ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૪૮
વિડિયો ૧૪૮
"સૌભાગ્ય લક્ષ્મી ઉપનિષદ" ઋગ્વેદીય પરંપરા સાથે સંબંધિત છે. આમાં શ્રી સૂક્તના વૈભવશાળી અક્ષરોને આધાર માનીને દેવીના મંત્ર, ચક્ર આદિ દર્શાવાયા છે. ઉપનિષદની રજૂઆત દેવ સમૂહ અને શ્રી નારાયણ વચ્ચે થયેલી પ્રશ્નોત્તરી રૂપે છે. એમાં ત્રણ ખંડ છે.
પ્રથમ ખંડમાં સૌભાગ્ય લક્ષ્મી વિદ્યાની જિજ્ઞાસા કરી છે. તે પછી સૌભાગ્ય લક્ષ્મીનું ધ્યાન, શ્રી સૂક્તના ઋષિ આદિનું નિરૂપણ, સૌભાગ્ય લક્ષ્મી ચક્ર, એકાક્ષરી મંત્રના ઋષિ આદિનું નિરૂપણ, એકાક્ષરી ચક્ર અને લક્ષ્મીના વિશેષ મંત્રનો ઉલ્લેખ છે.
બીજા ખંડમાં ઉત્તમ અધિકારી માટે જ્ઞાનયોગ, ષણમુખી મુદ્રાયુક્ત પ્રાણાયામ યોગ, નાદના આવિર્ભાવ પૂર્વક ત્રણ ગ્રંથિઓનું વિવેચન, અખંડ બ્રહ્માકાર વૃત્તિ, નિર્વિકલ્પ ભાવ તથા સમાધિના લક્ષણ વર્ણવેલા છે.
અને ત્રીજા ખંડમાં નવ ચક્રનું વિસ્તૃત વર્ણન છે અને અંતમાં અધ્યાય નિફળ શ્રુતિ છે.
"ૐ વાંગમે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ્, આવિરાવીર્મ એધિ, વેદસ્ય મ આણીસ્થઃ, શ્રુતં મે મા પ્રહાસીઃ અનેન અધીતેન અહોરાત્રા સંધ્યામૃત વદિશ્યામિ સત્યમ વદિશ્યામિ તન્મામવતુ તદવક્તારમ અવતુ અવતુમામ અવતુ અવતુ ૐમ શાંતિ શાંતિ શાંતિહી."
"અથ ભગવંત દેવા ઉચુર હે ભગવન કથ થય સૌભાગ્ય લક્ષ્મી વિદ્યા." એકવાર બધા દેવોએ ભગવાન નારાયણ સમક્ષ ઉપસ્થિત થઈને નિવેદન કર્યું કે, "હે પ્રભુ, અમને બધાને સૌભાગ્ય લક્ષ્મી વિદ્યાનો ઉપદેશ આપવાની કૃપા કરો."
વચ્ચે તમે જોયું હશે કે અહીં સૌભાગ્ય લક્ષ્મીના વ્રતનું ખૂબ પ્રચલન થઈ ચૂક્યું હતું. ગુજરાતની અંદર, બીજે બધે પણ ઘણી જગ્યાએ હતું. ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે, "હે દેવો, એ થયું પછી લોકો ઘણા સમૃદ્ધ થયા છે એવું તમને લાગે છે. હવે આપ બધા એકાગ્ર મનથી સ્થિર થઈને સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણરૂપ ત્રણેય અવસ્થાઓથી પર તુરીય સ્વરૂપ સાથે તુરિયાતીતા છે; તૂર્યમાં પણ છે અને તુરિયાતીતમાં પણ છે. બંને અવસ્થાઓની અંદર જેની સ્થિતિ છે એવા સર્વોત્કટ રૂપા એટલે કે મુશ્કેલીથી પ્રાપ્ત થાય એ છે અને બધા મંત્રોને પોતાનું આસન બનાવે છે. તેના પર એ પ્રતિષ્ઠિત છે. જેટલા મંત્રો છે, બધાય મંત્રો કે બસ એ બધા મારી બેઠક છે એવી રીતના કરી એની પીઠ બનાવીને પછી એના પર એ બેસે. પીઠો અને ઉપપીઠોમાં વિદ્યમાન દેવોથી ઘેરાયેલી છે નિત્ય તથા તે દેવી ચાર ભુજાઓથી સંપન્ન છે.
એ શ્રી લક્ષ્મી દેવીનું 'હિરણ્ય વર્ણામ હરણેમ સુવર્ણ રજસ્ત્રજામ ચંદ્રામ હિરણ્યમય લક્ષ્મી જાતવેદો મઆવહ' આવા શ્રી સુક્તની જે 15 રૂચાઓ તેના દ્વારા તેનું ધ્યાન કરવું જોઈએ."
માતાનું ઉપરોક્ત શ્રી સૂક્તની 15 રૂચાઓના દ્રષ્ટા ઋષિ ઇન્દિરા પુત્ર આનંદ, ચિકલિત તેમ જ કરદમ છે. પ્રથમ મંત્રની દ્રષ્ટિ ઋષિકા શ્રી અર્થાત ઇન્દિરા છે. ઇન્દિરા એટલે શ્રી અને શ્રી એટલે ઇન્દિરા અને આનંદ, કરદમ અને ચિકલિત આદિ 14 મંત્રોના દ્રષ્ટા ઋષિ છે. શ્રીસુક્તના પ્રથમ ત્રણ ઋચાઓનો છંદ અનુષ્ટુપ છે. ચોથી ઋચાનો બૃહતી છંદ છે. એની આગળની બે ઋચાઓ એટલે કે પાંચમી અને છઠ્ઠી ત્રિસ્ટુપ છંદ છે. એનાથી આગળ સાત થી 14 સુધીની આઠ રૂચાઓ પાછી અનુષ્ટુપ છંદમાં છે અને 15 મી અથવા બાકી બીજા મંત્રોનો છંદ જે છે તે પ્રસ્તાર પંક્તિ છે. તો વાસ્તવમાં શ્રી અને અગ્નિ આ મંત્રોના દેવતા છે. આ સૂક્તમાં બીજા મંત્રોનું બીજ હિરણ્ય વર્ણામ છે. એની શક્તિ જે છે કાસોસ્મી છે. આ હિરણ્યમય ચંદ્રા રજસ્ત્ર રજા છે, હિરણ્યસ્ત રજા છે, હિરણ્યા છે, હિરણ્ય વર્ણા છે.
આદે ચતુર્થી વિભક્તિમાં રાખીને પ્રારબ્ધમાં "ઓમ" અને સમાપ્તિમાં "નમઃ" શબ્દનું ઉચ્ચારણ કરીને અંગન્યાસની ક્રિયાઓ કરી લેવી જોઈએ. તે પછી વક્ત્રત્ર એટલે કે મંત્ર દ્વારા અંગન્યાસ કરવું. આ બધા અંગોમાં માથું, આંખો, કાન, નાસિકા, મુખ, કંઠ, ભુજા, હૃદય, નાભી, લિંગ, ઉદા, ગુદા, ઉરુ, ઝાંગ, જાનુ, જંગાપિંડી આદિ અંગોમાં શ્રીસુક્તની રૂચાઓ દ્વારા જ ક્રમ અનુસાર ન્યાસની ક્રિયાઓને સંપન્ન કરવી જોઈએ અને પછી નીચે પ્રમાણેના મંત્રો પ્રમાણે તેનું ધ્યાન કરવું જોઈએ.
તો હવે મંત્ર કહે છે કે, "અરુણવર્ણ એટલે કે હલકા લાલ રંગના, નિર્મળ કમળદર પર બેઠેલા, કમળ પરાગની રાશિ જેવા પિત્તવર્ણા, ચારે હાથમાં ક્રમશઃ વર મુદ્રા, અભય મુદ્રા અને બંને હાથમાં બે કમળ પુષ્પ ધારણ કરેલા, મણિયુક્ત કંકણોથી વિચિત્ર શોભાને ધારણ કરનારા તથા બધા આભૂષણોથી વિભૂષિત સંપૂર્ણ લોકોની માતા શ્રી મહાલક્ષ્મી અમને સર્વદા શ્રી સંપન્ન બનાવ."
આવો શું કહે છે: "અરુણ કમલ સંસ્થા તદ્જ પુંજવર્ણ કર કમલ ધ્રુતે અભિતિ યુગ્મ અંબુજાચ મણિકટક વિચિત્રાલંક કૃતા કલ્પજાલી સકલ ભુવન માતા સંતત શ્રી શ્રીયે ન."
આગળ કહે છે: "પીઠ કરણિકા બીજકોષમાં અસાધ્ય એટલે શ્રમપૂર્વક શ્રી બીજ 'શ્રીમ' એવું લખવું જોઈએ. તે પછી અષ્ટદળ, દ્વાદશ અને સોડસ દળ પદ્મો ઉપર તથા ભૂવૃતોની મધ્યમાં શ્રી સુક્તનો અડધો અડધો મંત્ર લખો. તે પછી એ બીજકોષની બહાર 'યઃ શુચિઃ પ્રયતો ભૂત્વા' ઇત્યાદિ ફલશ્રુતિ સ્વરૂપ મંત્ર લખી અને 16 સાર વચ્ચે તથા ઉપર અકારથી માંડીને ક્ષકાર સુધીના માતૃકા વર્ણને લખવાના. ક્રમશઃ આ રીતે 10 અંગોથી યુક્ત એવા શ્રી ચક્ર અર્થાત પ્રણવ, ષટકોણ, ભૂવૃત, અષ્ટદળ ભૂવૃત, દ્વાદશ ભૂવૃત અને સોડેસદળ ભૂવૃત અને નિભ્રુવૃત બનાવી અને પછી શ્રીનું આવાહન કરો. અંગ્યાસના મંત્રો દ્વારા પ્રથમ આવરણની પૂજા સંપન્ન થાય. પ્રથમ આવરણ, બીજું, ત્રણ તેવી રીતે બધાના અંદર હોય છે. તે પ્રથમ આવરણની પૂજા અંગન્યાસના મંત્રોથી કરવી. પદ્મ આદિ નિધિઓ દ્વારા કમળ જેને કહેવાય બીજા આવરણની પૂજા કરવાની.
લોકપાલો એટલે કે ઇન્દ્ર આદિ દ્વારા ત્રીજા આવરણની પૂજા સંપન્ન કરવામાં આવે છે. એના વજ્ર આયુ સંજયત્રો દ્વારા ચોથા આવરણની પૂજા સંપન્ન થાય છે. શ્રી સુક્તના મંત્રો દ્વારા આવાહન આદિ પૂર્ણ."
કાર્ય પૂર્ણ કરવામાં આવે છે તે પછી પુરુષચરણ માટે ૧૬,૦૦૦ મંત્રો દ્વારા જપ કાર્ય કરવાનું વિધાન કહેવામાં આવેલું છે. તો સૌભાગ્ય લક્ષ્મીનો પૂજન ક્રમ આ પ્રમાણે છે: એકાક્ષર સૌભાગ્ય લક્ષ્મીના મંત્ર દ્રષ્ટા ઋષિ ભ્રુગ છે. છંદ એના નિચૃત ગાયત્રી છે અને દેવતા શ્રી છે. શ્રમમાં એનું બીજ છે. શમ અને શ્રદિ દ્વારા અંગન્યાસની ક્રિયાઓ કરવી જોઈએ. ત્યાર પછી આ બધા જે મંત્રો છે તે પ્રમાણે તેનું ધ્યાન કરવું જોઈએ.
તો મંત્રો શું કહે છે આપણને? "જે શ્રી લક્ષ્મીદેવી પોતાના બંને હાથોમાં કમળ પુષ્પ અને બાકીના જેમાં વર અને અભય મુદ્રાઓ ધારણ કરી રાખેલી છે, તે જે દેવીના શરીરની આભા તપ્ત સુવર્ણ જેવી છે, જે દેવીનો અભિષેક શુભ્ર મેઘ જેવી સુંદર આભાવાળી બે હાથીઓની સુંઢ વડે ગ્રહણ કરાયેલા કળશોના જળથી સંપન્ન થઈ રહ્યો છે, લાલ રંગના માણિક્ય આદિ રત્નોનો મુગટ જેમના મસ્તક પર શોભાયમાન છે, જે શ્રીદેવીના પરિધાન ખૂબ જ સ્વચ્છ છે, જેમની આંખો કમળ જેવી છે, ઋતુ પ્રમાણે તેમના અંગ અવયવ ચંદન આદિ સુવાસિત પદાર્થોના લેપનથી યુક્ત છે, ક્ષીરશાહી ભગવાન વિષ્ણુના હૃદય સ્થળમાં જેમનો વાસ છે, અમને બધાને અને તે શ્રી લક્ષ્મીદેવી કમળના આસન પર પ્રતિષ્ઠિત થઈને શ્રેષ્ઠ ઐશ્વર્ય પ્રદાન કરવાની કૃપા કરો."
પદ્માક્ષી! તો આ કહે છે: "ભુયાદુયો દ્વિપદ પદ્મા ભયવરદ કરા તપ્તકારત સ્વરાભ્યા સુભ્રાભ્રામે મયુગ્મ દ્વય કર ધરુત કુંભાદવીરા સચમાના રક્તોધાવ બદ્ધ મૌલી વિમલ તરદુ કુલાર્થ વાલે પનાઢ્યા પદ્માક્ષી પદ્મના ભો રસીકૃત વસતીિ પદ્મગા શ્રીયે નહ."
તો આ શ્રી લક્ષ્મી દેવી આપ કમળના આસન પર આવી રીતે પધારો અને પ્રતિષ્ઠિત થઈને પછી એમને ઐશ્વર્ય પ્રદાન કરો. તો આપણે પહેલા એમને જો સન્માન આપીએ છીએ અને પછી એમના પાસેથી ગ્રહણ કરવાનું ધ્યાન.
પછી હવે પીઠ યંત્રનું વર્ણન કરે. એમાં ત્રણ વૃત્ત છે: એક અષ્ટદળ પદ્મ છે, ૧૨ રાશિખંડનું એક છે અને ચતુષ્કોણ જેવા આકારનું એક પાછું રમાપીઠ હોય છે. એ કર્ણિકા એટલે બીજકોષમાં શ્રમપૂર્વક શ્રી બીજ લખવાનું, "શ્રીમ" અંકિત કરવાનું. દાખલા તરીકે, "શ્રીમ શ્રીમાં દેવી જુસતામ." તે પછી પ્રાતકાલીન કૃત્ય પીઠનાશ તથા ઋષિ આદિનો ન્યાસ કરવો. તે પછી પ્રારંભમાં ઓમકાર અને અંતમાં નમઃ શબ્દ જોડવાનો અને પ્રત્યેક નામને ચતુર્થ વિભક્તિના રૂપે પ્રયોજીને આ નવ શક્તિઓ, ઉદાહરણ તરીકે, "ૐમ વિભૂતયે નમઃ" એવી રીતે વિભૂતિ, કાંતિ, ઉન્નતિ, કીર્તિ, સૃષ્ટિ, સન્નતિ, વ્યષ્ટિ, વૃદ્ધિ તેમજ સતકૃષ્ટિ એવી રીતના એની પૂજા અર્ચના સંપન્ન કરવી જોઈએ.
તદુપરાંત અંગન્યાસ દ્વારા પ્રથમ આવરણનું પૂજન સંપન્ન કરો. તે સમયે વાસુદેવ આદિ જે છે તેમનું પૂજન કરવાનું. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધનું પૂજન કરવું. આ બીજા આવરણની પૂજા થઈ. હવે ત્રીજા આવરણમાં બાલાકી આદિ, બાલાકી, વિમલા, કમલા, અ, વી.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.