યારેય બહાર પડતું નથી. પણ જ્યારે તમે આવી સાધના કરો છો ત્યારે આખાય કાય વ્યુહનું, કાયાના વ્યુહનું તમને જ્ઞાન થઈ જાય.
હવે તમે એક બ્રહ્માંડનું જ્ઞાન પ્રાપ્ત કરી લો છો જ્યારે તમે આવી રીતના કરો છો. એક બ્રહ્માંડનું. આ જે બ્રહ્માંડમાં અહીં છે તે જ બધું બધે જ છે. એટલે કોઈપણ જગ્યાનું એમ કે તમે તો જ્ઞાનની વૃદ્ધિ આવી રીતના થતી એમ કે જોવા મળતી હોય. કોઈ પણ સાધના કરીએ એટલે આ તમે કેમ કીધું રમની કે કોઈ પણ આપણે સાધના કરીએ તેને આમ આડ અસર કે કાંઈ પણ આડ અસર જેવું હોય છે. એક્ચ્યુલમાં તો એ સાધક છે, સાધના કરે છે તો એ તો એનો કચરો નિકાલ થતો હોય એટલે એને આવું બધું થતું હોય. હા, સાચી વાત. માં જઈને ફાયદો જ થતો, ફાયદો જ થતો હોય છે. એટલે આમ કરતાં કરતાં કેટલાક લોકોના જીવ પણ જતા રહેતા હોય છે. બરાબર. દેહ પણ કચરા જેવો થઈને રહ્યો હોય તો પછી જતો.
રહે એટલે એક્ચુલમાં આમ ફાયદો થયો, આમ ફાયદો થયો, પણ પેલો કે દેહ ત્યાગ થઈ ગયો એનો તો નુકસાન થયું, તો બાકીના બીજા લોકો આગળ પાછળના ભડકી મરે કે આ તો કરવા ગયો કંઈક ને થઈ ગયું કંઈક કે બધું. પણ એટલે સાધનાની અંદર બેસે છે જ્યારે, તે એક વ્યક્તિ શું થાય છે કે એ અનંત સાથે જોડાવાની પ્રક્રિયામાં સ્વેચ્છાએ સંમેલિત થાય છે. પછી કુદરત એના પરિણામો નક્કી કરતી હોય છે કે ભાઈ આને કેવી રીતે ઉપર ઉઠાવો. એને એનું કરંટ ડે બોડી હોય એ એટલું સરસ હોય જ નહીં કે જે આગળનું બધું સહન કરી શકે. એટલા માટે એને તાત્કાલિક ત્યાં પૂરો કરી, સારા માતાપિતાને ત્યાં સારો જન્મ પાછો ફરી તાત્કાલિક આપી અને સ્વસ્થ શરીર સાથે પછી પાછા ફરી એને યોગના જ પૂરણો પ્રાપ્ત થાય એવા સંયોગો એને પેદા કરાવી, એવા બાળકને ધીમે ધીમે ઉપર ઉઠાવીને પાછો એને આગળ લઈ જાય.
પણ તે વખતે એ બાળકને આ બધું ખ્યાલ ના હોય કે ભૂતકાળની અંદર, આગલા જન્મની અંદર એને આવું આવું બધું કરીને બેઠેલો છે. એટલા માટે જે અહીંયા ગયો એનો, તેના સગાવાલાઓ બધા શોક મનાવતા હોય, પણ ખરેખર ત્યાં જે આવ્યા છે તે બધા ખુશિયા મનાવે છે; તેને કોઈ જોતું નથી. આવી પણ એક સ્થિતિ છે.
એટલે જે સુગર ને બ્લડને બધું લેવલ આમ તેમ, એ તો એના સારા માટે થતું હોય. બધા ફ્લક્ચ્યુએશનો જે કંઈ થાય, પ્લસ માઇનસ થાય, બધું મેડિકલ ટર્મિનોલોજીમાં એને ઉપર નીચે ઓવરઓલ એડજસ્ટમેન્ટ આવી જ જાય આગળ ઉપર. પણ એટલા માટે એમ કહે છે કે ભાઈ તમે એકદમ ફંગોળી દો કે ફેંકી નાખો દો એવી રીતના તમારું જીવનને તમારે એ ન કરવું; સ્ટેપ બાય સ્ટેપ આગળ પોધો.
પણ જે વ્યક્તિએ નક્કી જ કરી નાખેલું છે, "બસ મારે બ્રહ્મને પામવો જ છે," એ તો પછી નિર્ભય છે અંદરથી. એને તો દેહ ત્યાગનો પણ ભય રહ્યો જ નથી. અહીં સમજી ગયો છે કે મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. "ભાઈ, હું તો એક રૂમમાંથી બીજા રૂમમાં જાઉં છું અને ત્યાં બીજા કપડાં પહેરી લઉં છું." એને ખબર છે, પણ એને આસપડોસવાળાઓને ખબર નથી હોતી અને એ બધાનો ભેગો થઈને એવો બધા ભયભીત કરી મૂકે. પેલાને ઉપરથી પ્રેશર મારી દે એટલે પેલો કંઈક કરવા જતો હોય તો બિચારો પાછો પડે.
દર વખતે એવા સમયે એને થોડો જો કોઈ સમજણ આપનારો, કોઈ વિવેકી જ્ઞાની મળી ગયો હોય તો એ આગળ પણ નીકળી જાય. એટલે એમાં કંઈ મુશ્કેલી નથી હોતી. બરાબર છે. વાસ્તવમાં મુશ્કેલી જેવું કંઈ છે જ નહીં. જે લાગે છે તે તમારી આંતરિક શક્તિઓને બહાર કાઢવા માટે, પ્રગટ કરવા માટેની જ એક સ્થિતિ છે, બસ. કારણ કે સ્ટ્રેસ આવશે નહીં ત્યાં સુધી, ટેન્શન થશે નહીં ત્યાં સુધી ને સ્નાયુ મજબૂત જેમ થતા નથી એવી રીતે આ બધું છે. તો કામ તો કરવું પડશે, ક્યારેક ને ક્યારેક તો શરૂઆત કરવી જ પડશે. પણ એમાંય પણ કીધું કે જે લોકો કાર્યને પ્રાધાન્ય આપે છે, એવા લોકો યોગ તરફ વળશે કે ભક્તિ તરફ વળશે.
એ બહુ માઈલ્ડ ડોઝ છે ભક્તિનો. ધીરે ધીરે કરતાં આગળ વધશે. જે કાર્યની અંદર પડેલા હશે કે કર્મઠ માણસો છે કે કંઈક કરવું, કંઈક કરવુંવાળા હોય, એ બધાને કોઈ યોગની વિધિ આપવી પડે.
વાસ્તવમાં તો એવું છે કે યોગની કોઈપણ એક યુક્તિ પકડી લો. પણ તમે જો બરાબર એને કરી રાખી હશે, સરસ કરતાં કરતાં જ આવડશે. પાછું અંદરથી સૂઝ પડશે કે આ આવી રીતે કરવાનું છે, આવી રીતે કરવાનું. પણ શાંત, સ્થિર થઈને એનું બરાબર અવલોકન કરો, સ્ટડી કરો. માસ્ટરે કહ્યું છે, એવી રીતના એક્સપેરિમેન્ટ કરો છો. દર વખતે તમે બેસો છો. જેમ ડોક્ટરો રોજ પ્રેક્ટિસ કરવા જાય, એમ તમારે રોજ પ્રેક્ટિસ કરવી પડે. કોઈ પ્લેયર જેવી રીતના કોઈ મેદાનની અંદર કશું પરફોર્મ કરવાનો હોય, તો એ પણ રોજે રોજ પ્રેક્ટિસ કરતો હોય છે, નેટ પ્રેક્ટિસ કરે છે. તો તમે નેટમાં જઈને પ્રેક્ટિસ કરો એમ કહે છે.
એટલે એને શું થાય છે? તો કે સાયુજ્ય અને સાલોક્યની પ્રાપ્તિ થાય. પ્રાણની ઉપાસના યજુના રૂપમાં કરો, એટલે કે યોગના રૂપમાં કરો. આ પ્રાણની શ્રેષ્ઠતાને કારણે જ આ યજુરૂપ પ્રાણ સાથે સંયુક્ત થાય છે, જેથી જે કોઈ આ રીતે ઉપાસના કરે છે, એ યજુના સાયુજ્ય અને સાલોક્યને પ્રાપ્ત કરી લે છે. યજુ એટલે પ્રાણ, એને પ્રાપ્ત કરી લે છે.
પ્રાણ જ સામ છે. સામ (સામવેદ). પ્રાણ જ સામ છે. પ્રાણ જ સોમ છે. સોમપાન ન કરતા હતા? તે સોમપાન એ સુરાપાન નથી. એ સુરા એટલે આ "સુર" નથી, મદિરા નથી. એનાથી બહુ ઉપરની વસ્તુ તો એ. કારણ કે સમસ્ત પ્રાણી સામમાં જ સમાહિત થાય છે. એ કારણે સામની આ રૂપમાં ઉપાસના કરો. બધા પ્રાણી સામની સાથે એકરૂપ થાય છે. અલ્ટીમેટલી, એટલે બધા પ્રાણમાં જ રહેલા. પ્રાણ ક્યાં નથી? બને જ છે. તમે શ્વાસ લો છો, તમે પ્રાણ લો છો. બસ, પહેલામાં પહેલું ભાન થવું જોઈએ. આટલું જ કરો, તો એ પણ એક યોગ બની જશે.
પ્રાણ એટલે શું? પ્રાણ કેવો હોય એમ? બસ, આમ જોતા જાવ, જોતા જાવ, જાણતા જાવ, સમજતા જાવ. પ્રાણના ગ્રેડેશન વિશે કહ્યું છે, એ બધું સમજતા જાવ. છેવટે તમે બસ આમ સાતમાં ગ્રેડનો પ્રાણ લેતા થઈ ગયા હશો. પાંચ-દસ વર્ષની અંદર, બે વર્ષમાં, છ મહિનામાં, જે તમારી તૈયારી. કારણ કે કોણે ક્યાંથી ક્યારે શરૂઆત કરી હતી, કેટલા જન્મ પહેલાથી કરી હતી, એ બધું કશું કોઈ કહી શકાતું નથી. જાણકાર કહી શકે, બધા ના કહે. એટલા માટે આ રીતે ઉપાસના કરનાર વ્યક્તિ સામના સાયુજ્ય અને સાલોક્યને પ્રાપ્ત કરી લે છે.
પ્રાણ જ ક્ષત્ર છે. પ્રાણ ક્ષત્ર. ક્ષત્ર એટલે બળ અને ક્ષત્રિય એટલે બળવાન, સમજાયું? જેનામાં ખૂબ પ્રાણ હોય એ ક્ષત્રિય હોય, એટલે એનામાં સુરવીરતા હોય. દરેક વસ્તુની સામે પડે, એકદમ તરત જ આમ એવું. અને આ જોશીઓ એમ કહે કે આનો મંગળ બહુ પાવરફુલ છે, એવું પણ કહે. એટલા માટે પ્રાણની ઉપાસના કરો. પ્રાણ જ ક્ષત્ર છે, અર્થાત આ શરીરની શસ્ત્ર વગેરેથી થનારી ક્ષતિમાં રક્ષણ કરે છે.
પ્રાણવાન વ્યક્તિ હોય, તલવારનો ઘા વાગ્યો હોય તો પણ એને ઝટ દઈને મટી જાય અને ઘણા કિસ્સામાં તો વાગે જ નહીં. પ્રાણ જ એનો ઢાલ બનીને રહ્યો હોય એટલે ના થાય.
અમુક પહેલા ચાઇનીઝ પિક્ચરોમાં જોવો છો, અમુક તો એમાં આવું બધું હતું. પણ એ જમાનામાં યોગીઓ એવા હતા કે જે લોકો આ બધું જાણતા હતા, કરતા હતા, પણ કોઈ તલવાર લઈને લડતા નહોતા. પણ અમુક લોકો લડતા હતા, દુર્વાસા જેવા, પરશુરામ જેવા હતા, જે એ લોકો નીકળતા હતા આવું બધું. એટલે ક્ષતમાંથી રક્ષણ કરવાના કારણે પ્રાણનું "ક્ષત્ર" તત્વ જાણીતું છે. બીજા કશાથી ત્રાણ એટલે કે રક્ષણ ન મેળવનાર "ક્ષત્ર" એટલે કે પ્રાણને પ્રાપ્ત કરે છે. બીજા કશાથી કોઈ કવચ નહીં પહેરવાનું, કંઈ બીજું કશું નહીં કરવાનું, એવું કંઈ પણ ન કરીને, ઢાલ નહીં રાખવાની, કશું નહીં; ફક્ત પ્રાણ જ હોય, પણ એ જ એનું રક્ષણ કરી શકે, એવું કહ્યું. જે કોઈ વ્યક્તિ આ રીતે જાણે છે, એ "ક્ષત્ર"ના સાયુજ્ય અને સાલોક્યને પામીને પછી એને ના કોઈ વાયરસ નડે, ના કશું કોઈ બેક્ટેરિયા અને કશું કરી શકે; કારણ કે પ્રાણવાન છે.
એટલા માટે કહ્યું છે કે, "પ્રાણવાન બનો! કમ સે કમ પાંચ મિનિટ તો અનુલોમ-વિલોમ કરો, ઢંગના કરો." અનુલોમ-વિલોમ શીખવાડવું. હવે પાંચ-પાંચ મિનિટ ઓછામાં ઓછા કરવાના, બરાબર?
હવે સૌથી પહેલી વાત: અનુલોમ-વિલોમ એક એવા પ્રકારનો પ્રાણાયામ છે કે જેની અંદર તમે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, અર્ધનારીશ્વરની રીતે તમે જોશો તો પૌરુષ ભાગ અને સ્ત્રીત્વનો ભાગ, એટલે પુરુષ અને સ્ત્રી એ બે જે છે. ડાબો અંગ જે ગણાય છે તે સ્ત્રી તરફનું અને આ પુરુષનું ગણાય છે. અહીંયા આ સૂર્ય છે અને આ ચંદ્ર છે, બધું આખો ભાગ, બરાબર? હવે આનું તમારે બેલેન્સિંગ કરવાનું છે. જ્યારે જ્યારે એનું ઇમબેલેન્સ થાય છે, ત્યારે જ રોગ પેદા થાય છે. આનું કરવાથી શું થશે? તો સૌથી પહેલામાં પહેલું તો વાત, પિત્ત અને કફ જે છે, તેનું બેલેન્સિંગ થઈ જશે, જે ૩૩.૩% હોવું જોઈએ. ૩૩.૩૩% (૩૩ ટકા) એટલું જ થઈ જશે. પછી દરેકનું વાત, પિત્ત અને કફ એટલું બેલેન્સિંગ બહુ સરસ, સારામાં સારું આરોગ્ય પ્રાપ્ત થઈ શકે છે એના. આ કરવાથી શરીરમાંથી ખોટા જે વિષેકત પદાર્થો અત્યાર સુધીના બધા પેદા થયા, એ પણ નીકળી જશે.
માત્ર અનુલોમ-વિલોમ પ્રાણાયામ કર્યા કરવાથી આગળ ઉપર કુંડલીની પણ જાગૃત થઈ જાય અને એ આગળ ઉર્ધ્વના બધા જે બીજા યોગો છે, તે પણ કરી શકાય છે. ભલે તમને કંઈ આગળનું અત્યારે ના આવડતું હોય, પણ જો એ જ કર્યા કરે રાખ્યા હશે અને નિષ્ઠાપૂર્વક કરવામાં આવ્યા હશે, તો એ બ્રહ્મની પણ પ્રાપ્તિ કરાવી શકે, એટલો પાવરફુલ આ યોગ છે.
એવી કોઈ રોગની સ્થિતિ નથી, કોઈ અવસ્થા નથી કે જેમાં આ પ્રાણાયામ કરવાથી રાહત ના પહોંચે. એટલે ચોક્કસ પહોંચશે. દર્દની અંદર ઘટાડો થઈ જશે, પીડા જતી રહેશે અથવા તો કંઈક થતું હશે તો પણ ખ્યાલ નહીં આવે. તમે એને સહન કરી શકો એવી ક્ષમતા આવશે, "ક્ષત્રત્વ" આવશે અંદર. આવું પ્રાણાયામ છે આ સરસ મજાનો, એને અનુલોમ-વિલોમ કહ્યો છે. તો આ અનુલોમ છે. તો ડાબી બાજુથી આપણે શરૂ કરવાનો, જમણી બાજુથી છોડવાનો. ફરી જમણી બાજુથી લેવાનો અને ડાબી બાજુ છોડવાનો. ક્યાંય વચ્ચે રોકવાનું નથી, આપણે કાંઈ પણ રોકવાનું નથી. પણ એની એક નિશ્ચિત અવધિની અંદર આ આખું થવું જોઈએ. જેમ ગઈકાલે તમને પેલું આના વિશે સમજાવ્યું હતું, નેત્ર જ્યોતિ ઉદ્દીપન યોગ વિશે, એવી રીતે આની અંદર. હવે તમે યાદ રાખો કે બેસો ત્યારે સૌથી પહેલા શાંત અને સ્વસ્થ થઈને બેસો. શરીરને થોડુંક શેક કરી દો, કંઈ પણ રીતના કરીને કોઈ નાની મોટી હળવી જે કસરતો હોય, એ પણ કરી લો.
પછી શાંત એક જગ્યાએ બેસો. બેઠા પછી કરોડ સીધી રાખો. કરોડ સીધી રાખ્યા પછીથી કરવાનું શું છે કે તમે ડાબી બાજુથી પ્રાણ લો. લોકો કહે છે, "ડાબી બાજુથી શ્વાસ લો." શ્વાસ અને પ્રાણ એક નથી. શ્વાસ એ વેહિકલ છે, જેની અંદર પ્રાણ આવે છે. ૨૪ કલાક લોકો શ્વસન કરે છે, પણ પ્રાણ કેટલો મેળવે છે? એટલા પ્રમાણમાં એ પ્રાણવાન હોય છે.
હવે આપણે ૧૦૦% શ્વાસમાં ૧૦૦% પ્રાણ લઈએ છીએ, પહેલા તો એક આ એક ભાવના નક્કી કરો. અને ૧૦૦% પ્રાણ આપણે જે લઈએ છીએ, તે અત્યંત તેજસ્વી પ્રાણ છે: સોનેરી, રૂપેરી, કેવો! અનંત કોટિ સૂર્ય, અનંત કોટિ ચંદ્ર, એ બંનેની પ્રભા અને કાંતિ કેટલી થાય, એવો પ્રાણ જે છે તેને આપણે ગ્રહણ કરીએ. તો અહીંથી આ રીતના આપણે આમ કરી અને પ્રાણને જેવું આપણે લેવાનું શરૂ કરવાનું, તે વખતે પાંચ ઓમકાર જેટલી માત્રા સુધી પ્રાણ લેવાનો. અહીંયા હળવેથી સ્પર્શ કરવાનો, અંગૂઠો જમણી બાજુ નસકોરા પર દબાવવાનો અને પાંચ ઓમકાર સુધી મનમાં બોલતા બોલતા "ઓમ, ઓમ, ઓમ, ઓમ, ઓમ" બંધ કરો. આ બાજુથી "ઓમ, ઓમ, ઓમ, ઓમ, ઓ" બહાર કાઢી નાખો. ફરી પાછી જમણી બાજુથી પ્રાણ લો: "ઓમ, ઓમ, ઓમ, ઓમ, ઓમ." ડાબી બાજુથી બહાર કાઢી નાખો: "ઓમ, ઓમ, ઓમ, ઓમ, ઓમ." આવો એક પ્રાણાયામ થયો. તો પાંચ ઓમકાર આ બાજુ, પાંચ ઓમકાર આ બાજુ, આવી રીતે ઓલ્ટરનેટ કર્યા જ કરવાનું.
તો આ પહેલો પ્રાણાયામ થયો આપણો, બરાબર?
આ પ્રાણનું આયામ કરવાનું તો બહુ જ સહજતાથી, શાંતિથી એ પ્રાણને લેવાનો છે. ઓન એન એવરેજ ૧૨ સેકન્ડની એક સાયકલ થશે. ૧૨ પંચ ૬૦, તો તમારે પાંચ પ્રાણાયામ થશે એક મિનિટની અંદર. પાંચ મિનિટની અંદર ૨૫ પ્રાણાયામ. પણ આખું શરીર તમારું ઊર્જા, શાંતિ, આહ્લાદકતા અને પ્રકાશથી અંદર-બહારથી બધેથી બસ ઉભરાઈ જશે, ભરાઈ જશે. તો આવી રીતના જોવાનું અને આવી રીતે પ્રાણાયામ કરવાનું. પાંચ જ મિનિટ કરાય. સવારે ઉઠીને પણ કરી શકો છો, રાત્રે સૂતા પહેલા પણ કરી શકો છો. ચેતનની બધી વૃત્તિઓ બિલકુલ શાંત, નિર્મળ થઈ જશે. છ મહિના આવી રીતે પ્રાણાયામ કર્યા પછી, પાંચ ઓમકાર થાય ત્યાં સુધી પ્રાણ લેવાનો. પાંચ ઓમકાર થાય ત્યાં સુધી પ્રાણને અહીંયા રોકી રાખવાનું અને ત્યાંથી...
એ આખા શરીરની અંદર આમ પ્રકાશમાન થઈ રહ્યો છે, આખા બ્રહ્માંડને પ્રકાશિત કરી રહ્યો છે, એવી રીતે જોવાનું. આમ અંદર પાંચ જેવા પૂરા થાય તરત જ બધો જે પ્રાણ છે તેમને પાછો ફરી બહાર કાઢીને બાહ્ય પ્રાણ સાથે એકાકાર કરદ. આજે આંતરિક પ્રાણ જે બહાર જાય છે, બાહ્ય પ્રાણ સાથે જોડાય છે, તેને યોગ કહેવાય. બાહ્ય પ્રાણ સાથે આવી રીતના જોડાવાનું છે આપણે, એટલે ઇન્ડિવિજ્યુઆલિટી ધીમે ધીમે લુઝ થતી જશે, અહંકાર ધીમે ધીમે લુઝ થતો જશે. કેવી રીતે? કે જેટલું આના સાથે સાયુજ્ય, એકરૂપતા આ બાહ્ય પ્રાણ સાથે જોડાવાની શરૂ થશે. બાહ્ય પ્રાણ કેટલો છે? ક્યાં છે? અનંત છે. તો એ અનંત લોકની અંદર તમે સાયુજ્ય પામો છો, તમે સ્વયં અનંત છો એવો તમને એક બોધ આપવાનો ધીમે ધીમે ધીમે ધીમે શરૂ થશે. તો તમે આ છો, આ શરીર છો કે શરીરની અંદર છો એ બાબત બંધ થઈ અને આ ભાવ શરૂ થશે: "હું અનંત છું, હું અચ્યુત છું, હું અક્ષય છું, હું અવ્યય છું, હું અમૂર્ત છું, હું અરૂપી છું, મારું કોઈ રૂપ નથી, હું અનામી છું, મારું કોઈ નામ નથી." એનો બોધ આપવાનો શરૂ થશે.
અત્યાર સુધી આપણું જે કંઈ આઇડેન્ટિફિકેશન જે આના સાથે હતું, દેહ સાથે, તે ઓછું થતું જશે અને ત્યાં આગળ વધતું જશે. બસ આટલો યોગ આ પણ અદભુત છે. તો આગળ વધીએ હવે આપણે.
આવી રીતે ક્ષત્રના સાયુજ્ય અને સાલોક્યને તમે પ્રાપ્ત કરી શકો છો. ૧૪મા બ્રાહ્મણની અંદર આપણે પ્રવેશ કરીએ. આ બ્રાહ્મણમાં ગાયત્રીનું તત્વજ્ઞાન આપવામાં આવેલું છે. ગાયત્રી તત્વ શું છે તેને સમજો અને એના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. ગાયત્રીના પ્રથમ ચરણ, પ્રથમ પદનું મહત્વ સમજાવતા અહીં ઋષિ કહે છે કે ભૂમિ એટલે 'ભૂ' બે અક્ષર, અંતરિક્ષ ચાર અક્ષર અને 'દ્યૌ' બે અક્ષર. તો બે, ચાર અને બે એમ કુલ મળીને આઠ અક્ષર થાય. આ આઠ અક્ષરોથી યુક્ત ગાયત્રીનું એ પ્રથમ પાદ છે, જેને શું કહેવામાં આવે છે? "તતસવિતુર વરેન્યમ." આ પહેલું એનું પાદ છે ગાયત્રીનું. "તત સવિતુર વરેણ્યમ" એટલે કે આજ ભૂમિ, અંતરિક્ષ અને સ્વર્ગ. ભૂમિ અને સ્વર્ગની વચ્ચે રહેલું અંતરિક્ષ છે, બધું જે કંઈ છે તે. તો ભૂમિ, અંતરિક્ષ અને દેવ આ ગાયત્રીનું પ્રથમ પાદ છે.
જે કોઈ આ રીતે જાણે છે એ ત્રણેય લોકોના સંપૂર્ણ ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. ઈશ્વર વર્ય જે કંઈ શ્રેષ્ઠ છે તે બધું એના પાસે આવે છે એમ કહેવા માંગે. અહીં આગળ શું? "તત સવિતુર" એનો મતલબ શું છે કે ભૂમિ, અંતરિક્ષ અને દયો આ ત્રણેય તમે સર કરો છો, ત્રણ ડગલાં, વન, ટુ અને થ્રી. વામન છો પણ વિરાટ બની શકશો આવી રીતે.
રુક (ઋક) બે અક્ષર, યજુસ ત્રણ અક્ષર અને સામ પણ ત્રણ અક્ષર., એ પણ કુલ આઠ અક્ષરો છે. તો ગાયત્રી મહામંત્રના દ્વિતીય પાદમાં આ આઠ અક્ષરો છે. એ કયા છે? વેદત્રયી: રૂક, યજુ અને સામ. જ ગાયત્રીનું બીજું પાદ છે. એનું જે ઉચ્ચારણ છે તે શું છે? "ભર ભર્ગો દેવસ્ય ધીમહિ." આ આઠ અક્ષરો છે. પહેલું પાદ શું હતું? "તતસવિતુરવરેણ્યમ." હવે "ભર્ગોદેવસ્ય." આ રીતે જાણનારો જ્ઞાની ત્રય વિદ્યાની ઉપાસનાનું ફળ મેળવે છે. ત્રય વિદ્યા: ત્રણે ત્રણ વિદ્યાઓ જે અહીં કામ લાગે એવી છે તે પણ, પછી આગળની જે કંઈ આપણને અહીંથી ઉપર ઉઠાવનારી છે તે પણ, અને પછી જે સર્વોચ્ચ સ્થિતિની અંદર હંમેશા આપણને મૂકી દે છે તે પણ. આ ત્રય વિદ્યા છે. તો એન્જિનિયરિંગ છે એ આપણને અહીં હેલ્પ કરશે. યોગ જ્યારે કરીશું ત્યારે આપણને આ વચલો રસ્તો સર કરવાનો, અંતરિક્ષ બધું કાપવાનો સમય મળશે અને છેવટે પછી ધીમહી ત્યાં આગળ સ્થિર કરી દેશે આપણને ધીની અંદર એવી રીતના.
તો કે પ્રાણ બે, એ જ રીતે અપાન ત્રણ છે અને વ્યાન એટલે વી, આ અને ન તો ત્રણ અક્ષર છે. આ પણ આઠ અક્ષર થયા: બે, ત્રણ અને ત્રણ. આ આઠ અક્ષરોથી યુક્ત શું છે? "ધિયોયોન પ્રચોદયાત." તો આ બીજા આઠ અક્ષરો થયા. તો ૮ તરી ૨૪. ત્રણ પાદની અંદર આ ૨૪ અક્ષરો વાળો મંત્ર છે અને એ મંત્રની અંદર "તતસવિતુર વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયોયોન પ્રચોદયાત" આખો મંત્ર થયો.
હવે ગાયત્રીના આ ત્રીજા પાદને જાણનાર વ્યક્તિ, એની ઉપાસના કરનારો જે છે વ્યક્તિ, સમસ્ત પ્રાણી સમુદાયને જીતી લે છે. કારણ કે એ પ્રાણને જીતી લે છે. જે પ્રાણને જીતે છે એ બધા પ્રાણીઓને જીતી શકે છે. એ સિવાય ચતુષ્ટ દર્શત એટલે દેખાનારું પાદ હોય છે. આ ચતુર્થ પાદ શું છે? "પરોરજસેસાવહોમ." તુરીય કહેવાય છે. આ દ્રષ્ટ દર્શનીય જેવું છે. તમને આમ બસ ખ્યાલ આવવા માંડે છે એ એવા પ્રકારનું. તેથી દર્શત પદ છે એ જ પરો રજા છે. આ બધા રજ એટલે લોકોથી પર રહીને, ઉપર રહીને તપે છે, ચમકે છે. એટલે ગાયત્રીના ચતુર્થ પદને જે આ રીતે જાણે છે તે યશસ્વી થતા થતાં સુશોભિત બની જાય છે. ગાયત્રીનું ચતુર્થ પદ "પરોરજસેસાવહોમ" પણ આઠ અક્ષરો વાળું કહેવાય છે. વિશ્વામિત્ર કલ્પ તથા પ્રાચીન સંધ્યા પ્રયોગોમાં તેનો ઉલ્લેખ મળે છે. ઉપનિષદનું કથન એ છે કે ગાયત્રીના ત્રણ પદ જ જપ કરવા યોગ્ય છે અને આ ચોથું પાદ છે, દર્શત પદ, જોવા માટેનું.
એ કેવું છે? તો કે અનુભૂતિગમ્ય છે. તમને એની અનુભૂતિ થશે એટલે તમને એ વસ્તુ પ્રકાશિત થવા માંડશે કહેવામાં આવે છે. એટલે એનો પદોચ્છેદ થાય છે તો "પરોરજસે અસો અદઃ ઓમ" અર્થાત રજસ પદાર્થ અથવા પ્રકાશથી અલગ આ અને એ બધું જ ઓમ અક્ષરરૂપ બ્રહ્મ જ છે એ એનો અર્થ છે. જ્યારે સાધકના પ્રાણના સ્પંદન ગાયત્રીના ત્રણેય પદો સાથે એકાત્મતા સ્થાપિત કરી લે છે, કોના? સાધકના પ્રાણના સ્પંદનો એના સાથે, એ જે બોલાઈ રહ્યું છે તેના સાથે એકાકાર થવા માંડે છે, ત્યારે ચોથા પદનો આભાસ થવા માંડે છે, અનુભવ થવા માંડે છે. એટલે જપ કરવાનો છે ત્રણ પદનો જ, પણ ચોથું પદ ત્યારે પ્રકાશિત થવા માંડે છે ત્યારે તમે યથાર્થ જપ કર્યા છે એમ સમજાય, ત્યાં સુધી નહીં. ગાયા જ કરો.
અનંતકાળ આનો ખ્યાલ ના હોય ત્યાં સુધી આ દર્શત પદ જે છે તે પ્રકાશિત થતું નથી. કયું છે દર્શત પદ? "પરો રજસે અશોદ અસોદ". આનો ખ્યાલ હોવો જોઈએ, બોલવાનું નથી આપણે, બરાબર છે? એટલે આગળ શું થવાનું છે તે પણ આપણને ખબર હોવી જોઈએ. ઋષિ અહીંયા આગળ કહે છે કે તમે આ ત્રણ કરશો, ત્રણ કરતાં કરતાં ચોથું પદ ઉદયમાન થશે. જેમ સૂર્યનો ઉદય થાય છે એવી રીતે ઉદય થશે અને એ તમે અનુભવ કરો એમ કહે છે. એ અનુભવ કરો તમે. આ ત્રણ કરતાં કરતાં ચોથાનો અનુભવ તમને થવો જ જોઈએ. ગાયત્રી દર્શત પદ દર્શનીય છે, ચતુર્થ પદ છે. ગાયત્રી ક્યાં રહેલી છે? ચતુર્થ પદમાં રહેલી છે. એ પદ સત્યમાં રહેલું છે અને નેત્ર જ સત્ય છે. સુનિશ્ચિત રૂપે નેત્ર જ સત્ય છે. એ કારણે જો બે વ્યક્તિ પરસ્પર "મેં જોયા, મેં સાંભળ્યા" એવું કહે છે, એ રીતનો વિવાદ કરતાં કરતાં આવે, તો એ બેમાંથી જે એમ કહે કે "મેં જોયા છે" તે ઉપર હોય છે.
"સાંભળ્યા છે" તેનું બહુ લોકો ધ્યાન નથી આપતા. "ભાઈ તે જોયા?" તો કે "હા, મેં જોયા." તો એને પ્રત્યક્ષ માનવામાં આવે છે અને એની સાક્ષી એક્સેપ્ટેબલ છે. જોયાવાળાની, સાંભળ્યાવાળાની નથી. તો બધાએ અત્યાર સુધી શું કર્યું છે? તો કે ગાયત્રી મંત્રો સાંભળે રાખ્યા છે. હજુ સુધી બહુ જ ઓછા લોકોએ ગાયત્રીને જોયા છે. તો ગાયત્રીને જોવાના છે. હવે ગાયત્રી ક્યાં છે? ચોથા પદમાં છે. તો એ ચોથું પદ છે એ તો એની મેળે સ્વયંમેવ પ્રકાશિત થવાનું છે. આ ત્રણનો બરાબર અભ્યાસ રાખ્યો હશે ત્યારે. તો એ થવું જ જોઈએ. આ પ્રયોગ છે એટલે એને કરવો જોઈએ. "મેં જોયા છે" તો એટલે વિશ્વાસ બેસે છે જ્યારે કોઈ એવું કહે છે. એ રીતે સત્ય અને બળમાં પ્રતિષ્ઠિત છે. સત્ય ક્યાં છે? સત્યનું પોતાનું બળ ઉત્પન્ન થાય છે ત્યાં આગળ પ્રાણ છે. એ આ બળ છે. તેથી આ સત્ય પ્રાણમાં રહેલું છે અને એ કારણે સત્ય કરતાં પ્રાણ વધારે બળવાન છે.
શું કહે છે? સત્ય કરતાં પ્રાણ વધારે બળવાન છે કારણ કે સત્યને પણ એ બળવાન બનાવે. સત્ય હોય, પાછળ પ્રાણ ના હોય, કોઈ એને સ્વીકાર નહીં કરે. તો સમજવાનું કે ભાઈ આને બળ ઓછું પડ્યું, શેનું? પ્રાણનું બળ ઓછું પડ્યું. એટલા માટે એનો સ્વીકાર નથી થઈ રહ્યો. આ રીતે આ ગાયત્રી પ્રાણમાં રહેલી છે. આ ગાયત્રીએ ગયા એટલે કે પ્રાણોનું રક્ષણ કર્યું. પ્રાણ જ ગય છે. એ પ્રાણોનું આને ગાયત્રીએ રક્ષણ કર્યું. એટલા માટે એને ગાયત્રી કહેવામાં આવે. આચાર્ય જે બ્રહ્મચાર્યોને આનો ઉપદેશ આપે છે, એ ગાયત્રી બધાના પ્રાણોનું રક્ષણ કરે. કોઈ કોઈ આચાર્ય અનુષ્ટુપ છંદવાળી સાવિત્રીનો ઉપદેશ કરે છે. આ ગાયત્રીની વાત કરીએ, હવે સાવિત્રી. તેઓ કહે છે કે વાણી જ અનુષ્ટુપ છંદ છે, તેથી અમે વાકનો જ ઉપદેશ કરીએ. બીજા આચાર્યના મતથી એ ઉચિત નથી, તેથી ગાયત્રી છંદવાળી સાવિત્રીનો જ ઉપદેશ આપવો જોઈએ.
આ રીતે જાણનારી જે વ્યક્તિ સાધનોનો વધારેમાં વધારે સંગ્રહ કરે, તો પણ એ ગાયત્રી મહામંત્રના એક પાદને પ્રાપ્ત થનાર ફળ સમાન પણ નથી. એટલે ગાયત્રી છંદવાળો, આઠ આઠ અક્ષરોથી યુક્ત એવો ત્રણ ત્રણ પદવાળો ગાયત્રી મંત્ર જ ગુરુ મંત્રના રૂપમાં ઉપનિષદ દ્વારા સ્વીકાર્ય બન્યો છે અને ચોથા પદને છોડી દેવામાં આવ્યું. કેમ? તો કે તારે એનો તો અનુભવ કરવાનો છે, પણ બહુ જ ઓછા લોકોને એની જાણકારી હોય છે. આજે તમને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે જો ગાયત્રી મંત્રનો અભ્યાસ કરતા હો તો આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ અથવા જો કોઈ કરતો હોય તો તમારે એને સમજાવવું આવવું જોઈએ. એનાથી સ્પષ્ટ થાય છે કે ચતુર્થ ચરણયુક્ત ગાયત્રી મંત્ર અથવા છંદ અન્ય છંદવાળો ગાયત્રી મંત્ર ગુરુ મંત્રના રૂપમાં આપવો ને પ્રયુક્ત કરવો એ ઉચિત નથી. કોઈક વિશેષ પ્રયોજનની પૂર્તિ માટે જ એનો પ્રયોગ કરવો જોઈએ.
કારણ કે ગાયત્રી છે, ઘણા પ્રકારની ગાયત્રી છે. આ મૂળ ગાયત્રી છે. તો આ ગાયત્રી મંત્ર કરવાનો, સાવિત્રી મંત્ર નહીં કરવાનો એમ પણ કીધું. સાથે સાથે બીજું એક બલા અતિ બલા ગાયત્રી પણ હોય છે. તો એનો પણ પ્રયોગ અહીંયા આગળ સ્વીકાર્ય નથી. આના માટે થઈને આજ કરવાનું. એનો પર્પસ અલગ છે પાછો. એટલા માટે હવે અત્યારે એની ચર્ચા બહુ નહીં કરીએ. જે વ્યક્તિ આ ત્રણેય લોકોમાં, પૃથ્વીલોક, અંતરિક્ષ અને સ્વર્ગમાં સંપૂર્ણ વૈભવને દાન રૂપમાં ગ્રહણ કરે છે, એમનું એ દાન આ ગાયત્રીના પ્રથમ પાદની ઉપાસના બરાબર છે. ત્રણ લોકો કોઈકે દાનમાં લીધા, તો એ માત્ર ગાયત્રીના એક મંત્ર જે પ્રથમ પાદ છે, તેની ઉપાસના જેટલું છે. આ જે ત્રય વેદ વિદ્યા છે, રૂક, સામ અને યજુ, એ ત્રય વિદ્યા થઈ. એને જે પ્રતિગ્રહ એટલે કે દાન રૂપમાં ગ્રહણ કરે છે, એ દાન ગાયત્રીના બીજા પાદની ઉપાસનાની ફળ સમાન છે.
અને જે સમસ્ત પ્રાણી સમુદાયને ગ્રહણ કરે છે, ગાયત્રીના ત્રીજા પાદનું ફળ મેળવે છે. "દર્શત પરો રજા" એ ચોથું પદ છે. જો કે બધાથી ઉપર ચમકે છે, એ કોઈનાય દ્વારા સુલભ નથી કે સેવનીય નથી. આ ચોથા પાદની સમાનતા કોઈપણ પ્રતિગ્રહ દાનથી થઈ શકતી નથી. અહીં ગાયત્રીનું ઉપસ્થાન કરવામાં આવ્યું છે. ઉપસ્થાનનો અર્થ એ છે કે ઉપ એટલે કે નજીક પહોંચીને કરવામાં આવેલી સ્તુતિ. સામાન્ય સ્થિતિમાં ગાયત્રી મહાશક્તિનું આવાહન કરીને એની સમીપતાની અનુભૂતિ સાથે આ ભાવ સ્તુતિ કરવામાં આવે. મંત્ર બોલી જવાનો નથી. મંત્ર તો કેવો છે? ગાયત્રીનો ભાવ સ્તુતિ છે. એટલે ભાવથી કરવાની છે. અને ઉચ્ચ સ્થિતિમાં જ્યારે સાધકનો પ્રાણ પરિષ્કૃત થઈને ગાયત્રી મહાશક્તિનો સ્પર્શ કરે છે, ત્યારે ઉપસ્થાનની સ્થિતિ બને છે અને ચોથું પદ પ્રકાશિત થઈ જાય. એની સમક્ષ એ ગાયત્રીનું ઉપસ્થાન આ પ્રકારે છે કે, "હે ગાયત્રી, ત્રણ લોકરૂપ પ્રથમ પાદથી આપ એક પદી છો.
ત્રયવિદ્યા ત્રણેય વેદો રૂપી બીજા પાદથી આપ દ્વિપદા છો. પ્રાણ, અપાને, વ્યાન રૂપી ત્રીજા પાદથી આપ ત્રિપદા છો અથવા"
તુરીય પાદથી આપ ચતુષ્પદી છો. એ બધાયથી ઉપર, નિરૂપાધિક રૂપે આપ પદ રહિત અર્થાત નિર્ગુણ છો. બ્રહ્મ આવી ગયો, કારણ કે આપણે કોઈ સાધનથી જાણી શકાતા નથી; બધા સાધનોની એક મર્યાદા છે. બધા લોકોથી ઉપર રહેલા આપના આ દૂર દર્શનીય તુરીય પદને નમસ્કાર.
તુરયાવસ્થામાં પહોંચાડી દીધો હોય ત્યાં સુધી, એ દર્શનીય પદ છે. તુરયાવસ્થા જ્યારે દર્શન થવા માંડે ત્યારે એ પદ ખુલે છે અને તમારી સામે એ પ્રકાશિત થાય. આ સંસારગત પાપ શત્રુ, પાપ રૂપી શત્રુ, પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત ન કરો. નેગેટિવલી કીધું કે, "શત્રુઓ સફળ ન થાઓ." કયા પાપરૂપી શત્રુઓ સફળ ન થાઓ? અને આ રીતે, વિદ્વાન વ્યક્તિ જેનો દ્વેષ કરતો હોય, તેની કામના પૂરી ન થાઓ. આ રીતે ઉપસ્થાન કરો, અથવા "હું આ વિશેષ વસ્તુ મેળવું" એવી ઈચ્છાથી ઉપસ્થાન કરો, તો નેગેટિવ અને પોઝિટિવ બંને અહીંયા સંકલ્પ આપેલા છે અને એનો ઉપયોગ કરીને વ્યક્તિ ગાયત્રી કરતા હોય છે.
તો વિદેયરાજ જનકે અશ્વતરાયના રાશવના પુત્રને કહ્યું કે, "તમે તમારી જાતે તે ગાયત્રી મહાવિદ્યાના જ્ઞાતા કહેતા હતા પોતાને, તો પછી હાથી બનીને ભાર શા માટે વહન કરો? તમે જો ગાયત્રી જાણો છો, તો તમે હાથી બનીને કેમ ફરો છો? એટલે અહંકારી બનીને કેમ ફરો છો?" એમ કહે છે જનક રાજા પહેલા ભાઈને.
એવું સાંભળીને તેમણે કહ્યું કે, "હે સમ્રાટ, હું આ ગાયત્રી મહાશક્તિનું મુખ જાણતો ન હતો." ત્યારે જનકે એને પછી જણાવ્યું કે, "આ ગાયત્રી મહાશક્તિનું મુખ અગ્નિ છે." જે રીતે અગ્નિમાં જે કંઈ નાખવામાં આવે છે, એ બધું ભસ્મ બની જાય છે, એવી રીતે જ ગાયત્રી મહાવિદ્યાના નિષ્ણાતને વિવિધ કર્મો કરવા પડ્યા હોય તો પણ, બધા પાપોને બાળીને શુદ્ધ કર્મ ભાવનાથી શુદ્ધ, પવિત્ર, ઘડપણ રહિત, અજર અને અમર થઈ જાય છે.
"ૐ ભૂરભુવસ્વહ, ૐ તતસવિતુરવરેણયમ, ભર્ગો ધિયોયોનઃ સ્વાહા." અગ્નિની અંદર એ બધું સમર્પિત થઈ રહ્યું છે, એવી રીતના ભાવથી એને આવી રીતના કરવાનું. તો, "બધા પાપો, બધા કર્મો, બધી જ વસ્તુઓ હું સમર્પિત કરું છું," એમ કરીને કરવાનું. આ સામે અગ્નિ રૂપા ગાયત્રી પ્રજ્વલિત છે અને બસ તેની અંદર આ બધું આમ હોમ્યા કરીએ છીએ, એવા ભાવથી આપણે કરવાનું છે. જ્યાં સુધી આ ભાવ મોજૂદ નથી થતો, ત્યાં સુધી પ્રાણ સાથેનું એનું સંયોજન થતું નથી અને એટલા માટે એ ફળ આપી શકતું નથી, અલ્પફળ આપે છે.
હવે આગળ. સત્યરૂપી બ્રહ્મનું મુખ, સત્યરૂપી બ્રહ્મનું મુખ, જ્યોતિર્મય સ્વર્ણ પાત્રથી ઢંકાયેલું છે. અહીંયા એક બહુ બ્યુટીફુલ ઇમેજીનેશન આપેલી છે. શું કહે છે? બ્રહ્મનું જે મુખ છે, તે કેવું સત્યરૂપી છે. સત્ય, સત્યરૂપી બ્રહ્મનું મુખ સ્વ-જ્યોતિર્મય પ્રકાશિત એવા સોનેરી પ્રકાશિત એનાથી ઢંકાયેલું છે, આચ્છાદિત છે.
"હે વિશ્વના પોષક સૂર્યદેવ, સત્યધર્મના દર્શન માટે હું એને જોઈ શકું, એટલા માટે આપ એ ઉપરના આવરણને હટાવી લો." "હે પોષણકર્તા, હે એકર્ષિ (એટલે કે સર્વદ્રષ્ટા), હે યમ, હે સૂર્ય, હે પ્રજાપતિ, આપ આપની રશ્મિઓને સમેટીને તેજને ઓછું કરી દો, જેથી કરીને આપનું જે અત્યંત કલ્યાણકારી રૂપ છે, તે રૂપને હું જોઈ શકું." કારણ કે એટલું બધું તેજસ્વી છે કે અત્યારે આપણે જોઈ શકતા નથી. આપણને લાગે છે કે એ અદ્રશ્ય છે, એ તો દૃશ્યમાન છે, આપણે એને જોઈ શકતા નથી. સમજાયું?
આ બ્રહ્મ છે, એ તો સર્વત્ર સ્વયં પ્રકાશિત છે જ, પણ આવરણના લીધે આપણે એને જોઈ નથી શકતા. એટલા માટે આપણે આ પ્રાર્થના કરીએ અને કહીએ છીએ કે, "આદિત્ય મંડળમાં રહેલ જે પુરુષ છે, એ અમૃત સ્વરૂપ હું જ છું." પ્રાણવાયુ આ બહારના વાયુને તથા આ શરીર ભસ્મ અવશેષ થઈને પૃથ્વીને પ્રાપ્ત કરે. આ સાધક જે બિલકુલ તૈયાર છે, તેને જ કરવાનું છે. આ અમૃત આપને સમર્પિત છે, એટલે આત્મા એ આપને સમર્પિત છે, આત્મા.
"હે પ્રણવરૂપ વિશ્વકર્તા, સ્મરણ કરો, સ્મરણ કરો. મારું ધ્યાન રાખો." એમ કહે છે. "સ્મરણ કરો મેં જે પણ કર્મ કર્યા છે તેનું સ્મરણ કરો. હે ક્રતુરૂપ જીવાત્મા, જે પણ સ્મરણ કરવા યોગ્ય છે, તેનું સ્મરણ કરો. કરેલા કૃત્યોનું સ્મરણ કરો. હે અગ્નિદેવ, આપ અમોને કર્મફળની પ્રાપ્તિ માટે સુંદર પથ એટલે કે દેવયાન માર્ગથી લઈ જાવ. હે દેવ, આપ અમારા દરેક કર્મોને જાણનારા છો. આપના કૃપાથી અમારા કુટિલ પાપોને તમે દૂર કરો, એને નષ્ટ કરો. અમો આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ."
એનો સંસ્કૃત પાઠ છે: "હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્। તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે। પૂષન્નેકર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહ રશ્મીન્ સમૂહ તેજો યત્તે રૂપં કલ્યાણતમં તત્તે પશ્યામિ યોઽસૌ પુરુષઃ સોઽહમસ્મિ। વાયુરનિલમમૃતમથેદં ભસ્માન્તં શરીરમ્। ૐ ક્રતો સ્મર કૃતં સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર। અગ્ને નય સુપથા રાયે અસ્માન્ વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન્। યુયોધ્યસ્મજ્જુહુરાણમેનો ભૂયિષ્ઠાં તે નમ ઉક્તિં વિધેમ।" આ એનો સંસ્કૃત પાઠ છે.
એ કહે છે કે, "હે પ્રણવરૂપ વિશ્વકર્તા, સ્મરણ કરો, મારું ધ્યાન રાખો. મેં જે પણ કર્મ કર્યા છે, તેનું સ્મરણ કરો. હે ક્રતુરૂપ જીવાત્મા, જે પણ સ્મરણ કરવા યોગ્ય છે, એનું સ્મરણ કરો. કરેલા કૃત્યોનું સ્મરણ કરો. હે સુંદર પથથી લઈ જાવ, દેવયાન માર્ગથી લઈ જાવ. હે દેવ, આપ અમારા દરેક કર્મોને જાણો છો, કારણ કે એ તો સાક્ષી છે, અંતર્યામી છે. અમારા કુટિલ પાપોને દૂર કરો, નષ્ટ કરો. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ."
હવે છઠ્ઠા બ્રાહ્મણમાં, છઠ્ઠા અધ્યાયના પ્રથમ બ્રાહ્મણમાં, આ બૃહદારણ્યકોપનિષદના આગળ. જે શ્રેષ્ઠ અને જેષ્ઠને જાણવા માટે સક્ષમ છે, એ પોતાની જાતિમાં જેષ્ઠ અને શ્રેષ્ઠ છે. જે જાણવા માટે સક્ષમ છે, તે પોતે બની જાય છે. ઘણી વખતે નાના નાના કુટુંબ-કબીલાઓ હોય, કોઈ ગામની અંદર પણ એવું કોઈક તેજસ્વી બાળક હોય ને, ખૂબ, તો એ તરત સરપંચ જેવો...
બનીને બેસે સરપંચે હોય, પણ આ સરપંચ જેવો બનીને બેસે સરપંચ એવું કહે કે, "ભાઈ, મને ખબર નથી, એને પૂછો." કારણ કે, તો કે, "એ જેષ્ઠ છે, પણ એ નાનો છે." તો કે, "ના, એ જેષ્ઠ છે, એ મોટો છે." એ મોટો છે, એ મહાન છે મારાથી પણ; એવી રીતના, અને શ્રેષ્ઠ છે. બધા આપણા સૌની અંદર ઉત્તમ છે. એ પોતાની જાતિમાં જેષ્ઠ અને શ્રેષ્ઠ છે. જે કોઈ વ્યક્તિ આ રીતે જેષ્ઠ અને શ્રેષ્ઠની ઉપાસના કરે છે, એ વ્યક્તિ પોતાની વચ્ચે અને જે લોકોની વચ્ચે છે, એ બધામાં શ્રેષ્ઠતા અને મહાનતાને પ્રાપ્ત કરે છે.
શું કહે છે? કે જેષ્ઠ છે અને શ્રેષ્ઠ છે, તેની તમે ઉપાસના કરો. એનો સમાજની અંદર જુઓ તો અહીં તમે સ્વીકાર કરો. આ એક સાધના થઈ. બીજા તબક્કે, જેના દ્વારા એને આ પ્રાપ્ત કર્યું છે, હવે તેની પર જતા રહો તરત જ કે, "આ ઈશ્વરદત્ત છે, આ બ્રહ્મદત્ત છે." એને આપવામાં આવેલું છે ઈશ્વર દ્વારા, ત્યારે આટલો તેજસ્વી બન્યો છે, જેષ્ઠ બન્યો છે, શ્રેષ્ઠ બન્યો છે. એટલે પહેલા તબક્કે આનો સ્વીકાર કરી, તરત એની ઉપર જતા રહો અને એની તમે ઉપાસના કરો કે, "તું જેષ્ઠ છે અને તું જ શ્રેષ્ઠ છે, બીજું કોઈ શ્રેષ્ઠ નથી." એમ કરીને તમે બ્રહ્મની ઉપાસના કરો. જ્યારે તમે એવી રીતે ઉપાસના કરવાની શરૂ કરશો, એટલે તમે પોતે સ્વયં જેષ્ઠ અને શ્રેષ્ઠ બની જશો.
જે વશિષ્ઠ, હું વિશિષ્ટ કહું છું, પણ એટલા માટે કે એ શ્રેષ્ઠતાને જાણે છે. શ્રેષ્ઠ શું છે? આ બધાની અંદર સૌથી ઉત્તમ વસ્તુ શું છે? કે શું એ? બસ એટલા એટલે એ ગુણગ્રાહી બની ચૂક્યો. હવે પ્રકૃતિના ગુણો લેશો તો તમે પ્રકૃતિમય બનતા જશો, પ્રકૃતિમાં લીન થતા જશો, ખોવાતા જશો, વધારેને વધારે કરતા. અને પ્રકૃતિ તો પહેલેથી તૈયાર થયેલી જ છે, કૃતિ બની ચૂકેલી છે. કોની છે કૃતિ? પરબ્રહ્મની કૃતિ છે. એટલે એ પ્રકૃતિ તો એ પ્રકૃતિમાં ખોવાવાના એક રસ્તે, પણ એના દ્વારા એની શ્રેષ્ઠતા પામીને, તમે જેષ્ઠ છે અને શ્રેષ્ઠ છે તેને તમે પામો.
તો જેષ્ઠ અને શ્રેષ્ઠ કોણ છે? પાછો પરબ્રહ્મ. તો પરબ્રહ્મના કયા ગુણો છે એને ગ્રહણ કરવાના? એને સ્વીકાર કરવું. ગ્રહણ કરવો એટલે શું? સ્વીકાર કરવો, "એક્સેપ્ટ" કરો. શું? "તું અનંત છે, હું અનંત છું. તું શ્રેષ્ઠ છે, હું શ્રેષ્ઠ છું. તું ઉત્તમ છે, હું ઉત્તમ છું. તું અક્ષર છે, હું અક્ષર છું. તું અવ્યય છે, હું અવ્યય છું. તું અમૂર્ત છે, હું અમૂર્ત છું. તું નિરાકારી છે, હું પણ નિરાકારી છું." બસ, આવા ઈશ્વરદત્ત જે ગુણો મેં તમને પેલું ૧૦૮ વાળી વાત કરી હતી, તે પણ આપણે એને અલગથી જ કરીશું. તો આટલા જે મુખ્ય મુખ્ય ગુણો છે એ નિર્ગુણના, જે બ્રહ્મના, તે બધા જ એમ કે આપણે આવી રીતના "એક્સેપ્ટ" કરવાના, સ્વીકાર કરવાના, આદરભાવથી સ્વીકાર કરવાના, સંપૂર્ણપણે. બસ, રોમ રોમમાં જાણે કે એ જ વસેલો છે, બીજું કશું છે જ નહીં એમ. અહીંયા મને રૂવાડા છે જ નહીં કે અહીંયા બધે બ્રહ્મ ફૂટી નીકળેલો હોય, બસ એમ સમજવાનું.
ચારે બાજુ અંદર બહાર બધે એકાકાર, એકરસ થઈ ગયેલું છે. એવી રીતે એની સાધના કરો એમ કહે છે.
તો એ શું થાય છે? બધામાં એ વિશેષ ચાહના પ્રાપ્ત કરીને વિશિષ્ટ થઈ જાય છે. વશિષ્ઠ થાય એ કહેવાય છે પછી. તો આવા વશિષ્ઠ મુનિએ ભગવાન રામને ઉપદેશ આપ્યો, તો તેની વાત ક્યારેક આગળ કરશું.
હવે જે પ્રતિષ્ઠાને જાણવામાં સમર્થ છે. પ્રતિષ્ઠા, પ્રતિસ્થા એટલે ત્યાં સ્થાપન કરવામાં આવે છે, પ્રતિસ્થાપન કરવામાં આવે છે. શેનું? જેષ્ઠત્વનું, શ્રેષ્ઠત્વનું સ્થાપન કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણની જેષ્ઠતા અને શ્રેષ્ઠતાનું સ્થાપન કરવામાં આવે. જીવંત થઈ ઉઠે છે, પ્રાણવાન બની જાય છે મૂર્તિ. પછી જેટલા જાય એ બધાયને આપ્યા જ કરે. બધા એને આપે ને, એ પાછો બધાને પાછું આપે. એટલે ત્યાં આગળ પ્રાણિક એક્સચેન્જ ચાલુ થઈ ગયું હોય, વિનિમય ત્યાં આગળ. તો આ બધા મંદિરો, આ બધા સાધના સ્થળો, આ બધી જગ્યાઓ શું છે? પ્રાણના એક્સચેન્જ છે બધા.
જે પ્રતિષ્ઠાને જાણવામાં સમર્થ છે, એ દેશકાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા એમ બંને સ્થિતિઓમાં પ્રતિષ્ઠિત થાય છે. અનુકૂળતા-પ્રતિકૂળતા જેવું પછી એને રહેતું નથી. નેત્ર જ પ્રતિષ્ઠા છે. આંખોથી પ્રતિષ્ઠા કરો. કોની? શુદ્ધઆત્મા છું, હું શુદ્ધા. "તું શુદ્ધઆત્મા છું." શુદ્ધ આત્મા બિલકુલ નિર્મળ, કોઈ જાતનો મળ નથી કે મેલ નથી, એવા પ્રકારનો આત્મા. નેત્રથી પ્રતિષ્ઠા કર્યા કરો. કારણ કે નેત્ર જ સમાન અને અસમાન દેશકાળમાં પ્રતિષ્ઠિત થાય છે. કોઈપણ સ્થિતિની અંદર નેત્ર બધે જ કામ કરે છે. એ રીતે જાણનાર વ્યક્તિ પોતાની ઈચ્છા દ્વારા સમાન અથવા અસમાન પરિસ્થિતિઓમાં પ્રતિષ્ઠિત થાય છે.
જે સંપદ, દૈવી સંપદાને સંપત્ કહેવામાં. તો દૈવી ગુણો છે, તે દૈવી સંપત્તિ જ છે. એ પોતાની ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરે છે. વ્યવહારિક જે છે તે તો કરે છે, પણ ઈચ્છિત કામનાઓમાં મુખ્ય કામના તમારી શું શું હોય છે? કે જ્ઞાન અને મોક્ષ. સ્ત્રોત્ર જ સંપત્ છે. કારણ કે સ્ત્રોત્રમાં સમસ્ત વેદ સારી રીતે સમાયેલા છે. તમે એનું શ્રવણ કરો છો અને તમે સમૃદ્ધ બનતા જાવ છો. જ્ઞાનમાં વૃદ્ધિ, અભિવૃદ્ધિ થયા જ કરતી હોય છે. જે આ રીતે જાણે છે, તે ભોગની ઈચ્છા કરે છે તો તેની પૂર્ણ થાય.
જે આયતન એટલે કે આશ્રયને જાણે છે, એ પોતે જ પોતાના લોકો માટે અને બીજાને માટે પણ આયતન એટલે કે આશ્રયરૂપ હોય છે. જે આશ્રયને જાણે છે, તે બીજાને માટે આશ્રયરૂપ બની જાય છે. મન જ આયતન છે. જે કોઈ વ્યક્તિ આ રીતે જાણે છે, તે સ્વજનો, બીજા લોકોને પણ આશ્રય પ્રદાન કરે છે.
જે વ્યક્તિ પ્રજાપતિ, પ્રજનન સામર્થ્યને જાણે છે, એ પ્રજા અને પશુઓના રૂપમાં પ્રજાત અર્થાત્ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. રેતસ જ પ્રજાપતિ છે. જે આ સારી રીતે જાણે છે, એ પ્રજા અને પશુઓથી યુક્ત બને છે.
પછી આગળ કીધું: "વાઘ આદિ, વાણી આદિ સમસ્ત પ્રાણ, હું શ્રેષ્ઠ છું."
"હું શ્રેષ્ઠ છું" એ રીતે પ્રજાપતિ બ્રહ્માજી પાસે પહોંચીને પૂછવા લાગ્યા કે, "અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે?" ત્યારે પ્રજાપતિએ તેમને કહ્યું કે, "તમારામાંથી જેના બહાર નીકળી જવાથી આ શરીર વધારે પાપી અથવા અપવિત્ર ગણવામાં આવે છે, એ તમારામાંથી તમે બધાય છો. હવે તમારા બધાયની અંદરથી જેના નીકળી જવાથી બાકીનું બધું અપવિત્ર બની જતું હોય, તો એ શ્રેષ્ઠ છે." એમ કહે છે.
એટલે સર્વપ્રથમ વાણીએ શરીરને છોડી દીધું. એટલે વાગેન્દ્રિય વાણીએ એક વર્ષ સુધી મૌન પાડી લીધું. બહાર રહ્યા પછી પાછા આવીને કીધું કે, "મારા અભાવમાં તમે બધા કેમ જીવતા રહ્યા?" ત્યારે એને સાંભળીને કહ્યું કે, "જેમ મૂંગો વ્યક્તિ વાણી વડે ન બોલવા છતાંય શ્વસન ક્રિયા સંપન્ન કરે, આંખોથી જુએ, કાનથી સાંભળે, મનથી જાણે અને રેતસ મૂંગો હોય તો પણ એ પ્રજા તો પેદા કરી શકે છે, તો વૃદ્ધિ કરે છે પ્રજાની અને જીવતો રહે છે. એવી રીતે અમે બધા જીવતા રહ્યા." એવું સાંભળીને વાગેન્દ્રિયે શરીરમાં ફરીથી પ્રવેશ કરીને પોતાનું કાર્ય શરૂ કરી દીધું. ભાઈ, "આપણો ગજ વાગ્યો નથી." એવી રીતે.
પછી ચક્ષુએ એક વર્ષ માટે વિરામ લીધો. શરીરની બહાર ચાલ્યા ગયા. બધું જોવાનું બંધ. તો એક વર્ષ પછી પાછા આવ્યા ત્યારે કે, "તમે મારા વિના કેવી રીતે જીવતા રહી શક્યા?" આ સમજાવવા માંગે છે, "શ્રેષ્ઠ શું છે શરીરની અંદર?" એમ. ત્યારે એને કીધું કે, "જેમ આંધળી વ્યક્તિ આંખોથી ના જોવા છતાંય બધું કરે છે, તેવી જ રીતે અમે પણ જીવતા રહ્યા." કે, "પ્રજાએ પેદા કરીને બધું થયું." કે, "આંખો વગરનો માણસ હોય તે પણ કરી શકે ને પ્રજા તો." એટલે આવી રીતે એને ફરી પાછો પ્રવેશ કર્યો કે, "ભાઈ, આપણો પણ ગજ વાગતો નથી."
એવી રીતે શ્રોત્ર પણ ચાલી ગયા. એ પછી મને પણ શરીર છોડી દીધું. તો શ્રોત્ર પણ પાછા આવી ગયા એક વર્ષ પછી, ને એક વર્ષ પછી મન પણ પાછું આવી ગયું. કારણ કે જેમ પાગલ માણસ હોય કે મુગ્ધ પુરુષ હોય, એ મન દ્વારા ન જાણવા છતાંય અજ્ઞાનીની જેમ રહી શકે છે. શ્વાસોચ્છ્વાસ કર્યા કરે, ભોજન કરે, પ્રજાની વૃદ્ધિ કરે, બધું કર્યા કરે, મન વગરનો માણસ હોય તો પણ. એટલે પછી મને પણ રેતસે શરીરને છોડી દીધું. તો રેતસ એક વખત બહાર નીકળ્યું અને એક વર્ષ સુધી બહાર રહ્યા પછી ઇન્દ્રિયોએ કીધું કે, "તમે કેવી રીતે જીવતા રહ્યા?" તો કે, "જેમ નપુંસક વ્યક્તિ જીવતો રહે, તેવી રીતે અમે બધા જીવતા રહ્યા." શો તો પછી પાછા આ રેતસે પણ પોતાનું એક વર્ષ પછી સામ્રાજ્ય પાછું ફરી શરૂ કરી દીધું.
છેલ્લે પછી પ્રાણ જે છે, તેને શરીર છોડવાનું નક્કી કર્યું. એટલે જેમ પ્રાણ જે હતો તે બહાર નીકળવાનો શરૂઆત થયો ને, એટલે બધી ઇન્દ્રિયો બધા પોતાના સ્થાનેથી શું થવાની? ભ્રષ્ટ થવાની શરૂ થઈ ગઈ. એટલે તરત આ બધી ઇન્દ્રિયો પછી પ્રાણને કીધું, "ભગવાન, ભગવાન, શ્રેષ્ઠતા તો પહેલા સ્વીકારી લીધી." અને કીધું, "આપ ના જશો, કારણ કે આપના અભાવમાં અમે સૌ જીવિત રહી શકશું નહીં." ત્યારે પ્રાણે એમ કહ્યું, "સારું, ત્યારે હવે તમે બધા મને ભેટ પ્રદાન કરો." અને ઇન્દ્રિયોએ પણ એક્સેપ્ટ કર્યું કે, "ઓકે, અમે તમને ભેટ પ્રદાન કરીશું." એટલે પછી બધાને એમને આશ્વસ્ત કર્યા. એટલે આવી રીતે પ્રાણની શ્રેષ્ઠતા ઇન્દ્રિયોની ઉપર બળ સ્થાપિત થઈ જાય છે.
પછી વાગેન્દ્રિયે કહ્યું કે, "મારામાં જે શ્રેષ્ઠતા છે, એ તમો જ વશિષ્ઠ શ્રેષ્ઠ ગુણથી સંપન્ન થાવ." ત્યારે નેત્રોએ પણ કહ્યું કે, "હું જે પ્રતિષ્ઠા રૂપ છું, તેવા તમે પણ થઈ જાવ." શ્રોત્રએ પણ કીધું કે, "હું જે સંપત્તાદાર રૂપ છું, તેનાથી તમે પણ વિભૂષિત થઈ જાવ." એવી રીતે કરતાં કરતાં મને પણ કહ્યું કે, "હું બધાના આશ્રયરૂપ છું, તો તમે પણ બધાના આશ્રયરૂપ થઈ જાવ. મારો આ ગુણ પણ હું તમને આપું છું." પછી રેતસે પણ કહ્યું કે, "હું સંતાનો ઉત્પત્તિ કરતા છું, સંતાનોની ઉત્પત્તિ હું કરું છું, તો તમે પણ હવે પ્રજાની ઉત્પત્તિના ગુણોથી સંપન્ન થાવ."
ત્યારે પ્રાણે પછી એને પ્રશ્ન કર્યો કે, "મારું અન્ન શું અને મારું વસ્ત્ર શું હશે?" ત્યારે વાઘ આદિ ઇન્દ્રિયોએ કીધું કે, "કીટ પતંગિયાથી માંડીને જેટલા પણ દેહધારી છે, એ બધા જ તમારું અન્ન હશે અને જળ પણ તમારું ઉપવિત હશે." પ્રાણ આ અન્નને આ રીતે જાણનારનું ભક્ષિત અન્ન અભક્ષ રહેતું નથી. જળને વસ્ત્ર રૂપમાં જાણનારો મનિષિક ગણ પાણી પીવે છે, તો એ પ્રાણને જ ઉપવિત એટલે કે એ પહેરાવે છે, આવરણ પહેરાવે છે, વસ્ત્ર પહેરાવે છે. એવી રીતે કરે છે. એટલે હંમેશા જળનું આચમન કરીને પછી જે ભોજન પણ ગ્રહણ કરે, પહેલા જળ પછી ભોજન અને પ્રાણને વસ્ત્રથી વંચિત રહેવા દેતો નથી.
આ એક બાબત છે. બીજા બ્રાહ્મણની અંદર શું થાય છે કે, આરુણીનો પુત્ર શ્વેતકેતુ પંચાલોની સભામાં, પાંચાલો એટલે આપણા જે પંચાલો લુહાર હોય છે તેની પાંચાલો સભામાં પહોંચી ગયા. પાંચાલ પ્રદેશ હતો એક. સેવકો દ્વારા સેવા કરાવતા કરાવતા પ્રવાહણની પાસે આવ્યો. ત્યારે શ્વેતકેતુએ એને "ઓ કુમાર" એમ કહીને બોલાવ્યો. એટલે એને કીધું કે, "ભો" એટલે કે શું છે? "ભો બ્રાહ્મણહ" એમ બોલાય છે. તો પ્રવાહણે પ્રશ્ન કર્યો કે, "શું તારા પિતાએ તને શિક્ષા આપેલી છે?" એટલે શ્વેતકેતુએ કીધું કે, "હા." ત્યારે પ્રવાહણે એને પૂછ્યું કે, "પ્રજા એટલે કે જીવાત્મા શરીરને છોડી દીધા પછી જુદા જુદા માર્ગોથી ગમન કરે. હવે આ બધા માર્ગો વિશેની સમજણ આની અંદર આવે છે. જાય છે. શું તું એ જાણે છે?" ત્યારે શ્વેતકેતુએ કીધું, "ના." ત્યારે રાજાએ ફરી પ્રશ્ન કર્યો, "એ ફરીથી આ લોકમાં પણ આવે છે, શું એ તને ખબર છે?" ત્યારે શ્વેતકેતુએ કીધું, "ના." તો કે, "આ રીતે મરીને અગણિત પ્રાણીઓના જવાથી એ લોક ભરાતું નથી, કેમ નથી?
એનો જ એનો જવાબ છે તારી પાસે?" તો કે, "મારી પાસે એનો જ જવાબ નથી." "કઈ આહુતિ પ્રદાન કરવાથી આપતત્વ જ પ્રાણી રૂપમાં બનીને થઈને ધારણ કરીને ઉઠવા બેસવા સમર્થ બને? આપ તત્વમાંથી જ બધું બન્યું."
છે ને આખું જગત તો કહે છે કે જાણતો નથી. પછી કહે છે કે દેવયાન માર્ગનું કર્મરૂપી સાધન અથવા પિતૃયાનનું કર્મરૂપી સાધન કેવી રીતે પ્રાપ્ત થાય છે? એ તને ખબર છે? તો કે ના. શું તે ઋષિઓની આ વાણી સાંભળી છે કે પિતૃઓ અને દેવતાઓના આ બે પ્રકારના માર્ગ છે અને આ બંને માર્ગ મનુષ્ય સાથે સંબંધ ધરાવે છે? આ બંને માર્ગથી જનાર જગત સારી રીતે ગમન કરે છે. સાથે સાથે આ માર્ગે પિતા અને માતા અર્થાત દ્યુવલોક અને પૃથ્વીલોક લોકની મધ્યમાં છે એવું કીધું. ત્યારે શ્વેતકેતુએ કીધું કે આમાંથી તો હું કંઈ પણ પ્રશ્નનો ઉત્તર જાણતો નથી.
એ પછી રાજાએ શ્વેતકેતુને રોકાવા માટે નિવેદન કર્યું, પરંતુ એ કુમાર રાજા દ્વારા કરવામાં આવેલી પ્રાર્થનાની ઉપેક્ષા કરીને ચાલ્યો ગયો. સામાન્ય રીતે આવું બનતું નહોતું, પણ આ જતો રહ્યો. એ કુમાર પોતાના પિતાની સમક્ષ આવ્યો અને બોલ્યો કે આપે એમ કહ્યું હતું કે તને બધા વિષયોની શિક્ષા આપવામાં આવી છે. એવું સાંભળતા એના પિતાએ કીધું કે, "હે શ્રેષ્ઠ બુદ્ધિવાળા, શું થયું?" ત્યારે કુમારે કહ્યું કે, "રાજાએ મને પાંચ પ્રકારના પ્રશ્નો પૂછ્યા, પણ એમાંથી એકેનો જવાબ મારી પાસે હતો નહીં ને હું ઉત્તર આપી શક્યો નહીં." ત્યારે પિતાએ પૂછ્યું, "એ પાંચ પ્રશ્નો કયા હતા?" એટલે આ બધા પાંચે પાંચ પ્રશ્નો પાછા શ્વેતકેતુએ તેના પિતાને સંભળાવ્યા.
શ્વેતકેતુને એના પિતાએ કીધું, "હે તાત, અમે જે કંઈ જાણતા હતા એ બધું તને બતાવી દીધું. હવે આ બાબતો આપણે જાણતા નથી, તો આપણે બંને એક ક્ષત્રિય બંધુની પાસે જઈએ." બંને બ્રાહ્મણો છે, ઋષિઓ છે, પણ બંને કહે છે કે, "જે ક્ષત્રિય બંધુની પાસે જઈ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી એમની સમક્ષ રહીશું." અને પુત્રે કહ્યું, "આપ જ એમની પાસે જાઓ." એવું સાંભળીને ગૌતમ એટલે કે શ્વેતકેતુના પિતા જ્યાં જેવલ પ્રવાહનો કક્ષ એટલે ઓરડો હતો, જ્યાં એ રાજા રહેતો હતો, ત્યાં આસન પર બેઠેલા હતા.
ત્યાં રાજાએ સેવકો પાસે જળ મંગાવ્યું અને અર્ધ્ય સમર્પિત કર્યો. ત્યારબાદ બોલ્યા, "હું પૂજ્ય ગૌતમને વર પ્રદાન કરું છું." રાજા હતા, તેમણે પહેલા જળ સમર્પણ કર્યું અને પછી, "હું તમને એક વરદાન આપું છું. આપનું પ્રયોજન પૂર્ણ કરવા માટે હું તત્પર છું." જો રાજા એટલો એક્સેપ્ટન્સવાળો છે, તમે જુઓ. એ આદરભાવથી સત્કાર કરે છે એનો અને પછી એ કહે છે. તો કે શ્વેતકેતુના પિતાએ કીધું કે, "આપે વર પ્રદાન કરવા માટે પ્રતિજ્ઞા કરેલી છે, તે મુજબ હું તમને કહું છું કે જે કુમારને એટલે કે મારા દીકરાને શ્વેતકેતુને જે પાંચ પ્રશ્નો તમે પૂછ્યા હતા, એ પ્રશ્ન આપ મને પૂછવાની કૃપા કરો."
ત્યારે પ્રવાહને કહ્યું, "એ વર તો દેવતાઓના શ્રેષ્ઠ વરોમાંથી છે." એટલે આ મનુષ્યો સાથેના સંબંધિત વરોમાંથી કોઈપણ વર મેળવી લો. એ આખી વાત જુદા લેવલની હતી. કહે છે એટલે તમે કોઈ બીજી વસ્તુ માંગી લો. ત્યારે ગૌતમે કીધું, "આપને જાણ છે કે મારી પાસે બધું જ છે. સોનું, ગાયો, ઘોડા, પરિચારિકાઓ, કુટુંબ, વસ્ત્રાભૂષણ બધું જ મારી પાસે છે. શ્રેષ્ઠ અને અનંત ફળોથી યુક્ત છે એવું જે છે અને ક્યારેય નષ્ટ ન થાય એવું જે વર છે, તે મને તો તમે પ્રદાન કરો." ત્યારે રાજાએ કહ્યું કે, "હા ગૌતમ, તમે શાસ્ત્રો દ્વારા કહેલી રીત પ્રમાણે તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો." એમનેમ ઈચ્છા નહીં કરવાની. એમ ના પાડીને ગૌતમે કહ્યું, "ઠીક છે. હવે શું રીત છે એ જાણો કે હું આપની સમક્ષ હવે જો શિષ્ય ભાવથી શિક્ષા પ્રાપ્તિ માટે ઉપસ્થિત થયેલો છું."
પૂર્વકાળમાં બ્રાહ્મણ વાણીથી જ ક્ષત્રિય વગેરેની પાસે ઉપસ્થિત થતા. બોલીને આ રીતે ગૌતમ પણ માત્ર કથન કરીને ગુરુની પાસે શિષ્યભાવે રહેવા લાગ્યા. રાજાએ કહ્યું કે, "હે ગૌતમ, જેમ તમારા પૂર્વજોએ અમારા મહાન પૂર્વજોના અપરાધોને સ્વીકાર્યા નહોતા, એવી રીતે તમે પણ મારી અવજ્ઞા કરશો નહીં. આ વિદ્યા આનાથી પહેલા બીજા કોઈ બ્રાહ્મણની પાસે રહી નથી. એ શ્રેષ્ઠ વિદ્યાને હું તમારા માટે કહું છું, કારણ કે તમારી નમ્રતા યુક્ત પ્રાર્થનાનો નિષેધ કરવા માટે કોઈ સમર્થ બની શકે તેમ નથી."
પછી હવે એને આગળ સમજાવે છે. કહે છે કે, "હે ગૌતમ, આ દ્યુલોક છે એ અગ્નિ છે. આ થોડું ગૂઢ છે. આદિત્ય જ એની એટલે કે અગ્નિની સમિધા એટલે કે ઈંધણ છે. કિરણો જ એનો ધ્રુમ એટલે કે ધુમાડો છે. દિવસ જ એની જ્વાળાઓ છે. દિશાઓ તેનો અંગાર છે. ખૂણાઓ એટલે અવાંતર દિશાઓ એ ચિનગારીઓ છે. એવા મહાન ગુણોથી યુક્ત દ્યુલોક રૂપ આ અગ્નિમાં દેવતાઓનો સમૂહ શ્રદ્ધારૂપ આહુતિઓ પ્રદાન કરે છે." આહુતિઓ શેની છે? પોતાની શ્રદ્ધાની આહુતિઓ પ્રદાન કરે છે. એ આહુતિઓથી જ રાજા સોમનો પ્રાદુર્ભાવ થાય છે. શ્રદ્ધાની આહુતિ આપશો એટલે સોમ એટલે કે અમૃત પેદા થાય એનાથી.
"હે ગૌતમ, પર્જન્ય અર્થાત મેઘ જ અગ્નિ છે." પહેલા દ્યુલોક અગ્નિ કીધો, હવે પર્જન્ય એટલે કે મેઘ છે તે અગ્નિ છે. "સંવતસર તેની સમિદા છે." એક વર્ષ થાય વરસાદ વર્ષે છે એવી રીતના. "સંવતસર એક વર્ષ, અભ્ર એટલે વાદળ એનો ધુમાડો છે. વિદ્યુત એ જ્વાળાના રૂપમાં છે." આમ વિદ્યુત થાય એટલે જ્વાળા છે એની. "અર્થાત અશની ઇન્દ્રનું વજ્ર જ અંગારા છે અને મેઘની ગર્જના જેની ચિનગારીઓ છે. આ રીતે આ અગ્નિમાં સમસ્ત દેવતા સોમ રાજાની આહુતિ આપે છે. આ આહુતિથી વર્ષા થાય છે." વર્ષાનું આખું વિજ્ઞાન આપી દીધું.
"હે ગૌતમ, આ લોક જ અગ્નિ. આની સમિદા પૃથ્વી છે. અગ્નિ ધૂમ્ર છે અને રાત્રી એની જ્વાળા છે. ચંદ્રમાં અંગાર અને નક્ષત્ર તેની ચિનગારીઓ છે." ઉપર બધા નક્ષત્રો છે તેની ચિનગારીઓ સમાન. "આ શ્રેષ્ઠ દિવ્ય અગ્નિમાં સમસ્ત દેવતાઓ અન્નનો હોમ કરે છે. એ અન્નની આહુતિથી રેતસ એટલે કે વીર્ય પેદા થાય છે." હવે આગળ કીધું કે, "પુરુષ જ અગ્નિ છે. તેનું ખુલેલું મુખ જે છે તે સમિદાઓ છે. પ્રાણ એનો ધુમાડો છે. વાણી એની જ્વાળા છે." બોલે છે તો. "ચક્ષુ તેના અંગારા છે. સ્્રોત્ર..."
તેના વિસ્ફૂલિંગ એટલે ચિંગારીઓ છે. આમ ધુમાડા નીકળ્યા છે કાનમાંથી એમ બોલે છે. આ શ્રેષ્ઠ દિવ્ય અગ્નિની અંદર સમસ્ત દેવતા અન્નનો હોમ કરે છે. એ અન્નની આહુતિથી રેતસ એટલે કે વીર્ય પ્રગટ થાય છે.
હવે આગળ કે, "હે ગૌતમ, સ્ત્રી જ અગ્નિ છે." સામાન્ય રીતે એટલે અડડ નહીં કરવાનું કોઈ સ્ત્રી, કારણ કે અગ્નિ સમાન થોડાક ના આપી. આ પહેલી વાત છે. હવે સ્ત્રીનું ઉપસ્થ એટલે કે એનું ઉત્પાદક અંગ જે છે, તે સમિધા છે. અને સમજવાનું સોમ સમૂહ ધુમાડો છે. યોનિ જે છે તેની, એ જ્વાળા સમાન છે. પુષ્કળ ધકતી હોય. સહવાસ એ અંગારા છે અને આનંદ એની ચિંગારીઓ છે. આ અગ્નિમાં બધો જ દેવ સમૂહ રેતસ પોતાના વીર્યની આહુતિ આપે. માણસ એમ માને છે કે હું કરું છું. આ યજન કૃત્યથી પુરુષની ઉત્પત્તિ થાય. એ જીવન ધારણ કરીને રહે છે અને જ્યાં સુધી કર્મ બાકી રહે છે, ત્યાં સુધી એ જીવિત રહે છે. અને જ્યારે તે પછી મૃત્યુને પ્રાપ્ત થાય છે, ત્યારે એને અગ્નિની સમક્ષ લઈ જવામાં આવે છે. પછી પાછો અને એ આહુતિભૂત પુરુષનું અગ્નિ જ અગ્નિરૂપ થાય છે. સમિધાઓ એની સમિધા રૂપ બને છે.
ધુમાડો એ ધુમાડા રૂપ બને છે ત્યારે અને જ્વાળાઓ જ એની જ્વાળા બને છે. અંગારા જ એના અંગારા બને છે અને ચિનગારીઓ એની વિસ્ફૂલિંગ થાય છે. આ અગ્નિમાં દેવતા લોક પુરુષની જ આહુતિ આપે છે. એ આહુતિ દ્વારા મનુષ્ય તેજોમય રૂપવાળો થાય છે. તો મળદું ત્યાં આગળ પૂરું થઈ ગયું, પણ પછી તેજોમય શરીર વડે પોતે સ્વર્ગ ભણી પ્રયાણ કરે છે એમ સમજાવે છે.
જન્મથી માંડીને મૃત્યુ સુધીનું આખી સાયકલ આપી દીધી આની અંદર. સૌથી પહેલા એને વાત કરી દીધી આદિત્ય દ્યુલોકની અગ્નિ પૃથ્વી પર જે છે તે. પછી એને પર્જન્ય પૃથ્વી પર ઉપર જે મેઘનું સર્જન થાય છે તે. એ મેઘની અંદર રહેલું જે કાંઈ છે, તેનું હોમ થવાના કારણે આ અગ્નિલોકની અંદર બધું આવે છે અને તેનાથી શ્રેષ્ઠ અન્ન પેદા થાય છે. એ અન્નને પુરુષ જમે છે. એ જમવાથી એને વીર્ય પેદા થાય. એ પછી પાછા સ્ત્રી સંગ કરવા જાય છે. ત્યાં આગળ આહુતિ રૂપે તેમાં વીર્યનું સિંચન કરવાના પરિણામ રૂપે પુરુષ પોતાનો બીજો પુત્ર પામે છે. એ પુત્ર પાછો મોટો થાય છે, બધા કર્મો પૂરા કરે છે અને અંતે મૃત્યુ પામે છે. મૃત્યુ પામેલો જે છે, તેને અંદર પાછા આહુતિ રૂપે જ્યારે સ્મશાનની અંદર એને અગ્નિદાહ કરવામાં આવે, ત્યારે એ દિવ્ય શરીર ધારણ કરે છે, તેજસ શરીર ધારણ કરે છે અને પછી એ ઊર્ધ્વમાં ગતિ કરે છે.
આખી સાયકલની એને આવી રીતની વાત આપી છે.
આ રીતે જે ગૃહસ્થ અને વાનપ્રસ્થ આ પંચાગ્નિ વિજ્ઞાનને, જ્યાં પાંચ અગ્નિની વાત કરી દીધી એને, એટલે એને પંચાગ્નિ વિજ્ઞાન કીધું, જાણે છે અને અરણ્ય એટલે કે વનમાં એકાંતમાં શ્રદ્ધાપૂર્વક હૃદયથી સત્ય બ્રહ્મની ઉપાસના કરે. "સત્ય છે તે બ્રહ્મ છે, બ્રહ્મ છે તે સત્ય છે." બસ, એ આચરશી આરચીસી અવસ્થા અર્થાત જ્યોતિના અભિમાની દેવને પ્રાપ્ત કરે છે. એટલે કે એ તેજસ્વી બને છે. પેલો એમનેમ બને છે. આ પાંચ વિદ્યાઓનું, પાંચ અગ્નિનું વિજ્ઞાન જે માણસ જાણે છે, તે એકાંતની અંદર એકલો બેસીને શ્રદ્ધાપૂર્વક બ્રહ્મની જ્યારે ઉપાસના કરે છે, ત્યારે તેજસ તેજને એ પ્રાપ્ત કરે છે. એનાથી આહાનિક અર્થાત દિવસના અભિમાની દેવતાને પ્રાપ્ત કરે. આહાનિકથી શુક્લ પક્ષને, શુક્લ પક્ષથી ઉત્તરાયણ વાળાને, છ મહિનાને, દેવલોકને, આદિત્યને, વૈદ્યુતને, વિદ્યુતથી માનસપુત્ર અને એ માનસ પુરુષ જ એને બ્રહ્મલોક સુધી લઈ જાય છે.
આખી પ્રોસેસ થાય છે સાધકની અંદર. એટલે બેસીને ચિંતન કરે. બસ, આટલું કરવા માત્રથી આ બધો આખો સાધનાનો ક્રમ બતાવી દીધો. એ સાધકે શરૂઆત કરી એકાંતમાં જઈને બેસીને, પણ આ પાંચ વિજ્ઞાનને એ જાણતો હોવો જોઈ પહેલા અને પછી એ બ્રહ્મ સ્વરૂપને ઉપાસના શરૂ કરે છે. સત્યરૂપ કે બ્રહ્મ જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. ત્યારે એને તેજસ શરીર પ્રાપ્ત થાય છે અને પછી એ દિવસે દિવસે વધતું જાય છે. એક વર્ષની અંદર એક સ્ટેજે પહોંચે છે. પછી એનો એ સંવતસર પૂરો થાય છે. એટલે જો અહીંયા કીધું ને કે એક મહિનો થાય છે, પછી છ મહિના થાય છે, વટે એક વર્ષ કીધું. એમ કરતાં કરતાં એ શું થયું? ઉત્તરાયણ અને દક્ષિણાયન પણ પૂરા કરે છે. ઉત્તર તરફ અયન, અયન અહીંયા છે. આ દક્ષિણ અયન છે, આ દક્ષિણ આયન છે. સમજ્યા? બે ધ્રુવ છે. હવે અહીંયા એનો પ્રાણ આવી રીતના આમ ફરે, આવી રીતના આમ કરીને આમ.
એની આખી એક વિદ્યા છે, બરાબર? તો એ આવી રીતે પ્રાણ ફરે છે આગળ પાછળ આવી રીતના, ત્યારે આ એક સંવતસર પૂરું થાય છે, એક દિવસ પૂરો થાય છે. પછી એક દિવસ એક સંવતસર બને છે, એક મહિનો બને છે, છ મહિના બને છે. એ જે છે, એને આખું બધું સિક્રેટ છે, બરાબર? તો બેસીને એને એમ કીધું કે આ પ્રાણની ઉપાસના, પ્રાણ છે એ બ્રહ્મ છે. તો પ્રાણને સાથે રાખી, કારણ કે એ બળ છે. બળ સાથે કરવાનું છે કામ. તો એ બ્રહ્મની આવી રીતના ઉપાસના એ શરૂ કરે અને એ પ્રાણ આવી રીતના ફેરવે. એટલે એક વખત જ્યારે પહેલા ફેરવે છે, ત્યારે એક દિવસ જેટલું એ પ્રાપ્ત કરે છે. પછી એ એવું સતત કરતો રહેવાના કારણે એક વખતની અંદર એ છ એક મહિના જેટલું પ્રાપ્ત કરે. પછી એ છ મહિના જેટલું પ્રાપ્ત કરે છે. પછી પહેલા તો દિવસ અને રાત્રિ અડધા અડધા દિવસની વાત કરી. પછી આવી રીતના એક મહિના સુધી, પછી છ મહિના સુધી અને પછી એક વર્ષનું અને પછી એમ એમ કરતાં કરતાં પછી એ આગળના જે લોક છે, તેના ગમન કરવા માટે તૈયાર થાય છે.
એટલે અહીંથી સૌથી પહેલા પૃથ્વીલોક પરથી ઉપર ઊઠે છે અને પછી એને દ્યુલોકનો ખ્યાલ આવે છે. પછી અંતરિક્ષ લોકનો ખ્યાલ આવે છે. પછી સ્વર્ગલોકનો ખ્યાલ આવે છે. પિતૃલોકનો ખ્યાલ આવે છે. પછી આદિત્ય અગ્નિ આદિત્ય લોકનો ખ્યાલ આવે, ચંદ્રલોકનો ખ્યાલ આવે, પછી એને અગ્નિલોકનો ખ્યાલ આવે. આ બધી જ વસ્તુઓનો અનુભવ.
કરતાં કરતાં છેવટે પરબ્રહ્મને પામે છે. એ એનો પ્રોસેસ છે. અનુલોમ-વિલોમ કરો એટલે લાંબા સમય સુધી પછી એ બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને એનું ફરી પુનરાવર્તન થતું નથી. એ પ્રોસેસ છે આખો. તે પૂરો કરવાનો આપણે પ્રાણની શરૂઆત ફેરવવાનો છે બધો. બધી જગ્યાએ આ રીતે જે યજ્ઞ, દાન, તપશ્ચર્યા દ્વારા લોકો પર વિજય પ્રાપ્ત કરે છે, લોકો આ બધા લોકો છે, આ માણસો પર વિજય પ્રાપ્ત કરવાની વાત નથી અહીંયા આગળ. તેઓ ધૂમ એટલે કે ધૂમના અદિષ્ઠાતાને પ્રાપ્ત થાય. ધૂમથી રાત્રિના દેવતાને, રાત્રિથી કૃષ્ણ પક્ષના દેવતાને, કૃષ્ણ પક્ષથી દક્ષિણાયન સૂર્યવાળા આ છ મહિનાથી પિતૃલોક, પિતૃલોકથી ચંદ્રલોક, ચંદ્રલોકથી દેવતાગણ અને એવી રીતે પાછા ઋત્વિકગણ બધા સોમનું પાન કરે છે અને એમના બધા પુણ્યફળ જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે પાછળ ફરી આકાશમાં પ્રગટ થાય છે.
આકાશમાં પ્રાપ્ત થાય છે. આકાશમાંથી વાયુમાં જાય છે. વાયુમાંથી એ વૃષ્ટિ દ્વારા પૃથ્વી પર આવીને અન્નરૂપ બને છે. અન્નરૂપ બન્યા પછી પુરુષરૂપ અગ્નિમાં ફરી એની આહુતિ આપવામાં આવે છે. એટલે વ્યક્તિ ભોજન કરે છે, એના દ્વારા ઉત્થાન કરતાં થઈ સ્ત્રી રૂપી અગ્નિમાં એ પ્રગટ થાય છે, ગર્ભમાં જાય છે અને પછી આવી રીતે વિભિન્ન લોકોને વારંવાર પ્રાપ્ત કરતાં કરતાં આ જીવ ફરિયાદ કરે છે.
પરંતુ જે આ બંને માર્ગોને જાણતા નથી તેવા લોકો શું થાય છે? તો કે કીટ, પતંગિયા, દંદન સુખ એટલે કે મચ્છર થાય, બીજી યોનિઓને પ્રાપ્ત. તો અહીં કોની વાત કરી, સમજાયું? પ્રાણની તમે ઉપાસના કરો છો બ્રહ્મ રૂપે, બ્રહ્મને તમે ધારણ કરો છો અને પછી એને આવી રીતના તમારે આમ ફેરવવાનું છે. તમારી અંદર જ એક પ્રેક્ટિસ થયા પછી તમે એક આવર્તન પૂરું કરશો ત્યારે શું થશે? તો કે તમારો અડધો આ અડધો ભાગ થયો એટલે આ દિવસ થયો અને અહીંથી ઉપર આયા એટલે રાત્રી થઈ ગઈ. પાછો દિવસ થયો, પાછી રાત્રી થઈ, દિવસ થયો, રાત્રી થઈ. એ દિવસ અને રાત્રી કરતાં કરતાં કરતાં કરતાં એક આખો દિવસ પૂરો કર્યો. આવા 30 સાયકલ પૂરા કરશો એટલે તમારો શું? એક મહિનો પૂરો થશે. એ પાછા તમે છ મહિના સુધી કરશો એટલે તમારો એક આયન પૂરો થશે: ઉત્તરાયન અને દક્ષિણાયન. આઉ આમ ઉપર ઉઠે ઉત્તરાયન, નીચે આવે છે દક્ષિણાયન.
આ ઉત્તર છે અને આ દક્ષિણ છે. તમારું ફેરવવાનું બસ આ રીતના દક્ષિણાયન. એનાથી પછી ઉપર જાવ છો આગળ દક્ષિણાયનથી પછી તો આ એક આખો સંવત્સર પૂરો થાય છે બંને ભેગા થઈને. એમ કરતાં કરતાં કરતાં આગળ વધતા જાજો એટલે પછી ધીમે ધીમે એ ક્ષમતા આવે છે કે તમે આ બધા લોકોની અંદર તમે જઈ શકો.
તો પહેલા ભાગની અંદર તમે ક્યાં પહોંચ્યા? તો કે બ્રહ્મલોકમાં પહોંચે. સાધના કરતાં કરતાં સંપૂર્ણ નિર્વાણ પામી ગયા. બીજા કેસની અંદર તમે શું કરો છો કે આવી સાધના કરતાં કરતાં દક્ષિણાયન એક જ બાજુથી તમે ચાલુ કરો છો: ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે સતત કર્યા કરો. આવું કરવાથી શું થશે? તો કે તમને મનુષ્ય લોક પ્રાપ્ત થયા કરે છે વારે વારે. પણ જે આ સુષુમ્ણામાં આવી રીતના પ્રાણને ફેરવવા વિશેની જ કોઈ જાણકારી મેળવતા જ નથી, એ બધા માખી, મચ્છર, માત, એ બધું એવું બધું કીડા, પતંગો, કંઈ પણ જાતની યોનિઓમાં એમને જન્મ લેવાનો વખત આવે છે. તો જેટલા લોકો જાણે છે તેટલા લોકો પ્રાણ, પ્રાણાયામ આવી રીતના કરીને પાછા મનુષ્ય લોકમાં આવી શકે બીજા રસ્તે. પહેલા રસ્તે તો તમે સીધા ઉપર જ પહોંચે. તો એને દેવયાન કહેવામાં આવે છે અને આ જે છે પિતૃલોક સુધી જવાનું ને પાછા આવવાનું તેને પિતૃયાન કહેવામાં આવે.
સમજાયું? ના સમજાય તો પાછો ફરી પ્રશ્નો કરજો, કશો વાંધો નહીં.
જે મહત્તા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એ લોકો આદિત્યના ઉત્તરાયણ થયેથી, આદિત્યનું ઉત્તરાયણ થઈ શુક્લ પક્ષની શરૂઆતમાં 12 દિવસોની અંદર કોઈ શુભ તિથિમાં ઉપસદ એટલે પયોવ્રતી થઈને ગુલરના લાકડામાંથી બનાવેલા કટોરા-ચમચામાં સર્વ ઔષધિ, ફળ વગેરે એકઠા કરી, યજ્ઞવેદીનું પરિસમોહન, સફાઈ વગેરે કરી, લિંપન વગેરે કરી, અગ્નિસ્થાપન કરી, કુશ આસન બિછાવી અને પછી એનું જે પુરુષવાચી નામ હોય તે નક્ષત્રમાં, હસ્ત, પુષ્ય વગેરે હોય તેમાં ઔષધિનું મિશ્રિત રૂપને વચમાં રાખીને આહુતિ પ્રદાન કરે અને આહુતિ કરતાની સાથે સાથે મંત્રના માધ્યમથી આવી પ્રાર્થના કરે કે, "હે જાતવેદ એટલે કે હે અગ્નિદેવ! મનુષ્યોની કામનામાં મુશ્કેલી નાખનારા તમારામાં પ્રતિષ્ઠિત જેટલા પણ તિર્યગ એટલે કે કુટિલ દેવગણ છે જે ઉપર ઉઠવા નથી દેવા ચાહતા તે, એ બધાય દેવોને હું આહુતિ પ્રદાન કરું છું.
એ બધાય તૃપ્ત થઈને મારી કામનાઓને પૂર્ણ કરો." "એ દેવતાઓ સિવાય જે તિરસ્ચી એટલે કે કુટિલ દેવીઓ છે તેમને પણ હું આ ઘીની આહુતિ પ્રદાન કરું છું અને એ મારી આ કામનાઓને પૂર્તિ કરો, મારી બધી ઈચ્છાઓ પૂરી થાવ." આવી રીતના બેસીને એક હવનની પણ વિધિ અહીંયા આપેલી છે જેને ઈચ્છાપૂર્તિઓ કરવી હોય તો આવો ઈચ્છાપૂર્તિ યજ્ઞ પણ કરી શકાય.
શું કીધું? ચોક્કસ દિવસે આ બધી સિસ્ટમ છે એની અંદર એવી રીતના શુભ તિથિમાં પહેલા 12 દિવસ બધી ઔષધિ અને ફળો ભેગા કરી, એ બનાવીને પછી એનું હવન કરવાનું એમ કીધું. સાધક અથવા યાજક "જેષ્ઠાય સ્વાહા", "શ્રેષ્ઠાય સ્વાહા" આ મંત્રોથી યજ્ઞમાં આહુતિ આપતા આપતા વધેલા ઘીને મંથમાં નાખી દે. અહીંયા એક બાજુમાં એક રાખવામાં આવેલું છે તેમાં થોડું થોડું રાખે. પછી વાંચે: "સ્વાહા", "પ્રતિષ્ઠાએ સ્વાહા" આવા મંત્રોથી આહુતિ આપતા આપતા હવન કરતાં કરતાં જે થોડો બાકીનું ટીપું છેલ્લું હોય, એક હોય, એ પ્યાલામાં નાખવામાં અને બોલે: "ચક્ષુસે સ્વાહા", "સંપદે સ્વાહા". એમ કરતાં કરતાં આહુતિ આપી બાકી રહેલું ઘી છે તે પણ તેની અંદર નાખી દે છે અને "મનસે સ્વાહા", "પ્રજાએ સ્વાહા" એવા મંત્રોથી આહુતિ આપી ફરી પાછું એ મંથમાં નાખે છે. છેવટે બોલે છે: "રેતસે સ્વાહા" અને બાકી રહેલું ઘી.
બધું જે છે તે પણ મંથમાં નાખી દે છે. આવી વિધિ કર્યા પછીથી આ બધા પુત્રેષ્ઠી યજ્ઞની વિધિ છે, સમજી લો. બસ, "અગ્નય સ્વાહા" મંત્રથી અગ્નિમાં આહુતિ આપતા અવશિષ્ટને એમાં નાખવા. પછી શું કહે છે? "સોમાય સ્વાહા, ભુ સ્વાહા, ભુવ સ્વાહા, સ્વહ સ્વાહા, ભુભુવસ્વહ સ્વાહા, બ્રહ્મણે સ્વાહા, ક્ષત્રાય સ્વાહા, ભૂતાય સ્વાહા, ભવિષ્યેતે સ્વાહા, વિશ્વાય સ્વાહા, સર્વાય સ્વાહા, પ્રજાપતયે સ્વાહા" વગેરે મંત્રોનું ઉચ્ચારણ કરી અને પાછું ઘીને પાછું મંતમાં નાખી દે છે.
એ પછી જે મિશ્રિત દ્રવ્ય બાકી રહેલું હોય છે તેને "ભ્રમદશી જ્વલદશી" વગેરે મંત્ર બોલતા બોલતા કહે છે કે, "આપ પ્રાણ સ્વરૂપ હોવાના કારણે સર્વત્ર ભ્રમણશીલ છો. અગ્નિરૂપ હોવાથી જાજ્વલ્યમાન છો. બ્રહ્મરૂપ હોવાથી પૂર્ણ છો. આકાશરૂપ હોવાથી સ્તબ્ધ છો. બધાના મિત્ર હોવાના કારણે જગતરૂપ એક મોટી સભા સમાન છો. આપ જ હિતકૃત અને હિંક્રિય માણ છો. આપ જ ઉદગીત અને ઉદગીય માન છો. આપ જ શ્રાવિત અને પ્રત્યાશ્રાવિત છો. આપ જ અધ્વર્ય અને આદરીય અભિશુત કરે છે. બધા જે કંઈ બ્રાહ્મણ છે તે બધા તમારી જ એમ કે પૂજા કરે છે. આપ જ મેઘમાં સમ્યક પ્રકારથી વિદ્યુત રૂપમાં પ્રદીપ્ત છો. આપ જ વિભુ એટલે કે વિભિન્ન રૂપ વાળા છો. વિભુ વિશ્વનાથમ પ્રભુ અને વિભુ, વિભુ વિશ્વનાથમ પ્રભુ છો તમે."
એટલે પ્રભુ કોને કહેવાય? પ્રભુત્વ હોય, પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હોય તેને પ્રભુ કહેવાય. એટલે પ્રભુ મતલબ સમર્થ, બળવાન, શક્તિમાન એમ કહે છે. જ્યારે આપણે એમ કહીએ ત્યારે આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે તમે સમર્થ છો. "આપ જ અજ્ઞન, આપ જ અન્ન, જ્યોતિ અને મૃત્યુ પણ છો. આપ જ બધાના સમારક હોવાથી પ્રલય સ્વરૂપ છે."
ત્યારબાદ એ શું કહે છે? "આમનંસી આમહી" વગેરે મંત્રોનું ઉચ્ચારણ કરે છે અને છેવટે ભાવ પ્રદર્શિત કરે છે કે, "આપ સર્વજ્ઞ છો." એસેન્સ પકડો અહીંયા આગળે. "આપ જ સર્વજ્ઞ છો." છેવટે આ વાત આવીને, "અમે આપના મહિમાને સારી રીતે જાણીએ છીએ. આપ પ્રાણ જ રાજા, ઈશાન અને અધિપતિ છો. અમોને પણ આપ આ રાજા, ઈશાન અને અધિપતિ બનાવો."
પછીથી એ મંથમાં ચાર કોળિયા હોય તે મંત્રોની સાથે ભક્ષણ કરવાના. પહેલું છે "તતસવિતુર વરેણ્યમ" જેનો અર્થ થાય છે, "સવિતાના એ વરણ કરવા પદનું હું ધ્યાન કરું છું." સવિતાના પછી "મધુવાતા રૂતાયતે" – "વાયુ મધુર બનીને વહી રહ્યો છે." "મધુ શરંતી સિંધવ" – આ પાછી મધુવિદ્યા આવી છે. "નદીઓ મધુ રસ પ્રવાહિત કરી રહી છે. ઔષધિઓ અમારા માટે મધુર થાવ." પછી કરીને "ભૂ સ્વાહા" કરીને પહેલો કોળિયો લેવાનો.
એ ઉપરાંત "ભર્ગો દેવસ્ય ધીમહિ" એટલે કે, "અમે સમિતાના પાપનાશક દિવ્ય તેજને ધારણ કરીએ." "ભર્ગોદેવસ્ય ધારણ કરીએ." આવી રીતના હાથ રાખીને હંમેશા પ્રાર્થના કરાય: "ૐ ભૂરભુવસ્વહ તતસવિતુર વરેણ્યમ ભર્ગોદેવસ્ય પ્રચોદયાત." તો શું કહે છે? "દિવસ રાત્રી બધું અમારું મધુર થાવ." આ આખી એ મધુર વિદ્યા છે. "પૃથ્વીના રજકણ મધુર થાવ. પિતા દ્યુલોક અમારા માટે મધુર થાવ." આવું બોલીને "ભુવસ્વાહા" મંત્ર સાથે બીજો કોળિયો ગ્રહણ કરો.
પછી આગળ "ધિયો યોન પ્રચોદયાત" એટલે કે, "એ દેવ સવિતા અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેશિત કરો, પ્રેરિત કરો." "મધુમાનનો વનસ્પતિ" – "વનસ્પતિ અમારા માટે સોમમય થાવ." બાકી એમ લાવીને ગમે તેમ કોઈ ત્રિફળા ખા ખા કરે પણ એને એટલો ફાયદો થાય નહીં. પણ આ ભાવ સાથે જ્યારે વનસ્પતિને ગ્રહણ કરે ત્યારે એ થાય. "મધુમાં અસ્તુ સૂર્ય" – "સૂર્ય અમારા માટે મધુર થાવ." બહાર નીકળીને તમે આમ બોલો, "સૂર્ય અમારા માટે મધુર થાવ" અને બસ પછી ઉનાળામાં ફરો તમે, કશું પ્રોબ્લેમ આવશે નહીં. ત્યારે "સ્વહ સ્વહ" ઉચ્ચારણ સાથે ત્રીજો ગ્રાસ એટલે કે કોળિયાને તમે ગ્રહણ કરો.
પછી શું કહે છે? "અહમેવ અહમે વેદમ સર્વમ ભૂ ભુયાસમ" એટલે "હું જ બધું બની જાઉં" કહીને "ભૂ ભુવસ્વહસ્વાહ" મંત્રની સાથે બધો ચોથો ગ્રાસ પણ ગ્રહણ કરો. પછી સવારે સૂર્યનું ઉપસ્થાપન કરીને કહો કે, "આપ સમસ્ત દિશાઓ રૂપી પાંખડીઓના આશ્રયરૂપ કમળ છો અને હું પણ મનુષ્યમાં કમળ સમાન બની જાઉં." એ પછીથી એ માર્ગેથી પાછા ફરી વેદીની પશ્ચિમ તરફ બેસીને પછી આગળના મંત્રને જપો. વંશનો એક મંત્ર હોય છે તે જપવાનું. આ પ્રક્રિયા કરી અને બાળકને પેદા કરવાનું હોય છે ત્યારે એ બાળક ઋષિ સમાન તેજસ્વી જે કંઈ કહેવાય તેવું બનતું હોય છે.
આવો ઉપદેશ સત્યકામ જાબાલે પોતાના શિષ્યોને કર્યો હતો અને કહ્યું હતું કે, "અગર કોઈ સિંચવા માટે સૂકા વૃક્ષ ઉપર પણ જો આને નાખી દેશે તો એ કુંપળ અને શાખાઓથી એટલે ઠૂઠું હશે તો પણ એની અંદર વૃક્ષો આવશે." આ મંથવિધિ અપુત્ર અને અશિષ્યને બતાવવી ન જોઈએ. એના ચાર વૃક્ષોનું જે કાંઈ છે એ પણ થોડું અહીંયા સિક્રેટ છે. પણ મુખ્ય બાબત અહીંયા આગાળે આ પુત્રેષ્ઠી યજ્ઞ કેવી રીતે કરતા હોઈએ છીએ તેને લગતી બાબતો આપેલી છે.
થોડું જાણકારી માટે: આ પંચભૂતોનો રસ જે છે તે પૃથ્વી છે. પૃથ્વીનો રસ આપ એટલે કે જળ છે. જળનો રસ શું છે? ઔષધીઓ છે. ઔષધીઓનો રસ કોણ છે? પુષ્પ છે. પુષ્પનો રસ એટલે કે સાર શું છે? તો કે ફળ છે, ફૂલમાંથી ફળ. ફળનો રસ કોણ છે? તો કે પુરુષ છે અને પુરુષનું સાર જે છે તે તેનું રેતસ એટલે વીર્ય છે.
હવે આગળ કહે છે: પ્રજાપતિએ ઈચ્છા કરી કે, "આ પુરુષને રેતસ માટે આશ્રય માટે હું તૈયાર કરું." કારણ કે એને એના દ્વારા કામ કરવાનું છે ને પ્રજાપતિ. એટલે એમણે નારીનું સર્જન કર્યું આધાર રૂપમાં. એની ઉપાસના કરી અને પછી આજે સ્ત્રીની આધાર રૂપમાં ઉપાસના કે સંસારનો આધાર જ એ છે સ્ત્રી. કુટુંબનો આધાર કોણ હોય છે? સ્ત્રી હોય. એવી રીતે સામર્થ્યથી એને સ્ત્રી જાતિને પરિપૂર્ણ કરી અને એની સ્થાપનાથી સ્ત્રીના સ્ત્રીત્વની સંસારમાં એને પ્રતિષ્ઠા કરી. આ પછીથી આગળ ઉત્પન્ન કરનારા પ્રજનન યજ્ઞ વિશે થોડી જાણકારી આપી છે કે નારી જે છે તેને એ યજ્ઞવેદી...
છે અને તેના એક્સેપ્ટન્સ સાથે જ્યારે પુરુષ કે નારી સંમતિથી સંગ કરે છે અને એ સહવાસ પાછો આદરભાવથી કરે, પ્રેમથી કરે, એવી રીતે કરે છે કે જેની અંદર એક અહોભાવ છે કે ભાઈ હું કોઈ શ્રેષ્ઠ પુત્ર કે પુત્રીને, સંતતિને ઉત્પન્ન કરવામાં આવ્યો છું. એવા ભાવથી કરે છે ત્યારે શ્રેષ્ઠ સંતતિ પેદા થતી હોય છે. સામાન્ય સંજોગોની અંદર જે પ્રજનન ક્રિયા લોકો કર્યા કરતા હોય એ કેવળ ક્ષુલ્લક આનંદપૂર્તિ સીમિત રહી જતી હોય છે. એટલે એના અંદર આવનારા બાળકોની અંદર એટલું દૈવત હોતું નથી, બળ હોતું નથી.
તો આ જે હતી તે શ્રેષ્ઠ આત્માઓને બોલાવવાની આખી આ જે વિધિ છે તે આવી બધી એની અંદર હતી. હવે આગળ કહે છે, "દંપતિ એવું ઈચ્છતા હોય કે એમને ગૌરવર્ણનો, બે વેદનો જ્ઞાતા અને સો વર્ષની આયુ વાળો પુત્ર પ્રાપ્ત થાય, તો તેણે શું કરવું જોઈએ? પોતાનો જે આહાર છે બંને જણાએ બદલવાનો. કેવી રીતે? કે દૂધ અને ચોખાની ખીર પકવી, એમાં ઘી મેળવીને સેવન કરવાનું." એટલો આખો જે સમય છે ત્યાં સુધી.
જેની ઈચ્છા હોય કે પિંગલ એટલે સહેજ ગોરો પણ પીળાશ પડતો, બે વેદનો જ્ઞાતા થાય અને સતાયુ પુત્ર બને તો એને દહીંમાં ભાતનું મિશ્રણ કરીને ભોજન કરવું. ત્રીજું, જેમને શ્યામવર્ણનો, લાલ નેત્રનો, ત્રણ વેદનો જ્ઞાતા પુત્ર જોઈતો હોય એ દંપતિએ જળમાં ચોખા મેળવીને ભાત બનાવવાનો. પહેલામાં દૂધ, બીજામાં દહીં, ત્રીજામાં ઘી.
ચોથાની અંદર જેમને વિદુષી અને પૂર્ણ આયુષ્યવાળી પુત્રીની ઈચ્છા હોય એણે શું ખાવું જોઈએ? તો કે તલ અને ચોખાની ખીચડી બનાવીને એમાં ઘી મેળવીને ખાવાથી ગુણ સંપન્ન પુત્રીની પ્રાપ્તિમાં સમર્થ બની જાય. કેટલું બધું જ્ઞાન હતું એ તમે જુઓ.
જેમની એવી ઈચ્છા હોય કે મારો પુત્ર પ્રખ્યાત બને, વિદ્વાન બને, વિદ્વાનોની સભામાં સન્માન બનાવે, કુશળ બને, પ્રિયભાસી, બધા વેદોનો જ્ઞાતા અને સતાયુ હોય, એમણે ઉક્ષા અથવા ઋષભ નામની ઔષધિની ચટણી અને ચોખાનો ભાત બનાવવાનો. એની ખીચડી બનાવી ઘીમાં મેળવીને સેવન કરવું જોઈએ. ચોક્કસ એક આ ઉક્ષા અને ઋષભ નામની ઔષધિ છે તેને પ્રાપ્ત કરી તેનું સેવન કરવું જોઈએ.
પછી આગળ શું કહે છે કે આ બધી વિધિઓ કર્યા પછીથી જે પુત્ર કે પુત્રી પ્રાપ્ત થયા હોય તે બધાને શ્રેષ્ઠ સંસ્કારો કેવી રીતે આપવા? એને લગતા બધા મંત્રોને અહીંયા આગળ અર્ચના કરેલી છે જે અહીંયા અત્યારે આપણે એટલી બધી જરૂરી નથી. પણ આગળ કહે છે કે પુત્ર ઉત્પન્ન થઈ જાય પછી અગ્નિસ્થાપન કરવાનું. દહીં મેળવેલું ઘી કાંસાના કટોરામાં રાખી એ પદાર્થના કેટલાક ભાગ કરી અમુક મંત્રો જે છે તેના વડે બોલવાનું અને પછી આહુતિઓ આપવાની. એનો અર્થ એ છે, એનો ભાવ એ છે કે "હું આ ઘરમાં પુત્રરૂપ સમૃદ્ધિને પ્રાપ્ત થયો છું. હું હજારો મનુષ્યોનો પોષક બનું. આ રીતે પુત્રના ઘરમાં ક્યારેય સંતતિ, સંપત્તિ કે પશુઓની અછત ના થાવ. હું પોતાના પ્રાણોને તમારામાં માનસિક રૂપે હોમું છું. આમાં જે કંઈ કર્મ વધારે કે ઓછું થયું હોય તો એ અમારા કર્મના દોષોમાંથી અમને મુક્ત કરો અને આ જે આહુતિ છે તેનો સ્વીકાર કરો."
એવી રીતે સ્વેષ્ટકૃત હોમ પછીથી પિતાએ શિશુના બાળકના જમણા કાનમાં પોતાના તરફ કરી ત્રણ વખત "વાક, વાક, વાક" એમ બોલવાનું. પછી એને ઘી, દહીં અને મધ એકઠું કરી સોનાના ચમચાથી શિશુને ચટાડવાનું. ત્યારે તેને કહો કે "હું તને ભૂ, ભુવ અને સ્વ, સ્વર્ગ, અંતરિક્ષ અને પૃથ્વી ત્રણેયમાં તને પ્રતિષ્ઠિત કરું છું." ત્યારબાદ એ શિશુનું નામકરણ કરો. ત્યારે કહો કે "તું વેદ છે." વેદ જ એ બાળકનું ગુહ્ય નામ છે. કોઈપણ આવી રીતે પછી એને આગળના બીજા બધા સંસ્કારો આપો.
એમ કરતાં કરતાં કહો છો જે એની માતા એટલે કે પત્ની જે હોય તેને કહેવું જ હોય કે "હે દેવી, તમે મૈત્યા વરુણી છો. તમે વીર પુરુષોને ઉત્પન્ન કર્યા છે. અમને વીર બાળકના પિતા બનાવ્યા છે. તમે પણ વીરવતી થાવ." જો આ કેટલો આદરભાવ હતો! પછી શિશુને જોઈને જન સામાન્ય એવું કહે કે "આ એમના પિતા છે ને આ એમના પિતામાંથી પણ શ્રેષ્ઠ થઈ ગયા છે." આવી રીતના એ લોકો બધા વિદ્વાન પુત્રોનો જ્યારે પણ જન્મ થાય ત્યારે આવી બધી વિધિ કરતા હતા.
હવે આગળ અહીંયા બ્રહ્મવેતા ઋષિઓની વંશાવળી છે આખેઆખી તેનું વર્ણન કરેલું છે જે આપણા માટે અપ્રસ્તુત છે. આવી રીતે આખું કામ પૂરું અહીંયા થાય છે અને ઉપનિષદના અંતે અહીંયા કહેવામાં આવે છે કે બ્રહ્મ તો સ્વયંભુ છે, એને કોઈએ પેદા કરવાનો હોતો નથી, એ અજન્મા છે. "એ સ્વયંભુ બ્રહ્મ તને નમન. જય સચ્ચ."
મુંડક ઉપનિષદમાં મનનું મુંડન કરવાનું છે એટલે એને મુંડક કીધું છે. અવિદ્યાથી મુક્ત કરાવનારું જ્ઞાન એની અંદર આપવામાં આવે છે. સૌનકજીએ સુત સૌનક આદિ જે આપણે બોલીએ છીએ તે સૌનકજીએ એમાં પરા અપરાવિદ્યા સમજાવી છે. બ્રહ્મવિદ્યાની પરંપરા પછી ઋષિ સંવાદના રૂપમાં પરા અપરાવિદ્યાનું હવે વિવેચન છે. પરાવિદ્યાથી બ્રહ્મબોધ તથા પરમેશ્વર દ્વારા જગતની ઉત્પત્તિનું વર્ણન છે. બીજા ખંડમાં અપરાવિદ્યા, યજ્ઞ અને એના ફળ ભોગોથી વિરક્તિ અને બ્રહ્મબોધ માટે બ્રહ્મનિષ્ઠ ગુરુ, અધિકારી શિષ્યના સંમિલનની આવશ્યકતા બતાવી છે.
બીજા મુંડકમાં અગ્નિની ચિનગારીઓની જેમ બ્રહ્મથી જગતની ઉત્પત્તિ અને લયનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં ઓમકાર રૂપી ધનુષ્ય અને આત્મારૂપી બાણથી પરમાત્માનું લક્ષ્ય વેધ કરવાનું, બ્રહ્મનું સ્વરૂપ અને બ્રહ્મ પ્રાપ્તિનું વર્ણન કર્યું. અને ત્રીજા મુંડકની અંદર શરીર રૂપી એક જ વૃક્ષ ઉપર જીવાત્મા અને પરમાત્મા રૂપી બે પક્ષીઓના ઉદાહરણ સહિત અંતઃકરણની શુદ્ધિ દ્વારા બ્રહ્મ પ્રાપ્તિ અને બ્રહ્મવેતાની ગતિ તથા મહત્તાનું વર્ણન છે.
"ૐ ભદ્રમ કરણે બિહશરણયામ દેવાહ ભદ્રમ પક્ષે માક્ષગૃદમ યાયુ ૐ સ્વસ્તિના ઇન્દ્રોવરધશરવાહ સ્વસીના."
"પુખા વિશ્વવેદાહ સ્વસ્તિનસ્તારક્ષ અરષનેમિહ સ્વસ્તિનો બ્રહસ્પતિરધાતુ ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ."
બ્રહ્મા દેવોમાં પ્રથમ ઉત્પન્ન થયા. અહીંથી આ મુંડકની શરૂઆત થાય છે. એ વિશ્વનું નિર્માણ કરનારા છે અને ચૌદ ભુવનોના રક્ષક છે. ચૌદ ભુવન એટલે બ્રહ્માંડ થાય. આવા અનંત બ્રહ્માંડો બધા છે. એવા અનંત બ્રહ્માંડોમાંથી એક બ્રહ્માંડ આપણું છે. તેમાં ચૌદ ભુવનો છે અને એમાં અહીંયા એક ભૂલોક જેને આપણે કહીએ છીએ તે આપણી પૃથ્વી અને ત્યાં તમે બેઠા.
એમણે પોતાના જેષ્ઠ મોટા પુત્ર અથર્વાને સમસ્ત વિદ્યાઓની આધારભૂતા એવી બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો. અથર્વાએ દેવ બ્રહ્માએ જે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો હતો, અથર્વાએ એ વિદ્યા અંગી મુનિને પ્રદાન કરી. અંગીરે એનો ઉપદેશ ભારદ્વાજના પુત્ર સત્યવાહનને કર્યો. સત્યવાહે એ વિદ્યા અંગીરસને આપી. જાણીતા સદગૃહસ્થ સૌનકે અંગીરસની પાસે શિક્ષાર્થીના રૂપમાં જઈને વિધિપૂર્વક પૂછ્યું કે, "હે ભગવન, કોને જાણવાથી બધું જ જાણી લેવાય છે?"
ત્યારે અંગીરસ ઋષિએ સૌનકને ઉત્તર આપ્યો કે, "બ્રહ્મવેદતાઓએ બ્રહ્મવિદ્યા અંતર્ગત બે વિદ્યાઓને જાણવા યોગ્ય બતાવેલી છે: એક છે પરાવિદ્યા અને બીજી છે અપરાવિદ્યા. જેમાં ઋગ, યજુ, સામ, અથર, સર્વ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષનું જ્ઞાન હોય છે એ બધી અપરાવિદ્યા છે તથા જેમાં એ અક્ષર બ્રહ્મ ઓમકારનું જ્ઞાન હોય છે તેને પરાવિદ્યા કહેવાય છે."
હવે આગળ કહે છે કે, "જે જોઈ ન શકાય, ન પકડી શકાય, જેનું કોઈ ગોત્ર નથી, જેનો કોઈ વર્ણ નથી, જેને ચક્ષુ-સ્્રોત્રની આવશ્યકતા નથી, જેને હાથ નથી, પગની આવશ્યકતા નથી, જે હંમેશા નિત્ય, વ્યાપક, સર્વત્ર વ્યાપ્ત અને અત્યંત સૂક્ષ્મ છે, જે ક્ષય રહિત છે, જે અક્ષય છે, જે અનસ્વર છે, જે સંપૂર્ણ ભૂતોના કારણભૂત છે, એ પરબ્રહ્મને વિવેકીજન સર્વત્ર જુએ છે."
આ બ્રહ્મવિદ્યા છે, યાદ રાખો. અહીંયા પહેલો ઉપદેશ આપી દીધો બ્રહ્મવિદ્યાનો કે જે વિવેકીજન હોય એ આવા બ્રહ્મને સર્વત્ર જુએ. આના પર ચિંતન કરવાનું છે બેસીને. ત્યાર પછી એ બધું ફલીભૂત. જેમ આપણને કીધું ને કે ગાયત્રીના ત્રણ પાદનો ઉચ્ચારણ કરવાથી, એના મંત્રોચ્ચાર કર્યા કરવાથી ચોથું પાદ એની મેતે પ્રકાશિત થાય છે. એવી રીતે આ જે બાબત કીધી કે જે હંમેશા નિત્ય, વ્યાપક, સર્વત્ર વ્યાપ્ત અને અત્યંત સૂક્ષ્મ છે, ક્ષય રહિત છે અને અનસ્વર છે, સંપૂર્ણ ભૂતોનું જે મૂળ કારણ છે તે પરબ્રહ્મ. તેવા પરબ્રહ્મને વિવેકીજન જે બિલકુલ તૈયાર થઈ ગયો છે આદરભાવથી એ સર્વત્ર જુએ. કોઈ જગ્યાએ એ નથી એવું નથી. આ પહેલું લેસન.
બીજું, હવે આગળ કે, "કરોળિયાની જેમ પોતાના પેટમાંથી જાળાને ઉત્પન્ન કરે છે અને પછી પોતાની અંદર ગળી જાય છે. પૃથ્વી જેમ વિભિન્ન પ્રકારની ઔષધિઓ બધું પેદા કરે છે. મનુષ્ય શરીરમાં પણ જેમ વાળ અને રોમ ઉત્પન્ન થાય છે, એવી રીતે આ જે અનસ્વર બ્રહ્મ છે તેમાંથી આ વિશ્વ પ્રગટ થયું." એટલે એક રોમ પેદા થાય છે એવી રીતના એક બ્રહ્માંડ પેદા થાય છે એમ સમજો. બ્રહ્મનું એક રૂવાડું છે એક બ્રહ્માંડ. એવી રીતે આ વિશ્વ ઉત્પન્ન થાય છે.
"તપ દ્વારા બ્રહ્મ વધે છે એટલે કે બીજ રૂપને પ્રાપ્ત થાય છે. એનાથી અન્ન ઉત્પન્ન થાય છે." તપ દ્વારા બ્રહ્મ વધે છે અને બીજ રૂપને પ્રાપ્ત થાય. એનાથી એ બીજથી અન્ન પેદા થાય છે. અન્નથી પ્રાણ, પ્રાણથી મન, મનથી સત્યભૂત પંચભૂત પેદા થાય. એનાથી લોક અને મનુષ્ય વગેરે કર્મ અને અકર્મથી અમૃતરૂપ ફળ પ્રાપ્ત કરે છે.
"જે સર્વજ્ઞ છે, સર્વવિદ છે, એનું તપ પણ જ્ઞાનયુક્ત હોય છે. એ પરબ્રહ્મથી આ બ્રહ્માંડમાં નામ, રૂપ અને અન્ન ત્રણ વસ્તુઓ પેદા થાય." પરબ્રહ્મ પોતે કાયા રહિત છે એટલા માટે એના દ્વારા કરવામાં આવેલા તપ લોકલૌકિક પ્રચલનના આધાર પર સમજી શકાતું નથી. પરબ્રહ્મ પોતે સ્વયં જે તપ કરે છે તે કેવું છે? અવિરલ, શાંત, અગમ્ય સ્થિતિમાં સંકલ્પપૂર્વક જે હલચલ ઉત્પન્ન કરે છે એ એનું તપ છે. શાંતિમાં બિલકુલ જે સ્ફૂરણ પેદા થાય છે તે તપ છે એમ એ કહેવા માંગે.
"સૂક્ષ્મદર્શી જ્ઞાનીઓએ વેદ મંત્રોમાં, વેદના મંત્રોની અંદર જે કર્મોનું દર્શન કરેલું છે, ત્રેતા યુગમાં તેનો વિવિધ પ્રકારે વિસ્તાર થયો. હે સત્યની કામનાથી યુક્ત પુરુષો, તમારા પોતાના કર્મોનું શ્રેષ્ઠ ફળ મેળવવા આ જગતમાં શ્રેષ્ઠ એ જ કે તમે સૌ દરરોજ નિત્ય શ્રેષ્ઠ આચરણ કરો." શ્રેષ્ઠનું આચરણ કરવાનું છે, શ્રેષ્ઠ આચરણ કરો.
"દેવતાઓ સુધી હવ્ય પહોંચાડનાર અગ્નિના પ્રદીપ્ત થયેથી સમિધાઓની વચ્ચેથી જ્યારે જ્વાળાઓ ભડકી ઉઠે, એ સમયે આજ્યભાગ આહુતિઓની વચ્ચે શ્રદ્ધાપૂર્વક ક્રમશઃ આહુ પ્રદાન કરો. જેનું અગ્નિહોત્ર અમાસ-પૂનમથી રહિત છે, ચતુર્માસ સંબંધી યજ્ઞ, આગ્રાયણ શરદ ઋતુમાં બતાવેલા યજ્ઞથી રહિત, અતિથિ પૂજનથી રહિત, યોગ્ય સમયે કરાનાર યજ્ઞ અને બલી વૈશ્વથી રહિત છે, એવો અગ્નિહોતરી પોતાના સાત જન્મોનું પુણ્ય બાળી નાખે."
"કાળી, કરાલી, મનોજવા, લાલ વર્ણવાળી, ધુમાડા સમાન વર્ણવાળી, ચિનગારીવાળી તથા દેદિપ્યમાન વિશ્વરૂપી એ અગ્નિની સાત જીભો છે, સાત જ્વાળાઓ છે. જે પુરુષ આ દેદિપ્યમાન અગ્નિ જ્વાળાઓમાં યથાસમયે આહુતિ આપતા અગ્નિહોત્ર કૃત્ય સંપન્ન કરે છે, એને એ આહુતિઓ સૂર્ય કિરણોની સાથે દેવાધિપતિ ઇન્દ્ર પાસે સ્વર્ગમાં લઈ જાય છે." એ આહુતિઓ યજમાનનો સ્વીકાર કરતા એને સૂર્ય રશ્મિની સાથે સાથે લઈ જાય છે. એ કહે છે કે, "આવો આવો, આ આપના શુભ કર્મોના પુણ્યફળથી મળેલો બ્રહ્મલોક."
છે આ યજ્ઞરૂપ અગ્નિહોત્રાદિ કર્મ, જેમાં ૧૮ ઋત્વીજ (એટલે ૧૬ ઋત્વીજ, એક યજમાન અને યજમાનની પત્ની) એમ ૧૮ જણા હોય, એ સકામ કર્મના આદેશમાં આવવાથી અસ્થિર અને નાશવાન બતાવેલ છે. જે લોકો "આ જ શ્રેય છે" એમ કહીને એની પ્રશંસા કરે છે, એ લોકો વારંવાર મૃત્યુને પ્રાપ્ત થતા હોય છે. અવિદ્યાગ્રસ્ત, અભણ રહેવા છતાંય પોતાને બહુ જ બુદ્ધિમાન અને મહાપંડિત સમજનારા એ મૂઢ લોકો આંધળાના નેતૃત્વમાં ચાલતા અંધોની સમાન ભટક્યા કરતા હોય છે અને અનેક કષ્ટો સહન કરે છે.
અજ્ઞાની પુરુષ અવિદ્યામાં અનેક પ્રકારે ફસાઈને "અમે કૃતાર્થ થઈ ગયા" એવું માનતા ખોટા અભિમાન કરે છે અને સકામ કર્મ કરનારા કર્મફળમાં આસક્ત હોવાથી તત્વજ્ઞાન સમજતા નથી. તેથી તેઓ દુઃખોથી વ્યાકુળ થાય છે અને કર્મફળ ક્ષીણ થવાથી છેવટે સ્વર્ગ પણ છૂટી જાય છે અને પાછા ફરી પૃથ્વી પર આવી પડે છે. ઈષ્ટ અને પૂર્ત કર્મોને શ્રેષ્ઠ ગણતા એ મહામૂઢ બીજા કોઈને શ્રેયસ્કર ગણતા જ નથી. સકામ કર્મના ફળને તેઓ સ્વર્ગથી પણ ઉચ્ચ હોય એવો અનુભવ કરે, પરંતુ તેઓ આ લોક અને એનાથી પણ નીચેના લોકમાં (નીચે એટલે પૃથ્વીલોક અથવા એનાથી નીચે) જ જતા હોય છે, કારણ કે એ બધા અહંકારી બની ચૂકેલા છે.
જે વનમાં નિવાસ કરતાં, તપ સાધના કરતાં, શ્રદ્ધાયુક્ત જીવન જીવતા, ભિક્ષાટન કરતાં સંતોષી જીવન જીવે છે, એ લોકો મળ અને વિક્ષેપથી રહિત થઈને ઉત્તરાયણ માર્ગે ત્યાં જાય છે કે જ્યાં અવિનાશી બ્રહ્મનું પરમ સ્થાન છે. શું કીધું? વનમાં નિવાસ કરતા, તપસાધના કરતા, શ્રદ્ધાયુક્ત જીવન જીવતા અને ભિક્ષાટન કરતા સંતોષી જીવન જીવે છે. પાંચ વસ્તુઓ કહી દીધી. વનમાં નિવાસ કરવો એટલે એકાંત સમજ્યા? સાંસારિક વિચારોની ભીડથી દૂર થાઓ તમે, એટલે તમે વનમાં બેઠા. અરણ્ય કહેવાતું હતું વેદોની અંદર એને અરણ્ય. તો એમાં નિવાસ કરવાનો. તપ સાધના કરવાનું. તપ સાધના શું કરવાની છે? બ્રહ્મ સિવાય બીજું કશાનો સ્વીકાર કરતા નથી. કેવળ બ્રહ્મનો સ્વીકાર. બસ, આટલું કર્યા જ કરો અને બીજું કંઈ ના કરો એટલે તમારું તપ શરૂ થઈ ગયું. શાંતિથી બેઠા છો, સાંસારિક વિચારો છોડી દીધા.
હવે તમે શું બેઠા છો અને તમે કહો છો કે "જે કાંઈ છે તે બધું બ્રહ્મ જ છે અને આ બ્રહ્મ આવું છે, આવું છે, આવું છે." બસ, એ જે તમે બેસીને એ ભાવમાં આવો કે "તેનો હું સ્વીકાર કરું છું અને તે બ્રહ્મ હું છું." બસ, આ તપ સાધના આને કહેવાય.
પછી શ્રદ્ધાયુક્ત જીવન જીવતા એટલે જીવનની અંદર એક જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે આવી રીતના શ્રદ્ધા સાથે બેસવાનું. "તે બ્રહ્મ હું છું" એમાં શ્રદ્ધા તો હોવી જોઈશે ને? આજે બેઠા હશો, સંતોષ થશે, કાલે બેસવાની ઈચ્છા થશે ફરી કે "બ્રહ્મ સ્વરૂપ બનીને બેસવાનું બહુ સારું." "મારી એપોઈન્ટમેન્ટ છે અત્યારે તો પરમાત્મા સાથે." શું? "પરમાત્માએ મને એપોઈન્ટમેન્ટ આપેલી છે એટલે મારે એને તો એટેન્ડ કરવી પડે ને?" એક ડોક્ટર, વકીલ ગમે તેવાની પાસે તમે જાઓ છો તો પણ એની એપોઈન્ટમેન્ટ તમે એપોઈન્ટેડ અવર ઉપર જ કરો છો કે નથી કરતા? તો આગાપાછી ત્યારે તો થતા નથી. કેટલા વિવેકથી બેઠા હોય ત્યાં આગળ. પેલા જજ પાસે જાઓ તો કેટલું આમ એ કરો. તે વખતે તમે પરબ્રહ્મ પાસે બેઠા છો. હવે તમે જે તમારા જે શીલ, વિવેક ને એ બધું હોય એ અહીં જો આવવું હોય તો ત્યાં કેવું હોવું જોઈએ?
એ તો બધાનો ન્યાયાધીશ બેઠેલો છે. "સર્વદા સાક્ષીભૂતમ્." એટલે "આઈ ડોન્ટ ટેક કેઝ્યુઅલી કે ભાઈ હું સાધના કરવા બેઠો." નહીં, એ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ ભાવથી બેસો એમ કહે છે. સર્વોત્કૃષ્ટ. એક પોલીસ સ્ટેશન જાઓ તોય કેટલા પાસરા થઈને જાઓ છો! આ જો ત્યાં આગળ બેઠો છે આ બધાનું એડમિનિસ્ટ્રેશન કરનાર. એના પાસે તમે જાઓ છો તે વખતે કેવી રીતે બેસવું જોઈએ? પાસરા બિલકુલ. તે વખતે વાસનાના સાપોલિયા આંખમાં ફરતા હોય, મનમાં ફરતા હોય ને તમે ત્યાં "હું બ્રહ્મ છું" બોલો તો એ બરાબરપણે એનો વિચાર હોવો જોઈશે આપણને તે વખતે. એટલે એ નહીં ચાલે. ત્યાં બેસીને તમે બીજી આ બાબતોનું ધ્યાન કર્યા કરો: "કામ કરું કે સ્ટોક માર્કેટમાં કેટલું ચડ્યું હશે ભાઈ આજે? કેટલા મળ્યા હશે?" તમે બેસો. જજ પાસે જઈને આ બધા વિચાર કરો છો? ઇન્કમ ટેક્સ કમિશનર પાસે જઈને આવું કરો છો?
નથી કરતા કે "બહુ નુકસાન થઈ ગયું, ફલા ફલાનો તો રિલાયન્સ નીચે પડી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું" કે "આ બધું ઉપર ચડી ગયું, ટાટાનો શેર લઈ આયો હોત તો સારું હતું." આ બધા વિચારો તે વખતે ત્યાં જજ પાહે બેસીને ક્યાં થાય છે? નથી થતા. ત્યાં તો એકદમ પાસરા. બોલો, "સાહેબ શું કહે છે?" એટેન્ટ. એકદમ બધી ઇન્દ્રિયો કેવી એકદમ થઈ ગઈ હોય તમારી ત્યાં આગળ કે હમણાં જજમેન્ટ આપી દે છે. નહીં તો પછી શું કરશે? છે ફોન વાગ્યો, મોબાઈલ થયું, કશું થયું કે તમે આમ તેમ કરતા હોય, ડાફોળિયા મારતા હોય, તરત ટકો કોર્ટ ઉઠતા સુધીની સજા ઠોકી બેસે. ડર લાગે છે ને? પછી તો આનું એડમિનિસ્ટ્રેશન આ પરબ્રહ્મ પાસે બેસો છો. બિલકુલ બધી ઇન્દ્રિયોને એકદમ સ્થિર, શાંત આવી રીતના સમજાવવાની એને અને પછી બેસો. એટલે પછી બેસવા દેશે. પછી ઉત્પાદ એટલો નહીં બચાવે. શરૂઆતમાં થોડું લાગે પણ ધીરે ધીરે ધીરે ધીરે કરતાં તો એ જ એનું મોમેન્ટમ પકડી લેશે.
કારણ કે બંસીનો નાદ ઈશ્વર તમને બોલાવે છે, ખેંચે છે તમને કે "આવી જાઓ મારી પાસે." બંસીનો નાદ બધા સાંભળે છે પણ બધા એને ફોલો કરતા ઈશ્વર ભણી ગતિ કરતા નથી. બસ, આટલી જ પ્રોબ્લેમ છે. કારણ કે એમને સંસારનો પણ બધાનો સાદ, સંવાદ બધો સંભળાયા કરે હજી. એટલે એને એટેન્ડ કરવામાં પેલું ચૂક્યા કરે, દર વખતે હાથિયા કરે છે. એટલે કર્મ દ્વારા પ્રાપ્ત થનારા લોકોની અસારતાને જાણીને બ્રાહ્મણ (એટલે કે બ્રહ્મવિદ્યાનો જે અધિકારી હોય તે બ્રાહ્મણ કહેવાય) વૈરાગ્યને પ્રાપ્ત થાઓ. વૈરાગ્ય: રાગ જે છે તેને ત્યાગ થતો જાય ત્યારે વૈરાગ્ય આવશે દરેક પ્રકારના.
રાગનો ત્યાગ થશે ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થશે. એને પ્રાપ્ત થાઓ, કારણ કે માત્ર ઈચ્છાપૂર્તિ માટેના, જેને કહે છે કે, સકામ કર્મ એના દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી, એ બ્રહ્મને મેળવવા માટે જિજ્ઞાસુએ હાથમાં સમિધા લઈને ક્યાં શું કરવાનું? વેદજ્ઞ, બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે જવું જોઈએ. શિષ્ય ગુરુની પાસે જવાનું, એમ કે પછી એ જ્ઞાનવાન ગુરુ પોતાની પાસે આવેલા એ પૂરેપૂરા શાંત ચિત્ત, જીતેન્દ્રિય શિષ્યરૂપ જિજ્ઞાસુને તત્વતઃ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરે, જેનાથી શિષ્યને સત્ય સ્વરૂપ અવિનાશી બ્રહ્મનું સમ્યક જ્ઞાન થઈ શકે, યથાર્થ જ્ઞાન થાય.
બ્રહ્મનું બીજા મુંડકમાં કહે છે: "એ બ્રહ્મ અને આ જગત, એટલે એ અને આ સત્ય છે. બ્રહ્મ પણ સત્ય છે અને જગત પણ સત્ય છે." આ બીજી રીતે જુઓ. જેમ પ્રદીપ્ત અગ્નિની જેમ હજારો ચિનગારીઓ ઉત્પન્ન થાય છે, તેમ હે પ્રિય, એ બ્રહ્મથી અનેક પ્રકારના ભાવ પ્રગટ થાય છે. બ્રહ્મમાંથી પહેલામાં પહેલું શું પ્રગટ થયું? સ્ફૂરણ ભાવ પ્રગટ થયા અને એમાં જ વિલીન પણ થઈ જાય છે. બ્રહ્મમાં બધા ભાવ પણ છેવટે પૂરા થઈ જાય. જ્યારે બ્રાહ્મી સ્થિતિ થાય, જ્યારે બ્રહ્મલીન થઈ જાય, ત્યારે બધા જ સંસાર ભાવ બધા સમાપ્ત થઈ જાય. સંપૂર્ણપણે સ્થિર, શાંત બ્રહ્મની અંદર લીન થાય ત્યારે કહેવાય કે બ્રહ્મલીન થયા.
એ પ્રકાશમાન અમૃત રૂપ બ્રહ્મ અમૂર્ત છે. અંદર અને બહાર સર્વત્ર વિદ્યમાન છે. એ અજન્માં, પ્રાણ રહિત, મનરહિત અને ઉજ્જવળ છે. અવિનાશી આત્માથી પણ ઉત્કૃષ્ટ છે. અહીંયા આગળે આ વાત આપીએ: અવિનાશી આત્માથી પણ એ ઉત્કૃષ્ટ. તો બ્રહ્મની સ્થિતિ આત્માની, અવિનાશી આત્માની સ્થિતિથી પણ ઉત્કૃષ્ટ બતાવી છે. એટલે આપણને પ્રશ્ન થાય: તો શું બ્રહ્મ છે એ આત્મા નથી ને આત્મા છે એ બ્રહ્મ નથી? એટલે આ સામૂહિકપણે જ્યારે આત્માની વાત ઘણી વખત અહીંયા આગળે કરવા માંગે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ જાણે કે બ્રહ્મની વાત કરતા હોય. બ્રહ્મનો એક તણખો પડ્યો અને પછી એમાંથી માનવ ઉત્પન્ન થયો અને બીજામાંથી અમિત પેદા થયો, એવી રીતને જ્યારે વાત કરે છે, એ અપેક્ષાએ અહીંયા કહેવામાં આવ્યું છે. વાસ્તવની અંદર બ્રહ્મ એક અખંડ જ હોય. એની અંદર આવી ચિંગારીઓ હોતી નથી. કશું થતું સમજાવવા માટે કહેવામાં આવે.
આ અલગ સ્તરના માણસોને સમજ માટે આવી રીતે વાત કરેલી છે, કારણ કે હજી આ શિષ્ય આવ્યો છે અને ત્યાં સુધી પહોંચાડવાનો છે. અંતિમ પરિણામો તો જે શિષ્ય પહેલી વખત આવ્યો અને એને ઉપદેશ કરવાનો છે તેના માટેના છે આ.
આ અવિનાશી બ્રહ્મથી પ્રાણ, મન અને સમસ્ત ઇન્દ્રિયો ઉત્પન્ન થાય. એનાથી જ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને વિશ્વને ધારણ કરનારી પૃથ્વી, એટલે કે પાંચે પાંચ તત્વો પણ ઉત્પન્ન થાય છે. અગ્નિ જેનું મસ્તક છે, સૂર્ય અને ચંદ્ર જેના નેત્ર છે, દિશાઓ જેના કાન છે, વાયુ જેનો પ્રાણ છે, સંપૂર્ણ વિશ્વ જેનું હૃદય છે, પૃથ્વી જેના પગો છે અને અવશ્ય એ બ્રહ્મપૂર સંપૂર્ણ પ્રાણીઓમાં અંતરાત્માના રૂપમાં પ્રતિષ્ઠિત છે. એ અનંત વિશાળ બ્રહ્મનું સ્વરૂપ આવું જે છે તે આવું સાકારી બનાવીને બતાવ્યું છે. આ વિશ્વરૂપ દર્શનની વાત છે કે વિશ્વ આખુંય જ્યારે બ્રહ્મએ ધારણ કરેલું છે ત્યારે એ આવી રીતનું છે.
એ વિરાટ પુરુષથી અગ્નિ ઉત્પન્ન થયેલ છે. સૂર્ય જેની સમિધા રૂપ. એ આકાશમાં રહેલા અગ્નિથી નિષ્પન્ન થયેલા સોમથી પર્જન્ય, પર્જન્યથી પૃથ્વીમાં ઔષધિઓ ઉત્પન્ન થાય છે. એ ઔષધિઓથી પુરુષમાં વીર્ય ઉત્પન્ન થાય છે. પુરુષ દ્વારા એ વીર્યના સિંચનથી પુરુષ દ્વારા જ પ્રજાઓ ઉત્પન્ન થાય છે. એ વિરાટ પુરુષથી રૂચાઓ, સામ મંત્ર, યજુ, દીક્ષા, સંપૂર્ણ યજ્ઞ, સમસ્ત કર્મ અને દક્ષિણાઓ પ્રગટ થઈને સંવતસર, યજમાન, બધા લોકોમાં મનુષ્ય વગેરે જે ઉત્પન્ન થયા એના દ્વારા એ બધા લોક પણ ઉત્પન્ન થયા, જ્યાં ચંદ્રમાં પવિત્ર કિરણો ફેલાવે છે તથા સૂર્ય પોતાની ઉર્જા પહોંચાડે. આવી રીતે આખા વિશ્વની ઉત્પત્તિ કરી છે.
એ વિરાટ પુરુષથી દેવતા, સાધ્યગણ, દેવ વિશેષ, મનુષ્ય ગણ, પશુ, પક્ષી, પ્રાણ, પાન, ધાન, જવ, તપ, શ્રદ્ધા, સત્ય, બ્રહ્મચર્ય અને વિધિ, યમ, નિયમ બધું એમાંથી જ પછી એક પછી એક ઉત્પન્ન થયું. એ પુરુષથી જ સાત પ્રાણ પેદા થયા. સાત પ્રાણ કયા કયા? બે આંખો, બે કાન, બે નસકોરા અને એક જીભ. આ સાતે સાત પ્રાણની જગ્યાઓ છે, એટલે એને સાત પ્રાણ કીધા. એનાથી અગ્નિની સાત જ્વાળાઓ, સાત સમિધાઓ એટલે સાત વિષયો, સાત યજ્ઞ ઉત્પન્ન થયા. એનાથી આ સાત લોક પ્રગટ થયા, જેમાં સાત પ્રાણ વિચરે છે. સાત ઉપરને સાત નીચે, ૧૪ થયા ને? એવી રીતે. તો અત્યારે અહીંયા ફક્ત ઉપરના ઉર્ધ્વ લોકોની વાત કરે છે. પ્રત્યેક પ્રાણીરૂપ ગુફામાં આશ્રિત, સન્નિહિત આ સાત સાત પદાર્થ જ એનાથી પ્રગટ થાય છે.
એ પુરુષથી સમસ્ત સમુદ્ર અને બધા જ પર્વતો, વિભિન્ન રૂપો વાળી નદીઓ પણ ઉત્પન્ન થઈ છે. અંદર જ સમુદ્રો છે ને? અંદર જ બધી નદીઓ પણ છે. બેસીને પેલો નાભીવાળું બતાવ્યું ને? રમ સાધનાથી પછી આ બધું જાણું. આનું એનાથી ખબર પડશે. એનાથી સંપૂર્ણ ઔષધિઓ પેદા થઈ. આ દેહની અંદર ઔષધિઓ વિદ્યમાન છે. રસની ઉત્પત્તિ થઈ. આ દેહમાં એવો રસ છે. આ પુરુષ બધા પ્રાણીઓમાં અંતરાત્મા રૂપે પ્રતિષ્ઠિત છે. "હે સૌમ્ય, આ સંપૂર્ણ જગત, કર્મ, તપ બધું જ પરબ્રહ્મ રૂપ છે." આ સેન્ટેન્સમાં પૂરી વાત કરી દીધી કે જે કાંઈ છે બધું એ બધું જ પરબ્રહ્મ સ્વરૂપ છે. એ પરમ તત્વ અમૃતરૂપ છે. તો અમૃત ક્યાં છે? ક્યાં નથી ભાઈ? તું એમ કે સાધકના માટે પ્રશ્ન છે કે અમૃત ક્યાં છે, પણ જે સિદ્ધ થઈ ગયો છે તે કહે છે કે અમૃત ક્યાં નથી. એ પુરુષ બ્રહ્મને બધા પ્રાણીઓની હૃદય ગુફામાં રહેલું જાણે છે.
એ આ જગતમાં અવિદ્યાની ગાંઠને ખોલી નાખે. આ બ્રહ્મ પ્રકાશમાન, બધામાં વ્યાપ્ત, હૃદય ગુફામાં વિચરણશીલ અને મહાન પદવાળો છે. આ બ્રહ્મમાં ચાલનારા શ્વાસ.
લેનારા પાપ પણ પલકાવનારા બધા જ પ્રાણીઓ સમાવિષ્ટ થાય છે, સમાય છે. જે સત-અસત રૂપ, વર્ણીય એટલે ગ્રહણ કરવા યોગ્ય, વરિષ્ઠ અને જીવાત્માની બુદ્ધિથી પર છે, એવા બ્રહ્મને જાણવો. જે દેદિપ્યમાન છે, જે અણુથી પણ અતિ સૂક્ષ્મ અણુ છે, જેમાં સંપૂર્ણ લોક અને તેના નિવાસીઓ બધા રહેલા છે, એ આ અવિનાશી બ્રહ્મ છે. એ જ પ્રાણ છે, એ જ વાણી છે, એ જ મન પણ છે.
"તો જ્યારે મનને જુઓ ત્યારે તમે એને બ્રહ્મ રૂપે જુઓ. વાણી જ્યારે બોલાય છે તો એને બ્રહ્મ રૂપે ગ્રહણ કરો અથવા એને આમ વહન થઈ રહ્યું છે એવી રીતે જુઓ કે બ્રહ્મ વહી રહ્યો છે. એ અવિનાશી બ્રહ્મ છે અને એ પ્રાણ છે. તો જ્યારે પણ આમ શ્વાસ લો તો શ્વાસની અંદર તમે શું લઈ રહ્યા છો? બ્રહ્મ લઈ રહ્યા છો." એવી રીતે તમે જુઓ. "એ સત્યરૂપ છે અને અમૃતરૂપ છે." તો કહે છે કે એ જ સાચું છે, સત છે અને અમૃતરૂપ છે એટલે અમૃતનું પાન ક્યારેય બંધ થતું હોતું નથી.
"સૌમ્ય, મનન દ્વારા તેનું વેદન કરવું જોઈએ." મન છે તેના દ્વારા મનન થશે. શેનું મનન કરશો તમે? બ્રહ્મનું. બીજું કોઈ નહીં, કેવળ બ્રહ્મ. એ કેવો છે? કેવો છે? કેવો? જ્યાં સુધી અનુભવ પ્રગટ ના થાય ત્યાં સુધી બસ એના અંદર રત લાગેલા રહો એ વાત છે. તો એનાથી એનું વેદન કરો. વેદન કરવાનું કોનું છે? આવરણોનું ભેદન કરવાનું છે. બ્રહ્મનું વેદન ન થઈ શકે, એ અવેદ્ય છે. સમજાય?
"ઉપનિષદ રૂપ મહા અસ્ત્ર ધનુષ્ય લઈ અને એના ઉપર ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરેલા બાણો ચડાવી અને ભાવથી ભરેલા ચિત્ત દ્વારા એ અવિનાશી બ્રહ્મનું લક્ષ્ય વેદન કરો." બસ ત્યાં આગળ પહોંચાડવાનું એ ભેદાવન નથી, વેદન કરવાનું. ત્યાં જઈને અટકી જશે. બસ તમારે સાધના દર વખત પ્રણવ એ ઓમકાર ધનુષ્ય, અંતરાત્મા એ તમારું બાણ છે અને બ્રહ્મ એનું લક્ષ્ય વેદ માનવામાં આવ્યું. એને આળસ, પ્રમાદ રહિત મનુષ્ય જ વેધી શકે છે.
કોણ પ્રમાદ-પ્રમોદમાં પડેલો છે? એ પ્રમાદમાં પડેલો છે. શું કીધું? પ્રમોદમાં. હા, પ્રમોદ એટલે ક્ષુલ્લક વસ્તુઓના આનંદમાં પડ્યો છે, એને પ્રમોદ કહેવાય. આનંદ તો સર્વત્ર હોય જ છે, હંમેશા હોય છે, જેમ બ્રહ્મ હંમેશા હોય છે. કારણ કે બ્રહ્મ પોતે આનંદ સ્વરૂપ છે. એટલે પ્રત્યેક પ્રાણી આનંદ સ્વરૂપમાં તો છે જ, પણ પાછું એ પ્રમોદમાં પડે એટલે આનંદ બેકગ્રાઉન્ડમાં જતો રહે છે. બ્રહ્મ પણ બેકગ્રાઉન્ડમાં જતો રહે છે અને એની ઉપર એક આવરણ આવી જાય છે. એટલે એ બ્રહ્મનો અનુભવ કરવાનું ચૂકતો જાય છે. ધીમે ધીમે પછી એ અંતર વધતું જ જાય છે, વધતું જ જાય. એટલે બાણથી લક્ષ્ય વેધીને એકાગ્રતાપૂર્વક એમાં તન્મય થઈ જવું જોઈએ. બ્રહ્મના ગુણોનું ચિંતન, બસ આ જ સાધના અને "એ હું છું" છેવટે આ વાત આવવી જોઈએ, એ બહુ જરૂરી છે.
"એ વિરાટ પુરુષમાં પૃથ્વી, અંતરિક્ષ, દ્યુલોક તથા સંપૂર્ણ પ્રાણોની સાથે મન રહેલું છે, અધિષ્ઠિત છે. એ એક આત્માને જ જાણો. એનાથી અલગ અથવા બીજા ભિન્ન વિષયોને હંમેશા છોડી દો, સદાને માટે છોડી દો. આ અમૃતરૂપ બ્રહ્મ પ્રાપ્તિનો સેતુ એટલે કે સાધન છે, પુલ છે બ્રહ્મ સુધી પહોંચવાનો." તમારે નાભિમાં જે રીતે આરા લાગેલા છે રથચક્રની, એ રીતે આ રથ છે શરીર, આ નાભિ છે, આમાં આરા લાગેલા છે બધા. જે રીતે શરીરની સંપૂર્ણ નાડીઓ હૃદયમાં એકઠી થાય છે, એવી રીતે વિભિન્ન રૂપોમાં સંચરિત થનાર એ પરબ્રહ્મ હૃદયની મધ્યમાં રહે છે. "એ પરમેશ્વરનું ઓમ ઉચ્ચારણ દ્વારા ધ્યાન કરવું જોઈએ. અજ્ઞાન અંધકારમાંથી પાર ઉતરવા માટે આ આવશ્યક છે. આ રીતે આપનું કલ્યાણ થાવ."
આ ઉપદેશ આપ્યો. વધારામાં એને સમજ આપે છે કે જે સર્વજ્ઞ છે, બધું જ જાણે છે; સર્વવેદ છે, જે બધું જ બોલી શકે છે. બ્રહ્મ વિશે જ બોલશે, બીજું કંઈ નહીં બોલે. સર્વવિવેદ છે, જેનો મહિમા ભૂલોકમાં વ્યાપ્ત છે, પૃથ્વી પર ફેલાયેલો છે. એ બ્રહ્મ દિવ્ય બ્રહ્મપૂર આકાશ હૃદય ગુફામાં પ્રતિષ્ઠિત છે. જે મનોમય કોષથી યુક્ત છે, જે શરીર અને પ્રાણોનો સંચાલક છે, જે અન્નમય કોષ અથવા સ્થૂળ શરીરમાં હૃદય કમળમાં આશ્રયથી રહેલો છે, એ આનંદ સ્વરૂપ અમૃતરૂપ પરમેશ્વર સર્વત્ર દેદિપ્યમાન છે, બધે પ્રકાશિત છે. એને વિવેકી પુરુષ વિશિષ્ટ અનુભવો અથવા જ્ઞાનના આધારે ચારે બાજુએ જુએ છે.
બ્રહ્મ તો પ્રકાશિત છે, પણ જે તે જીવાત્માની પોતાની એટલી ક્ષમતા નથી હોતી. ઇનફેક્ટ, એને એટલી ક્ષમતા ગુમાવતો જાય છે દિવસે દિવસે, જેથી કરીને એ બ્રહ્મને જોઈ શકતો નથી. કારણ કે બ્રહ્મ સર્વત્ર હોવા છતાં એ દેખાતો નથી, આ જ માયા છે. "એ પરબ્રહ્મને તત્વતઃ, તત્વ રૂપે જાણવાનો છે." બ્રહ્મ તત્વ, પરમ તત્વ. મનુષ્યની હૃદય ગ્રંથિ ખુલી જાય છે. હૃદય ગ્રંથિ શેનાથી બને? વૃત્તિઓથી બને. કેવી વૃત્તિઓથી બને? સંસારી વૃત્તિઓથી બને. સંસારની વૃત્તિઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે? વાસનાઓથી ઉત્પન્ન થાય છે. તો આ વાસનાના સાપોલિયાઓ બધા ગૂંચવાડો ભેગા થઈને એકબીજાની અંદર આમ ગૂંથી મારી દે, એવી રીતના હૃદયની ગ્રંથિ બની જાય. આ હૃદયની ગ્રંથિ થઈ જવાના કારણે શું થાય? તો કે એનું જે હૃદય આકાશ છે ને, એ જડ બનતું જાય દિવસે દિવસે, ચૈતન્યતા ગુમાવતું જાય.
એટલે બ્રહ્મ જે સર્વત્ર છે, તેને જોવાની ક્ષમતા તે ગુમાવી બેસે.
બ્રહ્મ સર્વત્ર છે. નામ-રૂપમાં માણસ અટવાઈ ગયો છે. નામનું મહત્વ બહુ જ એટલું બધું આપી દીધું, નામ અને રૂપ. પણ સાથે સાથે આપણે જોયું હતું કે જે લોકો નિર્ગુણ ઉપાસના કરવાને સક્ષમ બન્યા નથી, તે લોકોના માટે આ સેતુ સમાન છે, એના માટે પુલ જેવું છે. "મનુષ્યની હૃદય ગ્રંથિ ખુલી જશે." બ્રહ્મને કેવી રીતે તત્વતઃ જાણવાનો? તત્વ રૂપે જાણી લેવાથી આવું થશે. તો એની હૃદયની જે ગ્રંથિઓ છે, એ ખુલી જશે. તમામ સંશયો બધા નષ્ટ થઈ જશે. કોઈ ડાઉટ રહેશે નહીં, નો ડાઉટ, કોઈ ડાઉટ રહેશે નહીં. પછી શું? "સંપૂર્ણ કર્મ સમાપ્ત થાય છે." બધું પ્રારબ્ધ પૂરું થઈ જશે, ક્ષીણ થઈ જશે બધું. હવે આગળ બીજી વાત.
પ્રકાશમય સૂક્ષ્મ કોષમાં નિર્મળ, મેલ વગરનો, મળ વગરનો, નિર્મળ એવો કલારહિત બ્રહ્મ વિદ્યમાન છે. પ્રકાશમય સૂક્ષ્મ કોષની અંદર કલારહિત બ્રહ્મ વિદ્યમાન છે, જે નિર્મળ છે અને કલારહિત છે. કોઈપણ પ્રકારની કળા એની અંદર હોતી નથી. કરવાપણાથી કળા પેદા થાય છે. કર્તા ભાવ આવે છે એટલે પછી કર્તા કળાની પાછળ ફરે. એ શુભ્ર અને જ્યોતિર્મય પુરુષ સંપૂર્ણ પદાર્થોનું જ્યોતિ સ્વરૂપ છે અને આત્મજ્ઞાની પુરુષ એ બ્રહ્મને સારી રીતે જાણે છે.
"ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્ની."
ત્યાં એ બ્રહ્મલોકમાં ના તો સૂર્ય પ્રકાશિત થાય છે, ના તો ચંદ્રમા કે તારાઓ. ત્યાં આ વીજળી પણ પ્રકાશિત થતી નથી, પછી આ અગ્નિ ક્યાંથી પ્રકાશિત થઈ શકે? એ એકના જ બ્રહ્મના પ્રકાશિત થવાથી આ બધું દેખાય છે, નહીંતર સૂર્ય પણ ના દેખાય. બ્રહ્મ છે એટલે તમે સૂર્યને જુઓ છો. બ્રહ્મ છે એટલે તમે ચંદ્રને પણ જુઓ છો. બ્રહ્મ છે એટલા માટે તમને તારા અને નક્ષત્રો પણ દેખાય છે અને આ જગત પણ દેખાય છે. બ્રહ્મ ના હોત તો જગત પણ ના જોત, પણ બ્રહ્મ ના હોત એવું ક્યારેય હોતું જ નથી, કારણ કે અનાદિ અનંત છે અને શાશ્વત છે. એટલે આપણે બ્રહ્મનો સ્વીકાર કરીએ. બ્રહ્મનો ક્યારેય અસ્વીકાર કરાય નહીં. એમ પણ આપણે કીધું ને કે, "હું બ્રહ્મનો અનાદર ના કરું." કોઈપણ વસ્તુ, વ્યક્તિ અને અવસ્થાની અંદર, કોઈપણ સંયોગની અંદર કે વિયોગની અંદર પણ હું બ્રહ્મનો ક્યારેય પણ અનાદર ના કરું.
વાત આ છે. સાથે સાથે બ્રહ્મ મારો પણ અનાદર ના કરે. બ્રહ્મ મને નહીંતર છોડે. હવે બ્રહ્મ મને ક્યારે નહીંતર છોડે? જ્યાં સુધી હું બીઇંગ રૂપે, વ્યક્તિ રૂપે, નામ રૂપની અંદર સ્થિત છું ત્યાં સુધી. જેવો મેં આ છોડી દીધું અહમ ભાવ, હું પણું, એટલે તરત જ બ્રહ્મમાં સ્વીકાર થઈ જશે. કમાન આવી જાય કે તરત. એટલે એ બ્રહ્મ જે છે તેનાથી જ બધું પ્રકાશિત છે. એમનો જ પ્રકાશ આ બધામાં ચમકે છે. બુદ્ધિ જ આપે અને બુદ્ધિ વડે આપણને શું જ પડે છે બહાર? તે પણ બધું કોના કારણે થાય છે? આપણે બુદ્ધિને બહુ માન આપીએ છીએ અત્યારના વ્યવહારિક જગતની અંદર. વાસ્તવમાં એવી બુદ્ધિ હોવી કેવી? શેના આધારે છે? બ્રહ્મના આધારે. બ્રહ્મની સંગ સંજ્ઞાની એ પ્રાપ્ત કરે. એ બ્રહ્મ અમૃતરૂપ જ્ઞાન છે. બ્રહ્મ જ આગળ ને એ જ પાછળ. બ્રહ્મ ડાબી બાજુ, જમણી બાજુ અને બ્રહ્મ જ નીચે અને ઉપર.
બધે ચારે બાજુ એ જ છે. આ સંપૂર્ણ જગત સર્વશ્રેષ્ઠ બ્રહ્મ જ છે.
ત્રીજું મુંઢક કહે છે પ્રથમ ખંડની અંદર: "સાથે સાથે રહેનાર, મિત્રભાવે રહેનાર બે પક્ષી એક વૃક્ષ ઉપર રહે છે." એક શરીરમાં બે વસ્તુઓ છે, બે પક્ષીઓ છે. એમાંથી એક એ વૃક્ષના કર્મફળનો સ્વાદ લે છે, એ વૃક્ષના અને બીજું માત્ર તેને જોયા કરે છે, અણાહારી રહીને, નિરાહારી રહીને. આહારી આહાર કરે છે. હું નિરાહારી માત્ર તેને જાણું છું. સમાન વૃક્ષ એટલે કે દેહ પર વસનારા જીવાત્મા મોહમાં ડૂબેલા અસમર્થ બનીને મોહમાં ડૂબે. એ અસમર્થ થતો જાય. પ્રભુત્વ ખતમ. કેમ ખતમ થયું? અવલંબન લીધું વસ્તુનું, વ્યક્તિનું. બ્રહ્મના અવલંબન પર એ ના રહ્યો. તમને એટલે દૂર એટલી ટેકરી ઉપર ઊંચે આટલું બધું કર્યા પછી તમને એક બોટલ પાણી મળી ગયું. શિલબંધ વ્યવસ્થા કોણે ગોઠવી તમારા માટે? તો એ બ્રહ્મનું સામર્થ્ય છે. એને બધું જ ખબર. આ આવશે, એને જોઈશે. બોલો, કેટલો પહેલાથી વ્યવસ્થા કરે!
કોક છોડીને જ ગયો હોય કે, "હવે તો મારું પતી ગયું કે એવું મૂકીને જાઉં છું કે બોટલ કોકને કામ લાગશે." એનામાં એવો ભાવ પેદા થઈ જાય. પેલો અને બોલો, આવું બધું અદભુત સામર્થ્ય છે બ્રહ્મનું. કેટલા બધા જગ્યાએ કેમ કેવું કરે! એટલે કીધું કે, "હું સહસ્ત્ર આંખોથી જોઉં છું, સહસ્ત્ર કાનથી સાંભળું છું." અને એ કહેવાનો મતલબ એનું એ છે કે એને બધું જ ખબર છે, સર્વથી સાક્ષીભૂત. એટલે મોહમાં ડૂબેલો અસમર્થ બને છે. પોતાનું પ્રભુત્વ ગુમાવતો જાય છે. અવલંબન લેવાના કારણે માણસ ધીમે ધીમે ધીમે ધીમે પાંગળો બનતો જાય, અશક્ત બનતો જાય અને એના કારણે શોકથી એ સંતપ્ત થાય છે. એને ઊંડે ઊંડે ખબર મેં બ્રહ્મને દગો દીધો છે. એટલા માટે એને શોક પેદા થાય. સમજાય? ગમગીન થઈ જાય બિલકુલ. પહેલા એ તલ્લીન હતો બ્રહ્મમાં, પરમાનંદમાં, તો હવે ગમગીન થઈ ગયો બિલકુલ, દેવદાસ બેઠો છું.
જ્યારે યોગીઓથી સેવિત પરમાત્માની મહિમાનો બોધ એ પ્રાપ્ત કરે છે, ત્યારે મુક્ત થઈ જાય છે. જ્યારે જીવ દ્રષ્ટારૂપ, દ્રષ્ટા પરમપુરુષ, વિશ્વના ઉત્પત્તિ કરતા બ્રહ્માના રચયિતાને જુએ છે, ત્યારે વિદ્વાન પાપ-પુણ્યને છોડી દઈને નિર્મળ અને શ્રેષ્ઠ સામ્ય રૂપ પ્રાપ્ત થઈ જાય છે. નિર્મળ અને શ્રેષ્ઠ સામ્ય રૂપને એ પ્રાપ્ત થાય છે. આ નિર્મળ, શ્રેષ્ઠ અને સામ્યરૂપ કોણ હોય? પરબ્રહ્મ સિવાય બીજું કંઈ પણ હોઈ શકે નહીં. તો એને એ પ્રાપ્ત થઈ જાય છે. તો જીવ ત્યારે જુએ છે. પહેલા તો એ દ્રષ્ટારૂપ થાય છે. જીવ પોતે દરેક વસ્તુને દ્રષ્ટા રૂપે જોવાનું શરૂ કરે છે. આ અભ્યાસ છે દરેકથી અલગ થવા માટે. ધીમે ધીમે ફક્ત દ્રષ્ટા જ રહી જાય. એવું આ બોલવાનું બંધ. જે કાંઈ બધું થતું હોય તે બધાનું હોય દ્રષ્ટા. બસ, બીજું કાંઈ નહીં. એટલે ઓટોમેટિક અલિપ્તતા આવી જશે.
એ ક્ષણે ભયંકર ભીડની અંદર એ હોવા છતાં પણ તેને અરણ્યમાં હોય, વનમાં હોય, એકાંતમાં હોય, એકલો હોય એવો અનુભવ આવે. જેવો તમે દ્રષ્ટા બનોને બધાના, તરત અલિપ્ત થઈ જાવ. લાખો લોકોની મેદનીની અંદર તમે એકલા. પછી જે બધું ચાલવું હોય એ ચાલ્યા કરે, પણ તમે જેવા દ્રષ્ટા બન્યા એટલે પૂરું થઈ ગયું. હવે દ્રશ્યના તમે દ્રષ્ટા બન્યા છો અત્યારે. હવે દ્રશ્ય ગાયબ થઈ જશે. તમારું ધ્યાન શું છે? ફક્ત દ્રષ્ટા બનવા ઉપર જ આવવા માંડશે. ધીમે ધીમે ધીમે ધીમે એ કોન્સન્ટ્રેશન જેવું વધતું જશે એટલે દ્રશ્યનું મહત્વ જતું.
રહેશે અને દ્રશ્ય ગાયબ થઈ જશે એટલે પછી તમને આ જગત આવું નહી દેખાય. તમને બધું બ્રહ્મ દેખાવા મળશે. આ બ્રહ્મ જ બધા પ્રાણીઓની અંદર પ્રાણ રૂપમાં પ્રકાશિત થય છે. જે વિદ્વાન એને જાણે છે, એ અહંકાર રોક્તિ કરતો નથી. એ અહંભાવથી કોઈ પણ શબ્દ બોલતો નથી. એ આત્મામાં જ રમનાર, ક્રીડા કરનાર અને આત્મામાં જ રમણ કરનાર પુરુષ જગતમાં કામ કરતાં કરતાં બ્રહ્મજ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે.
કબીરજી, રવિદાસ, રોહિદાસ, બધા કેવા કેવા સંતો થઈ ગયા! બધા પોતે કર્મ કરતાં કરતાં, પોતાનું જીવન કાર્ય કરતાં કરતાં જ બધું કર. પણ એ એમની સ્થિતિ ક્યાં હતી? બ્રહ્મમાં હતી. એના સાથે એકરૂપતા.
આ પક્ષી હું છું. દ્રષ્ટા જોયા કરું છું. અનાહારી છું. આહારી આહાર કરે છે. હું નિરાહારી માત્ર તેને જાણું છું. સમજો, હજી ઇન્દ્રિયો બધી આહાર કરે છે, મન આહાર કરે છે. હું એને જોવું છું, હું એનો દ્રષ્ટા છું, હું એને જાણું છું અને હું આમાંથી કંઈ પણ ગ્રહણ કરતો નથી, કારણ કે મારે અન્નની જરૂર નથી.
બ્રહ્મ હંમેશા સંપૂર્ણ છે. બ્રહ્મને કોઈ દાડો ભૂખ લાગતી જ નથી. તમે જો બ્રહ્મ સ્વરૂપમાં રહેશો તો એટલો ટાઈમ તમારા મારા ભૂખ તરસનું ભાન જતું રહેશે અને તો પણ બધું કાર્ય ચાલ્યા કરશે અને દેહ બી ટકેલો રહેશે. આ ગેરન્ટેડ.
આગળ ઉપર કે છે કે જે બ્રહ્મ છે, તેને તો પ્રાણથી પણ રહિત છે. બ્રહ્મ પોતે એને પ્રાણની જરૂર નથી. એટલે શું થાય છે? નિર્વિકલ્પ સમાધિની અંદર ગયેલો જે સાધક છે, સિદ્ધ થઈ ગયો. હવે એ કરતાં કરતાં કરતાં જ સંવતસરો એક પછી એક બધા કરે જ રાખ્યા. એ કરતાં કરતાં સ્થિતિ હવે એની આવી ગઈ છે કે હવે એને પ્રાણની પણ આવશ્યકતા સમાપ્ત થઈ જાય. એટલે પછી નિર્વિકલ્પ સમાધિમાં કેવળ બ્રહ્મની સાદે એકરૂપ થઈને રહ્યો હોય ત્યારે એન શ્વસન ક્રિયા પણ બંધ થઈ જાય છે. એને કસાન જરૂર નથી. એનો દેહ ત્યાં ટકેલો એટલા એટલા માટે રહે છે કે બ્રહ્મની અંદર અને બ્રહ્મ જ એને પોષણ કરે. એ બ્રહ્મ જ એનું સીધું અન્ન બને છે અને એને પોષિત કર્યા જ કરે. સીધું ડાયરેક્ટ. મગજ મારી જ નહીં. કોઈ વાયરલેસ હો. બાટલા નહીં ચડાવાના. સીધો સીધો બ્રહ્મ સાથેનો નોજ. બિલકુલ વાઈફાઈ વાળું કામકાજ છે બધું.
આ બધું હાઈફાઈ છે એકદમ. સો, આવી રીતે બ્રહ્મજ્ઞાનીઓમાં પણ એ શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે.
આત્મારૂપ એ બ્રહ્મની પ્રાપ્તિ જ્યારે થાય તો શેનાથી? તો કે સત્ય ભાષણ, તપસ્ચર્યા, સમ્યક જ્ઞાન, બ્રહ્મચર્ય વગેરે નિશ્ચિત વ્રતોથી થાય છે. આ બધા વ્રતો છે એટલે વર્તવા જોઈ. તમને અંદરથી અનુભવ આના જ હોવા જોઈએ. હું આજે એકાદશી કરું છું. એકાદશી એવી એકાદશી નથી. એકાદશી એટલે પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન. આ 11 ને તમારે આહાર આપવાનો બંધ કરો તે વખત. આહાર એટલે સંસારમાંથી જે કાઈ ગ્રહણ કરે છે એ બંધ રાખો. એને એકાદશી કહેવાય. બૈજી કોઈ એકાદશી કામ લાગે એવી નથી. એ તો લાંઘણ છે, એક દિવસ તમે આહાર નથી લેતા, સ્થૂળ આહાર. કોઈ પણ કશું પણ જરૂર આવી એક જ એકાદશીની. આ 11 આ પાંચ પ્રાણ, આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયોને એક બસ બનાવી દેવાનું અને કંઈ બીજું આપવાનું નથી તે દિવસે. સંસારમાંથી એનું પોષણ ના થાય.
એ કેવળ પછી બસ તે દિવસે બ્રહ્મના આશ્રય જ હોય. એનું પોષણ થઈ જશે.
એટલે શું થાય કે જ્યોતિષમાન બ્રહ્મ જે શરીરની અંદર અધિષ્ઠિત છે, એ એને યોગીઓ જુવે. યોગીઓ અને સ્પષ્ટ જુવે છે અને એ સ્વયંને દોષોથી મુક્ત કરી લે છે. સંસાર જોવો એ પહેલો દોષ છે. સંસાર જ ન જોવો જોઈ. એ દેખાવો જ ના જુએ. બસ, પછી કશું નહી થાય. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, કશું નથી. સંસારનો સત્યનો જ વિજય થાય છે, જૂઠાનો નહીં. એટલે અસત્યનો ક્યારેય વિજય થતો નથી. વ્યવહારની અંદર દેખાય છે પણ વાસ્તવમાં એવું હોતું નથી. સત્યથી દેવયાન માર્ગ પરિપૂર્ણ છે. એના દ્વારા જ કામના રહિત ઋષિગણ જોયું. કામના: કોઈપણ પ્રકારની આશા, ઈચ્છા, તૃષ્ણા કશું જ ના હોય. કોઈ સંકલ્પ ના હોય, કોઈ વિકલ્પ ના હોય, એવો ઋષિગણ. ઋષિ કોણ છે? જે બ્રહ્મને જોવે છે તે ઋષિ છે. ઋ એટલે જ્ઞાન. એને એને સતત જોયા કરતો એવો ઋષિગણ. તો એ જોયા કરે છે. એ પદને પ્રાપ્ત થાય છે.
જેને તમે જુઓ તે તમે પ્રાપ્ત કરો કે જ્યાં સત્યના શ્રેષ્ઠ ભંડાર રૂપ પરમાત્માનો નિવાસ છે.
એ બ્રહ્મ પરમાત્મા અત્યંત મહાન અને દિવ્ય છે. એ સહજ ચિંતાઓની સીમા માઓથી પણ અલગ છે. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપમાં પ્રકાશિત થાય. એ અત્યંત દૂરથી પણ અતિ દૂર છે તથા નજીકથી પણ વધારે નજીક રહેલો છે. એટલે આમ બહુ અનંતા અનંત સુધીને જોવાની જરૂર ના પડે. બ્રહ્મનો સ્પર્શ તમને અહિયા જ થઈ જાય. બ્રહ્મનું જ્ઞાન પણ અહિયા જ. આમ કરીને આમ કરતામાં બસ તમારી પાસે જ છે. બીજું ક્યાંય છે જ નહી. આમ સામે જુઓ છો, આ દ્રષ્ટિને આમ કરીને આમ પાછી ફેરવો, દ્રષ્ટાની અંદર નાખો એટલે બસ આ થઈ ગય. આવી રીતે આત્મદર્શન થઈ જાય.
એ સૂક્ષ્મ દ્રષ્ટાઓની દ્રષ્ટિમાં પ્રત્યેક પાણી પ્રાણીની અંદર હૃદય ગુફામાં પ્રતિષ્ઠિત છે. અહીંયા આ હૃદયમાં નહીં, જે આ અનુભવ રૂપી જે હરદય છે, તેને હૃદય ગુફા કહેવામાં આવે. "સમ ટોટલ ઓફ ઓલ એક્સપરિયન્સીસ, ઓલ ધેટ યુ કેરી" એ હૃદય છે અને એના આશયમાં કેવળ જ્ઞાન વિના કશું ના. બસ, આ નિશ્ચય હોવો જોય. સંકલ્પ નહી, નિશ્ચય હોવો. બસ.
એ બ્રહ્મ અથવા આત્મા ના તો નેત્રોથી ગ્રહણ કરવામાં આવે છે, ના વાણીથી, ના અન્ન ઇન્દ્રિયોથી ગ્રહણીય છે. આ બધા વામણા છે એમ કે ઇન્દ્રિયોનું બધું જે કઈ સાધન છે, એ તપ કરવાથી કે કર્મોથી પણ ગ્રહણીય નથી. જ્ઞાન પ્રસાદ દ્વારા જ્ઞાની શુદ્ધ અંતઃકરણ વાળો જ્યારે હોય છે, ત્યારે એ ધ્યાન દ્વારા કલા રહિત પરબ્રહ્મને જુવે છે. કલા રહિત નિષ્કલ કીધો એમને. જે નિષ્કામી બને તે નિષ્કલને જુએ. લખવું હોય તો લખી લો. એ સૂક્ષ્મ આત્મા.
મન દ્વારા જાણવા યોગ્ય છે, જેમાં દેહ સાથે સંબંધિત પાંચ રૂપો વાળા પ્રાણ રહેલો છે. આ પ્રાણોથી સંપૂર્ણ પ્રજાઓનું મન પણ વ્યાપ્ત છે. જેના શુદ્ધ થઈ જવાથી આ પાંચ પ્રાણોની શુદ્ધિ કરવાની, કારણ કે અશુદ્ધ પ્રાણ અત્યારે તો બધું ભેગું કરેલો છે. શુદ્ધ થઈ જવાથી આ આત્મા પ્રકાશિત થવા લાગે છે. આ ઋષિઓનો અનુભવ છે અને આપણને એ જણાવે છે. આજે શિષ્ય એમના પાસે આવ્યો તો સમિધા લઈને, તેને આ એક્સ્ટ્રા ટ્યુશન આપેલું છે કે, "લે ભાઈ, તું આ કર." પહેલા એને વિધિ આપી દીધી અને પછી એની માહિતી આપે છે.
નિર્મળ અંતઃકરણ વાળો આત્મજ્ઞાની જે જે લોકનું મનથી ચિંતન કરે છે, જે જે કામનાઓની ઈચ્છા કરે છે, એ તે તે લોકને અને તેવી તે એવી કામનાઓને પ્રાપ્ત કરી લે છે. તેથી ઐશ્વર્ય આદિની ઈચ્છા કરનાર મનુષ્ય આત્મજ્ઞાનીની પ્રાર્થના કરે, અર્ચન કરે. આત્મજ્ઞાનીની એને પ્રાર્થના કરવી જોઈએ. પણ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તેને તો બસ આત્મજ્ઞાની પાસે જઈને પણ શું કહેવું જોઈએ કે, "મને આત્મા આપો, મને બ્રહ્મ દર્શન કરાવો, મને બ્રહ્મલીન કરી દો." બસ, બીજું કંઈ કહેવાનું નથી.
અહીં એક મહત્વપૂર્ણ મર્મ બતાવ્યો છે કે લૌકિક કામનાગ્રસ્ત મનુષ્ય તમામ પુરુષાર્થ કરીને ઈચ્છિત વસ્તુઓનો સંગ્રહ કર્યા પછી જે સુખનો અનુભવ કરે છે, તે નિર્મળ અંતઃકરણ વાળાને એ સુખની અનુભૂતિ સંકલ્પ માત્રથી થઈ જાય છે. એટલા માટે ઐશ્વર્ય સંગ્રહપૂર્વક સંતોષ શોધવા વાળા માટે પણ એ ઉચિત છે કે તેઓ આત્મજ્ઞાનીને શ્રેષ્ઠ માને અને તેને અનુસરે. એ જે કરે છે, એ જેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, તેનું અનુસરણ કરવાનું. એના સંસાર ભાગનું અનુસરણ કરવાનું ના પાડે. એ સંસારમાં કંઈ પણ કરતો દેખાય, પાછો ના. આપણે જરૂર છે ફક્ત આત્મજ્ઞાનની. તો એ આત્મજ્ઞાન એ કઈ રીતે પ્રાપ્ત કરે છે, એનું અનુસરણ કર્યા કરવાનું એમ કહેવામાં આવે.
સો ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે ૐમ શાંતિ ૐ બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ બ્રહ્માજ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના જય સચ્ચિદાનંદ
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.